logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

હાલોલ: ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.

2 hrs ago
user_Vishnu thakor
Vishnu thakor
Press advisory Danta, Banas Kantha•
2 hrs ago

હાલોલ: ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.

More news from ગુજરાત and nearby areas
  • Post by AZAJDHUKKA
    2
    Post by AZAJDHUKKA
    user_AZAJDHUKKA
    AZAJDHUKKA
    વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
    1
    મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    4 hrs ago
  • વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    1
    વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, 
આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ
મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી.
મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું.
સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા.
જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ.
વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા.
જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.”
આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.
    user_BABA SAIYAD
    BABA SAIYAD
    Newspaper distribution વિજાપુર, મહેસાણા, ગુજરાત•
    4 hrs ago
  • પાટણ: શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો. પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    2
    પાટણ:
શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા.
કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો.
પાટણ રિપોર્ટર વિજય વડલિયા
    user_Vadaliya Vijaykumar Umiyashankar
    Vadaliya Vijaykumar Umiyashankar
    Local News Reporter પાટણ, પાટણ, ગુજરાત•
    22 hrs ago
  • vote##for #yuva @#shakti
    1
    vote##for #yuva @#shakti
    user_Eagle.47999
    Eagle.47999
    Voice of people Modasa, Arvalli•
    4 hrs ago
  • Post by AZAJDHUKKA
    1
    Post by AZAJDHUKKA
    user_AZAJDHUKKA
    AZAJDHUKKA
    વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    1
    મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલા અને પેરોલ રજા પરથી ફરાર થયેલા કેદી અજય ઉર્ફે ચકો દિલીપજી બાબુજી ઠાકોરને ગાંધીનગર જિલ્લાના વડસર ખાતેથી ઝડપી પાડ્યો છે. વર્ષ 2024માં જૂની અદાવતના કારણે અમરજીત ચૌહાણની ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા અજય ઠાકોરને 2025માં વચગાળાની પેરોલ રજા આપવામાં આવી હતી, પરંતુ તે સમય પૂર્ણ થયા બાદ જેલમાં પરત ફર્યો નહોતો અને ફરાર થયો હતો.LCB ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે 20 એપ્રિલ, 2026ના રોજ રાત્રે દરોડો પાડી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તેને પરત અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવ્યો છે.
    user_ખબર વડાલી
    ખબર વડાલી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    2 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.