કેશોદની New Era Professor Academy નો CBSE ધોરણ-10 માં 100% રિઝલ્ટ દીકરીઓએ ફરી બાજી મારી, વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનથી શાળામાં ખુશીની લાગણી કેશોદ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-10નું વર્ષ 2025-26નું પરિણામ જાહેર થતાં દેશભરમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે કુલ 93.70 ટકા પરિણામ નોંધાયું છે, જે ગયા વર્ષના 93.66 ટકા કરતાં થોડું વધુ છે. ખાસ વાત એ છે કે બોર્ડે ઉત્તરવહીઓની તપાસ રેકોર્ડ સમયમાં પૂર્ણ કરી લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીકરીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી બાજી મારી છે. બોર્ડ દ્વારા ટોપર્સની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિષયવાર સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ વચ્ચે કેશોદ-વેરાવળ બાયપાસ રોડ પર આવેલી New Era Professor Academy એ પણ ગૌરવપૂર્ણ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં સંસ્થામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. શાળાની વિદ્યાર્થીની વદર કૃપાલી એ 95.20 ટકા (476/500) મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે જ માહિતી પ્રૌદ્યોગિકી વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. પલક પોપટ અને પલક ગામી એ 85.60 ટકા (428/500) સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે, જ્યારે શ્રેયશ કારિયા એ 84.00 ટકા (420/500) મેળવી તૃતીય સ્થાન મેળવ્યું છે. આ ઉત્તમ સિદ્ધિ બદલ શાળાના સંચાલક પ્રો. પ્રવીણ ગજેરા, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ મીન્ટુ મેડમ તેમજ સમગ્ર શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નિયમિત માર્ગદર્શનના કારણે વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી હોવાનું જણાવી, ભવિષ્યમાં પણ વધુ ઉત્તમ પરિણામ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અંતમાં શાળાએ તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
કેશોદની New Era Professor Academy નો CBSE ધોરણ-10 માં 100% રિઝલ્ટ દીકરીઓએ ફરી બાજી મારી, વિદ્યાર્થીઓના ઉત્તમ પ્રદર્શનથી શાળામાં ખુશીની લાગણી કેશોદ: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-10નું વર્ષ 2025-26નું પરિણામ જાહેર થતાં દેશભરમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે કુલ 93.70 ટકા પરિણામ નોંધાયું છે, જે ગયા વર્ષના 93.66 ટકા કરતાં થોડું વધુ છે. ખાસ વાત એ છે કે બોર્ડે ઉત્તરવહીઓની તપાસ રેકોર્ડ સમયમાં પૂર્ણ કરી લગભગ એક મહિના વહેલું પરિણામ જાહેર કર્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દીકરીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી બાજી મારી છે. બોર્ડ દ્વારા ટોપર્સની સત્તાવાર યાદી જાહેર કરવામાં આવી નથી, પરંતુ વિષયવાર સર્વોચ્ચ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મેરિટ સર્ટિફિકેટ આપવામાં આવશે. આ વચ્ચે કેશોદ-વેરાવળ બાયપાસ રોડ પર આવેલી New Era Professor Academy એ પણ ગૌરવપૂર્ણ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે. શાળાના તમામ વિદ્યાર્થીઓ પાસ થતાં સંસ્થામાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે. શાળાની વિદ્યાર્થીની વદર કૃપાલી એ 95.20 ટકા (476/500) મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સાથે જ માહિતી પ્રૌદ્યોગિકી વિષયમાં 100 માંથી 100 ગુણ મેળવી વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે. પલક પોપટ અને પલક ગામી એ 85.60 ટકા (428/500) સાથે દ્વિતીય સ્થાન મેળવ્યું છે, જ્યારે શ્રેયશ કારિયા એ 84.00 ટકા (420/500) મેળવી તૃતીય સ્થાન મેળવ્યું છે. આ ઉત્તમ સિદ્ધિ બદલ શાળાના સંચાલક પ્રો. પ્રવીણ ગજેરા, ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ મીન્ટુ મેડમ તેમજ સમગ્ર શિક્ષકમંડળ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નિયમિત માર્ગદર્શનના કારણે વિદ્યાર્થીઓએ આ સફળતા મેળવી હોવાનું જણાવી, ભવિષ્યમાં પણ વધુ ઉત્તમ પરિણામ મેળવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અંતમાં શાળાએ તમામ સફળ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી અહેવાલ : જગદીશ યાદવ જૂનાગઢ
