Shuru
Apke Nagar Ki App…
અમરેલીના વિરપુર પંથકમાં વરૂણદેવને મનાવવા માટે ખેડૂતો દ્વારા ૧૨ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપુરમાં આયોજિત આ ધૂનમાં પંથકના ખેડૂતોએ એકઠા થઈને વરૂણદેવને રીઝવવા માટે ભક્તિભાવપૂર્વક આ અખંડ રામધૂન બોલાવી હતી.
Pratik savaliya
અમરેલીના વિરપુર પંથકમાં વરૂણદેવને મનાવવા માટે ખેડૂતો દ્વારા ૧૨ કલાકની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપુરમાં આયોજિત આ ધૂનમાં પંથકના ખેડૂતોએ એકઠા થઈને વરૂણદેવને રીઝવવા માટે ભક્તિભાવપૂર્વક આ અખંડ રામધૂન બોલાવી હતી.
More news from ગુજરાત and nearby areas
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.1
- વરસાદના વિરામ બાદ ધારી તાલુકાના ફતેગઢ ગામમાં ત્રણ સિંહ અને એક સિંહણના આંટાફેરા જોવા મળ્યા છે. વન્યજીવોના આ પ્રકારે ગામમાં આંટાફેરા થવાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.1
- અમરેલીની ખાંભા પોલીસે બાતમીના આધારે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.1