Shuru
Apke Nagar Ki App…
દિવડા કોલોની મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા માં ખૂબજ બહોળી સંખ્યા આજ રોજ દિવડા કોલોની મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા માં ખૂબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જનમેદની દ્વારા જીલ્લા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજેતા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…🚩🇮🇳🪷*
DILIPBHAI BARIA
દિવડા કોલોની મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા માં ખૂબજ બહોળી સંખ્યા આજ રોજ દિવડા કોલોની મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત જાહેરસભા માં ખૂબજ બહોળી સંખ્યામાં ઉપસ્થિતિ જનમેદની દ્વારા જીલ્લા તેમજ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ને જંગી બહુમતીથી વિજેતા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો…🚩🇮🇳🪷*
More news from Gujarat and nearby areas
- મંત્રી રમેશ કટારાના અધ્યક્ષતામાં સુખસર તાલુકાના માધવા અને મોટી ઢઢેલી તાલુકા પંચાયત બેઠકમાં વિજય સંકલ્પ સભા યોજાઈ **મંત્રી રમેશ કટારાના અધ્યક્ષતામાં વિજય સંકલ્પ સભા યોજાઈ** આજે તા. 17/04/2026 શુક્રવારના રોજ સાંજે 4.30 કલાક સુધીમાં સુખસર તાલુકાના માધવા અને મોટી ઢઢેલી તાલુકા પંચાયત બેઠક વિસ્તારમાં વિજય સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષતામાં યોજાયેલી આ સભામાં ચૂંટણી પ્રવાસ દરમિયાન ગ્રામજનો વચ્ચે જઈને સંબોધન કરવામાં આવ્યું. સભામાં ઉપસ્થિત વડીલો, યુવા મિત્રો તેમજ માતા-બહેનોમાં જોવા મળેલા ઉત્સાહથી સ્પષ્ટ થયું કે જનમાનસમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે મજબૂત વિશ્વાસ છે. ભાજપ સરકારની લોકકલ્યાણકારી યોજનાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચેલા વિકાસકાર્યોને આગળ વધારવા માટે લોકો પ્રતિબદ્ધ હોવાનું દર્શાયું. આ અવસરે સૌને એકતાથી ‘કમળ’ના નિશાન પર મતદાન કરી ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા અને વિકાસની યાત્રાને વધુ વેગ આપવા આહ્વાન કરવામાં આવ્યું.1
- reality @#india#politics##1
- તાજેતરમાં ફ્રાંસની કેનેડી યુનિવર્સિટી દ્વારા 'ડોક્ટરેટ'ની માનદ પદવીથી સન્માનિત થયેલા જગદ્દગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજીના ૧૬માં વંશજ પૂજ્ય પાદ ગોસ્વામી ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજશ્રીનો ભવ્ય સન્માન સમારોહ ગુરુવારે સાંજે કાલોલના સુવર્ણ હોલ ખાતે અત્યંત ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે કાલોલની વિવિધ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ ઉમટી પડી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભીનું અભિવાદન મહારાજશ્રીની ૨૬ વર્ષની નિઃસ્વાર્થ સમાજ સેવા અને ગૌ-સેવાને બિરદાવવા માટે કાલોલની અનેક સંસ્થાઓ દ્વારા તેમનું શાલ અને પુષ્પગુચ્છથી તેમજ ધોતી ઉપરના ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: ધાર્મિક સંસ્થાઓ: ગોવર્ધનનાથજી મંદિરના કિર્તનકારો, ગોપાલ લાલજી મંદિર, મોઢેશ્વરી માતાજી મંદિર, રણછોડજી મંદિર, રોકડનાથ હનુમાનજી મંદિર, વેરાઈ માતા ગ્રુપ અને રામ રોટી મંડળ, ,રામજી મંદિર, મહાલક્ષ્મી મંદિર,ગોવર્ધનનાથજી સજાવટ મંડળ, જ્ઞાતિ સંગઠનો: દશાલાડ જ્ઞાતિ સમાજ, પોરવાડ સમાજ, મોઢ સમાજ, સોની સમાજ, કાછીયા પટેલ સમાજ અને પટેલ સમાજ. યુવા અને મહિલા મંડળો: હિન્દુ યુવા સંગઠન કાલોલ, લાડ યુવક મંડળ, મોઢ સમાજ યુવક મંડળ, કાછિયાવાડ યુવક મંડળ, લક્ષ્મી મહિલા મંડળ અને મોઢ સમાજ મહિલા મંડળ. ખડાયતા સમાજ, બ્રાહ્મણ સમાજ, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ: કાલોલ કેળવણી પ્રચારક મંડળ, કાલોલ અર્બન બેન્ક, એન.એમ.જી. હોસ્પિટલ ટ્રસ્ટ, એમ એમ ગાંધી કોલેજ, રોટરી ક્લબ ઓફ ડેરોલ, કાલોલ પત્રકાર સંઘ અને હાઉસિંગ સોસાયટી મંડળ, કામધેનુ ગૌશાળા, નીલકંઠ કોલેજ,ડોક્ટર એન્ડ લેબોરેટરી, મેડિકલ સ્ટોર સેલ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજશ્રીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ અને માનવ સેવાના કાર્યોને બિરદાવતું વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, "આપશ્રીનું સન્માન કરતા અમો સૌ ગર્વની લાગણી અનુભવીએ છીએ." પોતાના સન્માનના પ્રત્યુત્તરમાં પૂજ્ય મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા તમામ સંસ્થાઓ અને નગરજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ સન્માન એ માત્ર મારું નથી, પરંતુ સનાતન ધર્મ અને સેવાના મૂલ્યોનું સન્માન છે. તેમણે યુવાનોને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને જીવદયાના કાર્યોમાં સહભાગી થવા પ્રેરણા આપી હતી. આ સમગ્ર કાર્યક્રમથી કાલોલ પંથકમાં ભક્તિમય અને આનંદનું વાતાવરણ છવાઈ ગયું હતું.4
