Shuru
Apke Nagar Ki App…
Pankaj Parmar
More news from ગુજરાત and nearby areas
- બનાસકાંઠા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં કોંગ્રેસનો પાલનપુર પાલિકા માટે મેનિફેસ્ટો... કોંગ્રેસને હવે અંતિમ તબક્કામાં મેનીફેસ્ટો જાહેર કરવાનું યાદ આવ્યું જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પાલનપુર શહેર માટે મેનિફિસ્ટોમાં વચનો આપી દીધા પાણીથી વંચિત અને પાયાની સુવિધાઓ માટે કોંગ્રેસ પાર્ટી સુવિધા કરી આપશે વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી, મહોલ્લા ક્લિનિક,રોડ રસ્તા ની સુવિધાઓ માટે વચન આપ્યા આખા જિલ્લામાં માત્ર પાલનપુર શહેર માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો...1
- Post by AZAJDHUKKA2
- (લક્ષ્મણ સોલંકી) બુરોચિફ વાવ થરાદ વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકામાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુખ્ય નર્મદા કેનાલમાંથી અજાણ્યા યુવક અને યુવતીની ડેડબોડી મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ આજે બપોરે લગભગ 13:43 કલાકે થરાદ તાલુકાની મુખ્ય નર્મદા કેનાલ ખાતે શણધર પુલ નજીક બે ડેડબોડી હોવાની જાણ થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને બંને ડેડબોડીને કેનાલમાંથી બહાર કાઢવામાં આવી હતી. ફાયર ઓફિસર વિરમ રાઠોડના જણાવ્યા અનુસાર, મૃતકોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. યુવતીના ડાબા હાથમાં Payal “M.P” કોતરાવેલ તેમજ ગળામાં કાળા-સોનેરી રંગની પારા વાળી કંઠી પહેરેલી હતી. ઉપરાંત તેના પગમાં પાયલ (તોડી/ઝાંઝરી) પણ હતી. જ્યારે યુવકના જમણા હાથમાં “M.P” કોતરાવેલ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ઘટનાસ્થળેથી અન્ય કોઈ ઓળખ માટેના પુરાવા મળ્યા નથી. હાલ પોલીસ દ્વારા બંને મૃતદેહોને કબજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને ઓળખ માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટના આત્મહત્યા છે કે કોઈ અન્ય ગુનાહિત મામલો છે તે અંગે હજી સ્પષ્ટતા થઈ નથી, જેને લઈ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે.4
- હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.1
- વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.1
- Post by Dashrath thakor1
- Post by Pankaj Parmar1
- Post by AZAJDHUKKA1
- ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ડાભલા ચાર રસ્તા નજીક 64 લાખ રૂપિયા ની લૂંટ, ઘટના cctv કેમેરા માં થઇ કેદ ઓસ્ટ્રેલિયા મોકલવાના બહાને વસાઈ ગામના બે યુવકો પાસેથી ૬૪ લાખ રૂપિયાની લૂંટ કરી લેનારા આરોપીઓ ફરાર થઈ ગયા છે. પિસ્તોલ જેવું હથિયાર બતાવીને આ ઘટના ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં બની હતી. આ મામલે ઓસ્ટ્રેલિયા મોકલનાર એજન્ટ નિલેશ બ્રહ્મભટ્ટ સહિત ત્રણ જણા વિરુદ્ધ વસાઈ પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ નોંધાઈ છે. વસાઈ ગામે રહેતા બળવંતસિંહ સતુજી ચાવડા પોતાના દીકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માંગતા હતા. આ દરમિયાન તેમનો સંપર્ક વસાઈ જીઈબી પાસે રહેતા મુકેશભાઈ મોતીભાઈ વણઝારા સાથે થયો હતો મુકેશભાઈએ ઓસ્ટ્રેલિયા મોકલવાનું કામ કરતો હોવાનું જણાવતાં બંનેએ તેમની પાસે વાત કરી હતી. મુકેશે પોતાનો પરિચય વિદેશ મોકલવાના કામ કરતા નિલેશ બ્રહ્મભટ્ટ સાથે કરાવ્યો હતો નિલેશે વિદેશ મોકલવાની ગેરંટી આપતાં સિદ્ધાર્થ અને મુકેશને ૬૪ લાખ રૂપિયામાં ઓસ્ટ્રેલિયા મોકલવાનું નક્કી થયું. નિલેશે બંનેને દિલ્હીથી મોકલવાનું કહીને નાણાં તૈયાર રાખવા જણાવ્યું અને દિલ્હીથી બે માણસોને ગોઝારિયા મોકલવાની વાત કરી. બળવંતસિંહ પોતાની કાર લઈને ગોઝારિયા પહોંચ્યા અને ડાભલા ચાર રસ્તા નજીકના ગેસ્ટ હાઉસમાં રોકાયા. ત્યાં દિલ્હીથી આવેલા બે આરોપીઓએ નાણાંની માંગ કરી. બળવંતસિંહે ૩૨ લાખ અને મુકેશના ભાઈ ઈશ્વર વણઝારાએ ૩૨ લાખ લઈને આપ્યા. કુલ ૬૪ લાખ રૂપિયા ગેસ્ટ હાઉસમાં બતાવવામાં આવ્યા. આ પછી બળવંતસિંહ અને ઈશ્વર વણઝારા ગામઠી હોટલમાં જમવા અને ડાભલા ચાર રસ્તા નજીક પાર્લરમાં મસાલો ખાવા ગયા. પરત આવતી વખતે સાહિલ વણઝારા અને જગદીશ વણઝારાએ બૂમ પાડી કે આ બંને વ્યક્તિઓ ૬૪ લાખ લઈને નંબર પ્લેટ વગરની સ્વિફ્ટ કારમાં ભાગી ગયા છે. આરોપીઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને લૂંટ કરી હોવાનું બળવંતસિંહે જણાવ્યું. આ ઘટનાની જાણ થતાં બળવંતસિંહ સતુજી ચાવડાએ નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ વસાઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે. આરોપીઓની ધરપકડ માટે પોલીસે તલાશી શરૂ કરી છે.1