logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

વિરપુરમાં હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી.. વિરપુર ખાતે બુધવારે હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરપુરના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો બસ સ્ટેશનથી હાઈસ્કૂલ સુધી એકત્ર થયા હતા અને ત્યાંથી જુલુસ સ્વરૂપે દરગાહ ખાતે પહોંચી જુલુસ પૂર્ણ કરવામાં આવ્યો હતો. જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંદાજે ચાર ડીજે સાથે યુવાનો સહિત સમાજના લોકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા હતા. સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. પયગંબર સાહેબની જન્મજયંતિ એવા મહાન પયગંબરની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દુનિયાને માત્ર ઈબાદત જ નહીં પરંતુ માણસાઈ, પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સાચો માર્ગ બતાવ્યો હતો. જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ કર્મચારીઓ તેમજ સહકાર આપનાર તમામ લોકોનો મહત્વનો ફાળો રહ્યો હતો.

5 hrs ago
user_વિપુલ જોષી
વિપુલ જોષી
Advertising agency વીરપુર, મહીસાગર, ગુજરાત•
5 hrs ago
59e71f21-47f1-4273-a5ea-263b4110dcc4

વિરપુરમાં હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી.. વિરપુર ખાતે બુધવારે હજરત મહંમદ પયગંબર સાહેબની જન્મજયંતિ નિમિત્તે ઈદે મિલાદુન્નબીની ઉજવણી ધાર્મિક માહોલમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે વિરપુરના સમસ્ત મુસ્લિમ સમાજના લોકો બસ સ્ટેશનથી હાઈસ્કૂલ

b7591727-aa14-4696-99af-c99389611dd7

સુધી એકત્ર થયા હતા અને ત્યાંથી જુલુસ સ્વરૂપે દરગાહ ખાતે પહોંચી જુલુસ પૂર્ણ કરવામાં આવ્યો હતો. જુલુસ દરમિયાન મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને અંદાજે ચાર ડીજે સાથે યુવાનો સહિત સમાજના લોકો ઉત્સાહભેર ઝૂમી ઉઠ્યા

ff98e702-0eea-4e19-af36-86b2ce4cea2a

હતા. સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. પયગંબર સાહેબની જન્મજયંતિ એવા મહાન પયગંબરની યાદમાં ઉજવવામાં આવે છે, જેમણે દુનિયાને માત્ર ઈબાદત જ નહીં પરંતુ માણસાઈ, પ્રેમ, ભાઈચારો અને શાંતિનો સાચો માર્ગ બતાવ્યો હતો. જુલુસ દરમિયાન

a88b26af-ce3d-4aec-921f-44399d771ca7

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જુલુસ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસ કર્મચારીઓ તેમજ સહકાર આપનાર તમામ લોકોનો મહત્વનો ફાળો રહ્યો હતો.

