સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૬: પંચમહાલ જિલ્લો મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય,ગોધરાના ફોન નંબર ૦૨૬૭૨-૨૪૧૮૭૦ ઉપર સંપર્ક કરવો* પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિભાગની ચૂંટણી માટે મતદાન તારીખ 26 એપ્રિલ 2026 રવિવારનો રોજ થનાર છે. જે અન્વયે મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા - ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અઘર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાનાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓનાં પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં, રજાનાં કારણે જો શ્રમયોગી / કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચુકવવાનો રેહશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સંવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર ઉપરોક્ત જોગવાઈઓથી વિરુધ્ધનું વર્તન કરશે, તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનનાં દિવસે શ્રમયોગીને મત આપવા માટે રજા ન આપવામાં આવે તો અથવા કોઈ ફરિયાદ હોય તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગોધરા, ફોન નંબર ૦૨૬૭૨-૨૪૧૮૭૦, ૬૬ થી ૬૮ , પહેલો માળ,જિલ્લા સેવા સદન-૨ , કલેક્ટર કચેરી , પંચમહાલનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણી-૨૦૨૬: પંચમહાલ જિલ્લો મતદાનના દિવસે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે શ્રમયોગીઓને મત આપવા માટે રજા આપવામાં ના આવે તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય,ગોધરાના ફોન નંબર ૦૨૬૭૨-૨૪૧૮૭૦ ઉપર સંપર્ક કરવો* પંચમહાલ જિલ્લામાં સમાવિષ્ટ નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત વિભાગની ચૂંટણી માટે મતદાન તારીખ 26 એપ્રિલ 2026 રવિવારનો રોજ થનાર છે. જે અન્વયે મતદાનનાં દિવસે જે તે વિસ્તારમાં કારખાના ધારા - ૧૯૪૮ હેઠળનાં નોંધાયેલા કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અઘર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોક પ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫ (બી) મુજબ આવા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનાનાં શ્રમયોગીઓ તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ/સાઇટના કામ કરતાં શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓનાં પગારમાંથી કોઇ કપાત કરવાની રહેશે નહીં, રજાનાં કારણે જો શ્રમયોગી / કર્મચારી પગાર મેળવવાનો હક ન ધરાવતો હોય તેવા સંજોગોમાં જે તે વ્યકિત રજા જાહેર ન થઇ હોય અને જે પગાર મળવાપાત્ર હોય તેટલો પગાર ચુકવવાનો રેહશે. જે મતદારની ગેરહાજરીથી જોખમ ઉભુ થવા સંભવ હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકશાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયાવાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ/કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાક મતદાન માટે સંવેતન રજા આપવાની રહેશે. જો કોઈ કારખાનેદાર ઉપરોક્ત જોગવાઈઓથી વિરુધ્ધનું વર્તન કરશે, તો કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનનાં દિવસે શ્રમયોગીને મત આપવા માટે રજા ન આપવામાં આવે તો અથવા કોઈ ફરિયાદ હોય તો નાયબ નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગોધરા, ફોન નંબર ૦૨૬૭૨-૨૪૧૮૭૦, ૬૬ થી ૬૮ , પહેલો માળ,જિલ્લા સેવા સદન-૨ , કલેક્ટર કચેરી , પંચમહાલનો સંપર્ક સાધવા જણાવ્યું છે.
- મહીસાગર જીલ્લામા આવી રહેલી સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ સંદર્ભમાં મહીસાગર જિલ્લામાં રહેતા તમામ મતદારોને મતદાનના દિવસે મતદાન કરવા આહવાન કર્યું1
- મોંઘવારી અને બેરોજગારો સામે હથિયાર:ઝાડું પર વોટ :1
- ખાખરીયા નજીક આવેલ તુલસીપુરા પાસે આજે બુધવારે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, પુરઝડપે દોડતો પેસેન્જર છકડો પલટી ખાઈ જતા અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.માહિતી મુજબ પેસેન્જર ગીતાબેન તેમના ત્રણ નાનાં બાળકો સાથે રવાલીયાથી સાવલી જવા નીકળ્યા હતા, અને હાલોલથી છકડામાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતમાં ગીતાબેનને હાથમાં ઈજાઓ પહોંચી છે, જ્યારે તેમના એક બાળકને માથામાં ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.આ ઉપરાંત કાંકરા ડુંગરીના અશોકભાઈ સબૂરભાઈ નાયક તેમના ત્રણ બાળકો સાથે, તેમજ ભમરિયા ગામના ધર્મેશભાઈ છત્રસિંહ નાયક તેમના બે બાળકો સાથે છકડામાં સવાર હતા. દેવની મુવાડીના અર્જુનભાઈ ટીનાભાઈ નાયકનો નાનો દીકરો અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી છે.પ્રાથમિક માહિતી અનુસાર છકડો વધુ ઝડપે હોવાને કારણે ચાલકનો કાબૂ ગુમાવતા વાહન પલટી ખાઈ ગયું હતું.અકસ્માતમાં છકડા ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઈજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાને લઈ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી1
- પંચમહાલ પોલીસની અદભુત અને પ્રશંશનીય કામગીરી.. મધ્યપ્રદેશના કુક્ષી પોલીસ મથકની હદમાંથી અપહરણ કરાયેલ 2 બાળકોને છોડાવી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- politics ##india#reality##@@1
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી રહી છે. પીપલોદ પોલીસ સ્ટેશન વિસ્તારના ભથવાડા ગામે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ગામમાં સુરક્ષા અંગે સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા સ્થાનિક લોકો સાથે સંવાદ કરી ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. લોકોને આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણી માટે સહકાર આપવા તેમજ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે અને શાંતિ ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.1
- दाहोद में शादी का खाना बना जहर! 400 से ज्यादा लोग बीमार दाहोद अभलोड में फूड पॉइजनिंग का कोहराम दाहोद जिले के गरबाडा तालुका के अभलोड गांव में एक शादी समारोह के दौरान बड़ी घटना सामने आई है। शादी के भोज में खाना खाने के बाद करीब 400 से ज्यादा लोगों को फूड पॉइजनिंग (खाद्य विषाक्तता) होने से गांव में हड़कंप मच गया।1
- માચોડ તાલુકા પંચાયત સીટ પર પ્રચાર કરવા માટે તમામ ભાજપના કાર્યકરો તેમજ ઉમેદવાર હાજર રહી ભાજપની જીત માટે આહવાન કર્યું2