Shuru
Apke Nagar Ki App…
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રીત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું છે. શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજ માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં UGVCLની ચોથી લોક અદાલત યોજાઈ હતી, જેમાં જલીયાણ ગ્રુપ દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ ગ્રાહકોના બાકી વીજ બિલ ભરીને એક ઉત્કૃષ્ટ અને માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. વીજ બિલ બાકી હોવાના કારણે જે ગ્રાહકોના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા, તેમના બાકી નાણાં લોક અદાલતના માધ્યમથી ચૂકવીને જલીયાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર અને નિલેશભાઈ ઠક્કર દ્વારા આ પરિવારોના ઘરોમાં ફરી અજવાળું પાથરવાનું ખૂબ જ પ્રશંસનીય કામ કરવામાં આવ્યું છે. હારીજ કોર્ટ ખાતે યોજાયેલી આ ચોથી લોક અદાલત અંતર્ગત કુલ ૧૪૩ ગ્રાહકોને નોટિસ મોકલવામાં આવી હતી. જેમાંથી હાજર રહેલા ૬૦ ગ્રાહકો સાથે સમાધાન પ્રક્રિયા હાથ ધરીને તેમના રૂ. ૧.૪૩ લાખના બાકી નાણાં જલીયાણ ગ્રુપ દ્વારા ભરપાઈ કરવામાં આવ્યા હતા. સામાન્ય રીતે લાંબા સમયથી બિલ ન ભરી શકતા ગ્રાહકો પર વ્યાજ અને પેનલ્ટીનો મોજ વધી જાય છે અને UGVCL દ્વારા કેસ તથા નોટિસો જારી કરાય છે, ત્યારે દર ત્રણ મહિને યોજાતી આ લોક અદાલતમાં સમાધાન પ્રક્રિયા દ્વારા દંડ અને પેનલ્ટી માફ કરી ગ્રાહકોને રાહત આપવામાં આવે છે. જલીયાણ ગ્રુપ દ્વારા આ અગાઉ યોજાયેલી ત્રણેય લોક અદાલતોમાં પણ આ જ પ્રકારે ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો. અગાઉ ૧૧ જુલાઈના રોજ યોજાયેલી લોક અદાલતમાં ૬૦ ગ્રાહકોના રૂ. ૧.૪૦ લાખ, ૧૩ સપ્ટેમ્બરના રોજ યોજાયેલી અદાલતમાં ૪૧ વીજ ગ્રાહકોના રૂ. ૩.૬૦ લાખ અને ૧૩ ડિસેમ્બરના રોજ ૯ ગ્રાહકોના રૂ. ૨૫ હજાર ચૂકવવામાં આવ્યા હતા. આમ, ચોથી લોક અદાલતના રૂ. ૧.૪૩ લાખ સહિત ચારેય તબક્કામાં કુલ મળીને અંદાજે રૂ. ૮ લાખ જેટલી માતબર રકમ ચૂકવીને જરૂરિયાતવાળા પરિવારોના આંગણે અજવાળા પાથરવાનું સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે.4
- વાવ થરાદના સનેસડા ગામે નાયબ DPO કે કે પટેલ સાહેબ દ્વારા વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારી વિવિધ યોજનાઓથી વાકેફ કરવામાં આવ્યા છે. તેમણે સનેસડા ગામના વાલીઓ અને વિદ્યાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપીને માહિતગાર કર્યા હતા.2
- બનાસકાંઠા જિલ્લાના દિયોદરના જાહેર મુક્તિધામ ખાતે પુનમેશ્વર મહાદેવ મંદિરના નિર્માણ માટે ખાતમુહૂર્ત અને શિવલિંગ સ્થાપના નિમિત્તે ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી. આ મુક્તિધામ પૂનમિયા હનુમાનજી મંદિર પાછળ અને જૂની કોર્ટ નજીક આવેલું છે. આ ધાર્મિક વિધિ પૂ. રમેશભાઈ શાસ્ત્રીજીના વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ આગેવાનો, દાતાઓ, સમાજના વડીલો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો અને શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.4
- વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના પીરગઢ ગામે એક મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટના દરમિયાન એક મહિલા સહિત તેના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.1
- પાટણ જિલ્લાના રાધનપુર ખાતે કોલી ઠાકોર નિરાશ્રિત સમાજનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. આ મહાસંમેલન શિક્ષણ અને સમાજ સંગઠન અભિયાન અંતર્ગત આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિકાસ અને સંગઠનને મજબૂત કરવા માટે નવા નિયમોની જાહેરાત કરવામાં આવી છે.1
- Post by Pankaj Parmar1