logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વૌવા ગામે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત “મતિરા મેળો” યોજાશે સાંતલપુર તાલુકાના વૌવા ગામે આજે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત મેળો ભરાશે. લોકવાયકા મુજબ વૌવા ગામે ભરાતા આ મેળાને વર્ષોથી “મતિરા મેળા” તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક યુગમાં પણ આ પરંપરા ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થા સાથે જળવાઈ રહી છે. આઠમના દિવસે વૌવા ગામ તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રવેચી માતાજીના દર્શનાર્થે પહોંચશે. ભક્તો માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લેશે. નાના બાળકો, યુવાનો અને વડીલોની ઉપસ્થિતિથી મેળામાં અનેરો ઉત્સાહ જોવા મળશે. મેળા દરમિયાન ભક્તો અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ પ્રકારના ઝઘડા કે અશાંતિની સ્થિતિ ઊભી ન થાય તે માટે વૌવા યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનને અરજી પત્ર આપી જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવા રજૂઆત કરવામાં આવી છે. વૌવા યુવક મંડળ દ્વારા ગ્રામજનો અને મેળામાં આવતા તમામ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે મેળાની ઉજવણી કરવા, એકબીજાને સહકાર આપવા અને પોલીસ તથા આયોજકોની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રવેચી માતાજીના મેળા થકી વર્ષો જૂની લોકપરંપરા અને ધાર્મિક આસ્થા આજે પણ જીવંત જોવા મળી રહી છે. ભક્તોની શ્રદ્ધા, ગ્રામજનોનો સહકાર અને યુવક મંડળની વ્યવસ્થાથી વૌવા ગામનો પરંપરાગત મેળો આસ્થાનું કેન્દ્ર બનશે. વૌવા યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો રિપોર્ટર – બલદેવ મકવાણા

23 hrs ago
user_Santalpur
Santalpur
Singer સાંતલપુર, પાટણ, ગુજરાત•
23 hrs ago

વૌવા ગામે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત “મતિરા મેળો” યોજાશે સાંતલપુર તાલુકાના વૌવા ગામે આજે ભાદરવા સુદ આઠમના પાવન દિવસે રવેચી માતાજીનો પરંપરાગત મેળો ભરાશે. લોકવાયકા મુજબ વૌવા ગામે ભરાતા આ મેળાને વર્ષોથી “મતિરા મેળા” તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક યુગમાં પણ આ પરંપરા ગ્રામજનોની શ્રદ્ધા અને આસ્થા

સાથે જળવાઈ રહી છે. આઠમના દિવસે વૌવા ગામ તેમજ આજુબાજુના ગામોના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો રવેચી માતાજીના દર્શનાર્થે પહોંચશે. ભક્તો માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લેશે. નાના બાળકો, યુવાનો અને વડીલોની ઉપસ્થિતિથી મેળામાં અનેરો ઉત્સાહ જોવા મળશે. મેળા દરમિયાન ભક્તો અને ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કોઈપણ

પ્રકારના ઝઘડા કે અશાંતિની સ્થિતિ ઊભી ન થાય તે માટે વૌવા યુવક મંડળ તથા ગ્રામજનો દ્વારા સાંતલપુર પોલીસ સ્ટેશનને અરજી પત્ર આપી જરૂરી સુરક્ષા વ્યવસ્થા રાખવા રજૂઆત કરવામાં આવી છે. વૌવા યુવક મંડળ દ્વારા ગ્રામજનો અને મેળામાં આવતા તમામ ભાવિક ભક્તોને શાંતિપૂર્ણ રીતે મેળાની ઉજવણી કરવા, એકબીજાને સહકાર આપવા અને પોલીસ

તથા આયોજકોની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. રવેચી માતાજીના મેળા થકી વર્ષો જૂની લોકપરંપરા અને ધાર્મિક આસ્થા આજે પણ જીવંત જોવા મળી રહી છે. ભક્તોની શ્રદ્ધા, ગ્રામજનોનો સહકાર અને યુવક મંડળની વ્યવસ્થાથી વૌવા ગામનો પરંપરાગત મેળો આસ્થાનું કેન્દ્ર બનશે. વૌવા યુવક મંડળ તથા સમસ્ત ગ્રામજનો રિપોર્ટર – બલદેવ મકવાણા

