મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામની એક મહિલાએ કુટુંબ નિયોજનના બે ઓપરેશન નિષ્ફળ જતાં સરકાર તરફથી સહાયની માંગ સાથે વિરપુરના તાલુકા હેલ્થ ઓફિસરને રજુઆત કરી છે. આ પ્રસંગે માનવ અધિકાર સુરક્ષા ગુજરાત પ્રદેશ મહિલા સેલના ઉપપ્રમુખ રેખાબેન રોહિત હાજર રહ્યા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં કરાયેલું પહેલું કુટુંબ નિયોજન ઓપરેશન નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ, 15 ઓક્ટોબર 2024ના રોજ તેમને ફરી ઓપરેશન કરાવવું પડ્યું હતું, પરંતુ બીજી વખતનું આ ઓપરેશન પણ નિષ્ફળ ગયું અને 26 ઓક્ટોબર 2025ના રોજ એક દિકરીનો જન્મ થયો હતો. મહિલાનો આક્ષેપ છે કે ઓપરેશન નિષ્ફળ જવાના કિસ્સામાં સરકાર દ્વારા મળતી સહાય માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં, આજદિન સુધી તેમને કોઈ સહાય મળી નથી. અતિપછાત નાયક સમાજની આ મહિલાએ પોતાની કફોડી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓને દિકરીના ભરણપોષણ, શિક્ષણ અને ભવિષ્યના ખર્ચની ભારે ચિંતા સતાવી રહી છે. વધુમાં, બે વખત ઓપરેશન કરાવવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામની એક મહિલાએ કુટુંબ નિયોજનના બે ઓપરેશન નિષ્ફળ જતાં સરકાર તરફથી સહાયની માંગ સાથે વિરપુરના તાલુકા હેલ્થ ઓફિસરને રજુઆત કરી છે. આ પ્રસંગે માનવ અધિકાર સુરક્ષા ગુજરાત પ્રદેશ મહિલા સેલના ઉપપ્રમુખ રેખાબેન રોહિત હાજર રહ્યા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં કરાયેલું પહેલું કુટુંબ નિયોજન ઓપરેશન નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ, 15 ઓક્ટોબર 2024ના રોજ તેમને ફરી ઓપરેશન કરાવવું પડ્યું હતું, પરંતુ બીજી વખતનું આ ઓપરેશન પણ નિષ્ફળ ગયું અને 26 ઓક્ટોબર 2025ના રોજ એક દિકરીનો જન્મ થયો હતો. મહિલાનો આક્ષેપ છે કે ઓપરેશન નિષ્ફળ જવાના કિસ્સામાં સરકાર દ્વારા મળતી સહાય માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં, આજદિન સુધી તેમને કોઈ સહાય મળી નથી. અતિપછાત નાયક સમાજની આ મહિલાએ પોતાની કફોડી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓને દિકરીના ભરણપોષણ, શિક્ષણ અને ભવિષ્યના ખર્ચની ભારે ચિંતા સતાવી રહી છે. વધુમાં, બે વખત ઓપરેશન કરાવવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થઈ હોવાનું તેમણે જણાવ્યું છે.
- મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કોયલા ગામની એક મહિલાએ કુટુંબ નિયોજનના બે ઓપરેશન નિષ્ફળ જતાં સરકાર તરફથી સહાયની માંગ સાથે વિરપુરના તાલુકા હેલ્થ ઓફિસરને રજુઆત કરી છે. આ પ્રસંગે માનવ અધિકાર સુરક્ષા ગુજરાત પ્રદેશ મહિલા સેલના ઉપપ્રમુખ રેખાબેન રોહિત હાજર રહ્યા હતા. મહિલાના જણાવ્યા અનુસાર, વર્ષ 2020માં કરાયેલું પહેલું કુટુંબ નિયોજન ઓપરેશન નિષ્ફળ ગયું હતું. ત્યારબાદ, 15 ઓક્ટોબર 2024ના રોજ તેમને ફરી ઓપરેશન કરાવવું પડ્યું હતું, પરંતુ બીજી વખતનું આ ઓપરેશન પણ નિષ્ફળ ગયું અને 26 ઓક્ટોબર 2025ના રોજ એક દિકરીનો જન્મ થયો હતો. મહિલાનો આક્ષેપ છે કે ઓપરેશન નિષ્ફળ જવાના કિસ્સામાં સરકાર દ્વારા મળતી સહાય માટેના જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હોવા છતાં, આજદિન સુધી તેમને કોઈ સહાય મળી નથી. અતિપછાત નાયક સમાજની આ મહિલાએ પોતાની કફોડી આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓને દિકરીના ભરણપોષણ, શિક્ષણ અને ભવિષ્યના ખર્ચની ભારે ચિંતા સતાવી રહી છે. વધુમાં, બે વખત ઓપરેશન કરાવવાને કારણે તેમના સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર થઈ હોવાનું તેમણે જણાવ્યું છે.1
- Post by Rohit kirtanbhai1
- પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના રતનપુર ગામમાં આવેલા નદી વાળું ફડિયું છેલ્લાં 30 વર્ષથી વિકાસથી વંચિત હોવાનો ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ ફડિયું આવાસ યોજના, રોડ રસ્તા અને અન્ય કોઈ સુવિધાના અભાવે ન્યાયથી વંચિત રહ્યું છે, જેને કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ સ્થિતિ માટે ગ્રામજનોએ તલાટી શ્રી અને સરપંચ શ્રી પર કોઈ વિકાસના કામો ન કરાયા હોવાનો સીધો આરોપ લગાવ્યો છે અને તેઓ આ બાબતે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. ગ્રામજનોએ ઉચ્ચ અધિકારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી કરી છે કે રતનપુર ગામમાં તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને વિકાસના કામો શરૂ કરવામાં આવે. ગ્રામજનોએ અંતમાં ચેતવણીભર્યો સૂર વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, જો આ બાબતે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે, તો પછી 'તેરી બિ ચુપ ઓર મેરી બી ચુપ, પબ્લીક જાય તેલ લેને' જેવી પરિસ્થિતિ સર્જાશે.1
- આજે વહેલી સવારે હાલોલ-વડોદરા હાઈવે પર કોટંબી સ્ટેડિયમ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. હાલોલથી વડોદરા તરફ આવી રહેલી એક લકઝરી બસ પૂર ઝડપે રસ્તા પર ઊભેલી ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી જતાં આ ગંભીર ઘટના બની હતી. અકસ્માત સમયે બસમાં સવાર તમામ મુસાફરો ઘોર નિંદ્રામાં હતા. આ અકસ્માત એટલો ભયાનક હતો કે લકઝરી બસનું આખું કેબિન ટ્રકમાં ઘૂસી ગયું હતું. અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. હાલમાં, રેસ્ક્યુ કામગીરી માટે NDRFની મદદ લેવામાં આવી રહી છે. કટર મશીનની મદદથી બસનું પતરું કાપીને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં, આ અકસ્માતમાં 26 જેટલા ઇજાગ્રસ્ત મુસાફરોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ગંભીર અકસ્માતમાં પાંચથી વધુ લોકોના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જોકે તંત્ર દ્વારા મૃત્યુઆંક અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી.1
- વિજાપુરના કોટડી ગામમાં આવેલા બાબા રામદેવપીરના મંદિરે મંગળવારે ભક્તોનો મહેરામણ ઉમટી પડ્યો હતો. આ દિવસે મંદિર ખાતે ભક્તો માટે એક ખાસ સેવાકાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્શનાર્થે આવેલા ભાવિકો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા સાથે ચોખ્ખા દેશી ઘીની સુખડીનો મહાપ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગરમાગરમ ગાંઠિયા અને ચેવડાનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. મંદિર પરિસર "જય બાબા રામદેવપીર"ના નાદથી ગુંજી ઉઠ્યું હતું, જ્યારે સુખડીની પવિત્ર સુગંધથી આખું વાતાવરણ મહેકી ઉઠ્યું હતું. મોટી સંખ્યામાં નાના ભૂલકાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ હરખભેર ચા-નાસ્તાનો લહાવો લઈ રહ્યા હતા. બાળકોથી લઈને વડીલો સુધી, સૌ ભક્તોએ બાબાના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરના સેવકોએ જણાવ્યું કે બાબા રામદેવપીરના દરબારમાં હંમેશા ભક્તોની ભીડ જોવા મળે છે, પરંતુ આજે સુખડીના પ્રસાદના આયોજનથી ભક્તોમાં અને ખાસ કરીને ભૂલકાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. કોટડીના રામાપીર મંદિરે સર્જાયેલા આ ભક્તિમય માહોલથી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા હતા.1
