Shuru
Apke Nagar Ki App…
ખેડતસિયા રોડ પર થી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપયો પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર-ખેડ તસિયા રોડ પર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સુંદરગઢ ગામની સીમમાં ચેકિંગ દરમિયાન રિક્ષામાંથી 111 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 47,320નો દારૂ, 5,000નો મોબાઈલ અને 70,000ની રિક્ષા સહિત કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 19 વર્ષીય અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાતની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખબર વડાલી
ખેડતસિયા રોડ પર થી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે રિક્ષામાંથી વિદેશી દારૂ ઝડપયો પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ હિંમતનગર-ખેડ તસિયા રોડ પર એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે સીએનજી રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. સર્વેલન્સ સ્ક્વોડ દ્વારા સુંદરગઢ ગામની સીમમાં ચેકિંગ દરમિયાન રિક્ષામાંથી 111 બોટલ દારૂ મળી આવ્યો હતો. પોલીસે 47,320નો દારૂ, 5,000નો મોબાઈલ અને 70,000ની રિક્ષા સહિત કુલ 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે 19 વર્ષીય અંકિત ઉર્ફે ખેમો નારણભાઈ ભણાતની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી- લોકશાહીના પર્વ નિમિત્તે વધુમાં વધુ મતદાન થાય અને લોકોમાં મતદાન પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી સાબરકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં મતદાતા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગ્રામીણ મતદારોને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. મતદાન એ આપણો પવિત્ર અધિકાર છે. કોઈ પણ મતદાર મતદાનથી વંચિત ન રહે અને પ્રક્રિયાની જાણકારીના અભાવે કોઈ ભૂલ ન થાય તે માટે આ નિદર્શન યોજવામાં આવ્યું હતું. સ્થાનિક ગ્રામજનોએ પણ આ પહેલને આવકારી હતી અને આગામી ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક અને સો ટકા મતદાન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.1
- હાલોલ તાલુકાના ગરીયાલ ગામે આવેલી ગરીયાલ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ માટે વિદાય અને શુભેચ્છા સમારંભ ભાવસભર વાતાવરણમાં યોજાયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી ઉચ્ચ અભ્યાસ માટે આગળ વધતા આશરે ૨૨ વિદ્યાર્થીઓને આ પ્રસંગે શાળાના પરિવાર તરફથી હાર્દિક વિદાય અપાઈ હતી. કાર્યક્રમની શરૂઆત ધોરણ-૮ ના વિદ્યાર્થીઓ દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના શિક્ષકો સર્વશ્રી મહેશભાઈ, અરવિંદભાઈ, લાલેશભાઈ અને આશિષભાઈએ પ્રાસંગિક પ્રવચનો આપીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે વિદ્યાર્થીઓને મહેનત, સંસ્કાર અને શિસ્તના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપી હતી. વિદાય પ્રસંગે શાળા તરફથી તમામ વિદ્યાર્થીઓને વિદાય પત્ર તથા પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પોતાની યાદગાર રૂપે શાળાને “શિક્ષાનો દીવો” ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો, જે તેમની લાગણીઓ અને શાળા પ્રત્યેના લાગણીસભર જોડાણનું પ્રતિક બન્યો. શાળાના આચાર્યશ્રી રાજેશકુમાર પાટીએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, “તમે જીવનમાં ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચો, પરંતુ જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા વ્યક્તિત્વમાં અભિમાન ન હોય અને તમે શાળાનું નામ રોશન કરો તેવી મારી શુભેચ્છા છે.” કાર્યક્રમના અંતે તમામ માટે પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધોરણ-૭ ના વિદ્યાર્થી પરમાર કુશાલકુમાર દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ વખાણ્યું હતું.1
