logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_Pankaj Parmar
Pankaj Parmar
પાટણ, પાટણ, ગુજરાત•
2 hrs ago

More news from ગુજરાત and nearby areas
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે. મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.
    4
    દેવભૂમિ દ્વારકામાં નારી સુરક્ષાના નામે ધજાગરા ઉડાવતી એક કલંકિત ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં બદનામીના દાગ લાગ્યા છે. ઓખા મંડળના મીઠાપુર તાબેના સૂરજ કટારી વિસ્તારમાં રહેતી એક મહિલાએ આક્ષેપ કર્યો છે કે, વીરબાઈ રવાભા માણેક અને ચંપાબેન ગુમાનભા જામ નામની બે મહિલાઓએ કોઈ અંગત બાબતે તેને લાકડી તથા ધોકા વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે વિડીયો બનાવીને એમ પણ કહેવામાં આવ્યું કે તેને મારી નાખવા માટે દસ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

ફરિયાદી મહિલાએ દેવભૂમિ દ્વારકા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે કે, પોલીસે તેને મૃત જાહેર કરીને કેસને રફાતફા કરવાની કોશિશ કરી હતી. જીવના જોખમને કારણે પોતાનો જીવ બચાવવા માટે આ મહિલાને દેવભૂમિ દ્વારકા છોડીને પરિવાર સાથે મહેસાણા હિજરત કરવાની ફરજ પડી હતી, જ્યાં તેણે શરણાગતિ સ્વીકારી છે.

મહેસાણા ખાતે પ્રેસ મીડિયામાં રજૂઆત કરતા, ફરિયાદીની માંગ છે કે કોર્ટમાં ચાલી રહેલો કેસ ઝડપથી ચાલે, ખૂટતા પુરાવા તથા સાચી માહિતીની તપાસ કરવામાં આવે અને તેને ન્યાય મળે. મહિલાએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેની ન્યાયની માંગ સંતોષાશે નહીં તો તે આત્મવિલોપન કરશે.
    user_Bhavin Bhavsar Reporter
    Bhavin Bhavsar Reporter
    Satellite Communication Services Provider મહેસાણા, મહેસાણા, ગુજરાત•
    2 hrs ago
  • ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ કાઢી રહ્યા છે અને તેમને મુક્ત કરવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. આ જ કડીમાં, કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ પાસે AAP દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય સાત લોકો સહિત કુલ નવ વ્યક્તિઓને સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ યોજાઈ હતી. આ રેલીમાં AAP પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભા બેઠકના સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી, પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા AAP પ્રમુખ રમેશ ઠાકોર, ઓગડ તાલુકા AAP પ્રમુખ જેઠુભા વાઘેલા, પ્રભારી દિનેશ ઠાકોર, સંગઠન મંત્રી પિન્ટુભા વાઘેલા, ભારતસિંહ જાદવ, ઓગડ કિસાન મોરચાના નરેશભાઈ ચૌધરી, લીગલ સેલના અશ્વિનસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા યુવા પ્રમુખ ભરતભાઈ ઠાકોર સહિત AAPના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રેલી પાટણ નાળા પાસેના શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી શરૂ થઈ મેઈન બજાર થઈને શિહોરી બસ સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી, જ્યાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ રેલી દરમિયાન 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી', 'હાય રે ભાજપ હાય', 'ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' અને 'ભારત માતા કી જય' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બે વર્ષ પહેલાં ચૈતર વસાવાના મતવિસ્તારમાં ખેડૂતોના ઉભા પાકને સાધન દ્વારા નુકશાન પહોંચાડવામાં આવતા શરૂ થયો હતો. તે સમયે ખેડૂતોએ ચૈતર વસાવાને જાણ કરતા, ખેડૂતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવ બાદ ચૈતર વસાવા ઉપર મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પરિણામે તાજેતરમાં તેમને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. પાટણ અને બનાસકાંઠા જિલ્લા સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કાંકરેજ તાલુકામાં યોજાયેલી આ રેલીના અનુસંધાનમાં આગામી દિવસોમાં પણ દરેક તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના વોર્ડમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    4
    ગુજરાત રાજ્યમાં આમ આદમી પાર્ટી (AAP) અને આદિવાસી સમાજ ચૈતર વસાવાના સમર્થનમાં ઠેર ઠેર રેલીઓ કાઢી રહ્યા છે અને તેમને મુક્ત કરવાની પ્રબળ માંગ કરી રહ્યા છે. આ જ કડીમાં, કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલા શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુ પાસે AAP દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ચૈતર વસાવા, તેમના પત્ની અને અન્ય સાત લોકો સહિત કુલ નવ વ્યક્તિઓને સેશન્સ કોર્ટ દ્વારા સાત વર્ષની સજા ફટકારવામાં આવ્યા બાદ યોજાઈ હતી.

