Shuru
Apke Nagar Ki App…
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો સોમનાથમાં રોડ શો... દાદાના પૂજન તેમજ કુંભાભિષેક કરાયો વડાપ્રધાનનો સોમનાથમાં રોડ-શો-સોમનાથ દાદાના પૂજન, કુંભાભિષેક સોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે : મોદી ગરમી ગાભા કાઢે છે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનું કાઉન્ટ ડાઉન શરુ શેરબજારમાં ભારે કડાકો, રુપિયો નબળો પડ્યો પત્રકાર... વિશાલ ચૌહાણ
Vishal Chauhan reporter
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી નો સોમનાથમાં રોડ શો... દાદાના પૂજન તેમજ કુંભાભિષેક કરાયો વડાપ્રધાનનો સોમનાથમાં રોડ-શો-સોમનાથ દાદાના પૂજન, કુંભાભિષેક સોમનાથ અમૃત મહોત્સવ એ આવનારા એક હજાર વર્ષ માટે ભારતની પ્રેરણા છે : મોદી ગરમી ગાભા કાઢે છે પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારાનું કાઉન્ટ ડાઉન શરુ શેરબજારમાં ભારે કડાકો, રુપિયો નબળો પડ્યો પત્રકાર... વિશાલ ચૌહાણ
More news from ગુજરાત and nearby areas
- અકસ્માતમાં યુવકનું કાર ની ટકકરે મોત થતા પરિવારે લાશ ચાલક ના ઘરે મૂકી, પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો મળતી માહિતી મુજબ દિધીયા ગામના યુવકનું વિજયનગર તાલુકાના પરોસાડા ગામ પાસે કાર અકસ્માતમાં મોત થતાં તણાવની સ્થિતિ સર્જાઈ હતી. મૃતક વિજયભાઈ કિશનભાઈ પરમાર બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે કારચાલકે ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. સીસીટીવીના આધારે કાર નાકા ગામના વ્યક્તિની હોવાનું સામે આવતાં પરિવારજનોએ મૃતદેહ આરોપીના ઘર નજીક મૂકી વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. બાદમાં સમાધાન થતાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો.1
- યુદ્ધ ની પરિસ્થિથીમાં પોંહચી વડવા માનનીય પ્રધાનમંત્રી દેશની આર્થીક સ્થિથી નેમજબૂત બનાવા એક વર્ષ સુધી સોનાની ખરીદી તાડવા અપીલ કરી છે. દેશની આર્થિક સ્થિતિ ને મજબૂત બનાવવા માટે માનનીય પ્રધાનમંત્રી એ એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળી વિદેશી મુદ્રા બચાવવાં અને દેશના વિકાસમાં ભાગીદાર થવા લોકોને અપીલ કરી છે. વિદેશ પ્રવાસ તાડવા, પેટ્રોલ ડીઝલ નો સૈયમથી ઉપયોગ કરવા સ્વદેશી વસ્તુઓ વાપરવા અને દેશહિતમાં સહયોગ કરી દેશને આત્મનિર્ભર બનાવવા અપીલ કરી છે.1
- બનાસકાંઠાના દાંતા પોલીસ સ્ટેશન સામે થયેલા ગમખ્વાર કાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું અને છ લોકો ઘાયલ થયા. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે ગલ્લામાં ઘૂસી ગઈ હતી, જ્યારે લોકો મેળામાં દર્શન કરવા જઈ રહ્યા હતા. ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે અને પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.1
- વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી *વિજાપુર તાલુકાના ફુદેડાના તરુણ પટેલે "ધરતીનો છેડો" વૃદ્ધાશ્રમની લીધી મુલાકાત, વડીલોને ભગવદ્ ગીતા અર્પણ કરી* લવાલ (ખેડા): સંતાનો દ્વારા ત્યજાયેલા વડીલો માટે છેલ્લું આશ્રયસ્થાન બનેલા ખેડા જિલ્લાના લવાલ ગામે આવેલા "ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ"ની વિજાપુર તાલુકાના ફુદેડા ગામના સામાજિક કાર્યકર્તા તરુણ પટેલે હૃદયસ્પર્શી મુલાકાત લીધી હતી. મહિપતસિંહ ચૌહાણ "બાપુ" દ્વારા ચલાવવામાં આવતા આ આશ્રમમાં આજે વધુ થીવધુ એવા વડીલો આશરો લઈ રહ્યા છે જેમને તેમના પોતાના સંતાનોએ જ ઘરમાંથી કાઢી મૂક્યા