ગરબાડાના ગુંગરડી ગામે રસ્તા મુદ્દે વિરોધ બાદ મતદાન: 386માંથી 240 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 450ની વસ્તી ધરાવતા આ ફળિયાના રહીશો આઝાદીના 78 વર્ષ બાદ પણ પક્કા રસ્તાથી વંચિત હોવાના કારણે ભારે રોષમાં હતા. ગ્રામજનોનું કહેવું હતું કે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે “રસ્તો નહીં તો મત નહીં”ના નારા સાથે બહિષ્કાર જાહેર કર્યો હતો. ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જતા લોકોને હોડીમાં બેસીને અવરજવર કરવી પડે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેથી દર્દીઓને ઉચકી રોડ સુધી લઈ જવાની નોબત આવે છે. જોકે, ચૂંટણીના દિવસે તંત્ર દ્વારા સમજાવટ અને ચર્ચા બાદ અંતે ગ્રામજનો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા. સિગામહુડા બૂથ પર કુલ 386 મતદારોમાંથી 240 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામજનો આજે પણ પોતાની મુખ્ય માંગ — રસ્તાની સુવિધા — અંગે અડગ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
ગરબાડાના ગુંગરડી ગામે રસ્તા મુદ્દે વિરોધ બાદ મતદાન: 386માંથી 240 મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ ગરબાડા તાલુકાના ગુંગરડી ગામના સિગામહુડા ફળિયાના લોકો દ્વારા રસ્તાની સુવિધાના અભાવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવાયો હતો. અંદાજે 450ની વસ્તી ધરાવતા આ ફળિયાના રહીશો આઝાદીના 78 વર્ષ બાદ પણ પક્કા રસ્તાથી વંચિત હોવાના કારણે ભારે રોષમાં હતા. ગ્રામજનોનું કહેવું હતું કે અનેકવાર તંત્ર સમક્ષ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી, જેના કારણે “રસ્તો નહીં તો મત નહીં”ના નારા સાથે બહિષ્કાર જાહેર કર્યો હતો. ચોમાસા દરમિયાન ગામમાં પાણી ભરાઈ જતા લોકોને હોડીમાં બેસીને અવરજવર કરવી પડે છે અને ઈમરજન્સી સમયે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી, જેથી દર્દીઓને ઉચકી રોડ સુધી લઈ જવાની નોબત આવે છે. જોકે, ચૂંટણીના દિવસે તંત્ર દ્વારા સમજાવટ અને ચર્ચા બાદ અંતે ગ્રામજનો મતદાન કરવા માટે આગળ આવ્યા હતા. સિગામહુડા બૂથ પર કુલ 386 મતદારોમાંથી 240 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ગ્રામજનો આજે પણ પોતાની મુખ્ય માંગ — રસ્તાની સુવિધા — અંગે અડગ છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને ઉજાગર કર્યા છે.
- હાલોલના જ્યોતિ સર્કલ પાસે રસ્તા પર લટકતા વીજ લાઇનનો કેબલ બાઇક ચાલકના ગળામાં ભરાઈ જતા સર્જાયો અક્સ્માત હાલોલના જ્યોતિ સર્કલ નજીક આવેલી રાધે ઉપવન સોસાયટી પાસે આજે સોમવારના રોજ બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રસ્તા પર લટકતો વીજ સર્વિસ લાઇનના કેબલને કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, રસ્તા ઉપર નીચે લટકતો સર્વિસ લાઇન નો વાયર બાઇક ચાલકને દેખાયો ન હતો, જેના કારણે કેબલ ગળામાં ભરાઈ જતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી. આ ઘટનામાં બાઇક પર સવાર બે યુવકો ઇજાગ્રસ્ત બન્યા હતા.ઇજાગ્રસ્તોમાં શંકર રાજુભાઈ નાયક અને અજય અમરસિંહ નાયકનો સમાવેશ થાય છે. બન્ને યુવકો ગોપીપૂરા વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેઓ પાણીયા ગામે લગ્ન પ્રસંગે જતાં હતા ત્યારે રસ્તામાં આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં ઇજાગ્રસ્ત બનેલા બંને યુવકોને તાત્કાલિક હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. સ્થાનિકોમાં લટકતા વીજ વાયરને લઈને રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે જવાબદારો દ્વારા તાત્કાલિક તેને ઉઠાવી લેવાની માંગ ઉઠી છે.1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- કાલોલ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે રોડ પર વડોદરાના તાંદલજાના ખીનજી પરિવારના લોકોની કારનો સર્જાયો ભયાનક અને ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 લોકોના મોતથી ફેલાઈ ઉદાસી.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી..અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં..1
