દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.
- દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને O.R.S પેકેટનું વિતરણ કરાયુ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 11 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ બસ ડેપો ખાતે ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને મુસાફરો તેમજ કર્મચારીઓના આરોગ્યની કાળજીરૂપે O.R.S પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરમીથી બચવા અને શરીરમાં પાણીની અછત ન રહે તે માટે O.R.Sના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ પૂરતું પાણી પીવું, છાંયમાં રહેવું અને અનાવશ્યક બહાર ન નીકળવું જેવી મહત્વપૂર્ણ સૂચનાઓ આપી સ્વાસ્થ્ય જાળવવા પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં આવી. આ પહેલ દ્વારા મુસાફરો અને કર્મચારીઓમાં આરોગ્ય પ્રત્યે સચેત રહેવાનો સકારાત્મક સંદેશ આપવામાં આવ્યો, જે ઉનાળાની કડક પરિસ્થિતિમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.1
- #Mahisagar : સંતરામપુરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રચંડ પ્રચાર. પ્રતાપપુરા મેદાન ખાતે જંગી જનમેદની ઉમટી. #BhupendraPatel | #Campaign | #LocalBodyElection | #ElectionWithNewsCapital1
- Post by Salman moravala2
- બાળક પાસે થી મોબાઈલ લઈ લેવાતા તેણે ગુસ્સામાં પોતાના જ ઘરમાં તોડફોડ કરી દીધી. ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જુઓ સંપૂર્ણ સમાચાર. વડોદરા જિલ્લાનાં છાણી વિસ્તારની ઘટના હોય શકે એવું જાણવા મળેલ છે.1
- હાલોલ રૂરલ પોલીસે એક વર્ષથી નાસતો આરોપીને સતી તલાવડી પાસેથી ઝડપી પડાયો. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવાના હેતુથી પોલીસ તંત્ર દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત હાલોલ રૂરલ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે.પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજાએ સર્વેલન્સ ટીમને જરૂરી સૂચનાઓ આપી હતી.તે મુજબ હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હતી, ત્યારે બાતમી મળી કે પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાનો આરોપી હિંમતસિંહ ઉર્ફે પપ્પુ કાળુસિંહ પરમાર હાલોલ સ્થિત સતી તલાવડી ખાતેના પોતાના ઘરે હાજર છે.આ ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ કરતાં આરોપી પોતાના ઘરે મળી આવ્યો હતો. પોલીસે તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ રીતે હાલોલ રૂરલ પોલીસ દ્વારા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપવામાં સફળતા મળતાં પોલીસ વિભાગની કામગીરી પ્રશંસનીય ગણાઈ રહી છે.જેની માહિતી પોલીસે તા.20 એપ્રિલ સોમવારના રોજ પ્રેસનોટના માધ્યમથી આપી હતી1
- *બોડેલીમાં મતદાર જાગૃતિ માટે સાયકલ રેલી*1
- કાલોલ તાલુકા પંચાયત મલાવ બેઠક પર ભાજપના ઉમેદવાર રાજલબેન પટેલનો ઝંઝાવતી પ્રચાર, મતદારોમાં ભારે ઉત્સાહ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની મલાવ બેઠક પર રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ દ્વારા આ બેઠક પર શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે, જેમને મતદારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. રાજલબેન પટેલ દ્વારા મલાવ બેઠક હેઠળ આવતા વિવિધ ગામોમાં લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. પ્રચાર અભિયાન દરમિયાન મલાવ, રાબોડ, ઉતરેડીયા, સાલિયાવ અને દેવપુરા જેવા ગામોમાં જનતા દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનમેદની: પ્રચાર રેલીઓમાં મોટી સંખ્યામાં મહિલાઓ, ઉત્સાહી યુવાનો અને વડીલોની નોંધપાત્ર હાજરી જોવા મળી રહી છે. 'જય શ્રી રામ', 'ભારત માતા કી જય' અને 'અબ કી બાર ભાજપ સરકાર'ના નારાઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. કાલોલ તાલુકા પંચાયતની મલાવ બેઠક પરની ચૂંટણીમાં હવે રાજકીય ગણિતો ભાજપની તરફેણમાં વધુ મજબૂત બન્યા છે. ભાજપના લોકપ્રિય અને શિક્ષિત મહિલા ઉમેદવાર રાજલબેન ભૌતિકકુમાર પટેલના પ્રચારમાં હવે ૨૧ ગામ પાટીદાર સમાજ પણ સક્રિય રીતે જોડાયો છે. ચૂંટણી પ્રચારના મહત્વના તબક્કે ૨૧ ગામ પાટીદાર સમાજના કદાવર નેતા અને રામનાથ ના માજી સરપંચ તેમજ પંચમહાલ જીલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર નીરવભાઈ પટેલ પોતે મેદાનમાં ઉતર્યા છે. નીરવભાઈ અને તેમના સાથી કાર્યકરો રાજલબેન પટેલના પ્રચાર માટે ગામડે-ગામડે ફરી રહ્યા છે. પાટીદાર સમાજના આ સંગઠિત સમર્થનને કારણે મલાવ બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની છે. રાજલબેન એક શિક્ષિત અને યુવા ઉમેદવાર હોવાની સાથે તેમના પતિ ભૌતિકકુમાર પટેલ રાબોડ ગામના સરપંચ તરીકે પ્રશંસનીય કામગીરી કરી ચૂક્યા છે. તેમના પરિવારની આ સેવાકીય છબીનો સીધો લાભ ભાજપને મળતો દેખાઈ રહ્યો છે, જેના કારણે હરીફ ઉમેદવારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો આ બેઠક પર વિજય મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યોને જનતા સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.સ્થાનિક મતદારોમાં ચર્ચાઈ રહ્યું છે કે, ભાજપના મજબૂત સંગઠન અને ઉમેદવારની સ્વચ્છ પ્રતિભાને જોતા મલાવ બેઠક પર રાજલબેન પટેલનો વિજય નિશ્ચિત જણાય છે.3
- દાહોદનગરપાલિકા દ્વારા દાહોદ શહેરને સ્વચ્છ રાખવા અને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરાઈ આજે તારીખ 21/04/2026 મંગળવારના રોજ સવારે 10 કલાકે આપેલ માહિતી અનુસાર દાહોદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુસર નાગરિકોને મહત્વપૂર્ણ અપીલ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ખાસ કરીને સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને સ્વચ્છતા જાળવવા માટે સહયોગ આપવા અનુરોધ કર્યો છે. નગરપાલિકાના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિકનો વધતો ઉપયોગ પર્યાવરણ માટે ગંભીર ખતરો બની રહ્યો છે. નાળા-ગટરમાં અવરોધ ઉભો થવો, પશુઓના આરોગ્ય પર અસર અને પ્રદૂષણમાં વધારો જેવી સમસ્યાઓ સર્જાય છે. તેથી નાગરિકોને કપડાના થેલા, કાગળના બેગ અને અન્ય પુનઃઉપયોગ કરી શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. સાથે સાથે શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે કચરો નિર્ધારિત સ્થળે જ નાખવો, ગંદકી ન ફેલાવવી અને નગરપાલિકાના નિયમોનું પાલન કરવું જરૂરી છે. દાહોદ નગરપાલિકાએ જણાવ્યું છે કે, સ્વચ્છ શહેર બનાવવા માટે દરેક નાગરિકની ભાગીદારી અનિવાર્ય છે.1