થરાદ પોલીસે વાતડાઉ ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ બ્રાઉન હેરોઈન (સ્મેક) સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઈન સહિત કુલ રૂ. 2,36,200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં દિલીપભારથી ગોસ્વામી ડીસા , ભરતજી ઠાકોર ( રહે. ડીસા, મૂળ દેલવાડા), શૈલેષભાઈ ચૌધરી (રહે. કટાવ, સુઈગામ) અને અરવિંદભાઈ રાઠોડ ( રહે. કારેલા, ભાભર) નો સમાવેશ થાય છે. ભરતજી ઠાકોરના કબજા ભોગવટાના મોટરસાયકલ પરથી અને શૈલેષભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડના મોટરસાયકલ પેટ્રોલ ટાંકીના અંદરના ભાગેથી બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 5.81 ગ્રામ બ્રાઉન હેરોઈન (કિંમત રૂ. 1,16,200/-), 4 મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,000/-), બે મોટરસાયકલ (કિંમત રૂ. 1,00,000/-) અને પાકીટ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ તથા ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે. કુલ રૂ. 2,36,200/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. થરાદ પીઆઈ એ.ટી. પટેલે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વાતડાવ અને ખોડા બંને ચેકપોસ્ટ પર 24/7 વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તારીખ 5 ના રોજ ફરજ પરના કર્મચારીઓને સાંચોર તરફથી આવતા બે શંકાસ્પદ વાહનો પર સવાર ચાર ઇસમો મળી આવ્યા હતા. NDPS કાયદા હેઠળ રેડનું આયોજન કરી FSL અને સરકારી પંચોની રૂબરૂ ઝડતી તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ આ માદક પદાર્થ પીવા માટે લઈ જતા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં અબ્બાસ સાંચોરવાળા જે સાંચોર-ધાનેરા રોડ પર ચેતના હોટલ નજીક ગેરેજ ધરાવે છે, તેણે મુદ્દામાલ આપી મદદગારી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ PSI ચૌહાણ આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહ્યા છે. પીઆઈ એ.ટી. પટેલે મિડીયાના માધ્યમથી સંદેશ આપ્યો હતો કે આવી કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો, વાવ-થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં.
થરાદ પોલીસે વાતડાઉ ચેકપોસ્ટ પરથી માદક પદાર્થ બ્રાઉન હેરોઈન (સ્મેક) સાથે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી 5.81 ગ્રામ બ્રાઉન હેરોઈન સહિત કુલ રૂ. 2,36,200/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં દિલીપભારથી ગોસ્વામી ડીસા , ભરતજી ઠાકોર ( રહે. ડીસા, મૂળ દેલવાડા), શૈલેષભાઈ ચૌધરી (રહે. કટાવ, સુઈગામ) અને અરવિંદભાઈ રાઠોડ ( રહે. કારેલા, ભાભર) નો સમાવેશ થાય છે. ભરતજી ઠાકોરના કબજા ભોગવટાના મોટરસાયકલ પરથી અને શૈલેષભાઈ ચૌધરી તથા અરવિંદભાઈ રાઠોડના મોટરસાયકલ પેટ્રોલ ટાંકીના અંદરના ભાગેથી બ્રાઉન હેરોઈન મળી આવ્યું હતું. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 5.81 ગ્રામ બ્રાઉન હેરોઈન (કિંમત રૂ. 1,16,200/-), 4 મોબાઈલ ફોન (કિંમત રૂ. 20,000/-), બે મોટરસાયકલ (કિંમત રૂ. 1,00,000/-) અને પાકીટ, આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ તથા ડેબિટ કાર્ડનો સમાવેશ થાય છે. કુલ રૂ. 2,36,200/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. થરાદ પીઆઈ એ.ટી. પટેલે જણાવ્યું હતું કે પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી
વાતડાવ અને ખોડા બંને ચેકપોસ્ટ પર 24/7 વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. તારીખ 5 ના રોજ ફરજ પરના કર્મચારીઓને સાંચોર તરફથી આવતા બે શંકાસ્પદ વાહનો પર સવાર ચાર ઇસમો મળી આવ્યા હતા. NDPS કાયદા હેઠળ રેડનું આયોજન કરી FSL અને સરકારી પંચોની રૂબરૂ ઝડતી તપાસ કરતા આ જથ્થો મળી આવ્યો હતો. આરોપીઓ આ માદક પદાર્થ પીવા માટે લઈ જતા હોવાનું સામે આવ્યું છે. આ ગુનામાં અબ્બાસ સાંચોરવાળા જે સાંચોર-ધાનેરા રોડ પર ચેતના હોટલ નજીક ગેરેજ ધરાવે છે, તેણે મુદ્દામાલ આપી મદદગારી કરી હોવાનું પણ બહાર આવ્યું છે. હાલ PSI ચૌહાણ આ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, ક્યાં લઈ જવાનો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં વધુ તપાસ કરી રહ્યા છે. પીઆઈ એ.ટી. પટેલે મિડીયાના માધ્યમથી સંદેશ આપ્યો હતો કે આવી કોઈપણ પ્રવૃત્તિ કરતા હોય તો સુધરી જજો, વાવ-થરાદ જિલ્લા પોલીસની બાજ નજર છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં.
