પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે હાઈકોર્ટમાં અરજી – જિલ્લા પંચાયતની ચૂંટણી અરજીના અંતિમ નિર્ણયને આધીન રહેશે તા.: 11/03/2026 સ્થળ: ભુજ, કચ્છ કચ્છ જિલ્લા પંચાયત હેઠળ આવતી પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈને પાન્ધ્રો ગામના રહેવાસીઓ દ્વારા અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે જિલ્લા પંચાયતની પાન્ધ્રો બેઠક માટે અમલમાં મુકાયેલ રોટેશન પ્રક્રિયા કાયદેસર જોગવાઈઓ અને નક્કી કરાયેલા માપદંડો મુજબ કરવામાં આવી નથી. અરજદારોના જણાવ્યા મુજબ પંચાયત બેઠકોના રોટેશન માટે નક્કી કરાયેલ કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન ન થવાને કારણે પાન્ધ્રો વિસ્તારના મતદારોના હિતોને અસર થવાની સંભાવના ઊભી થઈ છે. આ મુદ્દે ન્યાય મેળવવા માટે પાન્ધ્રો ગામના રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજીની પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ જારી કરી છે. સાથે જ હાઈકોર્ટે નોંધ્યું છે કે જો આ દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે, તો તે આ અરજીના અંતિમ પરિણામને આધીન રહેશે. આ અરજી પાન્ધ્રો વિસ્તારના રહેવાસી શંકરસિંહ દેવાજી જાડેજા, મગાજી ગાજાજી સોઢા અને મહેન્દ્રસિંહ રાણાજી જાડેજા દ્વારા કરવામાં આવી છે. અરજદારો તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ અવિનાશ રામજી ઠક્કર તથા એડવોકેટ શિવાંગ એ. ઠક્કર દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે ભુજના એડવોકેટ ગુણવંતસિંહ ડી. સોઢા દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ મામલે આગામી સુનાવણી દરમિયાન સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી જવાબ રજૂ થવાની સંભાવના છે, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે. બિડાણ: તા. 11/03/2026 નો ઓરલ ઓર્ડર. રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ તા લખપત
પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે હાઈકોર્ટમાં અરજી – જિલ્લા પંચાયતની ચૂંટણી અરજીના અંતિમ નિર્ણયને આધીન રહેશે તા.: 11/03/2026 સ્થળ: ભુજ, કચ્છ કચ્છ જિલ્લા પંચાયત હેઠળ આવતી પાન્ધ્રો બેઠકના રોટેશન મુદ્દે ઉભા થયેલા વિવાદને લઈને પાન્ધ્રો ગામના રહેવાસીઓ દ્વારા અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારોનું કહેવું છે કે જિલ્લા પંચાયતની પાન્ધ્રો બેઠક માટે અમલમાં મુકાયેલ રોટેશન પ્રક્રિયા
કાયદેસર જોગવાઈઓ અને નક્કી કરાયેલા માપદંડો મુજબ કરવામાં આવી નથી. અરજદારોના જણાવ્યા મુજબ પંચાયત બેઠકોના રોટેશન માટે નક્કી કરાયેલ કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય પાલન ન થવાને કારણે પાન્ધ્રો વિસ્તારના મતદારોના હિતોને અસર થવાની સંભાવના ઊભી થઈ છે. આ મુદ્દે ન્યાય મેળવવા માટે પાન્ધ્રો ગામના રહેવાસીઓએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. આ અરજીની પ્રાથમિક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને નોટિસ
જારી કરી છે. સાથે જ હાઈકોર્ટે નોંધ્યું છે કે જો આ દરમ્યાન કચ્છ જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાશે, તો તે આ અરજીના અંતિમ પરિણામને આધીન રહેશે. આ અરજી પાન્ધ્રો વિસ્તારના રહેવાસી શંકરસિંહ દેવાજી જાડેજા, મગાજી ગાજાજી સોઢા અને મહેન્દ્રસિંહ રાણાજી જાડેજા દ્વારા કરવામાં આવી છે. અરજદારો તરફથી હાઈકોર્ટમાં એડવોકેટ અવિનાશ રામજી ઠક્કર તથા એડવોકેટ શિવાંગ એ. ઠક્કર દ્વારા