આ રેલીમાં AAP પાટણ લોકસભા અને બનાસકાંઠા લોકસભા બેઠકના સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકી, પાટણ લોકસભા ઉપાધ્યક્ષ મુકેશભાઈ ઠક્કર, કાંકરેજ તાલુકા AAP પ્રમુખ રમેશ ઠાકોર, ઓગડ તાલુકા AAP પ્રમુખ જેઠુભા વાઘેલા, પ્રભારી દિનેશ ઠાકોર, સંગઠન મંત્રી પિન્ટુભા વાઘેલા, ભારતસિંહ જાદવ, ઓગડ કિસાન મોરચાના નરેશભાઈ ચૌધરી, લીગલ સેલના અશ્વિનસિંહ સોલંકી, કાંકરેજ તાલુકા યુવા પ્રમુખ ભરતભાઈ ઠાકોર સહિત AAPના અનેક પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રેલી પાટણ નાળા પાસેના શ્રી વાદળી ગૌ માતાના સ્ટેચ્યુથી શરૂ થઈ મેઈન બજાર થઈને શિહોરી બસ સ્ટેશન સુધી કાઢવામાં આવી હતી, જ્યાં સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

આ રેલી દરમિયાન 'ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી', 'હાય રે ભાજપ હાય', 'ચૈતરભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ' અને 'ભારત માતા કી જય' જેવા નારા લગાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ બે વર્ષ પહેલાં ચૈતર વસાવાના મતવિસ્તારમાં ખેડૂતોના ઉભા પાકને સાધન દ્વારા નુકશાન પહોંચાડવામાં આવતા શરૂ થયો હતો. તે સમયે ખેડૂતોએ ચૈતર વસાવાને જાણ કરતા, ખેડૂતો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બનાવ બાદ ચૈતર વસાવા ઉપર મારામારી અને ધમકી આપવાની ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પરિણામે તાજેતરમાં તેમને કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે.

