Shuru
Apke Nagar Ki App…
રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
RELAX NEWS TAPI
રાજપીપળા સેશન્સ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત કુલ 9 લોકોને સંડોવતા એક કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જંગલ ખાતાની જમીનના વિવાદ સંબંધિત એક મામલામાં વન અધિકારી પર હુમલાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
More news from ગુજરાત and nearby areas
- તાપી જિલ્લાની ખાલસાપાડા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યો હતો.1
- અંકલેશ્વરમાં કન્યા કેળવણી મહોત્સવના અવસરે બાળકોએ અત્યંત ઉત્સાહ સાથે શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.1
- સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનના સ્ટાફે એક મોટી સફળતા મેળવીને છેલ્લા સાત વર્ષથી ફાયરિંગ અને હત્યાના ગંભીર ગુનામાં નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ભગવાન ઉર્ફે ઉલ્લા પ્રધાનને જોળવા પંચાયત પાસેથી ઝડપી પાડ્યો છે. આ કામગીરી મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ (સુરત વિભાગ) અને સુરત ગ્રામ્યના પોલીસ અધીક્ષક શ્રી રાજેશ ગઢિયા દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે આપવામાં આવેલી ખાસ સૂચના અને માર્ગદર્શનના આધારે કરવામાં આવી હતી, જેમાં બારડોલી વિભાગના વિભાગીય પોલીસ અધીક્ષક શ્રી એચ.એલ. રાઠોડનું પણ દિશાનિર્દેશન હતું. આજરોજ તારીખ 23 જૂન, 2026 ના રોજ પલસાણા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ હેમંતભાઈ ઘનશ્યામભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીગરભાઈ દિનેશભાઈને સંયુક્તપણે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, વર્ષ 2019 ના મર્ડર કેસનો નાસતો-ફરતો મુખ્ય આરોપી ભગવાન ઉર્ફે ઉલ્લા પોતાના વતન ઓડિશાથી સુરત આવ્યો છે અને તે કેસરી કલરનો આખી બાયનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરીને જોળવા તરફ આવવાનો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક જોળવા પંચાયત પાસે વોચ ગોઠવીને આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. આ ગુનો ગઈ તારીખ 09 ઓક્ટોબર, 2019 ના રોજ પલસાણા તાલુકાના જોળવા ગામે આવેલા આરાધના એપાર્ટમેન્ટની બાજુમાં જાહેરમાં થયો હતો. જેમાં આરોપીઓ બનવાસી ઉર્ફે બન્નો, કુન્ના, વિક્કી તથા ભગવાન ઉર્ફે ઉલ્લા સત્યમ પ્રધાને ફરિયાદીના સાળા સાથે હોટેલના ધંધા બાબતે તકરાર કરી હતી. આ ઝઘડા દરમિયાન આરોપીઓએ પિસ્તોલ વડે આડેધડ ફાયરિંગ કરી ફરિયાદીના સાળાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. બચાવ કરવા પડેલા રોશન જીતુભાઈ રાઠોડ નામના યુવકને આરોપીઓએ પિસ્તોલથી ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ ઉપરાંત, ફરિયાદીને પણ લોખંડની પાઇપ વડે ઢોર માર મારી ઈજાઓ પહોંચાડી આરોપીઓ નાસી છૂટ્યા હતા. આ અંગે પલસાણા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 303, 307, 324, 114, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો. પકડાયેલ આરોપીનું નામ ભગબાન ઉર્ફે ભગવાન ઉર્ફે ઉલ્લા સત્ય પ્રધાન છે, જેની ઉંમર 40 વર્ષ છે અને તે મજૂરીનો ધંધો કરે છે. તે નૂતન બહેરામપુર, થાના: ખલીકોટ, જીલ્લો: ગંજમ, ઓડિશાનો રહેવાસી છે. આ સફળ કામગીરી પલસાણા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી બી.ડી. ઝીલરીયાના નેતૃત્વમાં અ.હે.કો. હેમંતભાઈ ઘનશ્યામભાઈ, અ.હે.કો. નિકેતકુમાર ખુમાનસંગભાઈ, પો.કો. જીગરભાઈ દિનેશભાઈ, પો.કો. વિક્રમભાઈ ગંધુભાઈ, પો.કો. નિલેશભાઈ જગદિશભાઈ, પો.કો. સંજયભાઈ હેમંતભાઈ, પો.કો. વિષ્ણુભાઈ નારણભાઈ અને પો.કો. મહિપાલસિંહ દીપકસિંહ દ્વારા કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની જેલભેગા કરવાની કાર્યવાહી હાથ ધરી છે.1
