logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

#Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર #Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર , પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી @CP_SuratCity

2 hrs ago
user_Ajay Khatri
Ajay Khatri
રિપોર્ટર Bhuj, Kachchh•
2 hrs ago

#Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર #Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર , પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી @CP_SuratCity

More news from Kachchh and nearby areas
  • #Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે જાણો પોલીસે શું કહ્યું પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી
    1
    #Surat
SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે જાણો પોલીસે શું કહ્યું  પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર Bhuj, Kachchh•
    2 hrs ago
  • ગૌસેવા તે પ્રભુ સેવા આજ ભી લોગો આપના ધર્મ નિભા રહે અબોલ પ્રાણી લીલા ચારાની પ્રસાદી ખોળામાં આવે છે પોતાના ઘરના કોઈપણ પ્રસંગ હોય આજ પણ લુણીમાં શ્રી બબુભા નારુભા જાડેજા શ્રી જીતુભાઈ સોની તેમના નેતૃત્વ હેઠળ સૌગામ વાસીઓ અનેરો લાભ લઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન દાતા પરિવારોને જે મહત્વનો દાન આપી રહ્યા છે
    3
    ગૌસેવા તે પ્રભુ સેવા આજ ભી લોગો આપના ધર્મ નિભા રહે અબોલ પ્રાણી લીલા ચારાની પ્રસાદી ખોળામાં આવે છે પોતાના ઘરના કોઈપણ પ્રસંગ હોય આજ પણ લુણીમાં 
શ્રી બબુભા નારુભા જાડેજા 
શ્રી જીતુભાઈ સોની 
તેમના નેતૃત્વ હેઠળ સૌગામ વાસીઓ અનેરો લાભ લઈ રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન દાતા પરિવારોને જે મહત્વનો દાન આપી રહ્યા છે
    user_Jayvirsinh Jadeja
    Jayvirsinh Jadeja
    Farmer મુંદ્રા, કચ્છ, ગુજરાત•
    3 hrs ago
  • ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધો હતો. કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે. આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ મહિલાનું મોત થયું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી. વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ એકાએક માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી.
    1
    ઔદ્યોગિક નગરી ગાંધીધામના કિડાણા વિસ્તારમાં આવેલા એકતાનગરમાં ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા શ્રમિક પતિએ પોતાની પત્ની એવા જેનતબેન ઉર્ફે હવાબાઇ અશરફ લંઘા (ઉ.વ. 45) પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. હત્યા બાદ નાસી ગયેલા શખ્સને પોલીસે રાઉન્ડ-અપ કરી લીધો હતો. કિડાણાના એકતાનગરમાં રહેતા શ્રમિક પરિવારમાં આ બનાવ બન્યો હતો. અહીં રહેનાર જેનતબેન અને અશરફના દામ્પત્ય જીવનમાં એક 10 વર્ષીય બાળકી, 4-5 વર્ષનો પુત્ર છે. આ બંને શ્રમિક જેમ-તેમ કરીને પેટીયું રળતા હતા. બંને વચ્ચે જમવા બાળકોની સાર સંભાળ સહિતના મુદ્દે કંકાસ થતો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. ગત મોડી રાત્રે આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. બે બાળક સાથે મહિલા ખાટલા પર સૂતા હતા ત્યારે ઉશ્કેરાયેલા અશરફ લંઘાએ ઘરમાં રહેલી ધારદાર કુહાડી ઉપાડી મહિલાને માથામાં ઘા ઝીંકી દીધા હતા, જેમાં આ મહિલાનું મોત થયું હતું. સવારે બંને બાળક જાગી જતાં અને પોતાની માતાને જગાડવા જતાં લોહી દેખાયું હતું અને રાડારાડ કરતાં બાળકો બહાર દોડી ગયા હતા અને આસપાસના લોકોને જાણ કરી હતી. વહેલી સવારે 112માં ફોન કરી બનાવની જાણ કરાઈ હતી. ચૂંટણી બંદોબસ્ત વચ્ચે હત્યાનો બનાવ પ્રકાશમાં આવતાં પોલીસમાં ભારે દોડધામ થઈ પડી હતી. બનાવ સ્થળે જઈ પોલીસે તપાસ હાથ ધરી નાસી ગયેલા શખ્સને રાઉન્ડ-અપ કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. પિતાના હાથે માતાની હત્યા બાદ બાળકોએ એકાએક માતાની છત્રછાયા ગુમાવી હતી. મહિલાની લાશને પી.એમ. માટે લઈ જવાઈ હતી. પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. પતિના હાથે પત્નીની હત્યાના આ બનાવથી ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી હતી.
    user_Bharti Makhijani
    Bharti Makhijani
    Local News Reporter ગાંધીધામ, કચ્છ, ગુજરાત•
    11 hrs ago
  • મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે. માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા. બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી. જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    મૃતકોમાં કાંગસિયા પરિવારના રાજવીર સામતભાઈ રાઠોડ (ઉ.વ. 16), કિશન મનસુખભાઈ રાઠોડ (ઉ.વ. 17), કાળુ ભરતભાઈ રાઠોડ (ઉ.વ. 11) તેમજ ગાડલીયા ગામના રામાભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉ.વ. 13) નો સમાવેશ થાય છે.
માહિતી મુજબ, આજે બપોરે આશરે 4 વાગ્યાના સમયે ચારેય બાળકો જસદણથી અંદાજે 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર ડેમમાં નાવા ગયા હતા. નાવા દરમિયાન ચારે બાળકો ડૂબી ગયા હતા.