પાટણ અને બનાસકાંઠા જિલ્લા સંગઠન મંત્રી પ્રભાતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કાંકરેજ તાલુકામાં યોજાયેલી આ રેલીના અનુસંધાનમાં આગામી દિવસોમાં પણ દરેક તાલુકા, જિલ્લા અને નગરપાલિકાના વોર્ડમાં ચૈતર વસાવાના સમર્થનમાં રેલીઓ યોજીને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.
    user_Mansinh chauhan kankrej
    Mansinh chauhan kankrej
    કાંકરેજ, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • મહેસાણા LCBને પ્રોહિબિશનની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે, જ્યાં કટોસણ ગામમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹3,28,536 આંકવામાં આવી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના આધારે મહેસાણા LCB દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને બાતમી મળી હતી કે કટોસણ ગામના ઠુકડો દરબાર વાસમાં રહેતો ઝાલા મહાવીરસિંહ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખે છે. આ બાતમીના આધારે PSI બી.એ. પરમાર, અ.હે.કો. પ્રદીપકુમાર, સંજયકુમાર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસને ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 28 પેટીઓ મળી આવી હતી, જેમાં 1056 બોટલો હતી. આ દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ₹5000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) અને 116 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    2
    મહેસાણા LCBને પ્રોહિબિશનની કાર્યવાહીમાં મોટી સફળતા મળી છે, જ્યાં કટોસણ ગામમાં એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા દારૂની કિંમત ₹3,28,536 આંકવામાં આવી છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની સૂચનાના આધારે મહેસાણા LCB દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. કામળીયાને બાતમી મળી હતી કે કટોસણ ગામના ઠુકડો દરબાર વાસમાં રહેતો ઝાલા મહાવીરસિંહ પોતાના મકાનમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો રાખે છે. આ બાતમીના આધારે PSI બી.એ. પરમાર, અ.હે.કો. પ્રદીપકુમાર, સંજયકુમાર સહિતની ટીમે દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન, પોલીસને ઘરમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 28 પેટીઓ મળી આવી હતી, જેમાં 1056 બોટલો હતી. આ દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે ₹5000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ કબજે કર્યો હતો. આરોપી ઝાલા મહાવીરસિંહ ઉર્ફે અનુભા છનુભા વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ) અને 116 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    user_Radhika bhavsar
    Radhika bhavsar
    Digital Marketing Specialist Mahesana, Gujarat•
    22 hrs ago
  • Post by Thakor Bharat
    1
    Post by Thakor Bharat
    user_Thakor Bharat
    Thakor Bharat
    Livestock Farmer દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ઘરે ધસી આવેલા હુમલાખોરોએ યુવક અને તેના માતા-પિતાને માર માર્યો હતો, જ્યારે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતા, કાકા સહિત કુલ 13 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે તેમના કોર્ટ મેરેજથી નારાજ થઈને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ પીડિત પરિવારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    4
    બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમ લગ્ન કરનાર એક યુગલ પર યુવતીના પિયર પક્ષ દ્વારા મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં યુવકના ઘરે ધસી આવેલા હુમલાખોરોએ યુવક અને તેના માતા-પિતાને માર માર્યો હતો, જ્યારે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના પિતા, કાકા સહિત કુલ 13 જેટલા લોકોએ આ હુમલો કર્યો હતો. યુવતીના પરિવારે તેમના કોર્ટ મેરેજથી નારાજ થઈને આ કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ પીડિત પરિવારે 112 નંબર પર ફોન કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને હુમલામાં ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે દિયોદર પોલીસ મથકે ગુન્હો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    user_Merajung News
    Merajung News
    Journalist દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
  • Post by Pankaj Parmar
    1
    Post by Pankaj Parmar
    user_Pankaj Parmar
    Pankaj Parmar
    પાટણ, પાટણ, ગુજરાત•
    2 hrs ago
  • બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમલગ્નને લઈને એક ગંભીર ઘટના બની છે, જ્યાં યુવતીના પિયર પક્ષના લોકોએ મોડી રાત્રે યુવકના ઘર પર હુમલો કરી યુવક અને તેના પિતાને માર મારી યુવતીનું અપહરણ કર્યું છે. આ મામલે દિયોદર પોલીસ મથકે બે નામજોગ અને ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. ૨૬ વર્ષીય બકુલ સાંખલા નામના યુવકે મોરથલ ગામની કોમલ નામની યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સગપણ ન થતા, તેઓ ૧૧ મેના રોજ ઘરેથી નીકળી અમદાવાદ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ ભાભર પોલીસ મથકે હાજર થઈ જવાબ આપી બકુલ તેની પત્ની કોમલ સાથે તેના પરિવારજનો સાથે રહેતો હતો. પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિયર પક્ષના લોકોએ ગત રાત્રે આશરે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરી, ધોકા, લાકડી, હથોડો અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે બકુલના ઘર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બકુલના માતા-પિતાને ખાટલા પરથી ઊભા થવા દીધા નહોતા. રૂમનો દરવાજો તોડી બકુલ સાંખલાને માર મારી તેની પત્ની કોમલને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા. આ હુમલામાં બકુલના પિતા કસ્તુરભાઈ માનાભાઈ સાંખલાને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમની નાકની નકોરી તૂટી ગઈ હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત બકુલે તાત્કાલિક ૧૧૨ પર મદદ માટે ફોન કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બકુલ અને તેના પિતાને સારવાર માટે દિયોદર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે બકુલે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પિતા નરશીભાઈ સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) અને તેના કાકા ગોરધનજી સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) સહિત ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી બકુલ સાંખલાએ જણાવ્યું કે, મોડી રાત્રે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરીને આવેલું ટોળું તેમના રૂમનો દરવાજો તોડી તેને પીઠ પાછળ માર મારી તેની પત્નીને બળજબરીપૂર્વક લઈ ગયું હતું. તેણે પોલીસ પાસે તેની પત્નીને સહી સલામત પાછી લાવવાની માંગ કરી છે. બુકાની પહેરીને આવેલા ટોળાએ પરિવારને ધમકાવતા પરિવાર કોઈની મદદ લઈ શક્યો ન હતો.
    3
    બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લુદરા ગામે પ્રેમલગ્નને લઈને એક ગંભીર ઘટના બની છે, જ્યાં યુવતીના પિયર પક્ષના લોકોએ મોડી રાત્રે યુવકના ઘર પર હુમલો કરી યુવક અને તેના પિતાને માર મારી યુવતીનું અપહરણ કર્યું છે. આ મામલે દિયોદર પોલીસ મથકે બે નામજોગ અને ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