દલીલો રજૂ કરવામાં આવી હતી. જ્યારે આ મામલે ભુજના એડવોકેટ ગુણવંતસિંહ ડી. સોઢા દ્વારા અમદાવાદ હાઈકોર્ટમાં વકીલ તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ મામલે આગામી સુનાવણી દરમિયાન સરકાર તથા સંબંધિત સત્તાધિકારીઓ તરફથી જવાબ રજૂ થવાની સંભાવના છે, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા આગળનો નિર્ણય લેવામાં આવશે. બિડાણ: તા. 11/03/2026 નો ઓરલ ઓર્ડર. રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ કેર ટીવી ન્યુઝ તા લખપત
- Post by Kartik parmar1
- સુરતના વેસુ વિસ્તારમાં આવેલ અભિષેક સોમેશ્વર એન્કેલ નજીક અકસ્માતની ઘટના.કારચાલક ફુલ સ્પીડમાં હોવાનો અનુમાન. વેસુ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળ આવી વધુ તપાસ હાથ ધરાઈ છે.1
- Post by Vaghela Janak3
- વાવ- થરાદ જિલ્લાના થરાદ ખાતે LPG ગેસ સિલિન્ડરની અછત અને કથિત કાળા બજારના વિરોધમાં મહિલા કોંગ્રેસ દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થરાદ શહેરમાં કોંગ્રેસ કાર્યાલય નજીક મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓ અને કોંગ્રેસના નેતાઓએ એકત્રિત થઈને મુખ્ય બજાર વિસ્તારમાં આવેલા હાઈવે પર રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર પર અસર જોવા મળી હતી. વિરોધ દરમિયાન મહિલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં તેમજ વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડરની અછત સર્જાઈ છે અને સામાન્ય લોકોને ગેસ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે. સાથે જ કેટલાક સ્થળોએ ગેસ સિલિન્ડરની કાળા બજારી થતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા પોલીસ તંત્ર દ્વારા સ્થિતિ નિયંત્રણમાં લેવા માટે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પર પહોંચી વિરોધ કરી રહેલી પાંચ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃ શરૂ કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં થોડા સમય માટે તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું, પરંતુ પોલીસ દ્વારા સમયસર પગલાં લેવામાં આવતા સ્થિતિ ફરી સામાન્ય બની હતી.5
- દિયોદર તેરવાડા કેનાલમાં આજે કોઈ મહિલાએ પોતાના બાળક સાથે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા ના પગલે સ્થાનિક તરવૈયા દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી જેમાં આજુ બાજુ વિસ્તારમાંથી લોકો કેનાલ પર દોડી આવ્યા હતા મહિલા કોણ છે તેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી1
- Post by Sultan Chauhan1
- દીપેશ ત્રિપાઠી આત્મહત્યા કેસમાં પોલીસ તપાસ દરમિયાન વધુ એક મહત્વપૂર્ણ ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છ એલસીબીના પીઆઇ જે.એમ.વાળા, પીએસઆઇ ડી.જી.પટેલ તથા એલ.સી.બી. સ્ટાફનીટીમે વ્યાજખોર તરીકે ઓળખાતા દર્શન બળવંત ઠક્કરને અમદાવાદમાંથી ઝડપી પાડયો છે. પોલીસ દ્વારા કેસની તપાસ આગળ વધારતા અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધી પોલીસે એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ કેસમાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ પણ ચાલુ છે અને પુરાવાના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ યથાવત રાખી છે. આરોપીઓને પકડવા આદિપુર પોલીસ અને LCB ની ટીમ સંયુક્ત રીતે કામ કરી રહી છે.1
- Post by Vaghela Janak4
- રાજ્ય સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરતા વધુ ૪ ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.1