- ભારતમાલા હાઈવે પર પીગળી ગામ નજીક વેગનઆર કાર પલટી ખાઈ જતા એક જ કુટુંબના ચારના મોત એક નો બચાવ. ગોધરા થી વડોદરા સુધી મુંબઈ દિલ્હી હાઇવે ભારત માલા પ્રોજેક્ટ નો હાઇવે હાલમાં જ શરૂ કરવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે વડોદરા ના તાંદલજા ના પરિવારને આ હાઇવે ઉપર અકસ્માત સર્જાતા ચાર વ્યક્તિઓના મોત નિપજ્યા છે. કાલોલ પોલીસ મથકે મોહમ્મદ ઇમરાન અસગર ખીચી રે.તહુરા પાર્ક તાંદલજા દ્વારા નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા તેઓના પરિવારજનો રાજસ્થાન મરણ પ્રસંગે બેસણામાં હાજરી આપવા માટે (૧) સાજીદ અલ્લાઉદ્દીન ખીચી (૨) ઇલિયાસ ઈકબાલ ખીંચી (૩) ઈશાક ઈકબાલ ખીંચી (૪) રેહાન અસગર ખીચી (૫) અબ્દુલરઉફ ખીંચી એમ પાંચ ઈસમો ઈલિયાસ ઈકબાલ ખીંચી ની વેગનઆર કાર GJ 06 RC 7429 લઈને ગયા હતા અને રવિવારે મોડી રાત્રે પરત આવતા હતા ત્યારે ભારત માલા દિલ્હી બોમ્બે હાઈવે ઉપર કાલોલ તાલુકાના પીંગળી ગામ પાસે કારચાલક ઈશાકભાઈ ઈકબાલભાઈ ખીચી કાર ચલાવતા હતા તેઓને કાર ચલાવતા ઝોકું આવી જતા પુરઝડપે ચાલી રહેલી કાર લોખંડની રેલીંગ સાથે અથડાઈ અને પલટી ખાઈ ગઈ હતી જેથી કારમાં સવાર પાંચ ઈસમો પૈકી ચારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે અબ્દુલ રઉફ ખીંચી નો આબાદ બચાવ થયો હતો જેઓએ ૧૦૮ ને ફોન કરતા ૧૦૮ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશ કાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ વડોદરાથી પરિવારના અન્ય સભ્યો અને સંબંધીઓ કાલોલ દોડી આવ્યા હતા. એક સાથે પરિવારના ચાર સભ્યોના મોતના સમાચારથી સમગ્ર તાંદલજા પંથકમાં અને ખીચી પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.4
- Post by Mr BHIl Vishnubhai kalidash1
- Post by Janshe Gujarat1
- દેગાવાડા નજીક છકડા અને બાઈકની ટક્કરમાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું આજે તારીખ 27/04/2026 સોમવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામ નજીક આજે એક હૃદયવિદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. છકડા અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. મળતી માહિતી મુજબ, દેગાવાડા ગામ પાસે માર્ગ પરથી પસાર થઈ રહેલા છકડા અને મોટરસાયકલ વચ્ચે અચાનક જોરદાર અથડામણ થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પરથી ફંગોળાઈ ગયો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળતા આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.1
- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે. ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1
- જીલાની જનરલ હોસ્પિટલ પર્સનલ હોમ કેર સર્વિસ 24 કલાક તાત્કાલિક સારવાર ઉપલબ્ધ મેડીક્લેમ સુવિધા પણ ઉપલબ્ધ તમામ સુવિધાઓ એક જ જગ્યા પર અને વ્યાજબી શુલ્ક પર હાલોલ વડોદરાના નિષ્ણાંત તબીબો હવે જીલાની જનરલ હોસ્પિટલમાં આપની સેવામાં ઉપલબ્ધ છે. ડો.શાહનવાઝ મફત 99259 81005 ડો. ઈરશાદ મફત 96627 38344 જીલાની હોસ્પિટલ & મેડિકલ સ્થળ:-સંજરી એસ.ટી.ડી.ની સામે કુંભારવાડા નાકે,પાવાગઢ રોડ,હાલોલ1