ધ્રાંગધ્રા ખાતે માલિકને અંધારામાં રાખી જમીન વેચાણ કરતા ચાર સામે ગુનો નોંધાયો ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
ધ્રાંગધ્રા ખાતે માલિકને અંધારામાં રાખી જમીન વેચાણ કરતા ચાર સામે ગુનો નોંધાયો ધ્રાંગધ્રા શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ લકુમની વડીલો પાર્જીત જમીનમાં વાવેતર કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય તેવામાં ગત ૧૧ ફેબ્રુઆરીના રોજ પોતાને રૂપિયાની જરૂરી હોવાથી કુંભારપરા વિસ્તારમાં રહેતા શની રમેશભાઈ લામકા પાસે છ લાખ રૂપિયાની મદદ માટે જણાવ્યું હતું જેને લઈ બે દિવસ બાદ શની લામકા અને સંજયભાઈ મનુભાઈ સરૈયાએ પ્રેમજીભાઈને છ લાખ રૂપિયા હાથ ઉછીના આપી લખાણ કરવાના બહાને રજીસ્ટર પાસે લઈ જઈ અંગ્રેજીમાં પાવર ઓફ એટર્નીમાં સહી કરવી લઇ બાદમાં જમીનનો ૨૫ ટકા હિસ્સો સુરેશભાઈ નાનુભાઈ રાતડિયાને વેચાણ કરી આપ્યો હતો જ્યારે આ અંગે પ્રેમજીભાઈને જાણ થતા પોતાને અંધારામાં રાખી ૨૫ ટકા જમીનનો દસ્તાવેજ રોકવા માટે સેવા સદન ખાતે તકરારી કેસ દાખલ કર્યો હતો જ્યારે છ લાખ રૂપિયા આપવાના બદલામાં છેતરપિંડી આચરનાર શનિ રમેશભાઈ લામકા, સંજય મનાભાઈ સરૈયા, સાક્ષીમાં સહિત કરનાર ચંદ્રેશ ગોપાલભાઈ ગોલતર તથા જમીન ખરીદનાર સુરેશ નાનુભાઈ રાતડીયા વિરુધ ધ્રાંગધ્રા સિટી પોલોક મથકે ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી.
- Post by Vopul luhar1
- બોટાદ જિલ્લા ખાતે ખેડૂત આગેવાનની હત્યા કેસમાં બોટાદની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. પ્રેમ સંબંધ અને સગાઈ બાબતે થયેલા વિવાદને કારણે આરોપીએ ખેડૂતની હત્યા કરી હોવાનું કેસ દરમિયાન સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા ખેડૂત નિતુભા કરણુભા ગોહિલે પોતાની ખેતીની જમીન આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયાર (રહે. ગંભીરા, તા. આંકલાવ, જી. આણંદ)ને મજુરીએ વાવવા માટે આપી હતી. આ જમીનની બાજુમાં અન્ય ખેડૂતની જમીન વાવતા એક ભાગિયાની દીકરી સાથે આરોપી કિરણનો પ્રેમ સંબંધ હતો અને તે તેની સાથે સગાઈ કરવા ઈચ્છતો હતો. આ બાબતે દીકરીના પિતાએ નિતુભા ગોહિલને ફરિયાદ કરતાં નિતુભાએ આરોપીને ઠપકો આપ્યો હતો. આ વાતથી આરોપી કિરણ ઉર્ફે કિરો નારાજ થયો હતો. તા. 16 ડિસેમ્બર 2023ના રોજ નિતુભા ગોહિલ પોતાની વાડીમાં એકલા હાજર હતા ત્યારે આરોપીએ પાછળથી હાથમાં લોખંડની કોશ વડે તેમના માથામાં ઘા કર્યો હતો. ઘટનાના બાદ આરોપી કોશ કુવામાં નાખી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા નિતુભા ગોહિલનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે મરણજનારના ભાઈ ધેલુભા કરણુભા ગોહિલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા કલમ 302, 201 તથા જી.પી.એક્ટ 135 મુજબ ફરિયાદ નોંધાવી હતી. ગઢડા પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. જાડેજાએ તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી હતી અને પુરતા પુરાવા મળતા બોટાદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. કેસ દરમિયાન 36 દસ્તાવેજી પુરાવા અને 12 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. જિલ્લા સરકારી વકીલ કે.એમ. મકવાણાની દલીલો અને રજૂઆતો ધ્યાને લઈ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ મનીષસહાય જે. પરાશરે આરોપી કિરણ ઉર્ફે કિરો ભાઈલાલભાઈ પઢીયારને IPC કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા દંડ ફટકાર્યો હતો. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- आत्मनिर्भरता का उत्सव: साणंद स्वदेशी मेला साणंद नगरपालिका द्वारा शहरी विकास वर्ष - 2026' के अंतर्गत 'स्वदेशी मेला - शॉपिंग फेस्टिवल' का आयोजन किया जा रहा है। 