- Post by Vaghela Janak4
- દિયોદર ગ્રામ પંચાયત દ્વારા મારું ગામ સ્વચ્છ ગામ અંતગર્ત શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા અભિયાન ની શરૂઆત કરવામાં આવી છે જેમાં દિયોદર ગ્રામ પંચાયત સરપંચ કિરણકુમારી ગિરિરાજસિંહ વાઘેલા તથા તલાટી ક્રમ મંત્રી જયંતીભાઈ પ્રજાપતિ ની સૂચના મુજબ દિયોદર શહેરના રસ્તાઓ ની સફાઈ અંગે ની કામગીરી નું આયોજન કરવામાં આવ્યું છે સફાઈ મશીન દ્વારા આ સફાઈ અભિયાન ની શરૂઆત કરવામાં આવશે જેથી આવનાર સમયમાં દિયોદર શહેર ને સ્વચ્છ રાખવા માટે ગ્રામ પંચાયત દ્વારા પૂરે પૂરી તકેદારી રાખી શકાય1
- Post by મનુભાઈ પ્રભુભાઈ ઠક્કર ડાભી વાળા1
- Post by Nationgujarat.com1
- મહેસાણા રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયકે પૂછ્યો પ્રશ્ન સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) અંતર્ગત SC, ST અને OBC સમુદાયના વિકાસ મુદે પૂછ્યો પ્રશ્ન ગુજરાતના સાંસદ મયંકભાઈ નાયકે પછાત વર્ગોના હિતમાં પૂછ્યો પ્રશ્ન સરકાર પાસે SC અને ST સમુદાય માટે વિશેષ યોજનાઓ છે, પરંતુ OBC કેટેગરીમાં આવતા ગોમંતુ (NT/DNT - વિચરતી અને વિમુક્ત જાતિ) સમાજના લોકો હજુ પણ આર્થિક રીતે પાછળ છે. આ સમાજના પ્રતિભાશાળી ઉદ્યમીઓને મુખ્ય ધારામાં લાવવા અને તેમના ઉદ્યોગોને વેગ આપવા માટે MSME મંત્રાલય પાસે કઈ સ્પેશિયલ કેટેગરી કે યોજના છે? જેના જવાબ માં જિતન રામ માંઝી (કેન્દ્રીય મંત્રી) નો જવાબ: ભારત સરકારની નીતિ મુજબ, જે રીતે SC/ST સમુદાયને પ્રોત્સાહન આપવામાં આવે છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સમાન મહત્વ આપવામાં આવે છે. તાલીમ અને માર્કેટિંગ OBC સમાજના લોકો જો પોતાનો ઉદ્યોગ સ્થાપવા માંગતા હોય, તો તેમને જરૂરી ટેકનિકલ તાલીમ (Training) અને ઉત્પાદિત માલના માર્કેટિંગ માટે સરકાર પૂરતી સહાય પૂરી પાડે છે. સરકારી ખરીદી પ્રક્રિયામાં જે રીતે SC/ST માટે 4% નું લક્ષ્ય નિર્ધારિત છે, તે જ રીતે OBC ઉદ્યમીઓને પણ સરકારી ખરીદીમાં પ્રાથમિકતા આપીને મદદ કરવામાં આવી રહી છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વિચરતી જાતિના ઉદ્યમીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધે તે સરકારની પ્રાથમિકતા છે.1
- વિજાપુરમાં રોટરી ક્લબ દ્વારા સારીથોનથી નારી શક્તિની ભવ્ય ઉજવણી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર રોટરી ક્લબ ઓફ વિજાપુર દ્વારા નારી શક્તિને સમર્પિત અનોખી પહેલ 'સારીથોન' આજે ભવ્ય રીતે યોજાઈ હતી. નારી સન્માન, સ્વાભિમાન, સમાનતા તેમજ સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે આયોજિત આ કાર્યક્રમમાં વિજાપુરના પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલે લીલી ઝંડી આપીને શુભારંભ કર્યો હતો. સરદાર સ્ટેચ્યુથી રોટરી ભવન સુધી રેલી સ્વરૂપે યોજાયેલ આ સારીથોનમાં અનેક મહિલાઓએ સાડી પહેરીને ભાગ લીધો હતો અને મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરીને સમાનતા તેમજ તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. 'ગિવ ટુ ગેઇન' થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમ મહિલાઓના સશક્તિકરણ, આત્મસન્માન અને સામાજિક-આર્થિક યોગદાનને પ્રોત્સાહન આપવા માટે ખાસ રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. રોટરી ક્લબના પ્રમુખ સંગીતાબેન પટેલ, પરેશભાઈ પટેલ, કનુભાઈ આચાર્ય, રમેશભાઈ પટેલ, અજય બારોટ, જગદીશભાઈ પંચાલ સહિત રોટરી ક્લબના અન્ય સભ્યો અને અનેક મહિલાઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પહેલ દ્વારા રોટરી ક્લબ ઓફ વિજાપુરે મહિલાઓની શક્તિ અને સંસ્કૃતિને વધુ ઉજાગર કરીને સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડ્યો હતો. સહભાગીઓએ આ અનુભવને પ્રેરણાદાયી ગણાવ્યો અને આવા વધુ કાર્યક્રમોની અપેક્ષા વ્યક્ત કરી હતી.1
- વર્ષ 2021 માં ખરણીયા ગામે નલ સે જલ યોજનામાં આપવામાં આવેલ પાણીના કનેક્શન બાદ આખી યોજના ઘાયબ1
- Post by Vaghela Janak2