સંતરામપુરની મંગલજ્યોત સોસાયટીના ધર્મપ્રેમી રહીશો દ્વારા 'જ્ઞાનદીપ પ્રાથમિક શાળા' ના પરિસરમાં પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે વિશ્વશાંતિ તેમજ સર્વજન કલ્યાણ અર્થે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.. તારીખ: 02 એપ્રિલ 2026 તા.31/3/2026 ને મંગળવારે સંતરામપુરની મંગલજ્યોત સોસાયટીના ધર્મપ્રેમી રહીશો દ્વારા 'જ્ઞાનદીપ પ્રાથમિક શાળા' ના પરિસરમાં પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે વિશ્વશાંતિ તેમજ સર્વજન કલ્યાણ અર્થે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શાસ્ત્રીશ્રી મહેશભાઇ જોષીના માર્ગદર્શન દ્વારા વિનુભાઇ પટેલ, અલ્પેશભાઇ દરજી, દીપકભાઇ પાઠક સહિત દસ દંપતીએ યજ્ઞપૂજામાં આહુતિ આપીહતી. સોસાયટીના તમામ રહીશો આ પવિત્ર અને પાવન પર્વમાં ઉત્સાહ પૂર્વક સામેલ થયા હતા. સવારે તેમજ સાંજે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ શુભ અવસરે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કુબેર ડિંડોર ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો, અને આયોજકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. મંગળજ્યોત સોસાયટીના અગ્રણી નરેન્દ્રભાઈ પટેલ, રમેશભાઇ શ્રીમાળી, કેતનભાઇ પટેલ,હરપાલસિંહ ચૌહાણ,જયંતીભાઈ ત્રિવેદી, રામભાઇ પટેલ, જીતેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઇ પટેલ (દયાળુ), જયેન્દ્રસિંહ રાઠોડ, અમૃતભાઇ ઠાકોર, જયપાલસિંહ પુવાર, ગિરીશભાઈ પટેલ, અલ્પેશભાઇ શાહ, નિલેશભાઇ ભોઇ, જયેશભાઇ જોષી અને તેની સમગ્ર ટીમે સુંદર આયોજન તથા સખત મહેનત કરી આમંત્રિત મહેમાનો અને સોસાયટીના રહીશોના દિલ જીતી લીધા હતા. દર વર્ષે આવા સરસ કાર્યો સોસાયટીમાં થાય અને રહીશો આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થાય તેમજ રહીશોની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવા ભૂદેવોના આશીર્વાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ... રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
સંતરામપુરની મંગલજ્યોત સોસાયટીના ધર્મપ્રેમી રહીશો દ્વારા 'જ્ઞાનદીપ પ્રાથમિક શાળા' ના પરિસરમાં પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે વિશ્વશાંતિ તેમજ સર્વજન કલ્યાણ અર્થે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.. તારીખ: 02 એપ્રિલ 2026 તા.31/3/2026 ને મંગળવારે સંતરામપુરની મંગલજ્યોત સોસાયટીના ધર્મપ્રેમી રહીશો દ્વારા 'જ્ઞાનદીપ પ્રાથમિક શાળા' ના પરિસરમાં પવિત્ર ચૈત્ર માસ નિમિત્તે વિશ્વશાંતિ તેમજ સર્વજન કલ્યાણ અર્થે માતાજીના નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. શાસ્ત્રીશ્રી મહેશભાઇ જોષીના માર્ગદર્શન દ્વારા વિનુભાઇ પટેલ, અલ્પેશભાઇ દરજી, દીપકભાઇ પાઠક સહિત દસ દંપતીએ યજ્ઞપૂજામાં આહુતિ આપીહતી. સોસાયટીના તમામ રહીશો આ પવિત્ર અને પાવન પર્વમાં ઉત્સાહ પૂર્વક સામેલ થયા હતા. સવારે તેમજ સાંજે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. . આ શુભ અવસરે વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કુબેર ડિંડોર ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો, અને આયોજકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો. મંગળજ્યોત સોસાયટીના અગ્રણી નરેન્દ્રભાઈ પટેલ, રમેશભાઇ શ્રીમાળી, કેતનભાઇ પટેલ,હરપાલસિંહ ચૌહાણ,જયંતીભાઈ ત્રિવેદી, રામભાઇ પટેલ, જીતેન્દ્રસિંહ ઝાલા, ભરતભાઇ પટેલ (દયાળુ), જયેન્દ્રસિંહ રાઠોડ, અમૃતભાઇ ઠાકોર, જયપાલસિંહ પુવાર, ગિરીશભાઈ પટેલ, અલ્પેશભાઇ શાહ, નિલેશભાઇ ભોઇ, જયેશભાઇ જોષી અને તેની સમગ્ર ટીમે સુંદર આયોજન તથા સખત મહેનત કરી આમંત્રિત મહેમાનો અને સોસાયટીના રહીશોના દિલ જીતી લીધા હતા. દર વર્ષે આવા સરસ કાર્યો સોસાયટીમાં થાય અને રહીશો આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થાય તેમજ રહીશોની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહે તેવા ભૂદેવોના આશીર્વાદ સાથે કાર્યક્રમ પૂર્ણ થયેલ... રિપોર્ટર:-/સલમાન મોરાવાલા સંતરામપુર. મો,9427221409
- Post by Salman moravala1
