*ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મીટીંગ યોજાઈ* આજરોજ ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ડૉ.તુષારભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ સોલંકી પ્રભારીશ્રીઓ બાબુભાઈ, અમિતભાઈ, કનુભાઈ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર્તાશ્રીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ રાવલ અનિલભાઈ વણઝારા નયનભાઈ મોદી ભારતીબેન વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના મંત્રી મિતેશભાઇ દિનેશભાઈ વણઝારા વિક્રમભાઈ વણઝારા મયુરભાઈ વણઝારા અને તેમની ટીમ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ હતી ઉપરાંત આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેરના એસ.સી. સેલના પૂર્વ પ્રમુખ જૈમીનભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ પોતાના પક્ષને અલવિદા કહી કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તમામ કાર્યકરોનું ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી સાહેબ અને શહેર કોંગ્રેસ સમિતિમાં જોડાવા બદલ અમિત શર્માએ વિશેષ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બારોટ રસિકભાઈ પરમાર અરવિંદભાઈ બુંબડીયા, ભવાનસિંહજી વાઘેલા, લાલાભાઇ ભાવસાર ભીખાજી ઝાલાજી ખાંટ ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ કોઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સંગઠન વિશેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો *પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
*ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારીની મીટીંગ યોજાઈ* આજરોજ ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાશ્રી ડૉ.તુષારભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં ખેડબ્રહ્મા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કારોબારી સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી રામભાઈ સોલંકી પ્રભારીશ્રીઓ બાબુભાઈ, અમિતભાઈ, કનુભાઈ તેમજ ખેડબ્રહ્મા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભમરસિંહ ચંદાવત ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અમિત શર્મા ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાન કાર્યકર્તાશ્રીઓ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના કોર્પોરેટરશ્રી ગોપાલભાઈ રાવલ અનિલભાઈ વણઝારા નયનભાઈ મોદી ભારતીબેન વ્યાસ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત ભાજપ યુવા મોરચાના મંત્રી મિતેશભાઇ દિનેશભાઈ વણઝારા વિક્રમભાઈ વણઝારા મયુરભાઈ વણઝારા અને તેમની ટીમ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષમાં જોડાઈ હતી ઉપરાંત આમ આદમી પાર્ટીના ખેડબ્રહ્મા શહેરના
એસ.સી. સેલના પૂર્વ પ્રમુખ જૈમીનભાઈ મકવાણા સહિતના કાર્યકરોએ પોતાના પક્ષને અલવિદા કહી કોંગ્રેસ પક્ષની વિચારધારા સ્વીકારી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તમામ કાર્યકરોનું ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષારભાઈ ચૌધરી સાહેબ, સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી સાહેબ અને શહેર કોંગ્રેસ સમિતિમાં જોડાવા બદલ અમિત શર્માએ વિશેષ સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ પ્રકાશભાઈ બારોટ રસિકભાઈ પરમાર અરવિંદભાઈ બુંબડીયા, ભવાનસિંહજી વાઘેલા, લાલાભાઇ ભાવસાર ભીખાજી ઝાલાજી ખાંટ ઉપરાંત તાલુકા કોંગ્રેસ સમિતિના સૌ કોઈ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સંગઠન વિશેની વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રકાશભાઈ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ થયેલો જાહેર કરવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌનો આભાર માનવામાં આવ્યો હતો *પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*
- *સાબરકાંઠાના વડાલી ખાતે કપાસની આડમાં ગાંજા નું વાવેતર વડાલી પોલીસે 67 છોડ સાથે 8.25 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો* વડાલી પોલીસની કાર્યવાહી: 16.5 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપી ઝડપાયો વડાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કપાસના ખેતરમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે કાર્યવાહી કરી લીલા ગાંજાના 67 છોડ, કુલ વજન 16.500 કિલોગ્રામ અને અંદાજિત કિંમત રૂ. 8,25,000ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસની પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે વડાલી ગામની સીમમાં નટુભાઈ હરિભાઈ પટેલના માલિકીના ખાતા નં. 5216 તથા સર્વે નં. 1427માં આવેલા કપાસના વાવેતરવાળા ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ખેતમજૂર તરીકે કામ કરતા સજીભાઈ બાબુભાઈ પારઘી (ઉંમર 27 વર્ષ), મૂળ રહે. ગૌઉપીપળા, તા. કોટડા છાવણી, જી. ઉદેપુર (રાજસ્થાન), હાલ રહે. નટુભાઈ હરિભાઈ પટેલના કૂવા ઉપર, વડાલી ગામ દ્વારા કપાસના પાકની આડમાં ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. દરોડા દરમિયાન ગાંજાના 67 લીલા છોડ મળી આવતા પોલીસે કુલ રૂ. 8.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે આરોપી વિરુદ્ધ NDPS એક્ટની કલમ 8(C) તથા 20(a)(i) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી વડાલી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ PSI જી.બી. પરમાર સહિત પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. *પ્રતિનિધિ ફઝલભાઈ મેમણ સાબરકાંઠા*1
