Shuru
Apke Nagar Ki App…
*શ્રીશ્રી પવિત્ર યાત્રાધામ માઁ ભુમી માતાનામઢ થી આજના હોળીકા દહન દર્શન*👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩♏🦚😊 *શ્રીશ્રી પવિત્ર યાત્રાધામ માઁ ભુમી માતાનામઢ થી આજના હોળીકા દહન દર્શન*👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩♏🦚😊
હરિસિંહ મોખા
*શ્રીશ્રી પવિત્ર યાત્રાધામ માઁ ભુમી માતાનામઢ થી આજના હોળીકા દહન દર્શન*👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩♏🦚😊 *શ્રીશ્રી પવિત્ર યાત્રાધામ માઁ ભુમી માતાનામઢ થી આજના હોળીકા દહન દર્શન*👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩♏🦚😊
More news from ગુજરાત and nearby areas
- તારીખ ૦૨/૦૩/૨૦૨૬, બપોરે ૦૪:૦૦ વાગે અબડાસા તાલુકાના તેરા થી નેત્રા રસ્તા પર લાકડાથી ભરેલ છોટા હાથી ૨૦ થી ૨૫ ફુટ નીચે પલટી મારતા ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં કોલી સમાજના બે બંધુઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી, આ ધટના ત્યાંથી પસાર થતા RSSના કાર્યકર્તા શ્રી રણજીત સિંહ ગેહલોત, શ્રી વાલજીભાઈ સુથાર અને શ્રી યુવરાજસિંહ જાડેજાને ધ્યાનમાં આવતા તરત જ પોતાની ફરજ સમજી એમને બહાર કાઢવા નીચે ખાઈમાં ઉતર્યા હતા અને પોતાના ખભા પર તેડી લીધા હતા, 108 ની રાહ જોયા વગર પોતાની ગાડીમાં બેસાડી નજીકના સારવાર કેન્દ્રમાં ૨૦મિનિટમાં પહોંચાડી અકસ્માત ગ્રસ્તને રાહત પહોંચાડી હતી જેમાં તેરા ગામના લોકોને જાણ કરતાં તેઓ પણ તરત પોતાની ફરજ સમજી ત્યાં હોસ્પિટલમાં બધા હાજર થઈ ગયા હતા અને હોસ્પિટલના કર્મચારીઓ પણ સારો એવો સહયોગ કરીને તરત એમને સારવાર પહોંચાડી હતી.1
- તા. 02 માર્ચ 2026 | માતાના મઢ | કચ્છ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માતાના મઢ ખાતે આજે ભારત સરકારશ્રી દ્વારા તા. 26 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા એચપીવી રસીકરણના રાષ્ટ્રવ્યાપી અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસર ડો. કે. કે. પટેલના માર્ગદર્શન હેઠળ અને ડૉ. દર્શિત ડાબી સાહેબના અધ્યક્ષસ્થાને સફળતાપૂર્વક યોજાયો. કાર્યક્રમ દરમિયાન 14 વર્ષની કિશોરીઓને એચપીવી (Human Papillomavirus) રસી આપવામાં આવી. આ રસી સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના કેન્સર) સામે રક્ષણ આપવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને અસરકારક માનવામાં આવે છે. સરકારશ્રી દ્વારા 14 વર્ષની દીકરીઓને આ રસી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, જેથી ભાવિ પેઢીનું સ્વાસ્થ્ય સુરક્ષિત રહી શકે. રસી શા માટે જરૂરી છે, તેની અસરકારકતા શું છે અને તેના આરોગ્યલક્ષી લાભો વિશે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સુપરવાઇઝર માનભાઈ દ્વારા વિગતવાર માર્ગદર્શન અને સમજ આપવામાં આવી. વાલીગણને પણ દીકરીઓના આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા અનુરોધ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગામના સરપંચ શ્રી કુંભાર કાસમભાઈ, ઉપસરપંચ શ્રી મહેશ્વરી વનિતાબેન તેમજ શ્રી મહેશ્વરી હિતેશભાઈ સહિત કિશોરીઓના વાલીગણ અને આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. કાર્યક્રમ અંતે પી.એચ.સી.ના ડેટા ઓપરેટર દ્વારા ઓનલાઈન એન્ટ્રી કરી કિશોરીઓને રસીકરણનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દ્વારા દીકરીઓના આરોગ્ય સુરક્ષામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ લખપત તાલુકા4
