લૂ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો લૂ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો અમરેલી તા. ૧૧ મે, ૨૦૨૬ (સોમવાર) હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વખતો વખત માર્ગદર્શિકા આપવામાં આવે છે. હિટ વેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની સંભાવના પણ રહે છે, તેની અસરને ઓછી કરવા માટે તકેદારીની પગલા અનુસરી શકીએ. શું કરવું : રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો, તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા ઘરે બનાવેલા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો. સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યારે છત્રી ટોપી, બુટ-ચપ્પલ, ચશ્માનો ઉપયોગ કરવો. માથા, ગળા અને ચેહરા પર ભીનું કપડું રાખવું. હિટ વેવની અસર દરમિયાન સ્નાયુ ખેંચાવા, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, ચક્કર આવવા, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન વગેરે જેવા રોગના લક્ષણો જોવા મળે છે. જો નબળાઈ અથવા બિમારી જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો, રાત્રે બારીઓ ખોલી નાખવી, ઘરમાં પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો અને વારંવાર ઠંડા પાણીથી નાહવું. કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઇમ ટેબલ બનાવવું. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું. શું ન કરવું : બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમાં એકલા છોડવા નહિ. સૂર્યના તાપમાં જવાનું ટાળો ખાસ કરીને બપોરે ૧૨.૦૦થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન તડકામાં કામ કરવાનું ટાળો. ભડકાઉ કલરના ટાઇ, રેશમી તથા ભારે કપડા પહેરવાનું ટાળો. તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમાં ઓછા સમય રહો. ચા-કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો, વધારે પ્રોટીનયુક્ત ખોરાક તથા ઉતરી ગયેલા ખાદ્ય પદાર્થ લેવાનું ટાળો. હિટ વેવ સંબંધિત સલામતીના પગલાં : સખત પરિશ્રમવાનું કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શક્ય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. વજનમાં હલકા અને હળવા કલરના કપડાં ગરમી અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે જેથી શરીર સામાન્ય તાપમાન જાળવી શકે આ પ્રકારના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. ખાદ્ય પદાર્થોમાં પ્રવાહી પ્રકારનું લેવાનું પસંદ કરો જેથી તરસ મહેસુસ નહીં થાય. ચા તથા કોફી લેવાનું ટાળો, કારણ કે તેની અંદરના તત્વો શરીરની અંદરનું પાણી પેશાબ દ્વારા ઓછું કરે છે. આલ્કોહોલ યુકત પીણા પણ વધુ પેશાબ દ્વારા (ડિહાઇડ્રેટ) શરીરનું પાણી ઓછું કરે છે. વારંવાર થોડું થોડું ઓછા પ્રોટીનવાળો ખોરાક લેવાનું રાખો. ફળ, શાકભાક અને સલાડ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરો. સામાન્ય ઘર કરતાં એરકન્ડિશન (વાતાનુકુલિત) ઘરમાં હિટ વેવનું જોખમ સંપૂર્ણ ઘટી જાય છે. જો તમને એર કન્ડિશન ન હોય તો પંખાનો ઉપયોગ કરવો. વધારે તાપમાં ગરમીને દૂર કરવી મુશ્કેલ બની જાય છે જેથી તાપમાં જવાનું ટાળો. બાળકો, વૃધ્ધો, નાના બાળકો, શિશુઓની ખાસ સંભાળ રાખવી જે લોકો લાંબા સમયથી કોઈ બિમારીથી પીડાતા હોય એવા લોકો હિટ વેવ સમયે વધુ અસુરક્ષિત હોય છે. પાળેલા જાનવરોને ઘરમાં રાખવા અથવા તેમને છાંયડામાં રાખો અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપવું. પાણીનું પાત્ર વારંવાર ભરવું. પાળેલા પ્રાણીઓને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવા નહિ.
