Shuru
Apke Nagar Ki App…
Mr BHIl Vishnubhai kalidash
More news from ગુજરાત and nearby areas
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- હાલોલના જ્યોતિ સર્કલ પાસે રસ્તા પર લટકતા વીજ લાઇનનો કેબલ બાઇક ચાલકના ગળામાં ભરાઈ જતા સર્જાયો અક્સ્માત હાલોલના જ્યોતિ સર્કલ નજીક આવેલી રાધે ઉપવન સોસાયટી પાસે આજે સોમવારના રોજ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર લટકતો વીજ સર્વિસ લાઇનના કેબલને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રસ્તા ઉપર નીચે લટકતો સર્વિસ લાઇન નો વાયર બાઇક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે કેબલ ગળામાં ભરાઈ જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તોમાં શંકર રાજુભાઈ નાયક અને અજય અમરસિંહ નાયકનો સમાવેશ થાય છે. બન્ને યુવકો ગોપીપૂરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાણીયા ગામે લગ્ન પ્રસંગે જતાં હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોમાં લટકતા વીજ વાયરને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાબદારો દ્વારા તાત્કાલિક તેને ઉઠાવી લેવાની માંગ ઉઠી છે.1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- ‘રોડ નહીં તો વોટ નહીં’: છોટાઉદેપુરના રોજવા ગામે ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર, ૬૦૦ મતદારોએ લોકશાહીના પર્વથી અંતર જાળવ્યું તંત્રની સમજાવટ નિષ્ફળ: ગઇ કાલે સાંજે ૫ વાગ્યા સુધી મતદાન મથકે સન્નાટો, એકપણ મત ન પડતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ હતી વર્ઝન સ્થાનિક ગામના સરપંચને પત્રકાર દ્વારા ફોન પર સંપર્ક કરતા તેમણે ગ્રામજનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં રસ્તાના કામની શરૂઆત થવાની છે. તેમ છતાં, વર્ષોથી સમસ્યાનો સામનો કરતા ગ્રામજનો આ આશ્વાસનથી સંતોષાયા નહોતા. અનેક સમજાવટ છતાં ગ્રામજનોએ પોતાની માંગ પર અડગ રહી અંતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના બોરધા તાલુકા પંચાયત બેઠક હેઠળ આવતા રોજવા ગામે પાયાની સુવિધાઓના અભાવે વહીવટી તંત્ર સામે રણશિંગું ફૂંક્યું છે. વર્ષોથી બિસ્માર રસ્તાની સમસ્યાથી પીડાતા ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કરતા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હતો. ગામના અંદાજે ૬૦૦ જેટલા મતદારોમાંથી એક પણ મતદારે મતાધિકારનો ઉપયોગ ન કરતા સમગ્ર જિલ્લામાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે. ૩ કિમીનો જર્જરિત માર્ગ આક્રોશનું કારણ સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રોજવા ગામને મધ્યપ્રદેશ સાથે જોડતો અંદાજે ૩ કિલોમીટરનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં છે. આ માર્ગ પરથી પસાર થવું ગ્રામજનો માટે કષ્ટદાયક બન્યું છે. અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર આશ્વાસનો જ આપવામાં આવતા હતા, જેના પરિણામે ગ્રામજનોએ આ વખતે 'મૌન વિરોધ'નું શસ્ત્ર ઉગામ્યું હતું. અધિકારીઓ અને નેતાઓની સમજાવટ વ્યર્થ મતદાનના દિવસે સવારથી જ મતદાન મથક પર શૂન્યાવકાશ જોવા મળ્યો હતો. બપોર સુધી એકપણ મત ન પડતા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક રાજકીય નેતાઓ તાત્કાલિક રોજવા ગામે દોડી ગયા હતા. ગ્રામજનોને મનાવવા માટે કલાકો સુધી સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગામના સરપંચે પણ પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો અને રસ્તાનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની ખાતરી આપી હતી, પરંતુ ગ્રામજનો પોતાની માંગ પર અડગ રહ્યા હતા. “જ્યાં સુધી રસ્તો નહીં, ત્યાં સુધી મત નહીં” રોષે ભરાયેલા ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, "અમે વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છીએ. હવે આશ્વાસન નહીં, નક્કર કામ જોઈએ છે. જ્યાં સુધી રસ્તો મંજૂર થઈ કામ શરૂ ન થાય ત્યાં સુધી અમે લોકશાહીની કોઈ પ્રક્રિયામાં ભાગ લઈશું નહીં." સાંજે ૫ વાગ્યા સુધી મતદાન પેટીઓ ખાલી રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે. આમ, છોટાઉદેપુર તાલુકાના રોજવા ગામના લોકોએ એકસંપ થઈને મતદાનનો બહિષ્કાર કરી સરકાર અને તંત્રને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે મજબૂત સંદેશો આપ્યો છે.1
- Post by ADVANCED BULLETIN1
- જાંબુઘોડામાં દારૂનો કાળો કારોબાર બેફામ.! ખાંડીવાવ-કંચનનગરીમાં દેશી-વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલા બહાર આવ્યા.? જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ કંચનનગરી વિસ્તારમાં દેશી તેમજ વિદેશી દારૂના ગેરકાયદેસર વેફલાઓ ચાલી રહ્યા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિસ્તારમાં લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બેફામ રીતે ચાલી રહી છે, છતાં સંબંધિત તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. સૂત્રો જણાવે છે કે ભગવાનદાસ વણકર નામનો ઈસમ આ સમગ્ર ગેરકાયદેસર દારૂના વેપારને સંચાલિત કરી રહ્યો હોવાનો આક્ષેપ છે. વિસ્તારમાં વારંવાર શંકાસ્પદ લોકોની અવરજવર તેમજ વાહનોની હલચલ જોવા મળતા સ્થાનિકોમાં અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ પ્રકારના ગેરકાયદેસર ધંધા સામે તાત્કાલિક કડક પગલાં લેવાની જરૂર છે, નહિતર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડવાની ભીતિ છે. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ તંત્ર તરફથી કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી, પરંતુ લોકો તંત્ર તરફથી ઝડપી અને કડક કાર્યવાહી ની અપેક્ષા રાખી રહ્યા છે. #sevasamajnews #leadindianews #vairalvideo #panchmahalpolice #panchmahalnews #panchmahalhalol #panchmahalsamachar #IPSpanchmahal1
- Post by Mr BHIl Vishnubhai kalidash1