- MRTCની આગામી ચૂંટણી ને લઇ “વિશ્વાસ પેનલ”નું ભવ્ય સ્નેહમિલન! સભાસદોનો જનસેલાબ ઉમટ્યો MRTCની આગામી ચૂંટણી ને લઇ “વિશ્વાસ પેનલ”નું ભવ્ય સ્નેહમિલન! સભાસદોનો જનસેલાબ ઉમટ્યો સાજીદભાઈ ખાનજીના નેતૃત્વ હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મોડાસા, મેઘરજ, ટીંટોઈ, ગાબટ, સાઠંબા સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સભાસદો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.1
- પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે ધડાકેભર અથડાતા અકસ્માત સર્જાયો. ધનસુરા - દહેગામ હાઈવે રોડ ઉપર આવેલ પાંચ કુહાડા સ્ટેન્ડ નજીક વળાંકમાં મોડાસા થી અમદાવાદ જતી બસ નું સ્ટેરીંગ અચાનક લોક થઈ જતા બસ ડીવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બસમાં બેસેલ મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોચતા 108 ને સ્થાનિકો દ્વારા ફોન કરતા ઘાયલ મુસાફરોને 108 મારફતે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા.બસ ડ્રાઈવર તેમજ ત્યાં ઉભેલા લોકો ને જણાવ્યાનુસાર અચાનક બસનું સ્ટેરીંગ લોક થઈ જતા ડીવાઈડર સાથે અથડાઈ ગઈ હતી.બસમાં બેસેલા 5 થી 6 મુસાફરો ને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.1
- Post by Gujarat headlines1
- મહેસાણા મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા 3 આગળવાડી રિપેરિંગ. ના 2.50.000 પાસ થયા હતા 1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે તથા GST વગર ના છે અને 15માં નાણાપંચના 12 લાખ ઉપાડ્યા છે એમાં 8 લાખ નું કામ દેખાય છે અને મરઘા ફોર્મ બનાયા વગર જ 1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી.. 2 લાખ ના બીલ GST વગર છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે મહેસાણા મહેસાણા તાલુકાના ટુંડાલી ગ્રામ પંચાયત ખાતે ભ્રષ્ટાચારના આક્ષેપો આંગણવાડી તથા મરઘા ફાર્મ ના વિષય ઉપર મોટો ભ્રષ્ટાચાર કર્યો હોય તે બાબતે લેખિત રજૂઆતો સાથે ગામના લોકો મહેસાણા તાલુકા પંચાયત ખાતે આવી પહોંચ્યા હતા ટુંડાલી ગામ પંચાયતના ભ્રષ્ટાચાર ના આક્ષેપો સાથે ગામના આગેવાનો દ્વારા મહેસાણા તાલુકા પંચાયત કચેરી ખાતે મહેસાણા તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મુલાકાત અને પોતાની રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા મહેસાણા તાલુકાના ટુંડાલી ગામ પંચાયત દ્વારા 3 આગળવાડી રિપેરિંગ. ના 2.50.000 પાસ થયા હતા 1 નો કામ કરી ને વાઉચર પર પૈસા ઉપાડ્યા છે તથા GST વગર ના છે અને 15માં નાણાપંચના 12 લાખ ઉપાડ્યા છે એમાં 8 લાખ નું કામ દેખાય છે અને મરઘા ફોર્મ બનાયા વગર જ 1.80.000 ઉપાડ્યા છે મરઘા ફાર્મ નું કામ ગામમાં કોય જગ્યાએ થયેલું નથી.. 2 લાખ ના બીલ GST વગર છે જેવા અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે3
- વિરપુર એપીએમસી હોલ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાએ કાર્યક્રમ યોજાયો.. મહિસાગર જીલ્લાના વિરપુર ખાતે આવેલ એપીએમસીના હોલ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સ્થાનિક આગેવાનો, કાર્યકરો અને હિન્દુ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગામે ગામ હનુમાન ચાલીસા કેન્દ્રો સ્થાપી હિન્દુ સમાજને એક કરવાનો હતો. સાથે જ ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારવાનો પણ હેતુ હતો. ડૉ. તોગડિયાએ કાર્યકરોને વધુમાં વધુ ગામોમાં નિયમિત હનુમાન ચાલીસા પાઠના કેન્દ્રો શરૂ કરવા અનુરોધ કર્યો હતો આ પ્રસંગે તેમણે હિન્દુ સમાજની એકતા, સંગઠન, પરસ્પર સહયોગ અને સેવાકીય પ્રવૃત્તિઓ વધારવા પર ભાર મૂક્યો. તેમણે જરૂરિયાતમંદ પરિવારો સુધી સેવા પહોંચાડવા અને યુવાનોને ધાર્મિક તથા સામાજિક સેવાકાર્યો સાથે જોડવા અંગે પણ માર્ગદર્શન આપ્યું.કાર્યક્રમ દરમિયાન ડૉ. તોગડિયાએ દેશમાં વધી રહેલા બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને મોટાપા જેવી આરોગ્ય સમસ્યાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે આવી સમસ્યાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે ‘હિન્દુ હેલ્પલાઇન’ની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે પણ માહિતી આપી. ડૉ. તોગડિયાની વિરપુરની મુલાકાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો. આ કાર્યક્રમમાં વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા... રીપોર્ટર- વિપુલ જોષી મોં -૯૯૨૫૬૬૯૫૩૫3
- હિંમતનગર તાલુકા-શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વેપારીઓ અને સામાન્ય પ્રજાને UPI નામે લુટનુ આયોજન કરતી ભાજપ સરકારના વિરોધમાં UPI charges પરત લેવાને લઇને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.1
- મિત્રો અને મારા ભાઈ ઓ આવી મદત કરતા રેજો તમારો ખૂબ ખૂબ આભાર જય માતાજી મદત કરતા રેજો ભાઈ ઓ જે મદત થાય એ માઁ ચામુંડા હરપલ ખુશ રાખે બધા ભાઈ ઓ મિત્રો ને જય માતાજી1