બડોલી ગામે મહિલાઓ માટે નારિયેળના રેશાથી આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિર ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.
બડોલી ગામે મહિલાઓ માટે નારિયેળના રેશાથી આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિર ઈડર તાલુકાના બડોલી ગામે મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે નારિયેળના રેશામાંથી વિવિધ આર્ટિકલ બનાવવાની કૌશલ્ય વિકાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા તા. 9 માર્ચ 2026 થી 24 માર્ચ 2026 સુધી આ તાલીમ યોજાઈ રહી છે. આ તાલીમમાં હાલમાં આશરે 25 મહિલાઓ ભાગ લઈ રહી છે અને નારિયેળના રેશાથી ઉપયોગી તથા હસ્તકલાત્મક વસ્તુઓ બનાવવાની કળા શીખી રહી છે. ગામના જ ઇન્દુસિંહ રાઠોડ દ્વારા મહિલાઓને પ્રાયોગિક માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ શિબિરની બડોલી ગ્રામ પંચાયતના સરપંચ રાજુભાઈ પટેલે મુલાકાત લઈ મહિલાઓ સાથે સંવાદ કર્યો હતો અને તેમની સમસ્યાઓ તથા સૂચનો સાંભળ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામની વધુમાં વધુ બહેનો આ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે જોડાય અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્નો કરવામાં આવશે. મહિલાઓને આગળ વધવા માટે જ્યાં જ્યાં પંચાયતની જરૂર પડશે ત્યાં સંપૂર્ણ સહકાર આપવામાં આવશે. આ તાલીમ શિબિર મહિલાઓ માટે રોજગારના નવા અવસર ઉભા કરવા તેમજ ગ્રામ્ય સ્તરે સ્વરોજગારને પ્રોત્સાહન આપતી મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે.
- લાડોલ હિટ એન્ડ રન ની ઘટના ગુટકા લેવા ગયેલા પરપ્રાંતીય યુવક ને અજાણ્યા વાહન ચાલકની બેદરકારીથી મોત, ગરીબ પરિવારને ન્યાય મળે તેવી માંગ વિજાપુર તાલુકાના લાડોલ ગામ પાસેના હાઇવે રોડ પર ફરી એકવાર હિટ એન્ડ રન અકસ્માતની ઘટના બની છે. અજાણ્યા વાહન ચાલકની અતિ ઝડપ અને ગફલતભરી ડ્રાઇવિંગને કારણે ૨૫ વર્ષીય યુવાન જીતુભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ માર્ગે છેલ્લા કેટલાક વર્ષોમાં આવી અકસ્માતની ઘટનાઓ વારંવાર બની છે, જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે. લાડોલ પોલીસ સ્ટેશન નોંધાયેલી ફરિયાદ અનુસાર, ઘટના તા. ૧૩ માર્ચ ૨૦૨૬ના સાંજના આશરે ૭:૩૦ વાગ્યે લાડોલના ગણપતિ મંદિર સામે બંધ પેટ્રોલ પંપ આગળ બની હતી. જીતુભાઈ ગુટકા લેવા ગામ તરફ જઈ રહ્યા હતા અને પગપાળા ચાલતા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે વાહન હંકારીને તેમને ટક્કર મારી. માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. આરોપી વાહન ચાલક ઘટના બાદ વાહન લઈને ફરાર થઈ ગયો છે. મૃતક જીતુભાઈના મોટા ભાઈ કેરાજી રાજાજી (ઉંમર ૩૦ વર્ષ, જાતિ ભીલ)એ લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ પરિવાર અત્યંત ગરીબ છે. કેરાજીભાઈ તેમની પત્ની લક્ષ્મીબેન સાથે પટેલ દિલીપભાઈ અંબાલાલની ખેડીમાં દિવસના મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના ચાર સંતાનો છે – ત્રણ દીકરી અને એક દીકરો. જીતુભાઈ પણ પરિવારની આર્થિક મદદ કરતા હતા. માતા પાઉલબેન પણ મજૂરી કરે છે. આવા ગરીબ પરિવાર માટે ભાઈનું મોત એક મોટો આર્થિક તેમજ ભાવનાત્મક આઘાત છે. પરિવારજનોએ પોલીસ સમક્ષ આક્રોશપૂર્વક માંગ કરી છે કે અજાણ્યા વાહન ચાલકની ઝડપી ધરપકડ કરી તેને કડક સજા થાય અને તેમને ન્યાય મળે. કેરાજીભાઈએ કહ્યું, “આ માર્ગે અગાઉ પણ કેટલીક વખત આવી ઘટનાઓ બની છે, પણ કોઈની પરવા થતી નથી. અમારા જેવા ગરીબ મજૂરોના જીવનની કિંમત કોઈને નથી. પોલીસ સાહેબો અમને ન્યાય આપે.” લાડોલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ બી.