- DAHOD:ફતેપુરા: સુખસર: સલિયાટા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ 15 માં નાણાપંચના કામોમાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચાર્યો હોવાના આક્ષેપ સાથે ફતેપુરા કોંગ્રેસ પ્રમુખ સુભાષ પારગીએ દાહોદ DDO ને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરીને તપાસ કરી,કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી1
- Congress Party Dahod हर्षद भाई निनामा,अध्यक्ष,दाहोद जिला कांग्रेस समिति पिछले 22 दिनों से धरने पर1
- દાહોદ રેલવે પોલીસ દ્વારા ચોરીના મોબાઈલ સાથે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આજે તારીખ 01/04/2026 બુધવારના રોજ બપોરે 12.30 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ રેલવે પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ મોબાઇલ ચોરીનો અનડિટેક્ટ ગુનો આખરે ઉકેલવામાં આવ્યો છે. દાહોદ રેલવે પોલીસ (GRP) દ્વારા CEIR PORTALના આધારે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન આરોપી સોયેબ સિદ્દીક શેખ ને કબ્જે લેવામાં આવ્યો હતો. તેની પાસેથી અંદાજે રૂ. 15,000ની કિંમતનો ચોરાયેલ મોબાઇલ મુદ્દામાલ તરીકે જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ટેક્નિકલ આધારો અને CEIR PORTALની મદદથી ગુનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. દાહોદ રેલવે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને કારણે અનડિટેક્ટ ગુનાઓ ઉકેલવામાં સફળતા મળતી હોવાનું માનવામાં આવી રહ્યું છે અને આવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે આગળ પણ સઘન કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.1
- શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત ધીએમ. જી.એસ હાઇસ્કુલ અને સી.બી. ગર્લ્સ હાઇસ્કુલ નો વાર્ષિકોત્સવ યોજાયો શ્રી કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત એમ જી એસ હાઇસ્કુલ ખાતે ખાતે એમજીએસ અને સી બી ગર્લ્સ હાઇસ્કુલ નાં વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે જીલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ જીગરભાઈ પટેલ તથા શિક્ષણ નિરીક્ષક જીગ્નેશભાઈ પટેલ ઉપસ્થીત રહ્યા હતા . મુખ્ય મહેમાન તરીકે હાલોલ મોડેલ સ્કૂલના આચાર્ય એન કે વાઘેલા અને દુનિયાં મોડલ સ્કૂલના આચાર્ય હાર્દિકભાઈ પટેલ તેમજ વિવિધ સરકારી શાળા ના આચાર્ય હાજર રહ્યા હતા.કેળવણી મંડળ ના પ્રમુખ પ્રકાશભાઈ ગાંધી, ઉપપ્રમુખ જયંતભાઈ મહેતા, મંત્રી વિરેન્દ્ર મહેતા સહ મંત્રી યોગેશભાઈ મહેતા અને ખજાનચી મનોજભાઈ પરીખ બન્ને શાળાના આચાર્ય કે પી પટેલ અને એન પી પટેલ શાળા નો સ્ટાફ વિધાર્થીઓ અને વાલીગણ હાજર રહ્યા હતા.મુખ્ય મહેમાન તરીકે બન્ને શાળા ના વિધાર્થીઓ એ કુલ ૨૦ કૃતિઓ રજુ કરી હતી જેમા મુખ્યત્વે ખેડૂત ની વેદના, છાવા શંભાજી મહારાજ, ફિલ્મ અભિનેતા ધર્મેન્દ્ર ની કૃતિ લાલો ફિલ્મ આધારિત કૃતિ, ભક્ત પ્રહલાદ નરસિંહ અવતાર, લોક ગીત, ગરબા અને નૃત્ય, ટીમલી નૃત્ય, ગણેશ વંદના, કૉમેડી શો, આદિવાસી નૃત્ય ની કૃતિઓ રજુ કરી હતી.કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ શિક્ષકો હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સુંદર અને સફળ આયોજન બંને શાળાના શિક્ષકગણ દ્વારા કરવામાં આવ્યું હતું.4
- હાલોલ-બોડેલી નેશનલ હાઇવે પર પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસતવન નજીક ગત રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ એક મોટરસાયકલ અચાનક સ્લીપ ખાઈ જતા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મૃતકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ ગામના મંદિર ફળિયામાં રહેતા 45 વર્ષીય સંજયભાઈ અમરસીંગભાઈ બારીઆ તરીકે થઈ છે. જાણવા મળ્યું છે કે સંજયભાઈ બારીઆ રાત્રિના સમયે પોતાની મોટરસાયકલ લઈને નજીક આવેલી જૂની કેમેરોક કંપની તેમજ હાલની રિલાયન્સ કંપનીમાં નોકરી માટે જઈ રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ મૃતકના પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસને કરતા પાવાગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબ્જામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે મોકલ્યો હતો. આ બનાવ અંગે હાલોલના આરાદ રોડ ઉપર રહેતા મૃતકના પુત્ર અક્ષય બારીઆની ફરિયાદના આધારે પોલીસે બીએનએસ અને એલએમ એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરી છે.1
- CRIME PATROLING NEWS1
- Post by Salman moravala1