logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

તારાપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો બેહાલ; ડાંગરના ધરૂવાડીયાને નુકશાન આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં હાલમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પરિણામે ડાંગરનું ધરૂ સંપૂર્ણપણે ડૂબી જતાં કહોવાઈ ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અનેક ખેડૂતોને બબ્બે વખત ડાંગરનું ધરૂ તૈયાર કરવું પડ્યું હતું, છતાં સતત વરસાદને કારણે તે પણ નિષ્ફળ ગયું છે. તારાપુર તાલુકામાં અંદાજે ૩૨ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મોટાભાગના વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તાલુકામાં ૯૦ થી ૯૫ ટકા ધરૂવાડિયા સંપૂર્ણપણે ફેલ થઈ ગયા છે. પાણીના ભરાવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર અને પંપની મદદથી ખેતરોમાંથી પાણી કાઢવા માટે ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આગામી વાવણી માટે બિયારણ સહાય જાહેર કરવામાં આવે. જો સમયસર સહાય નહીં મળે તો અનેક ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાઈ શકે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? ખેડૂતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણાપટેલ, તારાપુરનો અવાજ ન્યૂઝ.એસ.ટી.બસસ્ટેશન તારાપુર ૬૩ ૫૨ ૨૪ ૯૯ ૪૨

16 hrs ago
user_TNA NEWS GUJARATI
TNA NEWS GUJARATI
Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
16 hrs ago

તારાપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો બેહાલ; ડાંગરના ધરૂવાડીયાને નુકશાન આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં હાલમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પરિણામે ડાંગરનું ધરૂ સંપૂર્ણપણે ડૂબી જતાં કહોવાઈ ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અનેક ખેડૂતોને બબ્બે વખત ડાંગરનું ધરૂ તૈયાર કરવું પડ્યું હતું, છતાં સતત વરસાદને કારણે તે પણ નિષ્ફળ ગયું છે. તારાપુર તાલુકામાં અંદાજે ૩૨ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મોટાભાગના વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તાલુકામાં ૯૦ થી ૯૫ ટકા ધરૂવાડિયા સંપૂર્ણપણે ફેલ થઈ ગયા છે. પાણીના ભરાવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર અને પંપની મદદથી ખેતરોમાંથી પાણી કાઢવા માટે ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આગામી વાવણી માટે બિયારણ સહાય જાહેર કરવામાં આવે. જો સમયસર સહાય નહીં મળે તો અનેક ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાઈ શકે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? ખેડૂતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણાપટેલ, તારાપુરનો અવાજ ન્યૂઝ.એસ.ટી.બસસ્ટેશન તારાપુર ૬૩ ૫૨ ૨૪ ૯૯ ૪૨

