સુઈગામના ભરડવા ખાતે BSF દ્વારા 3 ગામોની 6 શાળાઓના વિદ્યાર્થીઓ ને રમતગમતના સાધન સામગ્રીનું વિતરણ કરાયું. સિવિક એકશન પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશની સરહદોની રખવાળી કરતા BSF દ્વારા દેશસેવની સાથે સાથે લોકોપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, મેડિકલ કેમ્પ, કેમલ સફારી, વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમોની સાથે સાથે સરહદી વિસ્તારની શાળાઓમાં બાળકો ફિટ રહે તે માટે શાળાઓમાં રમત ગમતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સુઈગામ તાલુકાના સરહદી ભરડવા ગામમાં સિવિક એકશન પ્રોગ્રામ અંતર્ગત 137 બટાલિયન BSF દ્વારા સોમવારે રમત ગમતના સાધનોના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.રણની કાંધીને અડીને આવેલા સરહદી ભરડવા, રડોસણ અને મેઘપુરા ગામની કુલ 6 શાળાઓમાં બે લાખ ઉપરાંતનો કિંમતના રમત ગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, સરહદી વિસ્તારના બાળકોમાં રમત ગમત પ્રત્યે રુચિ જાગે, અને રમત ગમત થકી બાળકોનો શારીરિક તેમજ માનસિક વિકાસ સાથે ફિટ રહે તે હેતુથી BSF દ્વારા શાળાઓમાં સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે 137 બટાલિયન BSF ના કમાન્ડન્ટ સુખવીર ધાગડ, ડેપ્યુટી કમાન્ડન્ટ રાહુલ રાણા સાથે બીએસએફના જવાનો અને ભરડવા સરપંચ ક્રિષ્નાબેન રાજપૂત, રડોસણ સરપંચ સિધ્ધરાજસિંહ ચૌહાણ, અગ્રણીઓ રામસિંહભાઈ રાજપૂત, કરમણભાઇ પટેલ, બાવાભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, અહેવાલ:- કિરણ ઠાકોર સુઈગામ
સુઈગામના ભરડવા ખાતે BSF દ્વારા 3 ગામોની 6 શાળાઓના વિદ્યાર્થીઓ ને રમતગમતના સાધન સામગ્રીનું વિતરણ કરાયું. સિવિક એકશન પ્રોગ્રામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં દેશની સરહદોની રખવાળી કરતા BSF દ્વારા દેશસેવની સાથે સાથે લોકોપયોગી કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, મેડિકલ કેમ્પ, કેમલ સફારી, વ્યસનમુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમોની સાથે
સાથે સરહદી વિસ્તારની શાળાઓમાં બાળકો ફિટ રહે તે માટે શાળાઓમાં રમત ગમતની સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, સુઈગામ તાલુકાના સરહદી ભરડવા ગામમાં સિવિક એકશન પ્રોગ્રામ અંતર્ગત 137 બટાલિયન BSF દ્વારા સોમવારે રમત ગમતના સાધનોના વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.રણની કાંધીને અડીને આવેલા સરહદી ભરડવા, રડોસણ
અને મેઘપુરા ગામની કુલ 6 શાળાઓમાં બે લાખ ઉપરાંતનો કિંમતના રમત ગમતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, સરહદી વિસ્તારના બાળકોમાં રમત ગમત પ્રત્યે રુચિ જાગે, અને રમત ગમત થકી બાળકોનો શારીરિક તેમજ માનસિક વિકાસ સાથે ફિટ રહે તે હેતુથી BSF દ્વારા શાળાઓમાં સાધન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે 137 બટાલિયન BSF ના કમાન્ડન્ટ સુખવીર ધાગડ, ડેપ્યુટી કમાન્ડન્ટ રાહુલ રાણા સાથે બીએસએફના જવાનો અને ભરડવા સરપંચ ક્રિષ્નાબેન રાજપૂત, રડોસણ સરપંચ સિધ્ધરાજસિંહ ચૌહાણ, અગ્રણીઓ રામસિંહભાઈ રાજપૂત, કરમણભાઇ પટેલ, બાવાભાઈ પટેલ સહિત શાળા સ્ટાફ અને મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, અહેવાલ:- કિરણ ઠાકોર સુઈગામ
- KalabhaiPalanpur, Banas Kantha😡on 17 December
- Post by Vaghela Janak2
- દિયોદર ગ્રામ પંચાયત દ્વારા મારું ગામ સ્વચ્છ ગામ અંતગર્ત શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી ક્રમ મંત્રી જયંતીભાઈ પ્રજાપતિ ની સૂચના મુજબ દિયોદર શહેરના રસ્તાઓ ની સફાઈ અંગે ની કામગીરી નું આયોજન કરવામાં આવ્યું છે સફાઈ મશીન દ્વારા આ સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવશે જેથી આવનાર સમયમાં દિયોદર શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરે પૂરી તકેદારી રાખી શકાય1
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- Post by Nationgujarat.com1
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- વાસ્મો યોજનામાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નલ સે જલ યોજનામાં પોશીના તાલુકાના ખરણીયા ગામે ઘરે-ઘરે પીવાનું પાણી મળી રહે તે માટે નળ કનેક્શન આપવામાં આવેલ વર્ષ 2021માં વાસ્મો યોજનામાં ખરણીયા ગામે હર ઘર નળ શે જલ યોજનામાં નાખવામાં આવેલ પાણીના કનેક્શન તેમ જ ઘરે ઘરે આપવામાં આવેલ નળ કનેક્શન સમયની સાથે ગાયબ થઈ જતા લાખો રૂપિયાનો ખર્ચ પ્રજાહિત માટે બનાવેલ આ યોજના જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરોની કમાઈનું માત્ર સાધન બનતા આજે ખરણીયા ગામે આ યોજનામાં લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું નામ માત્ર થયેલ આ કામગીરીમાં પોશીના તાલુકામાં કરોડો રૂપિયા નો વાસ્મો યોજનામાં ભ્રષ્ટાચાર થયો હોવાથી છતાં જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું1
- ભાભર તાલુકાના અબાસણા ગામના ગુમ યુવક ની કેનાલ માંથી લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે સમગ્ર બનાવ ની વિગત એવી છે કે ભાભર તાલુકાના અબાસણા ગામના જગદીશ ઠાકોર નામનો યુવક 5 માર્ચ ના રોજ ઘરે થી નીકળી ગયો હતો પરત ઘરે ના ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા જે અંગે ભાભર પોલીસ મથકે યુવકના પિતાએ ફરિયાદ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ગુમ યુવકની લાશ સોમવાર ના રોજ કેનાલ માંથી મળી આવતા લાશ ને પી એમ અર્થ ભાભર સરકારી દવાખાને લઇ જવામાં આવી હતી જ્યાં પી એમ કર્યા બાદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે જો કે પરિવારે મૃતક યુવક ના પરિવારે હત્યા નો આક્ષેપ કર્યો છે1