Shuru
Apke Nagar Ki App…
" શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી " ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ જેની એક ઝલક.
Imtiyaz Baloch
" શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી " ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ જેની એક ઝલક.
More news from ગુજરાત and nearby areas
- " શ્રી અશોક શારદા મંદિર પ્રાથમિક શાળા અમરેલી " ખાતે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ રેલીનું આયોજન કરવામાં આવેલ અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવાનો એક નાનકડો પ્રયાસ કરેલ જેની એક ઝલક.1
- આલણસાગર તળાવમાં નહાવા પડેલા 4 બાળકના ડૂબી જતાં મોત માતા-પિતાને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા, ચાર કુળદીપકનાં મોતથી વીછિયા રોડ વિસ્તારમાં માતમ જસદણથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા બાખલવડ ગામનું આલણસાગર તળાવ આજે ચાર ગરીબ પરિવારો માટે કાળમુખું સાબિત થયું હતું. રવિવારની રજા હોવાથી બેન જસદણના વિંછીયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના ચાર કિશોરો ઘરના સભ્યોને જાણ કર્યા વગર તળાવમાં ન્હાવા માટે પડયા હતા. પાણીની ઊંડાઈનો અંદાજ ન આવતા ચારેય મિત્રો એકપછી એક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તળાવની પાળ પર બાળકોની સાયકલ અને કપડાં બિનવારસી હાલતમાં લાંબા સમય સુધી પડ્યા રહેતા સ્થાનિક ગ્રામજનોને શંકા ગઈ હતી, જેના પગલે તપાસ કરતા હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી હતી. આ કરુણ ઘટનાની જાણ થતાં જ જસદણ પોલીસ અને ફાયર વિભાગની ટીમ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને યુદ્ધના ધોરણે શોધખોળ હાથ ધરી હતી. કલાકોની જહેમત બાદ 14 વર્ષીય રામુ ભાયાભાઈ રાઠોડ, 10 વર્ષીય કાળુ ભરતભાઈ રાઠોડ, 15 વર્ષીય રાજવીર સામતભાઈ રાઠોડ અને 15 વર્ષીય કિશન મનસુખભાઈ રાઠોડના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. આ હૃદયદ્રાવક સમાચાર મળતા જ રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને શોકગ્રસ્ત પરિવારના સભ્યોને સાંત્વના પાઠવી હતી. એકસાથે ચાર આશાસ્પદ બાળકના મોતથી જસદણ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. જસદણ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમની બહાર જ્યારે આ માસૂમોના મૃતદેહ લાવવામાં આવ્યા ત્યારે વાલીઓના હૈયાફાટ રુદનથી હોસ્પિટલની દીવાલો પણ ધ્રૂજી ઉઠી હતી. જે બાળકો સવારે હસતા-રમતા ઘરેથી નીકળ્યા હતા. તેમના મૃતદેહ જોઈને પથ્થર હૃદયના માનવીની આંખો પણ ભીની થઈ ગઈ હતી. જસદણ પોલીસે હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ આ ઘટનાએ સમગ્ર પંથકમાં ક્યારેય ન ભુલાય તેવો શોકનો માહોલ સર્જી દીધો હતો.4
- motivational story1
- Post by Pariyar Arjun Dhanshing1
- મોટી ઉંમરના વયોવૃદ્ધ તથા દિવ્યાંગ મતદાતાઓએ વ્હીલચેરની મદદથી મતદાન મથકે પહોંચ્યા બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬ અન્વયે જિલ્લામાં આજે મતદાનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોકશાહીના પર્વમાં બોટાદના બરવાળા અને પાળીયાદ કન્યા શાળા ખાતે સિનિયર સિટીઝન મતદારોએ હોંશે હોંશે મતદાન મથકો પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. બોટાદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીમાં વરિષ્ઠ નાગરિકોએ સક્રિય ભાગીદારી નોંધાવી છે શારીરિક અશક્ત હોવા છતાં, અનેક વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો પોતાના પરિવારજનોના સહારે અને વહીવટી તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલી વ્હીલચેરની સહાયથી મતદાન મથક સુધી પહોંચ્યા હતા. આ મતદાતાઓનો ઉત્સાહ આજની યુવા પેઢીને તથા અન્યોને પણ મતદાન કરવાની પ્રેરણા પૂરી પાડે છે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ, વરિષ્ઠ અને દિવ્યાંગ મતદારો માટે મતદાન મથકો પર ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. રેમ્પની સુવિધા, વ્હીલચેરની ઉપલબ્ધતા અને મતદાન મથકના સ્વયંસેવકો દ્વારા તેમને આપવામાં આવતી પ્રાથમિકતાને કારણે આ વડીલો કોઈપણ મુશ્કેલી વગર શાંતિપૂર્વક મતદાન કરી રહ્યા છે. રીપોર્ટર: ચિંતન વાગડીયા મો:૮૦૦૦૮૩૪૮૮૮1
- અમરેલી અમરેલી સહિત અમરેલીના 11 તાલુકાઓમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીનું મતદાન શરૂ... તમામ તાલુકાઓમાં શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મતદાનનો પ્રારંભ થયો.... અમરેલીના સાંસદ ભરત સુતરીયા એ કર્યું મતદાન સાંસદ ભરત સુતરીયાએ પોતાના વતન જરખિયા ગામે મતદાન કર્યું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિકાસ માટે મતદાન કરવા અપીલ કરી. મતદાન કરવુ એ મતદારો નો અધિકાર અને ફરજ પણ છે. વધુમાં વધુ મતદાન કરવા સંસદ ભરત સુતરીયાએ અપીલ કરી.2
- 🅱️ reaking News Dhoraji રાજકોટ જિલ્લા ના ધોરાજી ની નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં લોકો ફસાયા ધોરાજી વાલ્મીકિ સમાજના લોકો નગરપાલિકા કચેરી ખાતે પોતાની રજૂઆત માટે ગયા હતા ત્યારે ઘણા લોકો નગરપાલિકા કચેરી ખાતે આવેલી લીફટ માં નીચે થી ઉપર જવા માટે લીફટ માં ગયા અને અચાનક લીફટ કોઈ કારણોસર લીફટ બંધ થતાં ઘણાં લોકો આ લીફટ માં ફસાયા વીસ મીનીટ જેટલો સમય લોકો લીફટ માં ફસાયા ત્યાર બાદ અંતે લીફટ તોડી નેં લોકો બહાર કાઢવામાં આવેલ જેમાં વાલ્મિકી સમાજ નાં આગેવાન આશીષ ભાઈ જેઠવા અને અન્ય મહિલા ઓ ની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અફરાતફરી નો માહોલ સર્જાયો અને કોંગ્રેસ પુર્વ ધારાસભ્ય લલીતભાઈ વસોયા અને ચીફ ઓફિસર હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા1
- यहुदी इतिहास।1