દિયોદરના અરવિંદ ઠાકોરે હાફ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી તાલુકાનું ગૌરવ વધાર્યું મુલકપુર ગામના યુવાને અમદાવાદમાં યોજાયેલી મેરેથોન સ્પર્ધામાં 5 કિ.મી. દોડમાં બીજો ક્રમ મેળવી નોંધાવી આગવી સિદ્ધિ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મુલકપુર ગામના યુવાન અરવિંદભાઈ ઠાકોરે હાફ મેરેથોન સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે વલ્લભ સદન નજીક આવેલા સરસ્વતી રિવરસાઇડ વિસ્તારમાં યોજાયેલી આ મેરેથોન સ્પર્ધામાં અનેક ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેરેથોનમાં 5 કિ.મી., 10 કિ.મી. અને 21 કિ.મી. એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા એથ્લેટિક્સ ખેલાડીઓએ પોતાની શક્તિ અજમાવી હતી. આ કઠિન સ્પર્ધામાં દિયોદર તાલુકાના મુલકપુર ગામના યુવાન અરવિંદભાઈ ઠાકોરે 5 કિ.મી. દોડમાં ઉત્તમ દોડ લગાવી બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અરવિંદભાઈ હાલમાં જી.વી. વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાવ-થરાદ (દિયોદર) ખાતે અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ સાથે તેઓ ખેલકૂદ ક્ષેત્રે પણ સતત મહેનત કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિથી પરિવારજનોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. અરવિંદભાઈની આ સફળતા બાદ તેમના પરિવારજનો, મિત્રો, ગામજનો તેમજ વિસ્તારના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ સિદ્ધિથી દિયોદર તાલુકા તેમજ મુલકપુર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આવી સિદ્ધિઓ ગામડાના યુવાનો માટે પ્રેરણારૂપ બનતી હોય છે અને ખેલકૂદ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. અહેવાલ અનુપ ઠાકોર દિયોદર
દિયોદરના અરવિંદ ઠાકોરે હાફ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી તાલુકાનું ગૌરવ વધાર્યું મુલકપુર ગામના યુવાને અમદાવાદમાં યોજાયેલી મેરેથોન સ્પર્ધામાં 5 કિ.મી. દોડમાં બીજો ક્રમ મેળવી નોંધાવી આગવી સિદ્ધિ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મુલકપુર ગામના યુવાન અરવિંદભાઈ ઠાકોરે હાફ મેરેથોન સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવી તાલુકાનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ ખાતે વલ્લભ સદન નજીક આવેલા સરસ્વતી રિવરસાઇડ વિસ્તારમાં યોજાયેલી આ મેરેથોન સ્પર્ધામાં અનેક ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ મેરેથોનમાં 5 કિ.મી., 10 કિ.મી. અને 21 કિ.મી. એમ ત્રણ અલગ-અલગ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાંથી આવેલા એથ્લેટિક્સ ખેલાડીઓએ પોતાની શક્તિ અજમાવી હતી. આ કઠિન સ્પર્ધામાં દિયોદર તાલુકાના મુલકપુર ગામના યુવાન અરવિંદભાઈ ઠાકોરે 5 કિ.મી. દોડમાં ઉત્તમ દોડ લગાવી બીજા ક્રમે રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. અરવિંદભાઈ હાલમાં જી.વી. વાઘેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વાવ-થરાદ (દિયોદર) ખાતે અભ્યાસ કરી રહ્યા છે. અભ્યાસ સાથે તેઓ ખેલકૂદ ક્ષેત્રે પણ સતત મહેનત કરી રહ્યા છે. તેમની આ સિદ્ધિથી પરિવારજનોમાં ગર્વની લાગણી જોવા મળી રહી છે. અરવિંદભાઈની આ સફળતા બાદ તેમના પરિવારજનો, મિત્રો, ગામજનો તેમજ વિસ્તારના આગેવાનો દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમની આ સિદ્ધિથી દિયોદર તાલુકા તેમજ મુલકપુર ગામમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. આવી સિદ્ધિઓ ગામડાના યુવાનો માટે પ્રેરણારૂપ બનતી હોય છે અને ખેલકૂદ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. અહેવાલ અનુપ ઠાકોર દિયોદર
- દિયોદર ગ્રામ પંચાયત દ્વારા મારું ગામ સ્વચ્છ ગામ અંતગર્ત શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી ક્રમ મંત્રી જયંતીભાઈ પ્રજાપતિ ની સૂચના મુજબ દિયોદર શહેરના રસ્તાઓ ની સફાઈ અંગે ની કામગીરી નું આયોજન કરવામાં આવ્યું છે સફાઈ મશીન દ્વારા આ સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવશે જેથી આવનાર સમયમાં દિયોદર શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરે પૂરી તકેદારી રાખી શકાય1
- Post by Vaghela Janak4
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- શુભમ પાર્ટી પ્લોટ સામે ક્રિષ્ના વુડ વર્કસ ની બાજુમાં લાગી આગ ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે આવતા આગને કાબુમાં લેવામાં આવી1
- Post by Nationgujarat.com1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 10/3/26, મંગળવાર1
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- ભાભર તાલુકાના અબાસણા ગામના ગુમ યુવક ની કેનાલ માંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ ની વિગત એવી છે કે ભાભર તાલુકાના અબાસણા ગામના જગદીશ ઠાકોર નામનો યુવક 5 માર્ચ ના રોજ ઘરે થી નીકળી ગયો હતો પરત ઘરે ના ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જે અંગે ભાભર પોલીસ મથકે યુવકના પિતાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ગુમ યુવકની લાશ સોમવાર ના રોજ કેનાલ માંથી મળી આવતા લાશ ને પી એમ અર્થ ભાભર સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી જ્યાં પી એમ કર્યા બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જો કે પરિવારે મૃતક યુવક ના પરિવારે હત્યા નો આક્ષેપ કર્યો છે1