- આમ આદમી પાર્ટી દ્વારા પુર્વ કચ્છ જીલ્લાનું કાર્યાલય આદિપુર ખાતે પુર્વ કચ્છ પ્રમુખ ડો. કાનાયત અંસારી આથાના વરદ હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાષ્ટ઼્રીય કન્વીનર અરવીંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાને તાજેતરમાં કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવામાં આવ્યા તે માટે સુંદરકાંડના પાઠનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેનો બહોળી સંખ્યામાં સભ્યો અને પદાધિકારીઓએ લાભ લીધો હતો. કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ડો. કાયનાત અંસારી આથા, નીલેશ મહેતા, ગજરાજસિંહ રાણા, લાભુ મહારાજ, રાયશીભાઇ દેવરીયા, ચેતન મહેશ્વરી, જયેશભાઇ, શક્તિસિંહ જાડેજા, મેહુલ આહીર, રવિ આહીર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમરદીપસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ જાડેજા અને ક્રિષ્નાબા જાડેજાએ જહેમત ઉઠાવી હતી.1
- કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે સામાધાન.1
- Post by Nationgujarat.com1
- એન્કર : રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકાના સુપેડી ગામે શ્રી મુરલી મનોહર મંદિર ખાતે આજે ફુલડોર મહોત્સવ અને ધુળેટી નાં પર્વ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને ભક્તો રંગે રંગાઈ નેં ધુળેટી ભક્તિ ભાવ પુર્વક ઉજવણી કરવામાં આવી : વિઓ : ધોરાજી તાલુકાના સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર એક આસ્થા નું કેન્દ્ર બિંદુ છે અને અહીં દ્વારકાધીશના દર્શન નો અનેરો લાભ મળે છે એટલે જ લાભ સુપેડી ગામે આવેલ શ્રી મુરલી મનોહર મંદિર માં દર્શન કરવા થીં ભાવ થાય છે અને શ્રી મુરલી મનોહર મંદિર ખાતે હિન્દુ ધર્મ ના દરેક ધાર્મિક તહેવારો ધામ ધૂમ પુર્વક ઉજવણી કરવામાં આવે છે અને ધજા રોહન કાર્યક્રમ અને નિઃશુલ્ક અન્નક્ષેત્ર પણ ચાલુ હોય છે અને આ શ્રી મુરલી મનોહર મંદિર નું અનેરું મહત્વ હોય છે ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી નિમિત્તે ભક્તો અને ભગવાન સાથે ફુલડોર મહોત્સવ ઉજવાયો હતો અને રંગો જેવા કે કેસુડો અબિલ ગુલાલ જેવા રંગો થી ધુળેટી ની ભક્તિ ભાવ પુર્વક થીં ભવ્યતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી અને બહાર ગામ થી પધારેલા ભક્તો નું ઘોડાપુર ઉમટી પડ્યું હતું અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી : બાઈટ વિજયેન્દ્ર બાપુ મહંત શ્રી મુરલી મનોહર સુપેડી2
- મયાપુર ગામે છેલ્લા ત્રણ દિવસથી અજાણ્યા જંગલી જાનવરનો આતંક ફેલાયો છે. ગામમાં ત્રણ દિવસના ગાળામાં બે સ્વાનનો શિકાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે જાનવર ગામની સીમમાં પ્રવેશી શિકાર કરે છે. ઘટનાની જાણ હળવદ તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણજારીયા એ વન વિભાગ કરતા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. જાનવર કયું છે તેની ઓળખ કરવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ2
- *શ્રીશ્રી પવિત્ર યાત્રાધામ માઁ ભુમી માતાનામઢ થી આજના હોળીકા દહન દર્શન*👏🏻👏🏻🙏🏻🙏🏻🚩🚩♏🦚😊1