- Post by પત્રકાર1
- Post by Bkp News1
- બ્રેકિંગ રાજકોટ જિલા ના ધોરાજી ના સુપેડી ગામ ખાતે તાલુકા અને જિલા પંચાયત ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં ભાજપ ના નેતાઓ ભાન ભૂલ્યા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ના ઉદ્ઘાટન માં પોરબંદર ના ભાજપ ના પૂર્વ સાંસદ હરિ પટેલ નું વિવાદિત નિવેદન સામે આવ્યું હરિ પટેલ સત્તા ના નશા માં કર્યું બેફામ નિવેદન પંડિત જવાહરલાલ નહેરુ વિશે હરિ પટેલ એ આપ્યું વિવાદિત નિવેદન જવાહર લાલ નહેરુ કોઈ પંડિત પરિવાર માંથી નહીં પરંતુ મુસ્લિમ સમાજ માંથી હતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી સહિત સમગ્ર ગાંધી પરિવાર ને પણ પૂર્વ સાંસદ હરિ પટેલ એ મુસ્લિમ ગણાવ્યા હરિ પટેલ ના નિવેદન થી અનેક રાજકીય ચર્ચાઓ એ જોર પકડ્યું બાઈટ 1 હરિ પટેલ ભાજપ પૂર્વ સાંસદ1
- જુનાગઢદાતારસાવજ ના આટા ફેરા લાઈવ1
- અમરેલીમાં “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસ દ્વારા “એક શામ શહીદ કે નામ” અંતર્ગત ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ ડોકયાર્ડ આગની ઘટનામાં શહીદ થયેલા 66 જવાનોની સ્મૃતિમાં ઉજવાતા ફાયર સર્વિસ ડે નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો હતો. જાગૃત સમાજનું નિર્માણ થાય તેમજ આગ જેવી આપત્તિઓ સામે લોકોમાં સજાગતા ફેલાય તે હેતુસર ફાયર વિભાગ દ્વારા જનતા કેટલી સલામત છે તે સ્પષ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાં આગ નિવારણના ઉપાયો, બચાવ કામગીરી અને આધુનિક સાધનો અંગે લોકોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે કલેક્ટર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સમગ્ર એક્ઝિબિશન નિહાળી ફાયર વિભાગની કામગીરીને બિરદાવી હતી. કલેક્ટર સાહેબ દ્વારા વર્ષ દરમિયાન ફાયર વિભાગે કરેલા જાંબાઝ કાર્યોને યાદ કરી ફાયર જવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સમર્પણને વખાણ્યું હતું.1
- અમરેલી ચૂંટણી મા ગરમાવો રાજકીય આગેવાનો ઉતાર્યા દબંગાઈ પર1
- જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા સોનારવડલી વાળા ભુતડા દાદા ના સાનિધ્ય 15મા પાટોત્સવ નિમિત્તે 51 કુંડી મહાયજ્ઞનું આયોજન તથા સંતવાણી લોકડાયરા નુ આયોજન કરવામાં આવ્યું જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે સમસ્ત ટાંક પરિવાર દ્વારા તા. 19- 4-2026 ના રોજ 7:30 51 કુંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું.. 19-4-2026 ના રાત્રે 10:00 કલાકે સંતવાણી લોક ડાયરા નું આયોજન રાખવામાં આવ્યું છે તથા બપોરના સમયે સર્વ ધર્મપ્રેમી જનતાને મહા પ્રસાદ નો લાભ લીધો હતો રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ. અમરેલી5
- ઉપલેટા ના મોટી પાનેલી ગામે એલપીજી સિલિન્ડર માટે હોબાળો મોટીપાનેલી ગામે પંદર દિવસ થયા ગ્રાહકો ને એક પણ બાટલો મળિયો નો હોઈ લોકો ગેસ એજન્સી એ હોબાળો મચવતા સ્થાનિકો ગેસ એજન્સી ધારક ઓફિસ બંધ કરી ચાલીયો ગયો ગેસ નો બાટલો મેળવવા ગ્રાહકો એ હોબાળો મચવતા પોલીસ બોલાવવી પડી ગ્રાહકો નો આક્ષેપ ગેસ એજન્સી ધારક બાટલા ની કાળાબજારી કરે છે ગેસ ની બોટલ પંદર દિવસ થયા મેસેજ આવી ગયો હોવા છતાં ગેસ ના બાટલા આપતાં નથી ગેસ ના બાટલા મળતા નો હોઈ મોટી પાનેલી ગ્રામજનો મા ભારે રોસ બાટલા નહીં મળે તો રોડ રસ્તા ચક્કા જામ કરવા ની ચીમકી પોલીસ ઘટના સ્થળ આવી મામલો શાંત પાડવા પ્રયાસ કર્યો1