More news from ગુજરાત and nearby areas
  • મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું લુણાવાડા, મહીસાગર આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું. જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું. અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    4
    મહીસાગર: લુણાવાડામાં ઈદે મિલાદુન્નબીનું જુલૂસ હર્ષોલ્લાસ સાથે નીકળ્યું
લુણાવાડા, મહીસાગર
આજે રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ઈસ્લામ ધર્મના મહાનુભાવ હઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના 1501મા જશ્ને ઈદે મિલાદુન્નબી નિમિત્તે ભવ્ય જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ જુલૂસમાં મુસ્લિમ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મદ્રેસાના બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર જુલૂસ દરમિયાન શાંતિ અને ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું.
જુલૂસને લઈને પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની સરાહનીય કામગીરી બદલ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પોલીસ અધિકારીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ જુલૂસ લુણાવાડાના હુસેની ચોકથી પ્રસ્થાન થઈ આસ્થાના બજાર, માંડવી બજાર, જવાહર રોડ, માધવાસ દરવાજા, મોડાસા ફળી થઈ પરત હુસેની ચોક ખાતે પહોંચી સમાપન થયું હતું.
જુલૂસના માર્ગમાં ઠેર-ઠેર લોકો દ્વારા ઠંડા પાણી, સરબત, કોલ્ડ્રીંક અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જુલૂસમાં નાત શરીફનું પઠન કરવામાં આવ્યું હતું.
અંતમાં મુસ્લિમ સમાજ વતી મહીસાગર પોલીસ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    7 hrs ago
  • ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
    1
    ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
ઈદે મિલાદની ખુશીમાં ગુંજી ઉઠ્યું મોડાસા: દાવતે ઈસ્લામીના ભવ્ય જુલૂસમાં હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, વિશાળ લંગરનું આયોજન
    user_Arvalli city news
    Arvalli city news
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    23 min ago
  • અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર. એન્કરિંગ સ્ક્રિપ્ટ: મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે. માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને સારવાર કરાવી હતી. ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો. ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે. રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે. મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે. રિપોર્ટ :અજય એ ભાટિયા
    1
    અરવલ્લી, મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકો દ્વારા ઘાયલ ગાયની સારવાર.
એન્કરિંગ સ્ક્રિપ્ટ:
મોડાસા માર્કેટ યાર્ડમાં ગૌરક્ષકોની માનવતાભરી કામગીરી સામે આવી છે.
માર્કેટ યાર્ડ વિસ્તારમાં એક ગાય ઘાયલ હાલતમાં જોવા મળતા ગૌરક્ષકો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ગાયની સ્થિતિને ગંભીરતાથી લઈ ગૌરક્ષકોએ તેને  સારવાર કરાવી હતી.
ગાયને સમયસર સારવાર મળતાં તેની હાલતમાં સુધારો જોવા મળ્યો હતો.
ગૌરક્ષકોની આ કામગીરી માત્ર ગૌસેવા પૂરતી સીમિત ન રહેતા જીવદયા અને માનવતાનો સંદેશ પણ આપે છે.
રખડતા પશુઓના અકસ્માતો અને ઈજાની ઘટનાઓ વચ્ચે આવી સેવાભાવી કામગીરી ખરેખર પ્રશંસનીય બની રહે છે.
મોડાસા માર્કેટ યાર્ડમાંથી ગૌરક્ષકોની આ માનવતાભરી કામગીરીની તસવીરો સામે આવી છે.
રિપોર્ટ :અજય એ ભાટિયા
    user_Ajay a Bhatiya
    Ajay a Bhatiya
    Local News Reporter મોડાસા, અરવલ્લી, ગુજરાત•
    38 min ago
  • બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે. લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે? જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ? સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે? આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....
    1
    બાલાસિનોરમાં ડુપ્લિકેટ દૂધનો આક્ષેપ, જનતાના આરોગ્ય સાથે ચેડાંનો સવાલ
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં જનતાના આરોગ્ય સાથે ચેડાં થવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. શહેરમાં કથિત રીતે ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવી રહ્યું હોવાની ચર્ચાએ લોકોમાં ચિંતા ફેલાવી છે.
લોકોના રોજિંદા જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો એવા દૂધમાં જ જો ભેળસેળ કે નકલી દૂધ બનાવવામાં આવતું હોય તો તે ગંભીર બાબત બની શકે છે. સવાલ એ છે કે બાલાસિનોરમાં આ પ્રકારનું દૂધ કોણ બનાવી રહ્યું છે અને તેની પાછળ કોણ જવાબદાર છે?
જો આક્ષેપોમાં તથ્ય હોય તો આવી પ્રવૃત્તિથી નાના બાળકો, વૃદ્ધો સહિત સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શક્યતા છે.
હવે જોવાનું એ રહ્યું કે સમગ્ર મામલે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર તથા સ્થાનિક વહીવટી તંત્ર તપાસ હાથ ધરે છે કે કેમ? કથિત ડુપ્લિકેટ દૂધના નમૂનાઓ લેવામાં આવશે કે કેમ અને જો નિયમોનો ભંગ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે કેમ?
સવાલ સીધો છે—જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારાઓ સામે તંત્ર ક્યારે અને કેવી કાર્યવાહી કરશે?
આ હકીકત ની પુષ્ટિ કરતાં નથી આ વાયરલ વીડિયો છે... તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે.....
    user_Sagar Zala
    Sagar Zala
    Photographer બાલાસિનોર, મહીસાગર, ગુજરાત•
    1 hr ago
  • 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ 🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ 🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો. ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો. 📍 મેઘરજ | અરવલ્લી 📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ
    4
    🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ

🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો

મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો.

ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો.

📍 મેઘરજ | અરવલ્લી

📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ
🔴 બ્રેકિંગ ન્યૂઝ | અરવલ્લી – મેઘરજ
🕌 મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદ નિમિત્તે ભવ્ય જુલુસ યોજાયો
મેઘરજ નગરમાં ઈદ-એ-મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે જુલુસ કાઢવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં લોકો જોડાઈને શાંતિપૂર્ણ માહોલમાં જુલુસમાં ભાગ લીધો હતો.
ઈદ-એ-મિલાદ નિમિત્તે મેઘરજ સહિત દેશભરમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં ભાઈચારા અને શાંતિનો સંદેશ જોવા મળ્યો હતો.
📍 મેઘરજ | અરવલ્લી
📰 રિપોર્ટર: ફલક કુમાર હરેન્દ્ર ભાઈ વ્યાસ, મેઘરજ
    user_Raja Bhai
    Raja Bhai
    મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    2 hrs ago
  • મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
    1
    મેઘરજ અરવલ્લી ના ઇન્દિરા નગર માં  ઈદ એ મિલાદ નિમિત્તે હરસોલ્લાસ્ સાથે જુલુસ કાઢવામાં આવ્યું જુલુસ માં ઈન્દિરા નગર ના નાના મોટા દરેક મુસ્લિમ ભાઈઓ એ સાથે મળી ને એકતા નો સંદેશ આપ્યો
    user_Ertgul
    Ertgul
    Salesperson મેઘરાજ, અરવલ્લી, ગુજરાત•
    10 hrs ago
  • ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા : મહીસાગર સંતરામપુર: લુણાવાડા મહીસાગર જિલ્લાના સંતરામપુર અને મુખ્ય મથક લુણાવાડા માં આજે ઇસ્લામ ધર્મ ના મહાન પેગંબર મોહમદ મુસ્તુફા સલલ્લાહો અલય્હે વસલ્લમ નો 1501 જશ્ને ઈદે મિલાદ ની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી. ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ તેમજ પ્રશાસન નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની સરાહનીય કામ ગીરી જોવા મળી લુણાવાડા ના હુસેની ચોક થી જુલૂસ નીકળ્યું અને આસ્થાના બજાર માંડવી બજાર જવાહર રોડ માધવાસ દરવાજા થી મોડાસા ફળી થઈ હુસેની ચોક માં પરતઆવ્યું જ્યારે સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ થી શરૂ કરીને તેની ચોક ભોય વાળા ટેકરી બસ સ્ટેશન વિસ્તાર અને ગોધરા ભાગોળ વિસ્તાર થઈને પરત જુમ્મા મસ્જિદ આવેલ હતું. મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલયે હે વ સલ્લમ એ ''બેટી બચાવો, બેટી પઢાવો ''" ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો અને હાલના વર્તમાન પરિસ્થિતિમાં પણ દીકરીઓને સન્માન સાથે પડાઈ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ જુલુસમાં મુસ્લિમ સંપ્રદાયના બાળકોથી માંડીને આભાર વૃદ્ધોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઠેર ઠેર ઠંડા પાણી સરબત કોલ્ડ્રીંક તેમજ ફરસાણ નું લોકો દ્વારા વિતરણ કરવા માં આવ્યું ... જુલૂસ માં ડીજે તેમજ માઈક પર નાત શરીફ પડતા આલીમો મદ્રેસા ના બાળકો જોવા મળ્યા મુસ્લિમ સમાજ તરફથી મહીસાગર પોલીસ તેમજ પ્રશાસન નો ખૂબ ખૂબ આભાર માન્યો રિપોર્ટર... અમીન કોઠારી મહીસાગર
    4
    ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા 

