ભંડવાલના ખુલ્લા પ્લોટમાં આગ લાગી: વડાલી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં એક ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ભંડવાલ ગામમાં વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલના ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લાકડા અને ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડાલી ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર અને અશ્વિન વણકર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબુમાં લીધી હતી.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. જેના કારણે સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભંડવાલના ખુલ્લા પ્લોટમાં આગ લાગી: વડાલી ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી કાબુ મેળવ્યો વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં એક ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ભંડવાલ ગામમાં વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલના ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લાકડા અને ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડાલી ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર અને અશ્વિન વણકર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબુમાં લીધી હતી.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. જેના કારણે સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
- વિક્રમ સંવત ૨૦૮૨ ફાગણ સુદ પૂનમના પાવન દિવસે લાગેલા ચંદ્રગ્રહણને ધ્યાનમાં રાખીને વડાલી શહેર તેમજ તાલુકાના નાના-મોટા તમામ મંદિરો આજે બંધ રાખવામાં આવ્યા છે. ચંદ્રગ્રહણના સૂતક કાળને કારણે મંદિર ટ્રસ્ટો દ્વારા ભક્તો માટે દર્શન વ્યવસ્થા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.મંદિરો આજે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધી દર્શનાર્થે ખુલ્લા રાખવામાં આવ્યા બાદ દિવસ દરમિયાન સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યા હતા. શહેર અને ગ્રામ્ય વિસ્તારોના મંદિરોમાં પણ સમાન રીતે સૂચના અમલમાં મુકાઈ હતી.મંદિર સંચાલક મંડળોએ જણાવ્યું હતું કે ચંદ્રગ્રહણ પૂર્ણ થયા બાદ આવતીકાલથી તમામ મંદિરોમાં આરતી અને દર્શનનો નિયમિત સમય ફરી શરૂ કરવામાં આવશે.1
- રાજ્યમાં હોળીના તહેવારની ઉજવણી તારીખ 2 ના રોજ કરવામાં આવી હોય પણ પોશીના તાલુકામાં હોળી પર્વની ઉજવણી પૂનમના રોજ કરવામાં આવતા પોશીના તાલુકામાં આવેલ વેપારી મથક એવા લાંબડીયા પોશીના દેલવાડા કોટડા સમેતના સેન્ટરો પર લોકોની ભારે ભીડ જોવા મળેલ પોશીના તાલુકામાં આવેલ ગામોમાં પૂનમની રાત્રે હોળી પ્રગટાવવામાં આવશે ત્યારે બજારમાં લોકો દ્વારા ખરીદારી માટે ઉમટી પડતા તાલુકાના લાંબડીયા પોશીના દેલવાડા સમેતના ગામોમાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં લોકોની ભારેભીડ1
- હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર લલિત નારાયણસિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને 'સુજલામ સુફલામ જળ અભિયાન ૨૦૨૬' ના આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન કલેક્ટરશ્રીએ જિલ્લામાં જળ સંચયના કામોને વેગ આપવા અને ચોમાસા પૂર્વે તળાવો ઊંડા કરવા, ચેકડેમોની સફાઈ તેમજ જળ સંગ્રહ શક્તિ વધારવા માટેના વિવિધ કામોનું સમયબદ્ધ આયોજન કરવા સૂચન કર્યા હતા. તેમણે જળ અભિયાનમાં લોકભાગીદારી વધારવા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, પાણીના દરેક ટીપાનો સંગ્રહ થાય તે દિશામાં વહીવટી તંત્ર અને નાગરિકોએ સાથે મળીને કામ કરવું અનિવાર્ય છે. આ બેઠકમાં વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.1
- ખેડબ્રહ્માના અંબિકા માતાજી મંદિર ફાગણી પુનમ નિમિતે માઇભક્તોનો ઘસારો, દર્શન કરી ધન્યતા અનુભવી1