More news from ગુજરાત and nearby areas
  • તારાપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો બેહાલ; ડાંગરના ધરૂવાડીયાને નુકશાન આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં હાલમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પરિણામે ડાંગરનું ધરૂ સંપૂર્ણપણે ડૂબી જતાં કહોવાઈ ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અનેક ખેડૂતોને બબ્બે વખત ડાંગરનું ધરૂ તૈયાર કરવું પડ્યું હતું, છતાં સતત વરસાદને કારણે તે પણ નિષ્ફળ ગયું છે. તારાપુર તાલુકામાં અંદાજે ૩૨ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મોટાભાગના વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તાલુકામાં ૯૦ થી ૯૫ ટકા ધરૂવાડિયા સંપૂર્ણપણે ફેલ થઈ ગયા છે. પાણીના ભરાવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર અને પંપની મદદથી ખેતરોમાંથી પાણી કાઢવા માટે ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે. ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આગામી વાવણી માટે બિયારણ સહાય જાહેર કરવામાં આવે. જો સમયસર સહાય નહીં મળે તો અનેક ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાઈ શકે છે. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? ખેડૂતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણાપટેલ, તારાપુરનો અવાજ ન્યૂઝ.એસ.ટી.બસસ્ટેશન તારાપુર ૬૩ ૫૨ ૨૪ ૯૯ ૪૨
    1
    તારાપુર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતો બેહાલ; ડાંગરના ધરૂવાડીયાને નુકશાન 
આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં છેલ્લા પંદરેક દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદે ખેડૂતોની ચિંતા અનેક ગણી વધારી દીધી છે. ભારે વરસાદના કારણે સમગ્ર તાલુકાના અનેક ખેતરો જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખાસ કરીને ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે.
ખેડૂતોના જણાવ્યા મુજબ ખેતરોમાં હાલમાં બે થી ત્રણ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. પરિણામે ડાંગરનું ધરૂ સંપૂર્ણપણે ડૂબી જતાં કહોવાઈ ગયું છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે અનેક ખેડૂતોને બબ્બે વખત ડાંગરનું ધરૂ તૈયાર કરવું પડ્યું હતું, છતાં સતત વરસાદને કારણે તે પણ નિષ્ફળ ગયું છે.
તારાપુર તાલુકામાં અંદાજે ૩૨ હજાર હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી થાય છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા મોટાભાગના વિસ્તારમાં પાક નિષ્ફળ જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તાલુકામાં ૯૦ થી ૯૫ ટકા ધરૂવાડિયા સંપૂર્ણપણે ફેલ થઈ ગયા છે.
પાણીના ભરાવાને કારણે ખેડૂતો ટ્રેક્ટર અને પંપની મદદથી ખેતરોમાંથી પાણી કાઢવા માટે ભારે મથામણ કરી રહ્યા છે, પરંતુ સતત વરસાદને કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે.
ખેડૂતોએ રાજ્ય સરકાર અને જિલ્લા પ્રશાસન સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક નુકસાનનો સર્વે કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આગામી વાવણી માટે બિયારણ સહાય જાહેર કરવામાં આવે.
જો સમયસર સહાય નહીં મળે તો અનેક ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં સપડાઈ શકે છે.
આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? ખેડૂતોને તાત્કાલિક વળતર મળવું જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો.
આવા જ સ્થાનિક અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલ તારાપુરનો અવાજ ન્યૂઝને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
ખાસ રિપોર્ટ ભાવેશભાઈ આંજણાપટેલ, તારાપુરનો અવાજ ન્યૂઝ.એસ.ટી.બસસ્ટેશન તારાપુર ૬૩ ૫૨ ૨૪ ૯૯ ૪૨
    user_TNA NEWS GUJARATI
    TNA NEWS GUJARATI
    Video Creator તારાપુર, આણંદ, ગુજરાત•
    16 hrs ago
  • સોજીત્રામાં આવેલ આઈટીઆઈ સામેના વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ
    1
    સોજીત્રામાં આવેલ આઈટીઆઈ સામેના વિસ્તારમાંથી લાખો રૂપિયાની કિંમતના સામાનની ચોરી થઈ
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    10 hrs ago
  • ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે! ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે! વડોદરા શહેરની મહારાણી તરીકે ગણાતા ઠેકરનાથના માં દશામાના ભવ્ય આગમનને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગમ ખાતેથી માતાજીની મૂર્તિનું નેજા સ્થળે આગમન કરાયું હતું. વડોદરા શહેરવાસીઓ તથા ઠેકરનાથ દશામાં બાળ યુવક મંડળ દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સુરક્ષિત આયોજન માટે વડોદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત કરાયા હતા.
    1
    ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે!
ઠેકરનાથમાં માં દશામાનું ભવ્ય આગમન, ભક્તોની ભીડ વચ્ચે પોલીસ-ફાયર બ્રિગેડ ખડેપગે!
વડોદરા શહેરની મહારાણી તરીકે ગણાતા ઠેકરનાથના માં દશામાના ભવ્ય આગમનને લઈ ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સંગમ ખાતેથી માતાજીની મૂર્તિનું નેજા સ્થળે આગમન કરાયું હતું. વડોદરા શહેરવાસીઓ તથા ઠેકરનાથ દશામાં બાળ યુવક મંડળ દ્વારા માતાજીનું ભવ્ય સ્વાગત કરાયું. મોટી સંખ્યામાં ભક્તો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સુરક્ષિત આયોજન માટે વડોદરા પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો, જ્યારે મહાનગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડના જવાનો પણ તૈનાત કરાયા હતા.
    user_Seva Samaj News
    Seva Samaj News
    Local News Reporter વડોદરા પૂર્વ, વડોદરા, ગુજરાત•
    1 hr ago
  • વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ
    1
    વડોદરા શહેર ઠેકરનાથ ના દશામાંનુ આજ રોજ ભવ્ય આગમન ભાવિક ભગતો સાથે માતાજી આગમન વડોદરા ઠેકરનાથ
    user_Dharmendra m parmar
    Dharmendra m parmar
    Local News Reporter વડોદરા દક્ષિણ, વડોદરા, ગુજરાત•
    3 hrs ago
  • અમદાવાદમાં SMCનો મેગા દરોડો! દરિયાપુર જિમખાનામાં 150થી વધુ જુગારીઓ ઝડપાયા?
    1
    અમદાવાદમાં SMCનો મેગા દરોડો! દરિયાપુર જિમખાનામાં 150થી વધુ જુગારીઓ ઝડપાયા?
    user_News For India
    News For India
    Newsstand Vejalpur, Ahmadabad•
    4 hrs ago
  • ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate
    1
    ઠેકરનાથ ના દશા માં નું ડીજે ના તાલે ભવ્ય આગમન થતાં નગરજનો મોટી સંખ્યામાં જોડાયા. The bealertnews24×7 VMC-Vadodara Municipal Corporation Bharatiya Janata Party (BJP) #vadodara #facebookreels #facebookviral #BreakingNews #BREAKING #instagram #instagramreels #viralreels #viralpost #viral #gujratireels #gujrat #india #online #vadodararealestate
    user_THE BEALERT NEWS
    THE BEALERT NEWS
    વડોદરા પશ્ચિમ, વડોદરા, ગુજરાત•
    5 hrs ago
  • Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.
    1
    Hardik Pandya and his girlfriend, Mahieka Sharma, participated in the Suprabhatham Seva at the shrine of Lord Venkateswara.
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Vadodara East, Gujarat•
    15 hrs ago
  • પેટલાદ શહેરમાં ટાઉનહોલ પાછા સ્વામિનારાયણ મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા
    1
    પેટલાદ શહેરમાં ટાઉનહોલ પાછા સ્વામિનારાયણ મંદિર રોડ પર વરસાદી પાણી ભરાયા
    user_Jitu Christi
    Jitu Christi
    પેટલાદ, આણંદ, ગુજરાત•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.