Shuru
Apke Nagar Ki App…
હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ
Vijay Kumar Joshi
હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ
More news from Sabar Kantha and nearby areas
- હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ1
- ગઈકાલે સાંજે 5 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકા પંચાયતની ૬-ચિતરીયા બેઠકની સામાન્ય ચૂંટણી ભાજપના ઉમેદવાર લીનાબેન લક્ષ્મણસિંહ નિનામાના અવસાનને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ બેઠક માટે 26 એપ્રિલ, 2026ના રોજ મતદાન યોજાવાનું હતું, પરંતુ 17 એપ્રિલે તેમના નિધન બાદ ચૂંટણી પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી છે. ગુજરાત પંચાયત ચૂંટણી નિયમો 1994ના નિયમ 23 મુજબ વિજયનગરના ચૂંટણી અધિકારી દ્વારા સત્તાવાર આદેશ જારી કરવામાં આવ્યો છે. હવે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવા કાર્યક્રમની જાહેરાત થયા બાદ જ આ બેઠક માટે આગળની કાર્યવાહી હાથ ધરાશે.1
- Post by Swatantra media1
- Post by AZAJDHUKKA2
- Post by Gujarat crime news1
- પાટણ: શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'ઉડાન વિદ્યાલય' દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મનોરંજનના હેતુથી સાત દિવસીય વિશેષ શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સપ્તાહ દરમિયાન શાળાના પ્રાંગણમાં વિવિધ પ્રવૃત્તિઓ અને ઉત્સવોના માધ્યમથી શિક્ષણને આનંદદાયી બનાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાપ્તાહિક ઉજવણીના ભાગરૂપે શાળાના ભૂલકાઓ દ્વારા મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્પર્ધાઓ અને કલાત્મક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરાયું હતું. બાળકોમાં કુતૂહલ અને આનંદનો સંચાર કરવા માટે શાળામાં જાદુગરના ખેલ યોજવામાં આવ્યા હતા, જેમાં અવનવા જાદુઈ કરતબો જોઈને નાના બાળકો મંત્રમુગ્ધ બન્યા હતા. કાર્યક્રમના અંતિમ ચરણમાં, મંગળવારના રોજ નર્સરી તેમજ જુનિયર અને સિનિયર કે.જી.ના નાના બાળકો માટે એક શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંતર્ગત બાળકોને ચાણસ્મા તાલુકાના ઐતિહાસિક રૂપપુર ગામે આવેલ સુપ્રસિદ્ધ હરસિદ્ધિ માતાજીના મંદિરે લઈ જવામાં આવ્યા હતા. અહીં બાળકોએ ધાર્મિક સ્થાનના દર્શન કરવાની સાથે કુદરતી સાનિધ્યમાં આવેલા તળાવની મુલાકાત લીધી હતી. પ્રવાસ દરમિયાન શિસ્ત અને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ પ્રકૃતિ તથા પર્યટનનો ભરપૂર આનંદ માણ્યો હતો. શાળા દ્વારા આયોજિત આ બહુવિધ પ્રવૃત્તિઓનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને પુસ્તકીયા જ્ઞાનની સાથે વ્યવહારુ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો. પાટણ રિપોર્ટર વિજય વડલિયા2
- Post by Pankaj Parmar1
- પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પોશીના તાલુકાના છત્રાંગ ગામે ગેરકાયદે હથિયાર રાખવાના ગુનામાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન મળેલી બાતમીના આધારે પોશીના પોલીસે છત્રાંગ ગામે રહેતા મગનભાઈ હોમીરાભાઈ પરમારના મકાન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન તેમના નિવાસસ્થાનેથી લાયસન્સ વગરની દેશી બનાવટની સિંગલ બેરલ બંદૂક મળી આવી હતી. હથિયાર બાબતે કોઈ કાયદેસર પરવાનો ન મળી આવતા પોલીસે બંદૂક જપ્ત કરી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે તેમજ હથિયાર ક્યાંથી લાવવામાં આવ્યું તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે.1