- દાહોદ જિલ્લાના અંતરિયાળ અનાસ વિસ્તારના ટીમરડા ગામ ખાતે આવેલી રામ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજે, 16 જૂન 2026, મંગળવારના રોજ, એક અત્યંત જટિલ સર્વાઇકલ સ્પાઇન ઇજાના દર્દીની સફળ ઇમરજન્સી સર્જરી કરવામાં આવી છે. આ સર્જરીને જિલ્લામાં પ્રથમ વખત આવી જટિલ સર્વાઇકલ સ્પાઇન ઇજાની સફળતાપૂર્વક કરાયેલી સર્જરી તરીકે જોવામાં આવી રહી છે. આ ગંભીર સ્પાઇનલ કોર્ડ ઇજાથી લકવાગ્રસ્ત બનેલા દર્દીને આ સર્જરી દ્વારા નવજીવન મળ્યું છે, અને સર્જરીના બીજા જ દિવસે તેઓ પોતાના પગ પર ઊભા રહી ચાલવા સક્ષમ બન્યા છે. મળતી માહિતી મુજબ, દર્દીને C5-C6 ટ્રોમેટિક લિસ્થેસિસ અને ગંભીર સ્પાઇનલ કોર્ડ ઇજાના કારણે બંને હાથ અને બંને પગમાં સંપૂર્ણ લકવો આવી ગયો હતો. હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમની સ્થિતિ અત્યંત ગંભીર હતી. તાત્કાલિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે દર્દીના સર્વાઇકલ વર્ટિબ્રામાં ગંભીર અસ્થિરતા હતી અને સ્પાઇનલ કોર્ડ પર ભારે દબાણ હતું. દર્દીની ગંભીર સ્થિતિને જોતા, સમય ગુમાવ્યા વિના સ્પાઇન સર્જન ડૉ. ઘનશ્યામ કાકડિયાની આગેવાની હેઠળ ઇમરજન્સી ACDF (એન્ટિરિયર સર્વાઇકલ ડિસ્કેક્ટોમિ એન્ડ ફ્યુઝન) સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ, દર્દીની ન્યુરોલોજિકલ સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો, જે સ્પાઇનલ કોર્ડ ઇજાના આવા ગંભીર કેસોમાં દુર્લભ ગણાય છે. સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે દર્દી સર્જરીના બીજા જ દિવસે પોતાના પગ પર ઊભા રહી ચાલવા સક્ષમ બન્યા હતા. હોસ્પિટલના તબીબોએ જણાવ્યું હતું કે સ્પાઇનલ કોર્ડ ઇજાના કેસોમાં દરેક મિનિટ અત્યંત મહત્વપૂર્ણ હોય છે, અને સમયસર નિદાન, ઝડપી સર્જિકલ સારવાર તથા યોગ્ય પુનર્વસન દ્વારા દર્દીઓને કાયમી લકવાથી બચાવી શકાય છે. દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારની જટિલ સર્વાઇકલ સ્પાઇન ટ્રોમા સર્જરીનું સફળતાપૂર્વક થવું એ આરોગ્ય ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે. આ સફળ સર્જરીને લઈને સ્થાનિક લોકોમાં પણ આનંદ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.1
- વડાલી પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. આર. પઢેરિયા સાહેબની પ્રાંતિજ ખાતે બદલી કરવામાં આવી છે. આ બદલીને પગલે તેમનો વિદાય સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.1
- વિરપુર તાલુકાના લીમરવાડા ગ્રામ પંચાયતના ટીમ્બા ફળિયામાં પશુઓ માટે બનાવવામાં આવેલ સરકારી હવાડાને પૂર્વ મંજૂરી વિના જમીનદોસ્ત કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. આ મામલે ગ્રામજનોએ વિરપુરના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (TDO) અને પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની સખત માંગ ઉઠાવી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ, પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલો આ હવાડો ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વિના જ સત્તાનો દુરુપયોગ કરીને તોડી પાડવામાં આવ્યો છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, નવીન ચૂંટાયેલા તાલુકા પંચાયત સભ્ય સાથે સાંઠગાંઠ કરીને તેમના જ JCB મશીનનો ઉપયોગ કરી ખાનગી હિત માટે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ટીમ્બા ફળિયામાં આશરે 30 ઘરોની વસ્તી અને લગભગ 200 જેટલા પશુઓ માટે આશરે 30 ફૂટ લાંબો આ હવાડો પાણીનો મુખ્ય સ્ત્રોત હતો. મુખ્ય માર્ગની બાજુમાં આવેલી આ હવાડાની જમીન સ્વર્ગસ્થ માનાભાઈ ધુળાભાઈએ પશુહિત માટે બક્ષિસરૂપે આપી હતી. ખેડૂતો અને પશુપાલકો માટે અત્યંત ઉપયોગી આ હવાડાનું ગત વર્ષે નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું. તેને તોડી પાડતા હવે મૂંગા પશુઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. અરજદારે કેટલાક તત્વો દ્વારા ધમકીઓ મળતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સમગ્ર મામલે તંત્ર નિષ્પક્ષ તપાસ હાથ ધરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો દ્વારા ભારપૂર્વક માંગ કરવામાં આવી રહી છે.1