Shuru
Apke Nagar Ki App…
સાબરકાંઠા જિલ્લા સહિત પંથકના વાતાવરણમાં પલટો ખેડૂતોમાં ચિંતા જિલ્લા સહિત વિજયનગર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડમ્મર વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.હાલ રવિ સીઝનના પાકોની કાપણી અને ઉપજનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ઘઉં, કપાસ, તમાકુ, ચણા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં પણ ઘઉંની ભારે આવક વચ્ચે માવઠું પડે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
ખબર વડાલી
સાબરકાંઠા જિલ્લા સહિત પંથકના વાતાવરણમાં પલટો ખેડૂતોમાં ચિંતા જિલ્લા સહિત વિજયનગર પંથકમાં આજે વાતાવરણમાં ઓચિંતો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે આકાશમાં કાળા ડમ્મર વાદળો છવાયા હતા અને ભારે પવન સાથે વરસાદી માહોલ સર્જાયો હતો.હાલ રવિ સીઝનના પાકોની કાપણી અને ઉપજનો સમય હોવાથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. ઘઉં, કપાસ, તમાકુ, ચણા અને વરિયાળી જેવા તૈયાર પાકોને નુકસાન થવાની ભીતિ છે. માર્કેટ યાર્ડોમાં પણ ઘઉંની ભારે આવક વચ્ચે માવઠું પડે તો ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે.
More news from ગુજરાત and nearby areas
- મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે સાબરકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઇડરના મૂડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા નિર્મિત વૈદિક ગુરુકુલના નૂતન સંકુલનું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળે આગમન થતા જ સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓએ ગુંજતા શ્લોકો અને મંત્રોચ્ચાર સાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી આ પાઠશાળામાં ધોરણ ૧ થી લઈને કોલેજ સુધીના અભ્યાસની સુવિધા ઉપલબ્ધ છે, જ્યાં દેશભરના યુવાઓ સંસ્કૃત શ્લોક અને વેદ-પુરાણોનું જ્ઞાન મેળવી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓના ભાવિને આકાર આપી રહેલા આ ગુરુકુલના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને પક્ષના વિવિધ હોદ્દેદારો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંકુલ આગામી સમયમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના પ્રસાર માટે એક મહત્વનું શૈક્ષણિક કેન્દ્ર બની રહેશે.1
- Post by Nareandrasinh Rathod1
- ब्यावर में तूफानी बारिश आसमान से गिरे ओले सड़को पर बिछी सफ़ेद चादर1
- ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સનું વિજાપુરમાં શુભ આગાઝ વિજાપુર: જૂના અને જાણીતા ટુ-વ્હીલર વાહનોના રિપેરિંગ માટે પ્રસિદ્ધ એવા ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના નવા સાહસ ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ મામલદાર કચેરી રોડ ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે, વિજાપુર. નું આજે વિજાપુરમાં શુભ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઘનશ્યામ કોમ્પ્લેક્સ, રેલ્વે ફાટક પાસે આવેલા સ્થળે આ નવા ઉદ્યોગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, ગ્રાહકો અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઇબ્રાહીમભાઈને શુભેચ્છાઓ પાઠવી હતી. સામાજિક આગેવાન તલત મહેમૂદ સૈયદ, તાબીજ સૈયદ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચેમ્પિયનની તરક્કી માટે દુઆ પણ કરી હતી. પધારેલા તમામ મહેમાનોને આઇસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહીમભાઈ શેખ (ચેમ્પિયન)ના પુત્ર ઇમરાન શેખએ જણાવ્યું હતું કે, “પિતાએ વર્ષોથી વિશ્વાસનું પ્રતીક બની રહેલું ચેમ્પિયન ઑટો આ વખતે ગ્રાહકોની માંગને ધ્યાનમાં લઈને રિપેરિંગની સાથે-સાથે ઑટો પાર્ટ્સનું પણ નવું સાહસ શરૂ કર્યું છે. અમે ગ્રાહકોને સંપૂર્ણ સંતોષ આપવા માટે પ્રતિબદ્ધ છીએ.” ઇબ્રાહીમભાઈ શેખના લાંબા અનુભવ અને વિશ્વાસને કારણે આ નવા વ્યવસાયને સ્થાનિક સ્તરે સારો પ્રતિસાદ મળવાની આશા છે. ટુ-વ્હીલર રિપેરિંગ અને અસલી ઑટો પાર્ટ્સની સેવા એક જ છત નીચે મળતાં વિજાપુરના વાહન માલિકો માટે આ સુવિધાજનક સાબિત થશે. સરનામું: ચેમ્પિયન મોટર સાયકલ રિપેરર્સ અને ઑટો પાર્ટ્સ1
- હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં વરસાદી જાપટાની આગાહી બાદ પોશીના તાલુકામાં શુક્રવારના રોજ હવામાનમાં આવેલ પલટાબાદ લાંબડીયા સમેતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજના પાંચ વાગ્યા બાદ વરસાદી ઝાપટા પડતા વરસાદી માહોલ જોવા મળેલ1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 4/4/261
- Post by Gujarat crime news1
- સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યા બાદ શનિવારે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા લાંબડીયા અને ખેરોજ સહિતના પંથકમાં ભર ઉનાળે વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકતરફ ગરમીથી રાહત મળી છે, તો બીજી તરફ અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે. ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિએ જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે.1