ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં કૌતુક સાથે ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, દેવડા-અમરનગર રોડ વચ્ચે આવેલી ઠેબા વોકરી નજીક ખેડૂત ચેતનભાઈ વાછાણીની વાડી આવેલી છે. ચેતનભાઈની વાડીમાં કામ કરતા મજૂરે રાત્રિના સમયે દીપડો જોયો હતો. આ અંગે મજૂરે તુરંત જ વાડી માલિક ચેતનભાઈને જાણ કરી હતી. સવારે ચેતનભાઈ વાડીએ પહોંચતા ત્યાં જમીન પર દીપડાના પગના નિશાન(પગમાર્ક) જોવા મળ્યા હતા. બનાવ અંગે તુરંત જ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. વન વિભાગની ટીમને તપાસ દરમિયાન સ્થળ પરથી દીપડાના હગાર(મળ) મળી આવ્યા હતા, જેના આધારે ફોરેસ્ટ અધિકારીઓએ સીમ વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. વન વિભાગ દ્વારા આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા, એકલા અટુલા ન નીકળવા તેમજ પાલતુ પશુઓની યોગ્ય સુરક્ષા રાખવા અપીલ કરવામાં આવી છે. સ્થિતિ પર નજર રાખવા માટે વન વિભાગે પેટ્રોલિંગ વધારો કર્યો છે રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામની સીમ વિસ્તારમાં દીપડો જોવા મળતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં કૌતુક સાથે ભયનો માહોલ સર્જાયો છે. મળતી માહિતી મુજબ, દેવડા-અમરનગર રોડ વચ્ચે આવેલી ઠેબા વોકરી નજીક ખેડૂત ચેતનભાઈ વાછાણીની વાડી આવેલી છે. ચેતનભાઈની વાડીમાં કામ કરતા મજૂરે રાત્રિના સમયે દીપડો જોયો હતો. આ અંગે મજૂરે તુરંત જ વાડી માલિક ચેતનભાઈને જાણ કરી હતી.
સવારે ચેતનભાઈ વાડીએ પહોંચતા ત્યાં જમીન પર દીપડાના પગના નિશાન(પગમાર્ક) જોવા મળ્યા હતા. બનાવ અંગે તુરંત જ વન વિભાગ (ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ)ને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સમગ્ર સીમ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી. વન વિભાગની ટીમને તપાસ દરમિયાન સ્થળ પરથી દીપડાના હગાર(મળ) મળી આવ્યા
હતા, જેના આધારે ફોરેસ્ટ અધિકારીઓએ સીમ વિસ્તારમાં દીપડાની હાજરી હોવાની સત્તાવાર પુષ્ટિ કરી છે. વન વિભાગ દ્વારા આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો અને ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા, એકલા અટુલા ન નીકળવા તેમજ પાલતુ પશુઓની યોગ્ય સુરક્ષા રાખવા અપીલ કરવામાં આવી છે. સ્થિતિ પર નજર રાખવા માટે વન વિભાગે પેટ્રોલિંગ વધારો કર્યો છે રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/8000834888
- વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સાળંગપુર શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ગુલાબી-સફેદ કમળની ડિઝાઇનવાળા વાઘા સાથે ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે.1
- તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તરણેતર મેળામાં ફરી બબાલનો વીડિયો વાયરલ મેળામાં લોકો સામસામે બાખડતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ તરણેતર મેળા દરમિયાન ફરી એક વખત બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક લોકો સામસામે બાખડતા અને ધક્કામુક્કી કરતા જોવા મળી રહ્યા છે. જેને લઈને મેળામાં સુરક્ષા અને વ્યવસ્થાને લઈને પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે, વાયરલ થયેલા આ વીડિયોની ગુજરાત નેશનલ ટીવી નેટવર્ક દ્વારા હાલ કોઈ સ્વતંત્ર પુષ્ટિ કરવામાં આવતી નથી. વીડિયો ક્યારેનો છે, ક્યાંનો છે અને સમગ્ર ઘટનાની હકીકત શું છે તે અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.1
- જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત રાજકોટ ગ્રામ્ય SOG મોટી કાર્યવાહી જસદણ ખાનપર રોડ સ્થિત પોતાની કબ્જા ભોગવટાની "ડીલક્ષ સીટ કવર" નામની દુકાનમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો જસદણમાં ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો, ૬૯૨ ગ્રામ ગાંજો સહિત ₹૩૮,૫૦૦નો મુદ્દામાલ કબજે: ડીલક્સ સીટ કવર દુકાનમાંથી ગાંજો મળી આવ્યો, અફઝલ સોલંકીની ધરપકડ1
- પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો. *ધંધુકા પર્યુષણ પર્વની પૂર્ણાહુતિ બાદ જૈન સમાજે ધાર્મિક સાથે વરઘોડો કાઢ્યો.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં જૈન સમાજ દ્વારા ધાર્મિક ભાવના અને ભક્તિપૂર્ણ વાતાવરણ વચ્ચે વરઘોડો યોજાયો હતો. જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વરઘોડામાં જોડાયા હતા. ધંધુકા ગામમાંથી દેરાસર થી શરૂ થયેલો આ વરઘોડો જૈન સોસાયટી સુધી પહોંચ્યો હતો અને ત્યાંથી પરત ધંધુકા ગામમા દેરાસર આવ્યો હતો. સમગ્ર માર્ગ દરમિયાન જૈન સમાજના ભાઈ-બહેનો સહિત સમાજના લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.1
- ५० साल तक कैद में रहे राजु हाथी की मुक्ती ।1
- બોટાદ ગઢડા તાલુકાના શીયાનગર ગામે તળાવનો પાળો તૂટ્યો. બે દિવસ પહેલાં તળાવનો પાળો તૂટ્યાના લાઈવ દૃશ્યો આવ્યા સામે. 14 સપ્ટેમ્બરે શીયાનગર ગામે ધોધમાર વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે તળાવનો પાળો તૂટ્યો હોવાની માહિતી. સ્થાનિકોએ તળાવનો પાળો તૂટવાના લાઈવ દૃશ્યો મોબાઈલમાં કર્યા કેદ. તળાવનો પાળો તૂટતા લાખો લીટર પાણી વેડફાયું. લાઈવ વિડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348881
- ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો... ધારી-ખાંભા રોડ પર ઈકો કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો...1
- સુરતના સરોલી વિસ્તારમાં આવેલી સલાસર ટેક્સટાઈલ માર્કેટમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે . ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ભારે જહમત ઉઠાવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે માર્કેટમાં રહેલા કાપડના જથ્થાને કારણે આગ ઝડપથી પ્રસરી હોવાની આશંકા સેવાઈ રહી છે. રીપોર્ટર/ચિંતન વાગડીયા મો/80008348883