છે. બાપુ આ સ્થળને "ધરતીનો છેડો" કહે છે કારણ કે અહીં આવ્યા પછી વડીલો માટે આ જ ધરતી પરનું છેલ્લું ઠેકાણું હોય છે. બાપુ અને તેમની ટીમ દ્વારા અહીં વડીલોના ભોજન, દવા, સ્નાન અને આરોગ્યની પળેપળની કાળજી રાખવામાં આવે છે. તરુણ પટેલે આશ્રમમાં પહોંચીને દરેક વડીલની રૂમમાં જઈને તેમની ખબરઅંતર પૂછી હતી અને કલાકો સુધી તેમની સાથે બેસીને તેમની વ્યથા સાંભળી હતી. ઘણા વડીલોએ પોતાના સંતાનોના દુર્વ્યવહારની વાત કરતા વાતાવરણ ગમગીન બની ગયું હતું. તરુણ પટેલે દરેક વડીલને શ્રીમદ્ ભગવદ્ ગીતાની પ્રત ભેટ આપી હતી અને કહ્યું હતું કે એકલવાયા સમયમાં આ ગીતા જ સાચી સાથી બનશે. મુલાકાત બાદ તરુણ પટેલે ભાવુક થતા જણાવ્યું કે મહિપતસિંહ બાપુએ સેવાનો જે માર્ગ ચીંધ્યો છે તે પ્રેરણાદાયી છે, પણ સાથે સાથે આ સમાજ માટે શરમજનક પણ છે કે વડીલોને "ધરતીનો છેડો" સુધી આવવું પડે છે. તેમણે સમાજને અપીલ કરી કે પ્રભુને એટલી જ પ્રાર્થના છે કે ક્યારેય કોઈ વ્યક્તિને વૃદ્ધાશ્રમ જવાની નોબત ન આવે અને દરેક વડીલને પોતાના ઘરમાં જ સંતાનો તરફથી પ્રેમ અને સન્માન મળે. ઘર જ દરેક વડીલ માટે સાચો "ધરતીનો છેડો" એટલે કે સુખ-શાંતિનું છેલ્લું સ્થાન બનવું જોઈએ. આ પ્રસંગે વડીલોએ તરુણ પટેલને દીર્ઘાયુ અને સમાજસેવાના કાર્યો કરતા રહેવાના આશીર્વાદ પાઠવ્યા હતા.1
- બનાસકાંઠા પોલીસ lcb દ્વારા રાજસ્થાન રાજય ર્નિમિત ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરની બોટલ નંગ-૨૩૬૦ કીમત રૂ.૫,૬૮,૬૫૭/- મળી કુલ રૂ.૨૦, ૭૮,૬૫૭/- ના મુદામાલ કબજે લેવામાં આવેલ, અને પકડાયેલ આરોપી દ્રારા ફોર્ચ્યુનર ગાડીના સાચા નંબરની જગ્યાએ બનાવટી નંબરની નંબર પ્લેટ લગાવી ગુનો કરેલ હોય, પકડાયેલ આરોપી તથા દારૂ ભરાવનાર તથા મંગાવનાર ઇસમો તથા બનાવટી નંબર પ્લેટ સબંધે પ્રોહીબીશન તથા ભારતીય ન્યાય સંહીતાની અલગ અલગ કલમો હેઠળ પાંથાવાડા પો.સ્ટે.માં કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.1
- Post by Pooja patel1
- ખેડૂતે 25 દિવસ કૂવામાં પડેલા અંધ શ્વાનને જીવતું રાખ્યું, ટોલ ડુંગરી ગામે ફાયર વિભાગે બચાવ્યું મળતી માહિતી મુજબ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ટોલ ડુંગરી ગામે માનવતાનું એક અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક ખેડૂતે 150 ફૂટ ઊંડા કૂવામાં પડેલા અંધ શ્વાનને 25 દિવસ સુધી ખોરાક અને પાણી આપી જીવતું રાખ્યું હતું. ત્યારબાદ ફાયર વિભાગની ટીમે સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી શ્વાનને હેમખેમ બહાર કાઢ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ટોલ ડુંગરી ગામના એક ખેડૂતને જાણ થઈ કે એક અંધ શ્વાન 150 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું છે. ખેડૂતે પોતાની સંવેદના અને જીવદયાની ભાવના દર્શાવતા, સતત 25 દિવસ સુધી કૂવામાં ખોરાક અને પાણી પહોંચાડી અબોલ જીવની સંભાળ લીધી હતી. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ટીમે ઝડપથી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું અને અંધ શ્વાનને સુરક્ષિત રીતે કૂવામાંથી બહાર કાઢ્યું. શ્વાન બહાર નીકળતા જાણે લોકોનો આભાર માનતું હોય તેમ વર્તન કરતું જોવા મળ્યું હતું, જેણે સૌના દિલ જીતી લીધા હતા. 25 દિવસના સંઘર્ષ બાદ આ અબોલ જીવને નવજીવન મળ્યું છે. ગામલોકોએ ખેડૂતની આ માનવતા અને હિંમતભરી કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાએ સમગ્ર પંથકમાં 'માનવતા હજુ જીવંત છે' તેવો સકારાત્મક સંદેશ આપ્યો છે અને તેની વ્યાપક પ્રશંસા થઈ રહી છે.1