ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, જન્મ અને મરણના દાખલા સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હતો. એક જ સ્થળે વિવિધ કામગીરી પૂર્ણ થવાને કારણે અરજદારોને સરળતા અને સમયની બચત મળી હતી. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધ્રાંગધ્રા મામલતદાર બળદેવભાઈ પટેલ, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોને માર્ગદર્શન અને સેવા પૂરી પાડી હતી. આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપી મળે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે.
ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, જન્મ અને મરણના દાખલા સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હતો. એક જ સ્થળે વિવિધ કામગીરી પૂર્ણ થવાને કારણે અરજદારોને સરળતા અને સમયની બચત મળી હતી. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધ્રાંગધ્રા મામલતદાર બળદેવભાઈ પટેલ, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોને માર્ગદર્શન અને સેવા પૂરી પાડી હતી. આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપી મળે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે.
- ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.1
- મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર વૈશ્વિક પરિસ્થિતિની ગંભીર અસર જોવા મળી રહી છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસની અછત સર્જાતા મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફટકો લાગ્યો છે. હાલ સુધીમાં ૪૦૦થી વધુ સિરામિક એકમો બંધ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિને પગલે સિરામિક એસોસિયેશન દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં સર્વાનુમતે તમામ એકમો દ્વારા ૨૦થી ૨૫ દિવસ માટે શટડાઉન લઈને સામૂહિક વેકેશન જાહેર કરવાનો નિર્ણય લેવાયો છે. ગેસની કટોકટી અને વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉદ્યોગકારો શટડાઉન દરમિયાન મશીનરીનું મેન્ટેનન્સ કરશે અને ગેસ સપ્લાય પુનઃ શરૂ થયા બાદ નવા ખર્ચ મુજબ ઉત્પાદન ફરી શરૂ કરવામાં આવશે. બાઈટ: સિરામિક એસોસિયેશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયાએ જણાવ્યું હતું કે, તમામ એકમો માટે ૨૦-૨૫ દિવસનું વેકેશન રાખી શટડાઉન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ1
- Post by Vopul luhar1
- યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શને આવેલ દર્શનાર્થીના ગુમ થયેલ 400 અમેરીકન ડોલર શોધી પરત કરી “તેરા તુજકો અર્પણ” નું સુત્ર સાર્થક કરતી બરવાળા પોલીસ ટીમ ભાવનગર રેન્જ આઈજી આર.વી.અસારી દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષી રાવલ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કાર્યવાહી કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ નવદીપકુમાર વી વસાવાના માર્ગદર્શન હેઠળ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામી રહેવાસી માધાપર તાલુકો ભુજ જીલ્લો કચ્છ વાળા ગઇ ગત તારીખ 14 માર્ચના રોજ પરીવાર સાથે સાળંગપુર હનુમાનજી મંદીર ખાતે દર્શન કરવા આવેલ હતા તે દરમ્યાન તેઓના 400 અમેરીકન ડોલર ગુમ થઇ ગયેલ હતા જે 400 અમેરીકન ડોલર ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સની મદદથી શોધી "તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત આજ 17 માર્ચ 2026ના રોજ અરજદાર આનંદભાઇ રવિન્દ્રગીરી ગોસ્વામીને પરત કરી ઉમદા કામગીરી કરી હતી ત્યારે મૂળ માલિકને ગુમ થયેલા 400 અમેરિકન ડોલર પરત શોધી આપતા પરિવારે બરવાળા પોલીસની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો, આ કામગીરીમાં બરવાળા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.વી.વસાવા, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ ભરતસિંહ, ભગીરથસિંહ બહાદુરસિંહ, કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ લાલભા, હરપાલસિંહ શિવરાજસિંહ, પ્રકાશભાઈ મોતીભાઇ, અજયસિંહ પ્રભાતસિંહ, યશપાલસિંહ જગદીશસિંહ સહિતના સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી. રીપોર્ટર: ચિંતન વાગડીયા બરવાળા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- તાહિરમામા આમલેટ, જમજમ નોનવેજ નાસ્તા હાઉસ, મીયા સમોસા નામના ફુડ પોઈન્ટ પર ચેકિગ દરમ્યાન ઘર વપરાશ ના પાંચ સિલિન્ડરો મળી આવ્યા.. ઘર વપરાશ માટે વપરાતા ડોમેસ્ટિક સિલિન્ડર નો કોમર્શિયલ તરીકે કરતા હતા ઉપયોગ.. SOG પોલીસે પાંચ સિલિન્ડર કબ્જે કરી આગળની કાર્યવાહી માટે મામલતદારને સોપેલ..1
- अहमदाबाद-साणंद हाईवे पर भीषण सड़क हादसा अहमदाबाद-साणंद-वीरमगाम हाईवे पर विरोचननगर पाटिया के पास एक भयानक 'ट्रिपल एक्सीडेंट' तीन वाहनों की टक्कर हुई यह घटना इतनी भीषण थी कि टक्कर के तुरंत बाद वाहनों में आग लग गई। हादसे का स्वरूप: तीन वाहनों के बीच हुई इस टक्कर ने विकराल रूप ले लिया। आग का तांडव: टक्कर लगते ही गाड़ियों में भीषण आग भड़क उठी, जिससे वहां मौजूद लोगों में अफरा-तफरी और डर का माहौल पैदा हो गया। हताहत: इस दर्दनाक हादसे में दो लोग जिंदा जल गए, जिससे उनकी मौके पर ही मृत्यु हो गई। समाचार रिपोर्ट के अनुसार, इस अग्निकांड ने पूरे इलाके को झकझोर कर रख दिया है। रिपोट भरतसिंह चौहान सानंद3
- मेलासणा गांव मे 8 मार्च ना रोज सुबह जाहेर मार्ग मा पीवा ना पाणी नी पाइप लीकेज लाइन लीकेज सोशियल मिडिया द्वारा वाइरस करेल वीडियो ने ध्यान मा लइ ने प्रॉब्लम्स सॉल्व करेल छे तो सरपंच श्री नो आभार व्यक्त करु छु.4
- ધ્રાંગધ્રા શહેરમાં આવેલ ફલકુ નદીમાં આજે હજારોની સંખ્યામાં મૃત માછલીઓ મળી આવતા ચકચાર મચી ગયો છે. એક સમયની પવિત્ર ગણાતી આ નદી હાલ પ્રદૂષણના કારણે ગંભીર સ્થિતિમાં પહોંચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા અન્ય સ્થળેથી મૃત માછલીઓને લાવી નદીમાં નાખવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે નદીકાંઠાના વિસ્તારોમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાત્કાલિક તંત્રને માહિતગાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નગરપાલિકા તથા સંબંધિત વિભાગ દ્વારા નદીમાંથી મૃત માછલીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની ગંભીર તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. સાથે જ ફલકુ નદીના પ્રદૂષણને રોકવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે.1