- વિજાપુરના વંદના સિનેમામાં "તું દુનિયા છે મારી" ગુજરાતી ફિલ્મનું પ્રમોશન કાર્યક્રમ યોજાયો વિજાપુર, તા. : સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આગામી ગુજરાતી ફિલ્મ "તું દુનિયા છે મારી"નું પ્રમોશન વંદના સિનેમા ખાતે ભવ્ય રીતે યોજાયું હતું. આ પ્રસંગે ફિલ્મના મુખ્ય કલાકારો અને ટીમના સભ્યોનું ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સિનેમાના માલિક સાગરભાઈ ઓઝાએ આખી ટીમને આવકાર આપ્યો હતો. વિઠાકોર સેના પ્રમુખ જનકભાઈ ઠાકોર, સચિનભાઈ પટેલ, કિરીટભાઈ પ્રજાપતિ તેમજ બ્રિજેશભાઈએ વિક્રમભાઈ ઠાકોરનું ફૂલો અને શાલ ઓઢાડીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ફિલ્મની હિરોઈન રિયા જયસ્વાલનું પણ હેતલબેન ઝાલા અને સુરજબેન દ્વારા ખાસ વધામણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ફિલ્મના પ્રમોશન માટે આયોજિત હતો, જેમાં દર્શકો અને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ફિલ્મના ડાયરેક્ટર કે. કે. મકવાણા આ પ્રસંગે હાજર ન હતા. આ દરમિયાન વિક્રમ ઠાકોર અને રિયા જયસ્વાલે ચાહકો સાથે વાતચીત કરી અને ફિલ્મ વિશે રસપ્રદ માહિતી આપી હતી. "તું દુનિયા છે મારી" એક ભાવનાત્મક પ્રેમકથા આધારિત ફિલ્મ છે, જેમાં પ્રેમ, લાગણી અને પરિવારની કહાનીને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું ટાઈટલ સોંગ અને ટ્રેલર પહેલેથી જ ચાહકોમાં ધમાલ મચાવી રહ્યા છે. આ પ્રમોશન કાર્યક્રમથી સ્થાનિક સ્તરે ફિલ્મ પ્રત્યેની ઉત્સુકતા વધુ વધી છે અને ચાહકો હવે થિયેટરમાં તેની રાહ જોઈ રહ્યા છે.1
- સોજીત્રા, આણંદ આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં આવેલા ડભોઉ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળીનો તહેવાર પરંપરાગત આસ્થા અને ઉમંગ સાથે ઉજવવામાં આવ્યો હતો. આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોલિકા દહનનો કાર્યક્રમ ગ્રામજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ભક્તિમય માહોલ વચ્ચે પ્રગટી હોળી સાંજ પડતાની સાથે જ ડભોઉ ગામના પાદરે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અને મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી. અગ્નિદેવના પ્રાગટ્યની સાથે જ આકાશ 'આ સમાચાર આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામના છે: હેડલાઇન: સોજીત્રાના ડભોઉ ગામે પરંપરાગત રીતે હોલિકા દહનનું આયોજન, મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા સોજીત્રા: આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના ડભોઉ ગામે હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગામના ચોક પર શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી પ્રગટાવવામાં આવી હતી. હોલિકા દહનના આ પવિત્ર પ્રસંગે સમસ્ત ગ્રામજનો એકત્રિત થયા હતા. ભક્તિમય વાતાવરણમાં લોકોએ હોળીના દર્શન કરી પ્રદક્ષિણા કરી હતી અને સુખ-શાંતિની પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે બાળકોથી લઈને વૃદ્ધો સુધીના તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ડભોઉ ગામમાં વર્ષોથી ચાલી આવતી આ પરંપરા મુજબ ગ્રામજનોએ એકબીજાને હોળીની શુભકામનાઓ પાઠવી હતી. વિષ્ણુ ઠાકોર4
- પોશીના તાલુકામાં પૂનમના દિવસે હોળી પર્વની ઉજવણી કરતા બજારોમાં ભારે ભીડ1
- વડાલી તાલુકાના ભંડવાલ ગામમાં એક ખુલ્લા પ્લોટમાં આગ લાગવાની ઘટના બની હતી. આ બનાવની જાણ થતાં જ વડાલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક માહિતી અનુસાર, ભંડવાલ ગામમાં વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલના ઘર પાસે આવેલા ખુલ્લા પ્લોટમાં લાકડા અને ઘાસચારાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર તેમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.આગ લાગતા આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા દેખાવા લાગ્યા હતા. આ જોઈને સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વડાલી ફાયર બ્રિગેડની ટીમના મિલન ઠાકોર અને અશ્વિન વણકર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબુમાં લીધી હતી.સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. જેના કારણે સ્થાનિકો અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.1