એન.એસ.એસ.ની કલમ ૨૮૧, ૧૦૬(૧), ૧૨૫(એ), ૧૨૫(બી) તેમજ મોટર વાહન અધિનિયમની કલમ ૧૭૭, ૧૮૪ અને ૧૩૪ હેઠળ ગુનો નોંધીને પી આઈ રબારી એ તપાસ નો ધમધમાટ શરૂ કર્યું છે સીસીટીવી ફૂટેજ અને આસપાસના પુરાવાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે આશ્વાસન આપ્યું છે કે આરોપીની ધરપકડ માટે તમામ પ્રયાસ કરવામાં આવશે. આ ઘટના સ્થાનિક લોકોમાં રોડ સેફ્ટી અંગે ચર્ચા તેજ કરી રહી છે. પરિવારની આ માંગને લઈને તંત્રે ત્વરિત કાર્યવાહી કરી આ ગરીબ પરિવારને ન્યાય આપવા જરૂરી છે.1
- केंद्रीय मंत्री डॉ. जितेंद्र सिंह ने LPG गैस का बड़ा टैंकर ईरान से आने पर कहा, "मैं पीएम मोदी को आभार प्रकट करता हूं उनका इतना रुतबा दुनियाभर में कि मोदी जी की बात को कोई नहीं टालता...जब बाकि तमाम मुल्कों की गैस रुक दी गई है पीएम मोदी के एक फोन के बाद आज हमारे समुद्री जहाज वहां से रवाना हो चुके हैं।"1
- દહેગામ તાલુકાના રખિયાલ ગામનો વતની પરમાર હર્ષદ મૂળજીભાઈ નામે પોતાનું bike નબર GJ01MS 6206 પાસે ચપ્પલ મૂકીને ને રાયપુર કેનાલ ઉપર કોઈ અગમ્ય કારણસર મોતને વ્હાલું કરી લીધું છે.1
- Post by Riyaj Ghachi1
- Post by RAMESH ZALA1
- Post by Pooja patel1
- સાબરકાંઠાના તલોદ તાલુકાના લેબોર ચોકડી ખાતે 'મિલેટ મેળા' અને PM-કિસાન યોજનાના ૨૨માં હપ્તાના વિતરણનો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી આ પ્રસંગે જણાવ્યું કે,કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજ્યએ સમગ્ર દેશમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતનો સાબરકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે નવા પ્રયોગો દ્વારા આર્થિક ઉપાર્જન વધારી વિકાસશીલ બન્યો છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોની આગવી સૂઝ અને બાગાયત ખાતાના સહકારથી આધુનિક ખેતી પદ્ધતિઓનો વ્યાપ વધ્યો છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લાના ૨,૨૩,૩૨૬ ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધીમાં ૨૧ હપ્તામાં કુલ રૂ. ૪૧૮.૩૯ કરોડની રકમ સીધી બેંક ખાતામાં ચૂકવવામાં આવી છે. વધુમાં, ૨૨મો હપ્તો પણ આસામના ગુવાહાટી ખાતેથી સીધા DBT દ્વારા જમા કરાવવામાં આવ્યો. . સાબરકાંઠા જિલ્લો શાકભાજીના હબ તરીકે જાણીતો છે. રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ખેડૂતોની મહેનતથી સાબરકાંઠા જિલ્લો કૃષિ અને બાગાયત ક્ષેત્રે અન્ય જિલ્લાઓ માટે પ્રેરણાસ્રોત બન્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત ખેડૂતોએ રાજ્યકક્ષાના મુખ્યમંત્રી શ્રી સંદેશ સાંભળ્યો અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આસામ ગુવાહાટી ખાતેના PM કિસાન સન્માન નિધિના ૨૨માં હપ્તાનો ડિજિટલ લોકાર્પણ કાર્યક્રમ નિહાળ્યો હતો. કાર્યક્રમ સ્થળે મિલેટ વાનગી પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન, કૃષિ વૈજ્ઞાનિકો દ્રારા ખેડૂતોને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વિશે જાણકારી આપવામાં આવી તેમજ પ્રાકૃતિક કૃષિ વિશે જાણકારી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લાના આઠે તાલુકામાં આ કાર્યક્રમ જન પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દશરથસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જોશી, નાયબ વિસ્તરણ અધિકારી શ્રી દેસાઈ, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી, સ્થાનિક અગ્રણીઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.1
- Post by Nationgujarat.com1
- Post by પરમાર રાહુલ શિવાજી1