17 मार्च भव्य उद्घाटन हुआ अहमदाबाद जिला भाजपा अध्यक्ष शैलेशभाई दावडा और नगरपालिका अध्यक्ष ध्रुमिन दोषी सहित कई गणमान्य अतिथियों ने हर स्टॉल का दौरा किया, लोकल फॉर लोकल: मेले में 'लोकल फॉर लोकल' का मंत्र गूँज रहा था। शहर के लोग सिर्फ खरीदारी करने नहीं, बल्कि अपने स्थानीय कलाकारों का उत्साह बढ़ाने आए थे। स्टॉल पर एक 10 दिनों के इस उत्सव ने साणंद के हुनरमंद कारीगरों को एक नई पहचान दी। जब समाज और सरकार एक साथ मिलकर स्थानीय कला का सम्मान करते हैं, तो हर कारीगर 'आत्मनिर्भर' बनता है। साणंद का यह स्वदेशी मेला केवल एक बाजार नहीं, बल्कि स्थानीय प्रतिभाओं के सपनों को उड़ान देने वाला एक मंच बन गया। रिपोट भरतसिंह चौहान सानंद4
- આ કાર્યક્રમમાં બરવાળા તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી, બરવાળા તાલુકાના તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.1
- ભરૂચ શહેરમાં વ્યાજખોરી અને ધમકીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો તુલસીધામના કપડાં વેપારી પાસેથી વ્યાજખોરે આશરે ₹18 લાખ વસૂલ્યાનો આરોપ વેપારીને મારપીટ કરી ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ અજયભાઈ મહેન્દ્રકુમાર શાહ સામે સી-ડિવિઝન પોલીસમાં લેખિત અરજી વેપારીને જબરદસ્તી કારમાં બેસાડી માર માર્યાનો પણ આક્ષેપ પરિવાર સામે અપમાનજનક ભાષા વાપરી ધમકી આપ્યાનો આરોપ સી-ડિવિઝન પોલીસે અરજીના આધારે તપાસ શરૂ કરી.1
- Post by સરદાર સંદેશ ન્યુઝ1
- ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નાગરિકોને સરકારી યોજનાઓ અને સેવાઓનો લાભ સરળતાથી મળી રહે તે હેતુથી ધ્રાંગધ્રા નગરપાલિકા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોની સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, ચૂંટણી કાર્ડ, જન્મ અને મરણના દાખલા સહિતની સુવિધાઓનો સમાવેશ થતો હતો. એક જ સ્થળે વિવિધ કામગીરી પૂર્ણ થવાને કારણે અરજદારોને સરળતા અને સમયની બચત મળી હતી. સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત તબીબી સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો દ્વારા લાભ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ધ્રાંગધ્રા મામલતદાર બળદેવભાઈ પટેલ, ચીફ ઓફિસર મંટીલકુમાર પટેલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોને માર્ગદર્શન અને સેવા પૂરી પાડી હતી. આ પ્રકારના સેવા સેતુ કાર્યક્રમો દ્વારા નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી અને ઝડપી મળે તે દિશામાં મહત્વપૂર્ણ પ્રયત્નો થઈ રહ્યા છે.1
- Post by Vopul luhar1
- બોટાદ શહેરના મધ્ય ભાગમાં આવેલી ઐતિહાસિક અને વર્ષો જૂની પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૦૧ના નવા અત્યાધુનિક બિલ્ડીંગનું અંદાજે રૂ.૨.૫ કરોડ રૂપિયાના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આગામી શૈક્ષણિક સત્રથી આશરે ૧૦૦૦ જેટલા બાળકો આ નવા બિલ્ડીંગમાં અભ્યાસનો લાભ લેશે આ બિલ્ડિંગના ખાતમુહૂર્ત બાદ માત્ર નવ મહિનાના ટૂંકા ગાળામાં ભવ્ય બિલ્ડીંગનું કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું છે આ નવું બિલ્ડીંગ હવે વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે આ લોકાર્પણ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોએ દીપ પ્રાગટયથી કરી હતી. ત્યાર બાદ, સમગ્ર કાર્યક્રમ અંગેની માહિતી શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી પ્રતિકભાઈ વડોદરીયાએ આપી હતી. નવા બિલ્ડીંગના નિર્માણ અને આધુનિક સુવિધાઓ મળવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો આ પ્રસંગે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા, અગ્રણી મયુરભાઈ પટેલ, શ્રી કિરીટભાઈ પાટીવાળા, પ્રતીકભાઈ વડોદરીયા, સંજયકુમાર ચૌધરી, નીરુબેન ત્રાસડીયા, ચંદુભાઈ સાવલિયા, શ્રી દિલીપ ભાઈ જોષી, શ્રી છત્રપાલભાઈ ધાધલ, વિવિધ સહકારી મંડળીઓના સભ્યો, જાયન્ટ્સ ગ્રુપ બોટાદના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1