લૂ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો લૂ લાગવાથી બચીએ: તકેદારીના પગલાં ભરીએ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું, પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો અમરેલી તા. ૧૧ મે, ૨૦૨૬ (સોમવાર) હિટ વેવની સ્થિતિને જોતાં હિટ વેવ દરમિયાન શું કરવું અને શું ન કરવું તે અંગે વખતો વખત માર્ગદર્શિકા આપવામાં આવે છે. હિટ વેવથી માનસિક તાણ થાય છે અને મૃત્યુની સંભાવના પણ રહે છે, તેની અસરને ઓછી કરવા માટે તકેદારીની પગલા અનુસરી શકીએ. શું કરવું : રેડિયો સાંભળો, ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો, તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીતા રહેવું. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ. દ્રાવણ અથવા ઘરે બનાવેલા છાશ, લસ્સી, લીંબુ પાણી સહિતના પીણાનો ઉપયોગ કરવો. સૂર્યના સીધા પ્રકાશમાં કામ કરવાનું થાય ત્યારે છત્રી ટોપી, બુટ-ચપ્પલ, ચશ્માનો ઉપયોગ કરવો. માથા, ગળા અને ચેહરા પર ભીનું કપડું રાખવું. હિટ વેવની અસર દરમિયાન સ્નાયુ ખેંચાવા, શરીર પર ફોલ્લી થવી, કમજોરી આવવી, ચક્કર આવવા, માથું દુખવું, ઉબકા આવવા, વધારે પરસેવો થવો, શરીર જકડન વગેરે જેવા રોગના લક્ષણો જોવા મળે છે. જો નબળાઈ અથવા બિમારી જેવું લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો પશુ-પંખીઓને શેડની નીચે છાયડામાં રાખવા અને પીવા માટે પૂરતા પ્રમાણમાં પાણી આપતા રહેવું. ઘરને ઠંડુ રાખવા માટે પડદા અને શટરનો ઉપયોગ કરવો, રાત્રે બારીઓ ખોલી નાખવી, ઘરમાં પંખા તથા ભીના કપડાનો ઉપયોગ કરવો અને વારંવાર ઠંડા પાણીથી નાહવું. કામના સ્થળ પાસે ઠંડા પાણીની વ્યવસ્થા રાખવી. કામદારો સૂર્યના સીધા તાપમાં કામ ન કરે તેની સાવધાની રાખવી. વધારે શ્રમવાળુ કામ કરનારે ઠંડા પહોરમાં કામ કરવાનું ટાઇમ ટેબલ બનાવવું. બહાર કામ કરવાવાળાએ વારેવારે લાંબો આરામ લેવો. સગર્ભા કામદારો પર વધારે ધ્યાન આપવું. શું ન કરવું : બાળકો અને પાળેલા પ્રાણીઓને ઉભા રાખેલા વાહનોમાં એકલા છોડવા નહિ. સૂર્યના તાપમાં જવાનું ટાળો ખાસ કરીને બપોરે ૧૨.૦૦થી સાંજે ૦૫.૦૦ કલાક દરમિયાન તડકામાં કામ કરવાનું ટાળો. ભડકાઉ કલરના ટાઇ, રેશમી તથા ભારે કપડા પહેરવાનું ટાળો. તાપમાન વધારે હોય ત્યારે રસોઈ ઘરમાં ઓછા સમય રહો. ચા-કોફી, આલ્કોહોલ અને કાર્બોનેટેડ સોફ્ટ ડ્રીંક લેવાનું ટાળો, વધારે પ્રોટીનયુક્ત ખોરાક તથા ઉતરી ગયેલા ખાદ્ય પદાર્થ લેવાનું ટાળો. હિટ વેવ સંબંધિત સલામતીના પગલાં : સખત પરિશ્રમવાનું કામ કરવાનું ટાળો અથવા બંધ રાખો અને ઠંડા પહોરમાં કામ કરવાનું આયોજન બનાવો. ઘરમાં જે શક્ય ન હોય એવું કામ ઠંડા સ્થળે અથવા છાંયડામાં રહીને કરી શકાય. વજનમાં હલકા અને હળવા કલરના કપડાં ગરમી અને સૂર્યપ્રકાશને પરાવર્તિત કરે છે જેથી શરીર સામાન્ય તાપમાન જાળવી શકે આ પ્રકારના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો. ખાદ્ય પદાર્થોમાં પ્રવાહી પ્રકારનું લેવાનું પસંદ કરો જેથી તરસ મહેસુસ નહીં થાય. ચા તથા કોફી લેવાનું ટાળો, કારણ કે તેની અંદરના તત્વો શરીરની અંદરનું પાણી પેશાબ દ્વારા ઓછું કરે છે. આલ્કોહોલ યુકત પીણા પણ વધુ પેશાબ દ્વારા (ડિહાઇડ્રેટ) શરીરનું પાણી ઓછું કરે છે. વારંવાર થોડું થોડું ઓછા પ્રોટીનવાળો ખોરાક લેવાનું રાખો. ફળ, શાકભાક અને સલાડ વગેરેનો ખોરાકમાં ઉપયોગ કરો. સામાન્ય ઘર કરતાં એરકન્ડિશન (વાતાનુકુલિત) ઘરમાં હિટ વેવનું જોખમ સંપૂર્ણ ઘટી જાય છે. જો તમને એર કન્ડિશન ન હોય તો પંખાનો ઉપયોગ કરવો. વધારે તાપમાં ગરમીને દૂર કરવી મુશ્કેલ બની જાય છે જેથી તાપમાં જવાનું ટાળો. બાળકો, વૃધ્ધો, નાના બાળકો, શિશુઓની ખાસ સંભાળ રાખવી જે લોકો લાંબા સમયથી કોઈ બિમારીથી પીડાતા હોય એવા લોકો હિટ વેવ સમયે વધુ અસુરક્ષિત હોય છે. પાળેલા જાનવરોને ઘરમાં રાખવા અથવા તેમને છાંયડામાં રાખો અને ઠંડુ પાણી પૂરતા પ્રમાણમાં આપવું. પાણીનું પાત્ર વારંવાર ભરવું. પાળેલા પ્રાણીઓને પાર્કિંગ કરેલા વાહનોમાં અથવા પાસે રાખવા નહિ.