૨૬ વર્ષીય બકુલ સાંખલા નામના યુવકે મોરથલ ગામની કોમલ નામની યુવતી સાથે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો. સગપણ ન થતા, તેઓ ૧૧ મેના રોજ ઘરેથી નીકળી અમદાવાદ ખાતે કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદ ભાભર પોલીસ મથકે હાજર થઈ જવાબ આપી બકુલ તેની પત્ની કોમલ સાથે તેના પરિવારજનો સાથે રહેતો હતો. પ્રેમલગ્નથી નારાજ યુવતીના પિયર પક્ષના લોકોએ ગત રાત્રે આશરે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરી, ધોકા, લાકડી, હથોડો અને તલવાર જેવા ઘાતક હથિયારો સાથે બકુલના ઘર પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ ઘરનો દરવાજો તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને બકુલના માતા-પિતાને ખાટલા પરથી ઊભા થવા દીધા નહોતા. રૂમનો દરવાજો તોડી બકુલ સાંખલાને માર મારી તેની પત્ની કોમલને જબરદસ્તીથી ઉઠાવી ગયા હતા.

આ હુમલામાં બકુલના પિતા કસ્તુરભાઈ માનાભાઈ સાંખલાને ઢોર માર મારવામાં આવ્યો હતો, જેમાં તેમની નાકની નકોરી તૂટી ગઈ હતી અને તેઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત બકુલે તાત્કાલિક ૧૧૨ પર મદદ માટે ફોન કરતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બકુલ અને તેના પિતાને સારવાર માટે દિયોદર સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે બકુલે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતીના પિતા નરશીભાઈ સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) અને તેના કાકા ગોરધનજી સવદાંનજી માળી (રહે. મોરથલ, તા. રાધનપુર) સહિત ૧૧ અજાણ્યા ઇસમો વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદી બકુલ સાંખલાએ જણાવ્યું કે, મોડી રાત્રે ૩ વાગ્યે મોઢા પર બુકાની પહેરીને આવેલું ટોળું તેમના રૂમનો દરવાજો તોડી તેને પીઠ પાછળ માર મારી તેની પત્નીને બળજબરીપૂર્વક લઈ ગયું હતું. તેણે પોલીસ પાસે તેની પત્નીને સહી સલામત પાછી લાવવાની માંગ કરી છે. બુકાની પહેરીને આવેલા ટોળાએ પરિવારને ધમકાવતા પરિવાર કોઈની મદદ લઈ શક્યો ન હતો.
    user_Jagdish soni
    Jagdish soni
    પત્રકાર દેઓદર, બનાસકાંઠા, ગુજરાત•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.