વિજાપુરના લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં અધિક પૂનમે ભવ્ય આમ્રોત્સવ: માતાજીને 400 કિલો કેરીનો અન્નકૂટ, મોગરાના ફૂલોની ચણીયાચોળી ધરાવાઈ, હજારો ભક્તો ઉમટ્યા *વિજાપુરના લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં અધિક પૂનમે ભવ્ય આમ્રોત્સવ: માતાજીને 400 કિલો કેરીનો અન્નકૂટ, મોગરાના ફૂલોની ચણીયાચોળી ધરાવાઈ, હજારો ભક્તો ઉમટ્યા* વિજાપુર: વિજાપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ લાડોલ સ્થિત હરસિદ્ધિ શક્તિપીઠ ખાતે ગઈકાલે અધિક મહિનાની પૂનમ નિમિત્તે ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ પાવન અવસરે માતાજીને 400 કિલોથી પણ વધુ કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ ફૂલોત્સવ અંતર્ગત માતાજીને મોગરાના તાજા ફૂલોમાંથી બનાવેલી મનમોહક ચણીયાચોળી પહેરાવવામાં આવી હતી, જેના કારણે સંપૂર્ણ મંદિર પરિસર મોગરાના પુષ્પોની સુવાસથી મહેકી ઉઠ્યું હતું. અધિક પૂનમ અને આમ્રોત્સવના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભીડના કારણે મંદિરે દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના વિશાળ હોલમાં હજારો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભક્તોની સંખ્યા એટલી વધુ હતી કે મંદિરનું પાર્કિંગ વાહનોથી સંપૂર્ણ ભરાઈ જતા, શ્રદ્ધાળુઓએ ગામના રસ્તાઓ પર વાહનો પાર્ક કરીને માતાજી હરસિદ્ધિના દર્શન માટે પદયાત્રા કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન "બોલ માડી હરસિદ્ધિ"ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
વિજાપુરના લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં અધિક પૂનમે ભવ્ય આમ્રોત્સવ: માતાજીને 400 કિલો કેરીનો અન્નકૂટ, મોગરાના ફૂલોની ચણીયાચોળી ધરાવાઈ, હજારો ભક્તો ઉમટ્યા *વિજાપુરના લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં અધિક પૂનમે ભવ્ય આમ્રોત્સવ: માતાજીને 400 કિલો કેરીનો અન્નકૂટ, મોગરાના ફૂલોની ચણીયાચોળી ધરાવાઈ, હજારો ભક્તો ઉમટ્યા* વિજાપુર: વિજાપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ લાડોલ સ્થિત હરસિદ્ધિ શક્તિપીઠ ખાતે ગઈકાલે અધિક મહિનાની પૂનમ નિમિત્તે ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ પાવન અવસરે માતાજીને 400 કિલોથી પણ વધુ કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ ફૂલોત્સવ અંતર્ગત માતાજીને મોગરાના તાજા ફૂલોમાંથી બનાવેલી મનમોહક ચણીયાચોળી પહેરાવવામાં આવી હતી, જેના કારણે સંપૂર્ણ મંદિર પરિસર મોગરાના પુષ્પોની સુવાસથી મહેકી ઉઠ્યું હતું. અધિક પૂનમ અને આમ્રોત્સવના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભીડના કારણે મંદિરે દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના વિશાળ હોલમાં હજારો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભક્તોની સંખ્યા એટલી વધુ હતી કે મંદિરનું પાર્કિંગ વાહનોથી સંપૂર્ણ ભરાઈ જતા, શ્રદ્ધાળુઓએ ગામના રસ્તાઓ પર વાહનો પાર્ક કરીને માતાજી હરસિદ્ધિના દર્શન માટે પદયાત્રા કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન "બોલ માડી હરસિદ્ધિ"ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.
