Shuru
Apke Nagar Ki App…
ભયંકર વાવાઝોડું : ભાજપ કાર્યાલય સામેનો વિશાળ ડોમ ઉડી ગયો છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ સર્જાયો હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે તેજ પવન અને વાવાઝોડું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આવતીકાલની સભા પહેલા મંડપ અને ખુરશીઓમાં નુકસાન એકાએક આવેલા વાવાઝોડામાં મંડપ ઉડી જતા ભાજપા કાર્યકરોમાં ચિંતા સભામાં વિક્ષેપ ન પડે તે માટે કાર્યકરો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવા દોડધામ આવતીકાલે પ્રદેશ પ્રમુખની બાઈક રેલી અને કાર્યકરોની મહત્વપૂર્ણ સભા યોજાનાર
Reporter MIRZA IMRAN.973789415
ભયંકર વાવાઝોડું : ભાજપ કાર્યાલય સામેનો વિશાળ ડોમ ઉડી ગયો છોટાઉદેપુર : બ્રેકિંગ છોટાઉદેપુર જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો, વરસાદી માહોલ સર્જાયો હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ સાથે તેજ પવન અને વાવાઝોડું પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આવતીકાલની સભા પહેલા મંડપ અને ખુરશીઓમાં નુકસાન એકાએક આવેલા વાવાઝોડામાં મંડપ ઉડી જતા ભાજપા કાર્યકરોમાં ચિંતા સભામાં વિક્ષેપ ન પડે તે માટે કાર્યકરો દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરવા દોડધામ આવતીકાલે પ્રદેશ પ્રમુખની બાઈક રેલી અને કાર્યકરોની મહત્વપૂર્ણ સભા યોજાનાર
- Reporter MIRZA IMRAN.973789415છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત🙏2 hrs ago
More news from ગુજરાત and nearby areas
- ઓવરલોડ તુફાન ગાડીઓ પર જેતપુર પાવી પોલીસની લાલ આંખ ત્રણ વાહનો ડિટેન, મુસાફરોને તાપમાં રાહ જોવાનો વારો જેતપુર પાવી: ઓવરલોડ મુસાફરો સાથે દોડતી તુફાન ગાડીઓ સામે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. જેતપુર પાવી પોલીસે આજે સવારે કડક કાર્યવાહી કરતા ત્રણ ક્રુઝર તુફાન ગાડીઓને ડિટેન કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશથી ગુજરાતમાં મજૂરી માટે આવેલા શ્રમિકો પરત પોતાના વતન જઈ રહ્યા હતા. આ દરમિયાન અમરેલીથી મધ્ય પ્રદેશના જોબટ તરફ જઈ રહેલી ગાડીઓમાં ક્ષમતા કરતાં ઘણી વધુ સંખ્યામાં મુસાફરો ભરી દેવાયા હતા. ગાડીઓમાં મુસાફરો ખીચોખીચ ભરાયેલા હતા તેમજ જોખમી રીતે સામાન પણ લાદવામાં આવ્યો હતો, જેના કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ હતી. મામલો ગંભીર જણાતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરટીઓ મેમો ફટકારી ત્રણેય વાહનોને ડિટેન કર્યા હતા. જો કે, પોલીસની આ કાર્યવાહીના કારણે ગાડીઓમાં રહેલા મુસાફરો—ખાસ કરીને મહિલાઓ અને નાના બાળકો—ને કલાકો સુધી ગરમીમાં રાહ જોવાનો વારો આવ્યો, જેને કારણે તેમને ભારે હાલાકી વેઠવી પડી. સ્થાનિકોમાંથી માંગ ઉઠી રહી છે કે આવા ઓવરલોડ વાહનો સામે સતત અને કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય.1
- મોડાસર-રંગલી રોડ મુદ્દે અનોખો વિરોધ: રામધૂન સાથે ચક્કાજામ1
- સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે માઈભકતોનું ઘોડ઼ાપુર ઉમટ્યું પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના પ્રથમ નોરતે હજારોની સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા.વહેલી સવારે પાંચ વાગે મહાકાલી મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. નવરાત્રીની પહેલી આરતી કરવામા આવી હતી. ભાવિકોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ગુજરાતની સાથે સાથે અન્ય રાજયોમાંથી મોટી સંખ્યામા ભાવિકો ઉમટી પડ્યા હતા. હિન્દુ ધર્મમા ચૈત્રી નવરાત્રીનુ ખુબ જ મહત્વ હોય છે. પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના અને ભારતની 51 શક્તિપીઠ માંની એક પાવાગઢ શક્તિપીઠ ખાતે ચૈત્રી નવરાત્રીને લઈ ભાવિકોનું ઘોડ઼ાપુર ઉમટી પડ્યુ હતુ.મહાકાલી મંદિર પ્રશાસન દ્વારા ભાવિકો દર્શન કરી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામા આવી છે. વહેલી સવારે પાંચ વાગે નીજ મંદિરના દ્વાર ભાવિકો માટે ખોલી નાખવામા આવ્યા હતા. મંદિરના દ્વાર ખુલતા મહાકાલી માતાજીનો જય જયકારથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યુ હતું.પાવાગઢ નીજ મહાકાલી મંદિર જવા માટે પગથિયા અને રોપવેથી જઈ શકાય છે. રોપ-વે પણ પાંચ વાગ્યાથી શરુ કરી દેવામા આવ્યો હતો. પાવાગઢ તળેટીથી માંચી સુધી જવા માટે એસટી વિભાગ દ્વારા 60 બસો મુકવામા આવી છે.કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામા આવ્યો છે.1
- દાહોદમાં કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપવા આવેલા ગુજરાતના ભાજપા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને ગુજરાતમાં 50 વર્ષ સુધી ક્યાંય મેળ પડવાનો નથી1
- દાહોદ શહેરમાં વહીવટદાર શાસન આવ્યા બાદ નગરપાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. 20 માર્ચથી શહેરમાં ખાસ ઝુંબેશ શરૂ થશે, જેમાં નાનામોટા દબાણો, ગંદકી અને ટ્રાફિક સંબંધિત મુદ્દાઓ પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ખાણી-પીણીની હોટલો અને લારીઓ પર પણ તપાસ કરવામાં આવશે અને નિયમોના ઉલ્લંઘન સામે દંડનીય કાર્યવાહી થશે. આ અંગે વહીવટદાર તથા પ્રાંત અધિકારી મિલિંદ દવે દ્વારા માહિતી આપવામાં આવી છે.1
- Post by Limdabara News1
- બોડેલી તાલુકા કક્ષાનો સેવા સેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ જબુગામ ખાતે યોજાયો.1
- ઝાલોદ તાલુકાના સાપોઈ ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત આજે તારીખ 19/03/2026 ગુરુવારના રોજ સવારે 10 કલાકે મળતી માહિતી મુજબ ગતરોજ રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું ઝાલોદ તાલુકાના નાનસલાઈ ગામના રહેવાસી પરમાર પ્રકાશભાઈ મંગળાભાઈનુ મોત નીપજ્યું લીમડી થી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા તે સમયે સર્જાયો અકસ્માત અકસ્માત બાદ બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત ઝાલોદ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો1
- દિલ્હીથી દાહોદ સુધી વિકાસની દોડ: સચિવ કે.કે. નિરાલા અને દાહોદ કલેક્ટર યોગેશ નિરગુડેએ લીધી દેવગઢ બારીયાની શાળાઓ અને ખેતરની મુલાકાત.1