- अनेको यातना सहे के जुल्म के विरुध्ध लंबी लडाइ लडके आखीर सफल होने वाली नारी धन्यवाद के पात्र है ।1
- રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... બ્રેકિંગ ન્યુઝ રાજુલા... રાજુલાના છતડીયા ગામ નજીક ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગી.... ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર ડીઝલ ભરેલ ટેન્કમાં આગ લાગી ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ લાગતા બંને સાઈડ વાહનોની લાંબી કતારો લાગી ટેન્કર સાલકે રાજુલા પોલીસને ફાયર બ્રિગેડને જાણ કરાય... ડીઝલ ભરેલા ટેન્કમાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું... નેશનલ હાઈવે ઉપર આગ લાગતા બંને સાઈડ ખેતીવાડીની સાઇડોમાં આગ લાગે રાજુલા પોલીસને જાણ થતા છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને સાઇડ વાહનોને સલામતી માટે સંભાળવી દેવાયા....3
- ૧૧ મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ મંદિરમાં ઇતિહાસમાં પહેલીવાર ભવ્ય કુંભાભિષેક યોજાશે. આધુનિક ટેકનોલોજી, ૯૦ મીટર ઊંચી ક્રેન અને ૧૧૦૦ લીટર પાણી સમાવી શકે તેવા ભવ્ય કળશનો ઉપયોગ કરીને ૧૧ પવિત્ર જળથી શિખર પર અભિષેક કરાશે. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.3
- ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિમ્મતભાઈ કટારિયાનું રાજીનામું નામંજૂર કર્યું છે. સ્થાનિક ચૂંટણીઓમાં નબળા પ્રદર્શન બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. કાર્યકરોની લાગણીને માન આપીને તેમને પદ પર યથાવત રખાયા, જેથી બોટાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે.1
- બોટાદ તાલુકાના સેથળી ગામે ખેતરમાં તાર ફેન્સિંગ કરવા બાબતે બે જમીન માલિકો વચ્ચે મારામારી થઈ. આ હુમલાનો વીડિયો વાયરલ થતાં ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ગ્રામ્ય પોલીસે ફરિયાદ નોંધી કડક કાર્યવાહીની માંગ કરી છે.1
- ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક ઉનાના ઉમેજ ગામે બે મજૂરો મજૂરી કામ વખતે કુવામાં ખાબકતા મોત,પરિવારમાં શોક1
- સોમનાથ અમૃત પર્વ - આપણી અતૂટ આસ્થા, ભવ્ય વારસો અને રાષ્ટ્રીય સ્વાભિમાનનો શંખનાદ! 🚩 પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ભારતની સનાતન ચેતના અને અજેય શક્તિનું પ્રતીક છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીની સાથે સોમનાથ અમૃત પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આસ્થા અને ઊર્જાના અનોખા સંગમનો સાક્ષી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીના દૃષ્ટિવંત નેતૃત્વ હેઠળ આજે ભારત પોતાની સાંસ્કૃતિક ધરોહર અને આધુનિક વિકાસને એકસાથે આગળ વધારી રહ્યું છે. સોમનાથ મંદિર પુનઃનિર્માણના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે મંદિર નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર સાહેબ અને અન્ય મહાનુભાવોની સ્મરણ વંદના કરી. આ અમૃત પર્વમાં લાખો શ્રદ્ધાળુઓના 'જય સોમનાથ'ના નાદથી ગુંજી ઉઠેલું વાતાવરણ નવા ભારતના આત્મવિશ્વાસની પ્રતીતિ કરાવે છે. જ્યારે આપણી સંસ્કૃતિ સુરક્ષિત હોય છે, ત્યારે જ રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. જય સોમનાથ 🙏1
- जनहित में फ्रोड सें सावचेत सावधान रहने के लीयें खास माहिती।1