- વિજાપુર:મણિપુરા ખાતે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા: જિલ્લા પ્રમુખ જયદેવસિંહે ઉમેદવારોને વોટ આપી પરિવર્તન લાવવા અપીલ કરી, આગેવાનો અને ગ્રામજનોની ભારે ભીડ મહેસાણા: વિજાપુર તાલુકાના મણિપુરા ગામે ગઈ રાત્રે આમ આદમી પાર્ટીની વિશાળ જનસભા યોજાઈ હતી. આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લા પ્રમુખ જયદેવસિંહે સભાને સંબોધતા પાર્ટીના જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોને વોટ આપીને ગામડાઓમાં સાચું પરિવર્તન લાવવા માટે ગ્રામજનોને અપીલ કરી હતી. મણિપુરા ગામના આગેવાનો અને ગ્રામજનોની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી. આખા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો જનસભામાં જોડાયા હતા અને ઉત્સાહપૂર્વક પાર્ટીના નેતાઓના સંબોધનને સાંભળ્યું હતું. સભામાં જયદેવસિંહે કહ્યું કે, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાચા અર્થમાં આમ આદમીના મુદ્દાઓને આગળ લઈ જશે. પાણી, રસ્તા, વીજળી, આરોગ્ય સેવાઓ અને શિક્ષણ જેવા મૂળભૂત પ્રશ્નોના નિવારણ માટે પાર્ટી પ્રતિબદ્ધ છે. તેમણે ખેડૂતો, યુવાનો અને મહિલાઓની સમસ્યાઓને પ્રાથમિકતા આપીને તેમના જીવનસ્તરમાં સુધારો લાવવાના વચન આપ્યા. જનસભામાં જયદેવસિંહે ગ્રામજનોને જાગૃત કરતા કહ્યું કે, ભ્રષ્ટાચારમુક્ત અને વિકાસલક્ષી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ બનાવવા માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વોટ આપવા જરૂરી છે. આ વખતે પરિવર્તનની તક છે અને તેને વેગ આપવો જોઈએ. વિજાપુર તાલુકા પ્રમુખ તરુણ પટેલ, પ્રદેશ સહમંત્રી ચિરાગ પટેલ, પ્રદેશ સહમંત્રી વિપુલ પટેલ, શહેર પ્રમુખ મેહુલ પટેલ, યશ પટેલ, વિજાપુર ઓજી ગોવિંદપુરા જિલ્લા પંચાયત શીટના ઉમેદવાર મલન પટેલ, વિજાપુર ગોવિંદપુરા ઓજી-2 તાલુકા પંચાયત ઉમેદવાર શ્રી નિધિ પટેલ, ડાભલા જિલ્લા પંચાયતના ઉમેદવાર સહિત મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ભારે ઉત્સાહ સાથે જનસભામાં જોડાયા હતા. જનસભાના અંતે આમ આદમી પાર્ટીના નેતાઓએ જનતાને અપીલ કરી કે, “આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથીઓને જંગી બહુમતીથી જીતાડશો, એક મોકો જરૂર આપજો.” આમ આદમી પાર્ટી વિજાપુર તાલુકાના વિવિધ ગામડાઓમાં આવી જનસભાઓ અને પ્રચાર અભિયાન વેગવંતો બનાવવા માટે આયોજન કરી રહી છે. પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે, આગામી સ્થાનિક ચૂંટણીમાં લોકોના સમર્થનથી સકારાત્મક પરિવર્તન લાવવામાં આવશે.1
- vote##for #yuva @#shakti1
- Post by AZAJDHUKKA1
- હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉનાળાની કાળ જાળ ગરમી વચ્ચે રાજકીય ગરમી વધતા ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે અને ઉમેદવારો પોતાના મતદારોને રીઝવવા માટે ડોર ટુ ડોર જનસંપર્ક કરી રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પંચાયત દેમતી સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઉપાસનાબેન પ્રજાપતિ દ્વારા તેમના સમર્થકો સાથે લાંબડીયા ગામે ઢોલ નગારા સાથે જનસંક્રપ કરવામાં આવેલ1
- બનાસકાંઠા ડીસા- ધાનેરા હાઇવે પર ટેટોડા નજીક થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો... અમદવાદની સોના ચાંદીની ખાનગી પેઢીના કર્મીઓની થઇ હતી લૂંટ... કારમાં 13 કિલો ચાંદી લઇ પસાર થઇ રહ્યા હતા તે સમયે થઇ હતી લૂંટ... સામેથી અજાણી કારમાં આવેલા 4 શખ્સઓ કારમાંથી 13 કિલો ચાંદીની લૂંટ કરી થયા હતા ફરાર... ઘટનાની જાણ પોલીસને થતા પોલીસએ ગણતરીના કલાકોમાં લૂંટ કરનાર શખ્સઓને દબોચ્યા.. લૂંટારાઓએ પોલીસની પ્રાઇવેટ કારને પણ ટક્કર મારી ફરાર થવાનો કર્યો હતો પ્રયાસ... પેઢીમાંથી 15 દિવસ પહેલા છુટા થયેલા કર્મીએ જ આખી લૂંટનું કાવતરું ગોઠવ્યું હોવાનું આવ્યું સામે... પોલીસએ 5 આરોપીઓની અટકાયત કરી તો આખી લૂંટનો માસ્ટર માઈન્ડ હજુ ફરાર... સમગ્ર મામલે પોલીસએ ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ...1
- મળતી માહિતી મુજબ વડાલી તાલુકાના હાથરવા કંપાના કચ્છી પાટીદાર ખેડૂત સેવંતિભાઈ બાબુભાઈ પટેલ 20 એપ્રિલે બપોરે બેન્કમાં કામ હોવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ અચાનક ગુમ થઈ ગયા છે. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ વડાલી સ્થિત બેન્કમાં ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘરે પરત ફર્યા નથી.આ ઘટનાની જાણ થતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સગા-સંબંધીઓ તેમજ ઓળખીતાઓ પાસે તપાસ કરવામાં આવી, છતાં તેમનો કોઈ પત્તો મળ્યો નથી.આ ઘટનાને કારણે પરિવાર સાથે કચ્છી પાટીદાર સમાજમાં ચિંતા ફેલાઈ છે.પોલીસે ગુમ થયાની નોંધ લઈ સેવંતિભાઈના મોબાઈલ લોકેશન સહિત અન્ય સંભવિત દિશાઓમાં તપાસ શરૂ કરી છે.1