- દહેગામની બહાદુર પોલીસ અને ભાજપનું અદ્રશ્ય ગઠબંધન ! 📌દહેગામના માસૂમ આ નિર્દોષ ખેડૂતોને ધમકાવવા અને ડરાવવા દહેગામની બહાદુર પોલીસ મેદાને. 📌દહેગામની બહાદુર પોલીસને એવું છે કે એનો પગાર "કમલમ" માંથી આવે છે. એટલે ભાજપનો હાથો બનીને એના ઈશારે કર્યો કરી રહી છે તેવું વર્તમાન માં સ્પષ્ટ લાગે છે. 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #બૂટલેગરો સામે કેમ નથી નીકળતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના #ડ્રગ્સ માફીયાઓ સામે કેમ નથી નીકળતી ? 🤔દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ડમ્પર માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? 🧐દહેગામની બહાદુર પોલીસની આટલી બધી બહાદુરી કે ચરબી દહેગામના ભાજપના ઇશારે કામ કરતા જમીન માફીયાઓ સામે કેમ નથી દેખાતી ? શું દહેગામના સત્તાધીશોને એવું લાગે છે કે પોલીસ ને હાથો બનાવી ખેડૂતો અને પશુપાલકોની દબાવી દેશું એને ધમકાવી ને એનો અવાજ દબાવી દેશું તો બધા ચૂપ થઈ જશે એમ. આ ખેડૂતો છે સાહેબ સ્પ્રિંગ ની જેમ ડબલ તાકાતથી અવાજ બુલંદ કરશે..1
- ગુંદીયા મહુડા ફળીયામાં પાણી માટે ત્રાહિમામ, સરપંચ-તલાટી સામે અવગણનાના આક્ષેપ છોટાઉદેપુર જિલ્લાના ગુંદીયા મહુડા ફળીયામાં પીવાના પાણીની સમસ્યા ગંભીર બની રહી છે. ફળીયામાં ‘જળ સે નળ’ યોજના હેઠળ નળોની વ્યવસ્થા તો ઉભી કરવામાં આવી છે, પરંતુ પાણી મળતું નથી, જેને કારણે લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેટલાક ઘરોની આગળ બોરિંગ હોવા છતાં તેમાં કાટવાળું અને દુર્ગંધયુક્ત પાણી આવે છે, જે પીવા યોગ્ય નથી અને આરોગ્ય માટે હાનિકારક છે. લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે તેઓ વારંવાર સરપંચ અને તલાટી પાસે રજૂઆત કરી રહ્યા છે, છતાં તેમની સમસ્યાઓને અવગણવામાં આવી રહી છે. “અમારી વાત સાંભળવામાં આવતી નથી,” એવો રોષ ગ્રામજનોમાં જોવા મળી રહ્યો છે. ગ્રામજનોની માંગ છે કે ‘નલ સેજલ યોજના’ હેઠળ નર્મદાનું શુદ્ધ પાણી તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે. તેઓ ઘર વેરો ચૂકવતા હોવા છતાં મૂળભૂત સુવિધા ન મળતા અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે ગામ લોકો તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચેતવણી આપી છે.1
- નડિયાદ-આણંદ રોડ પર આવેલી ભૂમેલ ચોકડી પાસે, જ્યાંથી મેઈન હાઈવે જોઈન થાય છે, ત્યાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક i20 કાર અને આઈશર (Eicher) ટેમ્પો વચ્ચે ટક્કર થઈ હતી. ઘટનાની વિગત એવી છે કે, i20 કાર રોંગ સાઈડ (ખોટી દિશા) થી આવી રહી હતી. સામેથી આવતા આઈશર ટેમ્પોના ડ્રાઈવરે કારને બચાવવા માટે પૂરતો પ્રયત્ન કર્યો હતો અને સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા આઈશર ટેમ્પો રોડ પર જ પલટી ખાઈ ગયો હતો.4
- ભાજપા દ્વારા ઝાલોદ તાલુકાના 2 હોદ્દેદારોને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા આજે તારીખ 17/04/2026 શુક્રવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લા ભાજપા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પક્ષના બે હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રેસનોટ મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત પક્ષના અધિકૃત ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી નોંધાવવાના કારણે પાર્ટીના શિસ્તભંગ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. અનિતાબેન દામાભાઈ મછાર (જિલ્લા મંત્રી) અને પારસિંગભાઈ કૂબાભાઈ ગરાસિયા (મંડળ મંત્રી)ને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરાયા. આ બંને નેતાઓને તાત્કાલિક અસરથી પક્ષની પ્રાથમિક સભ્યતા સહિત તમામ હોદ્દાઓમાંથી આગામી 5 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા.1
- india##real@1
- ગુજરાતી ફિલ્મ ના સુપર સ્ટાર વિક્રમભાઈ ઠાકોર ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં તારીખ ૨૦/૦૪/૨૬ ને સોમવારે રાત્રે ૧૦:૦૦ કલાકે રાસ ગરબા માં પધારશે1