- વિજાપુરના લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં અધિક પૂનમે ભવ્ય આમ્રોત્સવ: માતાજીને 400 કિલો કેરીનો અન્નકૂટ, મોગરાના ફૂલોની ચણીયાચોળી ધરાવાઈ, હજારો ભક્તો ઉમટ્યા *વિજાપુરના લાડોલ હરસિદ્ધિ શક્તિપીઠમાં અધિક પૂનમે ભવ્ય આમ્રોત્સવ: માતાજીને 400 કિલો કેરીનો અન્નકૂટ, મોગરાના ફૂલોની ચણીયાચોળી ધરાવાઈ, હજારો ભક્તો ઉમટ્યા* વિજાપુર: વિજાપુર તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ લાડોલ સ્થિત હરસિદ્ધિ શક્તિપીઠ ખાતે ગઈકાલે અધિક મહિનાની પૂનમ નિમિત્તે ભવ્ય આમ્રોત્સવ અને ફૂલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના યુવા આચાર્ય વિશ્વાસભાઈ જાનીએ જણાવ્યું હતું કે આ પાવન અવસરે માતાજીને 400 કિલોથી પણ વધુ કેરીનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સાથે જ ફૂલોત્સવ અંતર્ગત માતાજીને મોગરાના તાજા ફૂલોમાંથી બનાવેલી મનમોહક ચણીયાચોળી પહેરાવવામાં આવી હતી, જેના કારણે સંપૂર્ણ મંદિર પરિસર મોગરાના પુષ્પોની સુવાસથી મહેકી ઉઠ્યું હતું. અધિક પૂનમ અને આમ્રોત્સવના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ભીડના કારણે મંદિરે દર્શન માટે લાંબી લાઈનો લાગી હતી. ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિરના વિશાળ હોલમાં હજારો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. ભક્તોની સંખ્યા એટલી વધુ હતી કે મંદિરનું પાર્કિંગ વાહનોથી સંપૂર્ણ ભરાઈ જતા, શ્રદ્ધાળુઓએ ગામના રસ્તાઓ પર વાહનો પાર્ક કરીને માતાજી હરસિદ્ધિના દર્શન માટે પદયાત્રા કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન "બોલ માડી હરસિદ્ધિ"ના જયઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું.1
- મહેસાણા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રાજ રાજેશ્વરી સિદ્ધેશ્વરી ધામ સધીધામ, મેઉ ગામ ખાતે 'રમેણ 2026' નો ભવ્ય ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં માના ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દ્રઢ શ્રદ્ધા સાથે રમેણની રમઝટમાં ઉત્સાહભેર જોડાયા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. આ ઉત્સવને 'મહેસાણા રમેણ 2026' તરીકે પણ ઓળખવામાં આવે છે.1
- Post by Pooja patel1
- મહેસાણા જિલ્લામાં પાટીદાર યુવતી સંગીતા પટેલના મૃત્યુ પ્રકરણમાં પોલીસે આખરે હત્યાની ફરિયાદ દાખલ કરી છે. આ મામલે જેસંગ ઠાકોર સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. સંગીતા પટેલ ૧૭ તારીખના રોજ ગુમ થઈ હતી અને ૧૯ તારીખે તેની લાશ બુટાપાલડી ગામના તળાવમાંથી મળી આવી હતી. પરિવારજનોએ ૨૧ તારીખે પોલીસ સ્ટેશન જઈને સંગીતાની લાશની ઓળખ કરી હતી. શરૂઆતમાં પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી ન કરતા, પાટીદાર અગ્રણી વરુણ પટેલે એક પોસ્ટ કરી હતી અને એસ.પી.ને મળીને રજૂઆત પણ કરી હતી. આ રજૂઆત બાદ આજે જેસંગ ઠાકોર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિએ પણ માહિતી આપી હતી.4
- thakorprivarnyujripotarindiya(gujrat)mholgarmhadolnyujpost thakorfalgunji varvaji1
- આઈમા હિન્દી ન્યૂઝ નામની યુટ્યુબ ચેનલ પર પ્રકાશિત માહિતી અનુસાર, આગામી 1 જૂનથી પેટ્રોલ અને ડીઝલ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.1
- શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, વિજાપુર સંચાલિત સરદાર પટેલ શાકભાજી સબ માર્કેટ યાર્ડ ખાતે ૨૭ મે, ૨૦૨૬ ના રોજ પરોઢિયે ૪ વાગ્યાથી જ શાકભાજીની હરાજીનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો. આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો ટામેટા, ભીંડા, મરચા, કોબીજ, ફ્લાવર, દૂધી, તુરીયા, ગલકા અને કારેલા સહિતની તાજી મોસમી શાકભાજી ભરીને મોટી સંખ્યામાં યાર્ડમાં ઉમટી પડ્યા હતા, જેના પગલે શાકભાજીની બમ્પર આવક નોંધાઈ હતી. આજના ભાવપત્રક મુજબ, યાર્ડમાં ચોળી ₹૨૦૦ થી ₹૧૧૧૦, મરચાં ₹૪૪૦ થી ₹૬૦૦, પાકા ટામેટાં ₹૩૦૦ થી ₹૫૫૦ અને ભીંડા ₹૨૬૦ થી ₹૬૨૧ ના ભાવે વેચાયા હતા. આ ઉપરાંત, ગવાર ₹૧૬૦ થી ₹૬૦૦, ભટ્ટા ₹૯૦ થી ₹૩૫૦, કારેલા ₹૧૬૦ થી ₹૫૦૦, ફ્લાવર ₹૫૦ થી ₹૩૦૦, કોબીજ ₹૧૬૦ થી ₹૨૦૦, દૂધી ₹૯૦ થી ₹૨૦૦, કાકડી ₹૯૦ થી ₹૩૪૦ અને લીંબુ ₹૨૦૦ થી ₹૩૫૦ ના ભાવે બોલાયા હતા. યાર્ડમાં પાકા ટામેટાંની ૧૬૮ બેગ, ભટ્ટાની ૧૦૨ બેગ, ચોળીની ૫૨ બેગ અને ભીંડાની ૬૦ બેગ સહિત શાકભાજીની મબલખ આવક નોંધાઈ હતી. APMC ના સેક્રેટરી નરેશભાઈ પટેલે જણાવ્યું કે હરાજી સંપૂર્ણ પારદર્શક રીતે, કોમ્પ્યુટરાઈઝ્ડ કાંટા પર 'સાચો તોલ, સાચો ભાવ' ના સૂત્ર સાથે થાય છે, અને પરોઢિયે ૪ વાગ્યે શરૂ થયેલી હરાજી સવારના ૭:૩૦ વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. વહેલી સવારે વેપાર પતાવી દેવાની આ સિસ્ટમથી ખેડૂતોને બેવડો ફાયદો થાય છે; તેઓ બપોરની કાળઝાળ ગરમીથી બચી જાય છે અને તેમનો માલ બગડવાનો ભય પણ રહેતો નથી. સવારના પહોરમાં જ રોકડા રૂપિયા હાથમાં આવી જતા, ખેડૂતો ખાતર-બિયારણ કે ઘરવપરાશની ખરીદી કરીને બપોર સુધીમાં ઘરે પહોંચી જાય છે. માર્કેટ યાર્ડના ચેરમેન રાજુભાઈ પટેલે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની સુવિધા માટે યાર્ડમાં પીવાના પાણી, શેડ, લાઈટ અને સફાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, તેમજ હરાજી બાદ તુરંત જ ખેડૂતોના બેંક ખાતામાં અથવા રોકડેથી નાણાં ચૂકવી દેવામાં આવે છે.2
- જોટાણા તાલુકાના સુરજ ગામે આવેલા જોગણી માતાના મંદિર પરિસરમાં ગાડી પાર્ક કરવા અને દારૂના વેચાણ મુદ્દે થયેલી તકરાર બાદ ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં મુખ્ય ફરિયાદી યુવકના હાથ અને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયા છે, જ્યારે તેના એક ભાઈની હાલત નાજુક હોવાથી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવામાં આવ્યો છે. આ મામલે 6 આરોપીઓ વિરુદ્ધ કડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, સુરજ ગામના રાજુજી રાણાજી ઠાકોર જે કડી છત્રાલ રોડ પર આવેલ હિટાચી કંપનીમાં વેલ્ડીંગ ઓપરેટર તરીકે નોકરી કરે છે, તેમણે આશરે સાત દિવસ પહેલા તેમના ગામના અજય જગાજી ઠાકોરને જોગણી માતાના મંદિર પાસે પોતાની ફોરવીલ ગાડી પાર્ક કરવાની ના પાડી હતી. રાજુજી અને ગામના અન્ય લોકોને શંકા હતી કે અજય ત્યાંથી ચોરી છુપેથી દારૂનું વેચાણ કરી રહ્યો છે. આ બાબતની રીસ રાખીને અજય અવારનવાર રાજુજી સાથે ઝઘડો કરતો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. શનિવારે સાંજે રાજુજી પોતાની નોકરી પૂરી કરી અન્ય મિત્રો સાથે રિક્ષામાં ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વિસલપુર મોકાસન રોડ પર આવેલા રામાપીર મંદિર પાસે એક ફોરવીલ ગાડીએ તેમની રીક્ષાને આંતરી હતી. ગાડીમાંથી મુખ્ય આરોપી અજયજી જગાજી ઠાકોર હાથમાં તલવાર લઈને ઉતર્યો હતો. તેની સાથે લક્ષ્મણજી જેસંગજી ઠાકોર, કરણજી જગાજી ઠાકોર, જેસંગજી તલાજી ઠાકોર, જગાજી પ્રતાપજી ઠાકોર અને દિનેશજી પ્રતાપજી ઠાકોર સહિતના અન્ય આરોપીઓ પણ તલવાર, ધારિયા, લોખંડની પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો સાથે ધસી આવ્યા હતા. તેમણે રીક્ષાને ઘેરી લીધી અને રીક્ષા ચાલકને ધમકાવીને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ રાજુજીને નીચે ઉતારીને અજય અને અન્ય આરોપીઓએ તેમના પર હુમલો કર્યો હતો. રાજુજીના હાથ અને બંને પગમાં ફ્રેક્ચર થયા હતા, અને તેમના ભાઈઓને પણ ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા એક ભાઈને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કડી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.1