Shuru
Apke Nagar Ki App…
વડોદરામાં દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
Najre gujrat ki
વડોદરામાં દિવ્યાંગ સખી સહેલી ટ્રસ્ટ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મેયર શ્રીની ઉપસ્થિતિમાં દિવ્યાંગ બાળકોને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
More news from Gujarat and nearby areas
- જેતપુર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનને સિદસર ઉમિયાધામ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ અંતર્ગત, સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ ઉપવાસી છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે સરકારને આ મામલે તાત્કાલિક મધ્યસ્થી કરવા અને ઝડપથી ઉકેલ લાવવા માટે યોગ્ય પગલાં ભરવા વિનંતી કરી છે.1
- વડોદરા તાલુકાના બાજવા ગામમાં, ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક ૩૦ વર્ષ જૂના અને શિસ્તબદ્ધ કાર્યકર્તાએ પક્ષની અવગણના અને હોદ્દા-ટિકિટમાં બાદબાકીથી નારાજ થઈને જિલ્લા પ્રમુખને પોતાનું રાજીનામું સુપરત કર્યું છે. આ રાજીનામું ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ આપવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે વાઘોડિયા વિધાનસભા વિસ્તારમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.1
- વડોદરા ગ્રામ્ય SOG દ્વારા સાવલી વિસ્તારમાંથી એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી છેલ્લા 18 વર્ષથી ફરાર હતો અને 11 વર્ષથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી હતી.1
- આગામી મહોરમ પર્વને ધ્યાનમાં રાખીને, આંકલાવ પોલીસ દ્વારા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.1
- હાલોલ શહેરના શાક માર્કેટ વિસ્તારમાં આવેલા હઝરત બુખારીશાહ બાબાનો ઉર્ષ આજે મંગળવારના રોજ ધાર્મિક અને આનંદમય વાતાવરણમાં રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન, દરગાહ ખાતે સંદલ શરીફની રસમ અદા કરવામાં આવી હતી. ત્યાર પછી સલાતો સલામ અને નિયાઝની વહેચણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે હાલોલ શહેર ખતિબ મૌલાના યાકુબ રઝવી, હાલોલ જુમ્મા મસ્જિદ ઈમામ સૈયદ ઈલ્યાસ બાપુ, મૌલાના મોઈનુલહક્ કાદરી, મૌલાના યાસીન, મૌલાના સાદિક સહિત મુસ્લિમ સમુદાયના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉર્ષનું આયોજન હાલોલ જુમ્મા મસ્જિદ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉર્ષમાં મોટી સંખ્યામાં અકિદતમંદો ઉમટી પડ્યા હતા અને ઉર્ષનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી.1
- કાલોલ શહેરમાં ઇસ્લામિક પરંપરા મુજબ ત્યાગ અને બલિદાનના પ્રતીક સમાન આગામી મોહરમ પર્વની ઉજવણીને લઈને મુસ્લિમ સમાજમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મોહરમ નિમિત્તે તાજીયાનું વિશેષ મહત્વ હોય છે. છેલ્લા નવ દિવસથી લઘુમતી સમાજના વિવિધ વિસ્તારોમાં કુશળ કારીગરો દ્વારા અવનવી કલા-કારીગરી અને ઇલેક્ટ્રિક લાઇટિંગથી સજ્જ ભવ્ય રંગબેરંગી ઝરીના તાજીયા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે ખાસ કરીને 'યાદે હુસૈન કમિટી' દ્વારા બનાવવામાં આવી રહેલા તાજીયા પોતાની અદભુત કલાત્મકતા અને આકર્ષક લાઇટિંગને કારણે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જે આ વર્ષે મોહરમની શાન બની રહેશે તેવું લાગી રહ્યું છે. પરંપરા અનુસાર, મોહરમના ૧૦મા ચાંદ (આશુરા) ના દિવસે કાલોલના વિવિધ વિસ્તારોમાંથી તમામ તાજીયાઓને જુમ્મા મસ્જિદના ચોકમાં એકત્રિત કરવામાં આવશે. ત્યાંથી મુસ્લિમ બિરાદરોની વિશાળ ઉપસ્થિતિમાં એક ભવ્ય જુલૂસ કાઢવામાં આવશે અને ત્યારબાદ ધાર્મિક રીત-રિવાજો સાથે તાજીયાઓને નજીકના જળાશયમાં ઠંડા કરવામાં આવશે. હાલ સમગ્ર કાલોલ શહેરમાં મોહરમ પર્વને આવકારવા માટે તડામાર તૈયારીઓ આખરી તબક્કામાં ચાલી રહી છે.3
- આજ રોજ વડોદરાના સંજમા રોડ પર આવેલા લક્ષ્મી નારાયણ ખાતે 'તેરા તુજકો અર્પણ' નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પોલીસ કમિશ્નરની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો.1
- ગુજરાત રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે 'કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬'નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાનના ભાગરૂપે, પંચમહાલ જિલ્લાના કાલોલ ખાતે આવેલી ધી એમજીએસ હાઈસ્કુલમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઇન્ડેક્સ-સીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડૉ. એસ. જે. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે નવા પ્રવેશ મેળવનાર ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ઉચ્ચ શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી કે ઉચ્ચ શિક્ષણ એ સફળતાની ચાવી છે, જેનાથી જીવનના દરેક પગલે ચોક્કસ સફળતા પ્રાપ્ત થાય છે. ડૉ. જોશીએ બાળકોને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવા માટે સખત મહેનત કરવાની શીખ આપી, ખાસ કરીને ઉચ્ચ કારકિર્દી બનાવવાના લક્ષ્યાંક રાખવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પરંતુ રમતગમત, સંગીત અને કલા જેવા ક્ષેત્રોમાં પણ પોતાની પ્રતિભા ખીલવવા અને શાળામાં નિયમિત હાજરી જાળવી રાખવા વિનંતી કરી. 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા માટે, બાળકોને કચરો ન ફેલાવવા, વૃક્ષ વાવવા અને તેમને પાણી આપવા, વડીલો અને ગુરુજનોનું સન્માન કરવા, દેશના વિકાસમાં યોગદાન આપવા તેમજ નિયમિતપણે પુસ્તકો વાંચવા માટે સંકલ્પબદ્ધ કરવામાં આવ્યા હતા. આ અવસરે, શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુસ્તકો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડૉ. જોશીએ વાલીઓને દર રવિવારે બાળકોને એક કલાક માટે શાળાની લાઇબ્રેરીમાં પુસ્તક વાંચન માટે મોકલવા અને દીકરીઓની માતાઓને તેમની દીકરીઓના અભ્યાસમાં વિશેષ કાળજી લેવા તેમજ પ્રગતિ સુનિશ્ચિત કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં કાલોલ કેળવણી પ્રચારક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંત મહેતા, મંત્રી વીરેન્દ્ર મહેતા, સહ મંત્રી યોગેશ મહેતા, ખજાનચી મનોજભાઈ પરીખ, શાળાના આચાર્ય વી. એ. ચૌહાણ, સુપરવાઈઝર કે. એ. પુવાર, શિક્ષકો, સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ અને શિક્ષણ વિભાગના અધિકારી સુજીતભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.3
- આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલી કોલેજમાં એક વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય પણ ઉપસ્થિત રહ્યા હતા.1