More news from ગુજરાત and nearby areas
  • સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન *સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન* *સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું* *‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન* રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    4
    સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO  સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન
*સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા પંચાયત પાટણ ખાતે DDO  સી.એલ. પટેલે જાતે ઝાડું હાથમાં લઈ કર્યું શ્રમદાન*
*સ્વચ્છ કચેરી–સ્વચ્છ પરિસરનો સંદેશ : જિલ્લા પંચાયત પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું*
*‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સ્વચ્છતા માટે કર્મયોગીઓએ આપ્યું શ્રમદાન*
રાજ્ય સરકાર દ્વારા તા. ૧૯ સપ્ટેમ્બરથી તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલના માર્ગદર્શન હેઠળ આજે જિલ્લા પંચાયત, પાટણ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે જાતે હાથમાં ઝાડું લઈ શ્રમદાન કરીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બન્યા હતા. DDO શ્રી પટેલે જાતે શ્રમદાન કરી અન્ય કર્મયોગીઓને પણ સ્વચ્છતા પ્રત્યે સક્રિય બનવા પ્રેરણા પૂરી પાડી હતી. તેમના માર્ગદર્શન અને પ્રેરણાથી જિલ્લા પંચાયતના અધિકારીઓ તથા કર્મચારીઓએ પંચાયત પરિસરમાં શ્રમદાન કરી સ્વચ્છતા કામગીરી હાથ ધરી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’નો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, પર્યાવરણ જાળવણી અને જાહેર સ્થળોની સ્વચ્છતા પ્રત્યે સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ અંતર્ગત સરકારી કચેરીઓ, કચેરી પરિસરો તથા જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે અધિકારીઓ-કર્મચારીઓને સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.એલ. પટેલે સરકારી કચેરીઓ અને તેમના પરિસરને સ્વચ્છ રાખવા તેમજ સ્વચ્છતાને દૈનિક કાર્યપદ્ધતિનો હિસ્સો બનાવવા સૌને અનુરોધ કર્યો હતો. સ્વચ્છ પરિસરથી સ્વસ્થ અને સકારાત્મક કાર્ય વાતાવરણનું નિર્માણ થાય છે ત્યારે દરેક કર્મયોગીએ સ્વચ્છતા પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવી જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    14 hrs ago
  • ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    1
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
    user_Ramesh Chaudhary
    Ramesh Chaudhary
    Local News Reporter વાવ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • અંબાજી જતા પગપાળા માઈભક્તોની સુરક્ષા માટે ભાભર પોલીસની અનોખી પહેલ.... ભક્તોના બેગ પર લગાવ્યા રેડિયમ સ્ટીકર, પાછળથી આવતા વાહનચાલકોને દૂરથી દેખાય અને અકસ્માત ટળે તેવો પ્રયાસ...
    1
    અંબાજી જતા પગપાળા માઈભક્તોની સુરક્ષા માટે ભાભર પોલીસની અનોખી પહેલ....
ભક્તોના બેગ પર લગાવ્યા રેડિયમ સ્ટીકર, પાછળથી આવતા વાહનચાલકોને દૂરથી દેખાય અને અકસ્માત ટળે તેવો પ્રયાસ...
    user_H P Banna
    H P Banna
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • ગ્રામ પંચાયતોને સમયસર ગ્રાન્ટ ફાળવવા અને પેન્ડિંગ કામોને મંજૂરી આપવા માંગ અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    1
    ગ્રામ પંચાયતોને સમયસર ગ્રાન્ટ ફાળવવા અને પેન્ડિંગ કામોને મંજૂરી આપવા માંગ

અહેવાલ રાણાભાઈ પારેગી વાવ થરાદ
    user_Ranabhai wav tharad
    Ranabhai wav tharad
    Local News Reporter થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    16 hrs ago
  • હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી. આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    1
    હળવદ જીઆઈડીસી એસોસિએશન દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત એન્જિનિયરનું સન્માન


કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાને શાલ ઓઢાડી મોમેન્ટો અર્પણ કરી શુભેચ્છા પાઠવાઈ
હળવદ: હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો અને સભ્યો દ્વારા પીજીવીસીએલના નવ નિયુક્ત કાર્યપાલક ઈજનેર જે. એલ. બરંડાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો તથા સભ્યો દ્વારા જે. એલ. બરંડાને શાલ ઓઢાડી તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ નવી જવાબદારી સંભાળવા બદલ તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
હળવદ પંથકમાં વીજળી સંબંધિત સેવાઓ વધુ સુદૃઢ બને તેમજ ઉદ્યોગકારો અને વીજ ગ્રાહકોને વધુ સારી અને ઝડપી સેવા મળી રહે તેવી શુભેચ્છાઓ સાથે તેમના સફળ અને ઉજ્જવળ કાર્યકાળની કામના કરવામાં આવી હતી.
આ પ્રસંગે હળવદ જીઆઈડીસી એસોસિએશનના આગેવાનો, હોદ્દેદારો તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
    user_Ramesh thakor Halvad Morbi
    Ramesh thakor Halvad Morbi
    Local News Reporter હળવદ, મોરબી, ગુજરાત•
    17 hrs ago
  • ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ, વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને 16મા નાણાપંચની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસલક્ષી કામો માટે સરકાર સમક્ષ રજૂઆત વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ આપવા વિવિધ મહત્વની માંગણીઓ સાથે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરપંચ એસોસિએશને ગ્રામ પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટ સમયસર ફાળવવા તેમજ ગામડાઓમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓના કામોને મંજૂરી આપવા માંગ કરી છે. રજૂઆતમાં 15મા નાણાપંચની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે જરૂરી નાણાંની ફાળવણી તથા અગાઉથી મંજૂર થયેલા કામોની પ્રક્રિયા ઝડપી કરવાની માંગ કરવામાં આવી છે. સરપંચ એસોસિએશન દ્વારા રસ્તા, પેવર બ્લોક, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આંગણવાડી સહિતની પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાથમિકતા આપવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત ગામડાઓમાં લોકોની જરૂરિયાત મુજબ વિકાસના કામો હાથ ધરવા માટે ગ્રામ પંચાયતોને પૂરતી સત્તા અને નાણાકીય સહાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. રજૂઆતમાં GPDP (Gram Panchayat Development Plan) હેઠળ ગામના વિકાસ માટે તૈયાર કરવામાં આવતા આયોજનને અનુરૂપ કામોને સમયસર મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે. એસોસિએશનનું કહેવું છે કે ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામો માટે સ્થાનિક સ્તરે માંગણીઓ કરવામાં આવે છે, પરંતુ પૂરતી ગ્રાન્ટ અને મંજૂરીના અભાવે કેટલાક કામો અટકી રહે છે. જેથી ગ્રામ્ય જનતાને જરૂરી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    1
    ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ, વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને
16મા નાણાપંચની ગ્રાન્ટ સહિત વિવિધ વિકાસલક્ષી કામો માટે સરકાર સમક્ષ રજૂઆત
વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન દ્વારા ગ્રામ્ય વિસ્તારોના વિકાસને વેગ આપવા વિવિધ મહત્વની માંગણીઓ સાથે સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. સરપંચ એસોસિએશને ગ્રામ પંચાયતોને મળવાપાત્ર ગ્રાન્ટ સમયસર ફાળવવા તેમજ ગામડાઓમાં જરૂરી પ્રાથમિક સુવિધાઓના કામોને મંજૂરી આપવા માંગ કરી છે.
રજૂઆતમાં 15મા નાણાપંચની ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ, ગ્રામ પંચાયતોના વિકાસ માટે જરૂરી નાણાંની ફાળવણી તથા અગાઉથી મંજૂર થયેલા કામોની પ્રક્રિયા ઝડપી કરવાની માંગ કરવામાં આવી છે.
સરપંચ એસોસિએશન દ્વારા રસ્તા, પેવર બ્લોક, પાણી પુરવઠો, ગટર વ્યવસ્થા, આંગણવાડી સહિતની પ્રાથમિક સુવિધાઓના કામોને પ્રાથમિકતા આપવા રજૂઆત કરાઈ છે. ઉપરાંત ગામડાઓમાં લોકોની જરૂરિયાત મુજબ વિકાસના કામો હાથ ધરવા માટે ગ્રામ પંચાયતોને પૂરતી સત્તા અને નાણાકીય સહાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે.
રજૂઆતમાં GPDP (Gram Panchayat Development Plan) હેઠળ ગામના વિકાસ માટે તૈયાર કરવામાં આવતા આયોજનને અનુરૂપ કામોને સમયસર મંજૂરી અને ગ્રાન્ટ ફાળવવાની પણ માંગ કરવામાં આવી છે.
એસોસિએશનનું કહેવું છે કે ગ્રામ પંચાયતોમાં વિકાસલક્ષી કામો માટે સ્થાનિક સ્તરે માંગણીઓ કરવામાં આવે છે, પરંતુ પૂરતી ગ્રાન્ટ અને મંજૂરીના અભાવે કેટલાક કામો અટકી રહે છે. જેથી ગ્રામ્ય જનતાને જરૂરી સુવિધાઓ ઝડપથી મળી રહે તે માટે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.
    user_Pravinbhai Chauhan press
    Pravinbhai Chauhan press
    Photographer થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    17 hrs ago
  • કુણઘેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ- ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ હેઠળ આયોજન કુણઘેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ હેઠળ આયોજન : મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન પાટણ જિલ્લાના કુણઘેર ખાતે શ્રી વીસા ઝારોળા વણિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ અન્વયે ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારતની થીમ હેઠળ તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું, જેનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનનો પુનઃપ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે આવા બાળકોને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી. ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વચ્છ ભારત અભિયાન, બાલ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, આયુષ્માન ભારત કાર્ડ તથા નમો લક્ષ્મી યોજના સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઘરની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જીવનમાં સપના મોટાં જોવા, સતત મહેનત કરવા, સમયનું મૂલ્ય સમજવા તથા માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવા સાથે સારા માણસ બનવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે સેવા માત્ર સહાય આપવાનું નામ નથી, પરંતુ કોઈના જીવનને આગળ વધવાની તક આપવાનું નામ છે. દરેક બાળકને શિક્ષણની તક મળે, દરેક પ્રતિભાને પ્રોત્સાહન મળે અને દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા તેમણે આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ચાવડાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ, અગ્રણી દસરથજી ઠાકોર, દિલીપ પટેલ, સરપંચ ગાંડાજી ઠાકોર, શાળાના આચાર્ય સહિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    4
    કુણઘેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ- ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ હેઠળ આયોજન
કુણઘેરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ચિત્ર-વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ
‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ હેઠળ આયોજન : મંત્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન
પાટણ જિલ્લાના કુણઘેર ખાતે શ્રી વીસા ઝારોળા વણિક સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત ‘૨૫ કરોડ બાળકોના સપનાનું ભારત, મારા સપનાનું વિકસિત ભારત’ થીમ અન્વયે ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના ખાદી, કુટીર અને ગ્રામ ઉદ્યોગ મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા વિકસિત ભારતની થીમ હેઠળ તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું, જેનું મહાનુભાવોએ નિરીક્ષણ કર્યું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત ગીત અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન અંતર્ગત શાળા છોડી ગયેલા બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાવી તેમના શૈક્ષણિક જીવનનો પુનઃપ્રારંભ કરાવવામાં આવ્યો હતો. મહાનુભાવોના હસ્તે આવા બાળકોને શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.
ક્લસ્ટર કક્ષાની ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ ક્રમે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સ્વચ્છ ભારત અભિયાન, બાલ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, આયુષ્માન ભારત કાર્ડ તથા નમો લક્ષ્મી યોજના સહિતની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક અને યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. આંબેડકર આવાસ યોજનાના લાભાર્થીને મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે ઘરની ચાવી પણ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જીવનમાં સપના મોટાં જોવા, સતત મહેનત કરવા, સમયનું મૂલ્ય સમજવા તથા માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરવા સાથે સારા માણસ બનવાનું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. તેમણે જણાવ્યું હતું કે સેવા માત્ર સહાય આપવાનું નામ નથી, પરંતુ કોઈના જીવનને આગળ વધવાની તક આપવાનું નામ છે. દરેક બાળકને શિક્ષણની તક મળે, દરેક પ્રતિભાને પ્રોત્સાહન મળે અને દરેક પરિવાર વિકાસની મુખ્યધારામાં જોડાય તે માટે સૌએ સાથે મળીને પ્રયાસ કરવા તેમણે આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમના અંતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર ચાવડાએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, સંગઠનના પ્રમુખ રમેશ સિંધવ, અગ્રણી દસરથજી ઠાકોર, દિલીપ પટેલ, સરપંચ ગાંડાજી ઠાકોર, શાળાના આચાર્ય સહિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ. અનિલ રામાનુજ, પાટણ
    user_Anil Ramanuj
    Anil Ramanuj
    Press riportar રાધનપુર, પાટણ, ગુજરાત•
    17 hrs ago
  • રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
    1
    રાધનપુરના જેતલપુરા હાઈવે પર અંબાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ શરૂ
    user_પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    પ્રહલાદભાઈ ઠાકોર પાટણ
    રાધનપુર, પાટણ, ગુજરાત•
    17 hrs ago
  • ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ સાથે વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને
    1
    ગામડાના વિકાસ માટે ગ્રાન્ટની માંગ સાથે વાવ-થરાદ જિલ્લા સરપંચ એસોસિએશન મેદાને
    user_Dashrath thakor
    Dashrath thakor
    થરાદ, બનાસકાંઠા, ગુજરાત•
    20 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.