: મહીસાગર સંતરામપુર: લુણાવાડા 
મહીસાગર જિલ્લાના સંતરામપુર અને  મુખ્ય મથક લુણાવાડા માં આજે ઇસ્લામ ધર્મ ના મહાન પેગંબર મોહમદ મુસ્તુફા સલલ્લાહો અલય્હે વસલ્લમ નો 1501 જશ્ને ઈદે મિલાદ ની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી.
ઈદે મિલાદ ના જુલુસ માં મૂસ્લિમ સમાજ ના તમામ નાના મોટા લોકો સામેલ થયા 
ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ તેમજ પ્રશાસન નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો 
ઈદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની સરાહનીય કામ ગીરી જોવા મળી
લુણાવાડા ના હુસેની ચોક થી જુલૂસ નીકળ્યું અને આસ્થાના બજાર માંડવી બજાર જવાહર રોડ માધવાસ દરવાજા થી મોડાસા ફળી થઈ હુસેની ચોક માં પરતઆવ્યું 
જ્યારે સંતરામપુરમાં જુમ્મા મસ્જિદ થી શરૂ કરીને તેની ચોક ભોય વાળા ટેકરી બસ સ્ટેશન વિસ્તાર અને ગોધરા ભાગોળ વિસ્તાર થઈને પરત જુમ્મા મસ્જિદ આવેલ હતું. 
મહીસાગર જિલ્લાના લુણાવાડા સંતરામપુર અને બાલાસિનોર ખાતે ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી હતી.
ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલલ્લાહો અલયે હે વ સલ્લમ એ ''બેટી બચાવો, બેટી પઢાવો ''" ઉપર ખૂબ જ ભાર મૂક્યો હતો અને હાલના વર્તમાન પરિસ્થિતિમાં પણ દીકરીઓને સન્માન સાથે પડાઈ કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
આ જુલુસમાં મુસ્લિમ સંપ્રદાયના બાળકોથી માંડીને આભાર વૃદ્ધોએ ખૂબ જ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને ઠેર ઠેર ઠંડા પાણી સરબત  કોલ્ડ્રીંક તેમજ ફરસાણ નું લોકો દ્વારા વિતરણ કરવા માં આવ્યું ...
જુલૂસ માં ડીજે તેમજ માઈક પર નાત શરીફ પડતા આલીમો મદ્રેસા ના બાળકો જોવા મળ્યા
મુસ્લિમ સમાજ તરફથી મહીસાગર પોલીસ તેમજ પ્રશાસન નો ખૂબ ખૂબ આભાર માન્યો
રિપોર્ટર... 
અમીન કોઠારી મહીસાગર
    user_અમીન કોઠારી સંતરામપુર
    અમીન કોઠારી સંતરામપુર
    સંતરામપુર, મહીસાગર, ગુજરાત•
    6 hrs ago
  • લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ....... લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ! અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે. સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા, પેટ ભરાય પણ મન ન ભરાય. સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
    1
    લુણાવાડાની શાન - રાજ રજવાડી સેવ ઉસળ અને ચણા પુલાવ.......
લુણાવાડા બસ સ્ટેન્ડ પાસે, નવરંગ ઝેરોક્ષની સામે આવેલું નાનકડું પણ સ્વાદમાં રજવાડી સ્થળ!
અહીંની ગરમાગરમ રજવાડી સેવ ઉસળ નો ચટાકેદાર સ્વાદ એક વાર ખાશો તો વારંવાર આવવાનું મન થશે. તીખી, ખાટી-મીઠી તરરી, ઉપરથી કુરકુરી સેવ, પાઉં અને લીંબુ-ડુંગળી સાથે પીરસાતી ઉસળ એ લુણાવાડાનો અસલી સ્વાદ છે.
સાથે જ અહીંનો ખુશ્બૂદાર ચણા પુલાવ પણ એટલો જ પ્રખ્યાત છે. નરમ ભાત, મસાલેદાર ચણા,  પેટ ભરાય પણ મન ન ભરાય.
સ્વચ્છતા, ઝડપી સર્વિસ અને પોસાય તેવા ભાવ એ અહીંની ખાસિયત છે.
    user_Hasmukh Bhoi
    Hasmukh Bhoi
    Photographer લુણાવાડા, મહીસાગર, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.