બાળકોના પિતા સામતભાઈ સોમજીભાઈ રાઠોડ શોધખોળ માટે સ્થળે પહોંચતા સાયકલ, કપડા અને ચંપલ જોવા મળતાં તેમણે તરત જ પોલીસને જાણ કરી હતી.
જસદણ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને શોધખોળ શરૂ કરી હતી. ટૂંક સમયમાં ચારેય બાળકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ કરુણ ઘટનાની જાણ થતાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સ્થળે દોડી આવ્યા હતા અને પરિવારજનોને પ્રત્યેકને રૂ. 25,000 ની સહાય જાહેર કરી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    7 hrs ago
  • 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ની નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં લોકો ફસાયા ધોરાજી વાલ્મીકિ સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે પોતાની રજૂઆત માટે ગયા હતા ત્યારે ઘણા લોકો નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં નીચે થી ઉપર જવા માટે લીફટ માં ગયા અને અચાનક લીફટ કોઈ કારણોસર લીફટ બંધ થતાં ઘણાં લોકો આ લીફટ માં ફસાયા વીસ મીનીટ જેટલો સમય લોકો લીફટ માં ફસાયા ત્યાર બાદ અંતે લીફટ તોડી નેં લોકો બહાર કાઢવામાં આવેલ જેમાં વાલ્મિકી સમાજ નાં આગેવાન આશીષ ભાઈ જેઠવા અને અન્ય મહિલા ઓ ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અફરાતફરી નો માહોલ સર્જાયો અને કોંગ્રેસ પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા
    1
    🅱️ reaking News Dhoraji 
રાજકોટ જિલ્લા ના ધોરાજી ની નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં લોકો ફસાયા 
ધોરાજી વાલ્મીકિ સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે પોતાની રજૂઆત માટે ગયા હતા 
ત્યારે ઘણા લોકો નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં નીચે થી ઉપર જવા માટે લીફટ માં ગયા 
અને અચાનક લીફટ કોઈ કારણોસર લીફટ બંધ થતાં ઘણાં લોકો આ લીફટ માં ફસાયા 
વીસ મીનીટ જેટલો સમય લોકો લીફટ માં ફસાયા ત્યાર બાદ અંતે લીફટ તોડી નેં લોકો બહાર કાઢવામાં આવેલ 
જેમાં વાલ્મિકી સમાજ નાં આગેવાન આશીષ ભાઈ જેઠવા અને અન્ય મહિલા ઓ ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
અફરાતફરી નો માહોલ સર્જાયો અને કોંગ્રેસ પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા
    user_Alpesh trivedi
    Alpesh trivedi
    Courier service ધોરાજી, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી. ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા. લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. 👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️
    1
    લીંબડી ચૂંટણી 2026: 95 વર્ષની દાદીથી લઈને નવવધુ સુધી મતદાનનો જબરદસ્ત ઉત્સાહ 
લીંબડી નગરપાલિકા ચૂંટણી 2026માં મતદારોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો. 95 વર્ષની વડીલ માજી જાદવ મોતીબેન દ્વારા મતદાન કરવામાં આવ્યું, જ્યારે નવવિવાહિત દુલ્હન જયશ્રીબેન મુકેશભાઈ મકવાણાએ લગ્નના ફેરા પહેલા જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌને પ્રેરણા આપી.
ગરમી હોવા છતાં મતદારોમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહીં અને દરેક વયના લોકો લોકશાહી ના આ મહોત્સવમાં જોડાયા.
લીંબડી મતવિસ્તારના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા પણ મતદાન મથકોની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.
👉 તમારો મત, તમારો અધિકાર — જરૂરથી ઉપયોગ કરો! 🗳️
    user_Dinesh Gambhava Report
    Dinesh Gambhava Report
    G Express news channel head Gujarat ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર, ગુજરાત•
    12 hrs ago
  • આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી બેન જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.
    4
    આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત
માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ
જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી
બેન
જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે
આવી હતી.
આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર
કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી.
એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના
હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.
    user_KARSANBHAI BAMTA bamta
    KARSANBHAI BAMTA bamta
    જસદણ, રાજકોટ, ગુજરાત•
    4 hrs ago
  • #Surat SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર , પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી @CP_SuratCity
    1
    #Surat
SBIની વરાછા શાખામાં 50 લાખની લૂંટ મામલે સીસીટીવી ફૂટેજ થયા જાહેર , પાંચથી છ શખ્સો જોવા મળ્યો, કર્મચારીઓના મોબાઈલ પડાવી લઈને લૂંટ ચલાવી હતી 
@CP_SuratCity
    user_Ajay Khatri
    Ajay Khatri
    રિપોર્ટર Bhuj, Kachchh•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.