Shuru
Apke Nagar Ki App…
હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા હઝરત બુખારીશાહ બાબાનો ઉર્ષ આજે મંગળવારના રોજ ધાર્મિક અને આનંદમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન, દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ત્યાર પછી સલાતો સલામ અને નિયાઝની વહેચણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી, હાલોલ જુમ્મા મસ્જિદ ઈમામ સૈયદ ઈલ્યાસ બાપુ, મૌલાના મોઈનુલહક્ કાદરી, મૌલાના યાસીન, મૌલાના સાદિક સહિત મુસ્લિમ સમુદાયના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉર્ષમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા અને ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
Jasmin B Shah
હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા હઝરત બુખારીશાહ બાબાનો ઉર્ષ આજે મંગળવારના રોજ ધાર્મિક અને આનંદમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન, દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ત્યાર પછી સલાતો સલામ અને નિયાઝની વહેચણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી, હાલોલ જુમ્મા મસ્જિદ ઈમામ સૈયદ ઈલ્યાસ બાપુ, મૌલાના મોઈનુલહક્ કાદરી, મૌલાના યાસીન, મૌલાના સાદિક સહિત મુસ્લિમ સમુદાયના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉર્ષમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા અને ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.
More news from ગુજરાત and nearby areas
- હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા હઝરત બુખારીશાહ બાબાનો ઉર્ષ આજે મંગળવારના રોજ ધાર્મિક અને આનંદમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન, દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ત્યાર પછી સલાતો સલામ અને નિયાઝની વહેચણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી, હાલોલ જુમ્મા મસ્જિદ ઈમામ સૈયદ ઈલ્યાસ બાપુ, મૌલાના મોઈનુલહક્ કાદરી, મૌલાના યાસીન, મૌલાના સાદિક સહિત મુસ્લિમ સમુદાયના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉર્ષમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા અને ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.1
- કાલોલ શહેરમાં ઇસ્લામિક પરંપરા મુજબ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન આગામી મોહરમ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોહરમ નિમિત્તે તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. છેલ્લા નવ દિવસથી લઘુમતી સમાજના વિવિધ વિસ્તારોમાં કુશળ કારીગરો દ્વારા અવનવી કલા-કારીગરી અને ઇલેક્ટ્રિક લાઇટિંગથી સજ્જ ભવ્ય રંગબેરંગી ઝરીના તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને 'યાદે હુસૈન કમિટી' દ્વારા બનાવવામાં આવી રહેલા તાજીયા પોતાની અદભુત કલાત્મકતા અને આકર્ષક લાઇટિંગને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે આ વર્ષે મોહરમની શાન બની રહેશે તેવું લાગી રહ્યું છે. પરંપરા અનુસાર, મોહરમના ૧૦મા ચાંદ (આશુરા) ના દિવસે કાલોલના વિવિધ વિસ્તારોમાંથી તમામ તાજીયાઓને જુમ્મા મસ્જિદના ચોકમાં એકત્રિત કરવામાં આવશે. ત્યાંથી મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયાઓને નજીકના જળાશયમાં ઠંડા કરવામાં આવશે. હાલ સમગ્ર કાલોલ શહેરમાં મોહરમ પર્વને આવકારવા માટે તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે.3
- માત્ર એક વીડિયો રીલ બનાવવાના શોખમાં કરાયેલી બેદરકારી એક ટ્રેક્ટર માલિકને ભારે પડી છે. એક વીડિયો બનાવવાના ઈરાદે ટ્રેક્ટરને સ્ટાર્ટ કરીને ડ્રાઇવર વિના છોડી દેવામાં આવ્યું હતું, જેના કારણે થોડા જ પળોમાં ટ્રેક્ટર બેકાબૂ બની ગયું. આ ઘટનામાં, ટ્રેક્ટરના માલિકે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યા અને અંતે ટ્રેક્ટર ખાડામાં પલટી ગયું, જેને કારણે ટ્રેક્ટરને ભારે નુકસાન થયું. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ટળી ગઈ હતી. જોકે, આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે જીવ જોખમમાં મૂકવાના હાલના ટ્રેન્ડ પર ગંભીર સવાલો ઊભા કરે છે, અને ભારપૂર્વક કહેવાય છે કે વાયરલ થવા કરતાં વ્યક્તિગત સુરક્ષા વધુ મહત્વની છે.1
- કોર્ટે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.1
- એક વિવાહ સમારોહમાં ગોળી ચાલવાને કારણે થયેલા મોતના મામલામાં, સંબંધિત આરોપીએ આત્મસમર્પણ કરી દીધું છે. આ ઘટના બાદ કાર્યવાહી કરતા, પોલીસે આ આરોપીની ધરપકડ કરી લીધી છે.1
- ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શમી નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ કિલ્લા પરથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શરૂઆતમાં 24 વર્ષીય કેતન અગ્રવાલના મોતને અકસ્માત માનવામાં આવી રહ્યું હતું, પરંતુ પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પર્દાફાશ થયો છે કે કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરીએ કાવતરું રચીને કેતનને 350 ફૂટ ઊંડી ખાઈમાં ધકેલી દીધો હતો. આવતા મહિને જ જેમના લગ્ન થવાના હતા, તે કેતન અગ્રવાલના મોતનો આ કેસ હવે હત્યાની તપાસમાં ફેરવાઈ ગયો છે.1
- ગુજરાત રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી ધી એમજીએસ હાઈસ્કુલમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એસ. જે. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે ઉચ્ચ શિક્ષણ એ સફળતાની ચાવી છે, જેનાથી જીવનના દરેક પગલે ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. ડૉ. જોશીએ બાળકોને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરવાની શીખ આપી, ખાસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવવાના લક્ષ્યાંક રાખવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત, સંગીત અને કલા જેવા ક્ષેત્રોમાં પણ પોતાની પ્રતિભા ખીલવવા અને શાળામાં નિયમિત હાજરી જાળવી રાખવા વિનંતી કરી. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે, બાળકોને કચરો ન ફેલાવવા, વૃક્ષ વાવવા અને તેમને પાણી આપવા, વડીલો અને ગુરુજનોનું સન્માન કરવા, દેશના વિકાસમાં યોગદાન આપવા તેમજ નિયમિતપણે પુસ્તકો વાંચવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. આ અવસરે, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. જોશીએ વાલીઓને દર રવિવારે બાળકોને એક કલાક માટે શાળાની લાઇબ્રેરીમાં પુસ્તક વાંચન માટે મોકલવા અને દીકરીઓની માતાઓને તેમની દીકરીઓના અભ્યાસમાં વિશેષ કાળજી લેવા તેમજ પ્રગતિ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંત મહેતા, મંત્રી વીરેન્દ્ર મહેતા, સહ મંત્રી યોગેશ મહેતા, ખજાનચી મનોજભાઈ પરીખ, શાળાના આચાર્ય વી. એ. ચૌહાણ, સુપરવાઈઝર કે. એ. પુવાર, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારી સુજીતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.3
- વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામે એક ગેરકાયદેસર દારૂ કટીંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે રૂ. 29.03 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો, જેમાં લાખો રૂપિયાનો દારૂનો જથ્થો પણ સામેલ છે.1