- રાજસ્થાનના પૂર્વ કોન્સ્ટેબલ સુરેશ છાબાની વર્ષ 2024માં ફાયરિંગ અને હત્યાના પ્રયાસના ગુનામાં ઓડિશાથી ધરપકડ કરવામાં આવી છે.1
- સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.1
- અંકલેશ્વરમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ ઉજવવામાં આવ્યો.1
- સુરતમાં અંધશ્રદ્ધાના નામે દુષ્કર્મની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે સિંગણપોર પોલીસે નરેશ ચૌહાણ નામના એક ભુવાને ઝડપી પાડ્યો છે. આરોપી નરેશ ચૌહાણ ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવીને પોતાને માતાજીના સેવક તરીકે રજૂ કરવાનો ઢોંગ કરતો હતો.1
- સરદાર નગરી બારડોલી નગરપાલિકાના વોર્ડ નં. 1 હેઠળ આવતી નહેર કોલોની અને અલંકાર સિનેમા સામેના સ્લમ વિસ્તારના રહેવાસીઓએ શૌચાલય અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓના ગંભીર અભાવ અંગે વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ સમસ્યાઓને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું જણાવી બારડોલી નગરપાલિકા ખાતે મોરચો કાઢ્યો હતો. વિસ્તારની મહિલાઓના જણાવ્યા મુજબ, વસાહતમાં કોઈ જાહેર શૌચાલય ન હોવાથી મહિલાઓ, કિશોરીઓ અને ગર્ભવતી મહિલાઓ સહિત તમામને રાત્રિના સમયે ખુલ્લામાં શૌચક્રિયા કરવા જવાની ફરજ પડે છે. આ પરિસ્થિતિને કારણે તેમની સુરક્ષા, સ્વાસ્થ્ય અને ગૌરવ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. રહેવાસીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે સરકાર "હર ઘર નળ, ઘર ઘર નળ" જેવા દાવાઓ કરતી હોવા છતાં, તેમના વિસ્તારમાં પૂરતું અને નિયમિત પીવાનું પાણી મળતું નથી. ઉપરાંત, ગંદકી, ગટર અને અસ્વચ્છ વાતાવરણ વચ્ચે જીવન જીવવું પડી રહ્યું હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર પ્રશ્નોને લઈને બારડોલી નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિબેન પટેલ, કાલુ કરીમ શાહ અને કેયુરીબેન ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહેવાસીઓ બારડોલી નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. તેમણે ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાને લેખિત રજૂઆત કરી હતી. તેમની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક જાહેર શૌચાલયનું નિર્માણ, પીવાના પાણીની નિયમિત અને પૂરતી વ્યવસ્થા તથા વિસ્તારની સફાઈ અને સ્વચ્છતા અંગે યોગ્ય કાર્યવાહી કરવાનો સમાવેશ થતો હતો. રજૂઆત દરમિયાન, ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણાએ રજૂઆતકારોને આશ્વાસન આપતા જણાવ્યું કે વિસ્તાર માટે કાયમી જાહેર શૌચાલય બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ત્યાં સુધી તાત્કાલિક રાહતરૂપે હરતું-ફરતું શૌચાલય (મોબાઇલ ટોયલેટ વાન) ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે પીવાના પાણીની સમસ્યાનો પણ ઝડપથી નિકાલ લાવવા જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ચીફ ઓફિસરના આશ્વાસન બાદ રજૂઆત માટે આવેલા લોકોનો તાત્કાલિક રોષ શાંત પડ્યો હતો. જોકે, સ્થાનિકોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.1
- ધારાસભ્ય ચૈતર વસાવાને સાત વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સજા સંબંધી આદેશ વડોદરા મધ્ય જેલ ખાતે રવાના કરવામાં આવ્યા છે.1