Shuru
Apke Nagar Ki App…
अच्छीखबर।
રજની ભાઈ પરીખ
अच्छीखबर।
More news from Gujarat and nearby areas
- અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી1
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1
- આ કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને કેન્દ્ર સરકારની Pradhan Mantri Kisan Samman Nidhi સહિતની વિવિધ કૃષિ સહાય યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતી સહાયનો લાભ સમયસર મળે તે માટે રજીસ્ટ્રેશન અને દસ્તાવેજોની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી રહી છે.1
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- Post by Gadhadara Ankit1
- *ધંધુકા ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈનમાંથી પાણી રોડ પર વેડફાઈ છે. ક્રિષ્ના રેસીડેન્સીના સ્થાનિકો દ્વારા લેખિત રજુઆત કરવા છતાં પ્રશ્નનુ કોઈ નિરાકરણ નહીં. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરની ક્રિષ્ના રેસીડેન્સી ઘરડા ઘર પાસે પીવાના પાણીની લાઈન આવેલી છે જેમાંથી જયારે નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે ત્યારે મોટા પ્રમાણેમાં પાણી રોડ બહાર નીકળતા વેડફાઈ છે. આ મુદ્દે સ્થાનિકો દ્વારા પાલિકાને લેખિત આપવા છતાં તંત્ર આંખ આડા કાન કરી ફક્ત વેરો ઉઘરાણીમાં ધ્યાન આપતી હોય તેવું દેખાઈ રહ્યું છે. ઉનાળાના સમયમાં અચોકકસ મુદતમાં પાણી આપવામાં આવે છે તેવામાં પણ આ પાણી વેડફાઈ તો જવાબદાર કોણ. પાણીની લાઈન માંથી રોડ પર પાણી આવતા હવે RCC રોડમાં પણ તિરાડો પડવા લાગી છે ને સમગ્ર સોસાયટીમાં બે-ત્રણ જગ્યાએ રોડ લીક થયાં લાગ્યા છે.1
- हास्य व्यग ।1
- અમરેલી રાજુલા ના કોવાયા રોડ પર જોવા મળ્યું સિંહ નું ટોળું1
- ત્યારે આ સમૂહ લગ્નનું આમંત્રણ આપવા માટે આર્યન ભગત ઉમરાળા ગ્રામ પંચાયતના સરપંચ અરવિંદભાઈ ધરજીયા સાંકરડી ગીતાંજલી સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અરવિંદભાઈ ધરજીયા અને સામાજિક આગેવાનો પણ હાજર રહ્યા હતાં ત્યારે અલમપુર ના ગામના લોકો આર્યન ભગતના વધામણાં કર્યાં હતા અને અલમપુર ગામના લોકો તેમજ રામદેવપીર મંડળ ના યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્ય હતા1