logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વરસાદના વિરામ બાદ ધારી તાલુકાના ફતેગઢ ગામમાં ત્રણ સિંહ અને એક સિંહણના આંટાફેરા જોવા મળ્યા છે. વન્યજીવોના આ પ્રકારે ગામમાં આંટાફેરા થવાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

2 hrs ago
user_Pratik savaliya
Pratik savaliya
Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
2 hrs ago

વરસાદના વિરામ બાદ ધારી તાલુકાના ફતેગઢ ગામમાં ત્રણ સિંહ અને એક સિંહણના આંટાફેરા જોવા મળ્યા છે. વન્યજીવોના આ પ્રકારે ગામમાં આંટાફેરા થવાના કારણે સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ ગઈ છે.

More news from ગુજરાત and nearby areas
  • અમરેલીમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ વાયરલ ઓડિયોમાં ખેડૂતોને ધમકી આપવામાં આવી હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં 'વિજ પોલની કામગીરી નહીં અટકાય, નહીં તો કેસ થશે' તેવો કથિત દાવો સાંભળવા મળી રહ્યો છે. આ વાયરલ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે, આ વાયરલ થઈ રહેલા ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી।
    1
    અમરેલીમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો છે. આ વાયરલ ઓડિયોમાં ખેડૂતોને ધમકી આપવામાં આવી હોવાનો કથિત દાવો કરવામાં આવ્યો છે. ઓડિયોમાં 'વિજ પોલની કામગીરી નહીં અટકાય, નહીં તો કેસ થશે' તેવો કથિત દાવો સાંભળવા મળી રહ્યો છે.

આ વાયરલ ઓડિયો સામે આવ્યા બાદ ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારમાં રાજકીય માહોલ પણ ગરમાયો છે. જોકે, આ વાયરલ થઈ રહેલા ઓડિયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી।
    user_Pratik savaliya
    Pratik savaliya
    Salesperson અમરેલી, અમરેલી, ગુજરાત•
    53 min ago
  • અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    4
    અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે.

સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી.

પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.
    user_Author Kundala
    Author Kundala
    સાવરકુંડલા, અમરેલી, ગુજરાત•
    12 hrs ago
  • જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.
    1
    જનરલ જી. ડી. બક્ષીએ જણાવ્યું છે કે અમેરિકા દ્વારા ઈરાન પર વર્ષોથી અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. આટલા બધા પ્રતિબંધો હોવા છતાં પણ ઈરાન હજુ પણ પૂરા જુસ્સા સાથે લડી રહ્યું છે.
    user_રજની ભાઈ પરીખ
    રજની ભાઈ પરીખ
    Citizen Reporter પાલીતાણા, ભાવનગર, ગુજરાત•
    4 hrs ago
  • તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી. આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
    4
    તળાજા ખાતે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા શેત્રુંજી નદી પર તૂટી ગયેલા કોઝવે અને અધૂરા બ્રિજની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આપના આગેવાનોએ સરકાર પર અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને વિકાસના કામોમાં થઈ રહેલા વિલંબ અંગે આકરી ટીકા કરી હતી.

આ મુલાકાતમાં તળાજા વિધાનસભાના પ્રભારી માવજીભાઈ, વરિષ્ઠ આગેવાન પ્રાગજીભાઈ બી. ધાંધલ્યા, તાલુકા પ્રમુખ દશરથભાઈ ડોડીયા, સંગઠન મંત્રી બાબુભાઈ જાંબુચા, જતીનભાઈ બેલડીયા તેમજ યુવા પ્રમુખ રાહુલભાઈ બાંભણિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

આગેવાનોએ દેવળીયાથી દાત્રડ વચ્ચે બનેલા માર્ગની પણ મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ રસ્તાની બંને બાજુ પાણીના નિકાલ માટેની વ્યવસ્થા હોવા છતાં સાઇડ વૉલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. પરિણામે રસ્તો ધોવાઈ જતાં તેની પહોળાઈ ઘટી ગઈ છે અને વાહનચાલકો માટે જોખમ ઊભું થયું છે. ખાસ કરીને ફોરવ્હીલ વાહનો સામસામે પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.

આ તમામ મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના આગેવાનોએ સરકારની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને વહીવટમાં સુધારા તથા વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી હતી. આ આગેવાનોએ ખાસ કરીને તળાજાના ટીમાણા અને દત્રાડ ગામને જોડતા શેત્રુંજી નદી પરના કોઝવેની સ્થિતિ અંગે સ્થળ પર જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો.
    user_AAFATB DASADIYA
    AAFATB DASADIYA
    Local News Reporter તળાજા, ભાવનગર, ગુજરાત•
    1 hr ago
  • જસદણ તાલુકાના આટકોટમાં આજે સવારથી એક હટકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પર આ કૂતરાએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા નાના-મોટા રાહદારીઓને કૂતરાએ બચકાં ભરી લીધા છે. આ ઘટનાને પગલે આટકોટના જૂના બસ સ્ટેશન પાસે ભયનો માહોલ છવાઈ ગયો હતો. કૂતરાના આ આતંકથી બચવા માટે આખરે લોકો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા હતા, જે બાદ આ હટકાયા કૂતરાનો અંત આવ્યો હતો. આ ઘટના અંગે જસદણથી મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ કરશન બામટાએ અહેવાલ આપ્યો છે.
    2
    જસદણ તાલુકાના આટકોટમાં આજે સવારથી એક હટકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પર આ કૂતરાએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા નાના-મોટા રાહદારીઓને કૂતરાએ બચકાં ભરી લીધા છે. આ ઘટનાને પગલે આટકોટના જૂના બસ સ્ટેશન પાસે ભયનો માહોલ છવાઈ ગયો હતો.

કૂતરાના આ આતંકથી બચવા માટે આખરે લોકો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા હતા, જે બાદ આ હટકાયા કૂતરાનો અંત આવ્યો હતો. આ ઘટના અંગે જસદણથી મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ કરશન બામટાએ અહેવાલ આપ્યો છે.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.