logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ

11 hrs ago
user_Vijay Kumar Joshi
Vijay Kumar Joshi
Media news Poshina, Sabar Kantha•
11 hrs ago

પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ

More news from Sabar Kantha and nearby areas
  • પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ
    1
    પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ
    user_Vijay Kumar Joshi
    Vijay Kumar Joshi
    Media news Poshina, Sabar Kantha•
    11 hrs ago
  • ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર ફાગણી પુનમ નિમિતે માઇભક્તોનો ઘસારો, દર્શન કરી ધન્યતા અનુભવી
    1
    ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર ફાગણી પુનમ નિમિતે માઇભક્તોનો ઘસારો, દર્શન કરી ધન્યતા અનુભવી
    user_ચંદ્રકાંત પ્રજાપતિ
    ચંદ્રકાંત પ્રજાપતિ
    Khedbrahma, Sabar Kantha•
    10 hrs ago
  • સોજીત્રા, આણંદ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા ડભોઉ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોલિકા દહનનો કાર્યક્રમ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભક્તિમય માહોલ વચ્ચે પ્રગટી હોળી સાંજ પડતાની સાથે જ ડભોઉ ગામના પાદરે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. અગ્નિદેવના પ્રાગટ્યની સાથે જ આકાશ 'આ સમાચાર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામના છે: હેડલાઇન: સોજીત્રાના ડભોઉ ગામે પરંપરાગત રીતે હોલિકા દહનનું આયોજન, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા સોજીત્રા: આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ચોક પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના આ પવિત્ર પ્રસંગે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. ભક્તિમય વાતાવરણમાં લોકોએ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી અને સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડભોઉ ગામમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગ્રામજનોએ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. વિષ્ણુ ઠાકોર
    4
    સોજીત્રા, આણંદ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા ડભોઉ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોલિકા દહનનો કાર્યક્રમ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ભક્તિમય માહોલ વચ્ચે પ્રગટી હોળી
સાંજ પડતાની સાથે જ ડભોઉ ગામના પાદરે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. અગ્નિદેવના પ્રાગટ્યની સાથે જ આકાશ 'આ સમાચાર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામના છે:
હેડલાઇન: સોજીત્રાના ડભોઉ ગામે પરંપરાગત રીતે હોલિકા દહનનું આયોજન, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા
સોજીત્રા: આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ચોક પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી.
હોલિકા દહનના આ પવિત્ર પ્રસંગે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. ભક્તિમય વાતાવરણમાં લોકોએ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી અને સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડભોઉ ગામમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગ્રામજનોએ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. વિષ્ણુ ઠાકોર
    user_Vishnu thakor
    Vishnu thakor
    Photographer દાંતા, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ પૂનમના પાવન દિવસે લાગેલા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને વડાલી શહેર તેમજ તાલુકાના નાના-મોટા તમામ મંદિરો આજે બંધ રાખવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સૂતક કાળને કારણે મંદિર ટ્રસ્ટો દ્વારા ભક્તો માટે દર્શન વ્યવસ્થા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મંદિરો આજે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવ્યા બાદ દિવસ દરમિયાન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં પણ સમાન રીતે સૂચના અમલમાં મુકાઈ હતી.મંદિર સંચાલક મંડળોએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ આવતીકાલથી તમામ મંદિરોમાં આરતી અને દર્શનનો નિયમિત સમય ફરી શરૂ કરવામાં આવશે.
    1
    વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ પૂનમના પાવન દિવસે લાગેલા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને વડાલી શહેર તેમજ તાલુકાના નાના-મોટા તમામ મંદિરો આજે બંધ રાખવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સૂતક કાળને કારણે મંદિર ટ્રસ્ટો દ્વારા ભક્તો માટે દર્શન વ્યવસ્થા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મંદિરો આજે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવ્યા બાદ દિવસ દરમિયાન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં પણ સમાન રીતે સૂચના અમલમાં મુકાઈ હતી.મંદિર સંચાલક મંડળોએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ આવતીકાલથી તમામ મંદિરોમાં આરતી અને દર્શનનો નિયમિત સમય ફરી શરૂ કરવામાં આવશે.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    10 hrs ago
  • રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી તારીખ 2 ના રોજ કરવામાં આવી હોય પણ પોશીના તાલુકામાં હોળી પર્વની ઉજવણી પૂનમના રોજ કરવામાં આવતા પોશીના તાલુકામાં આવેલ વેપારી મથક એવા લાંબડીયા પોશીના દેલવાડા કોટડા સમેતના સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળેલ પોશીના તાલુકામાં આવેલ ગામોમાં પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે બજારમાં લોકો દ્વારા ખરીદારી માટે ઉમટી પડતા તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના ગામોમાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં લોકોની ભારેભીડ
    1
    રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી તારીખ 2 ના રોજ કરવામાં આવી હોય પણ પોશીના તાલુકામાં હોળી પર્વની ઉજવણી પૂનમના રોજ કરવામાં આવતા પોશીના તાલુકામાં આવેલ વેપારી મથક એવા લાંબડીયા પોશીના દેલવાડા કોટડા સમેતના સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળેલ પોશીના તાલુકામાં આવેલ ગામોમાં પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે બજારમાં લોકો દ્વારા ખરીદારી માટે ઉમટી પડતા તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના ગામોમાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં લોકોની ભારેભીડ
    user_Press reporter
    Press reporter
    पत्रकार Sabarkantha, Gujarat•
    11 hrs ago
  • દેશના સૌથી ઊંચા શિખર પર પ્રજવલિત થતી પવિત્ર હોલિકા દહન જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબિકા ના સ્થાનક પર હોલિકા દહન કરવામાં આવે છે ઊંચા શિખર પર બિરાજમાન એવા માં અંબિકા ના પવિત્ર દેવસ્થાન ખાતે હોલિકા દહન નો કાર્યક્રમ ઉજવાયો આ પવિત્ર સ્થળ પર ફક્ત નાળિયેરથી જ હોલિકા દહન કરવામાં આવે છે અનેક એવા નાળિયેરો દ્વારા હોલિકા દહન ગિરનાર શિખર પર કરવામાં આવ્યું હતું જ્યાં અનેક ભાવિકોએ ઉપસ્થિત રહી અને આ પવિત્ર હોલિકા દહનમાં સહયોગી થયા હતા અને દર્શનનો લાભ લીધો હતો આ જ રીતે જૂનાગઢનું બીજું પવિત્ર સ્થાન એટલે કે દાતાર શિખર દાતાર બાપુના સાનિધ્યમાં વર્ષોથી પવિત્ર હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે ગિરનારના બીજા શિખરે એવા દાતાર પર દાતાર બાપુ ના સાનિધ્યમાં પણ હોલિકા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો
    1
    દેશના સૌથી ઊંચા શિખર પર પ્રજવલિત થતી પવિત્ર હોલિકા દહન 
જૂનાગઢના ગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબિકા ના સ્થાનક પર હોલિકા દહન કરવામાં આવે છે ઊંચા શિખર પર બિરાજમાન એવા માં અંબિકા ના પવિત્ર દેવસ્થાન ખાતે હોલિકા દહન નો કાર્યક્રમ ઉજવાયો આ પવિત્ર સ્થળ પર ફક્ત નાળિયેરથી જ હોલિકા દહન કરવામાં આવે છે અનેક એવા નાળિયેરો દ્વારા હોલિકા દહન ગિરનાર શિખર પર કરવામાં આવ્યું હતું જ્યાં અનેક ભાવિકોએ ઉપસ્થિત રહી અને આ પવિત્ર હોલિકા દહનમાં સહયોગી થયા હતા અને દર્શનનો લાભ લીધો હતો 
આ જ રીતે જૂનાગઢનું બીજું પવિત્ર સ્થાન એટલે કે દાતાર શિખર દાતાર બાપુના સાનિધ્યમાં વર્ષોથી પવિત્ર હોલિકા દહન કરવામાં આવે છે ત્યારે ગિરનારના બીજા શિખરે એવા દાતાર પર દાતાર બાપુ ના સાનિધ્યમાં પણ હોલિકા દહન નો કાર્યક્રમ કરવામાં આવ્યો
    user_Nationgujarat.com
    Nationgujarat.com
    Newspaper publisher Palanpur, Banas Kantha•
    10 hrs ago
  • આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 3/3/26, મંગળવાર 🙏🙏🙏
    1
    આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 3/3/26, મંગળવાર 🙏🙏🙏
    user_VADGAM SAMACHAR PUSHKAR Goswam
    VADGAM SAMACHAR PUSHKAR Goswam
    Abarth dealer વડગામ, બનાસકાંઠા, ગુજરાત•
    15 hrs ago
  • વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં એક ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ભંડવાલ ગામમાં વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલના ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લાકડા અને ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડાલી ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર અને અશ્વિન વણકર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબુમાં લીધી હતી.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. જેના કારણે સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
    1
    વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં એક ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ભંડવાલ ગામમાં વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલના ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લાકડા અને ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી.
વડાલી ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર અને અશ્વિન વણકર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબુમાં લીધી હતી.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. જેના કારણે સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
    user_રીપોર્ટર ધ્રુવ માળી
    રીપોર્ટર ધ્રુવ માળી
    Local News Reporter ઇડર, સાબરકાંઠા, ગુજરાત•
    11 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.