Shuru
Apke Nagar Ki App…
આસામમાં હિમંતા બિસ્વા સરમાને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ 12 મેના રોજ આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
દિવાકર બન્ના
આસામમાં હિમંતા બિસ્વા સરમાને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ 12 મેના રોજ આસામના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
More news from ગુજરાત and nearby areas
- જિલ્લા LCB એ ગુજરાત-રાજસ્થાનમાં ચોરી-ચેઈન સ્નેચિંગ ના ગુના ઉકેલ્યા ગઈકાલે સાંજે 7 વાગે મળતી માહિતી મુજબ સાબરકાંઠા LCBએ ગુજરાત અને રાજસ્થાનમાં સક્રિય ચેઈન સ્નેચિંગ કરતી આંતરરાજ્ય ગેંગનો ભંડાફોડ કર્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 2 આરોપીઓને ઝડપી લઈ 6 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે 6.70 લાખની સોનાની ચેઈન સહિત કુલ 7.05 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે હિંમતનગરના ખેડ-તસિયા રોડ પરથી કાળા રંગની હોન્ડા શાઈન બાઈક સાથે બે શંકાસ્પદને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી 4 તૂટેલી સોનાની ચેઈન મળી આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ હિંમતનગર અને અમદાવાદ સહિત રાજસ્થાનમાં થયેલા કુલ 6 ગુનાઓની કબૂલાત કરી છે. બંને આરોપીઓને હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસને સોંપાયા છે, જ્યારે ગેંગના અન્ય 4 સભ્યો હજુ ફરાર છે.1
- મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રામપુર કોટના ખેડૂત જગદીશભાઈ પટેલે 9 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી બમણો નફો મેળવ્યો છે. તેઓ 10 પ્રકારની ઝેરમુક્ત શાકભાજી અને ઘઉં ઉગાડી ગામલોકોને તાજી ઉપલબ્ધ કરાવી રહ્યા છે. તેમની આ પ્રેરણાદાયક સફળતા જોઈને અન્ય ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે.1
- પાલનપુરમાં એક વેપારીને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.1
- ગાંધીનગર જિલ્લામાં આવેલા દહેગામ તાલુકાના સામેત્રી ગામ માં અખંડ જ્યોત વર્ષ 1999 થી ઝળહળી રહી છે. 🙏🙏જય માં અર્બુદા 🚩🚩1
- કચ્છના અંજારમાં અપહરણ કરાયેલી બાળકીને પોલીસે પશ્ચિમ બંગાળમાંથી સુરક્ષિત શોધી પરિવારને સોંપી દીધી છે. પોલીસ તપાસમાં હનીફ હફીજુલ સરકાર નામના આરોપીનું નામ સામે આવ્યું છે. આરોપી સામે પોકસો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ કલમો ઉમેરી ધરપકડની કાર્યવાહી કરાશે.1
- ભાભર માંથી જુગાર રમતા 4 ઇસમો ઝડપાયા ભાભર પોલીસ ની ફરી એક વખત સફળ કામગીરી નોંધાઈ છે ભાભર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ભાભર જૂના ગામની સીમ માંથી જુગાર રમતા 4 ઇસમો ને ઝડપી લીધા છે વાવ થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક સૂચના થી ભાભર પી આઈ એચ એલ જોષી ના માર્ગદર્શન હેઠળ ભાભર પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલિંગ માં હતા તે સમયે ખાનગી બાતમી મળેલ કે ભાભર જૂના ખાતે આવેલ એક ખેતરમાં ખુલ્લી જગ્યામાં પોતાના અંગત ફાયદા સારું કેટલાક ઈસમો ભેગા મળી ઘાણી પાસા (ઘોડી) વડે પૈસા થી હારજીત નો જુગાર રમી રમાડે છે જેની હકીકત થી પોલીસે સ્થળ પર રેડ કરતા 4 ઇસમો ને પોલીસે ઝડપી લીધા હતા પોલીસે 4 ઇસમો પાસેથી 11300 નો મુર્દા માલ કબજે લઈ કાર્યવાહી હાથ ધરી હતી1
- શહેરમાં આવતીકાલે 5 ફીડરો બંધ: અનેક વિસ્તારોમાં વીજકાપ, પાણી સવારે 6 વાગ્યે અપાશે આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ હિંમતનગરમાં આવતીકાલે 11 મેના રોજ UGVCL દ્વારા બળવંતપુરા 66 કે.વી. સબસ્ટેશનનું સમારકામ હાથ ધરવામાં આવનાર હોવાથી સવારે 7 થી બપોરે 12 વાગ્યા સુધી ઝરણેશ્વર, શ્રીનગર, સ્મૃતિ, જનકપુરી અને હાથમતી સહિતના ફીડરોનો વીજ પુરવઠો બંધ રહેશે. જેના કારણે બેરણા રોડ, જલારામ મંદિર રોડ, બળવંતપુરા, રામનગર, ઇન્દ્રનગર, ગંગોત્રી, મહેતાપુરા, ધાણધા ગામ અને GIDC વિસ્તારમાં અસર પડશે. વીજકાપને ધ્યાનમાં રાખી નગરપાલિકા દ્વારા મહેતાપુરા સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી સવારે 6 વાગ્યેથી આપવામાં આવશે.1
- આપણા દેશમાં બીજા દેશની સભ્યતા નો પગ પેસારો બહુ જોવા મળી રહ્યો છે1
- વાવ થરાદ રાજ્ય સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોરે પાણી પુરવઠા વિભાગ સાથે યોજી બેઠક સરહદી વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને પૂરતું અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ રહે તે સરકારની પ્રાથમિકતા છે. આ મુદ્દાને ગંભીરતાથી લઈ આજે સ્વરૂપજી ઠાકોર દ્વારા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ અને વિસ્તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં સરહદી વિસ્તારોના ગામોમાં હાલની પાણી વ્યવસ્થાની સ્થિતિ, પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ માટેના વિકલ્પો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. બેઠક દરમિયાન સ્વરૂપજી ઠાકોરે સ્પષ્ટ સૂચના આપી હતી કે કોઈપણ ગામમાં પાણીની અછત ન રહેવી જોઈએ અને દરેક ઘર સુધી નિયમિત અને પૂરતું પીવાનું પાણી પહોંચે તે માટે તાત્કાલિક અસરકારક કામગીરી હાથ ધરવામાં આવે. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં પાણીની વધતી માંગને ધ્યાનમાં રાખીને પાણી સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તે માટે આગોતરા આયોજન કરવા અધિકારીઓને દિશાનિર્દેશ આપવામાં આવ્યા. બેઠકમાં હાજર અધિકારીઓએ ખાતરી આપી હતી કે આપેલ સૂચનાઓ મુજબ ઝડપથી કામગીરી શરૂ કરવામાં આવશે અને સરહદી વિસ્તારોમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સંકલિત પ્રયાસો કરવામાં આવશે. આ બેઠકના પગલે સ્થાનિક ગ્રામજનોમાં આશા જગાઈ છે કે હવે પાણી સંબંધિત સમસ્યાઓમાં રાહત મળશે અને દરેક ગામમાં નિયમિત રીતે સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.2