અમરેલી જિલ્લામાં જળસંચયના ભગીરથ પ્રયાસોને વરસાદના આશીર્વાદ મળતાં જળક્રાંતિ સર્જાઈ છે. ઉનાળા દરમિયાન ઉંડા કરવામાં આવેલા તળાવો શ્રીકાર વર્ષા બાદ નવા નીરથી છલોછલ ભરાઈ ગયા છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. આ અંતર્ગત ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી અને કુંકાવાવ-વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાળા બાવીશી, સણોસરા, જાળીયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણાના કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ગ્રામજનોએ હર્ષભેર જળનું સ્વાગત કર્યું હતું. જળસંચયના આ મહત્વકાંક્ષી કાર્ય અંગે માહિતી આપતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન તથા સહયોગથી ઊર્જા વિભાગના પી.જી.વી.સી.એલ અને જેટકોના અનુદાનથી તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે અંદાજે ૧૩૦ જેટલા હિટાચી મશીનો દ્વારા સતત કામગીરી કરીને દરેક ગામમાં લગભગ ૬૦૦ કલાક સુધી તળાવો ઉંડા કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બન્યો છે, જે પાણી ખેડૂતો માટે ઉનાળામાં અમૂલ્ય સાબિત થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવશે અને ખેતી, પશુપાલન તથા સમગ્ર જીવસૃષ્ટિને સીધો દીર્ઘકાલીન લાભ આપશે. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ વિવિધ ગામોના તળાવો તેમજ નવા બનેલા ચેકડેમોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી મંત્રોચ્ચાર સાથે નવા નીરના વધામણા કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કમીગઢ સ્થિત ગૌશાળાની મુલાકાત લઈને ગૌસેવકોની સેવાને બિરદાવી હતી તેમજ સ્થાનિકો અને વડીલો સાથે સંવાદ કરી વિકાસલક્ષી ચર્ચા કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયત સભ્ય આશિષભાઈ દેવમુરારી, અગ્રણી નિકુલભાઈ માંડણકા, શંભુલાલ મહિડા, વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લામાં જળસંચયના ભગીરથ પ્રયાસોને વરસાદના આશીર્વાદ મળતાં જળક્રાંતિ સર્જાઈ છે. ઉનાળા દરમિયાન ઉંડા કરવામાં આવેલા તળાવો શ્રીકાર વર્ષા બાદ નવા નીરથી છલોછલ ભરાઈ ગયા છે, જેના લીધે સમગ્ર વિસ્તારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. આ અંતર્ગત ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને અમરેલી અને કુંકાવાવ-વડિયા તાલુકાના સાજિયાવદર, બરવાળા બાવીશી, સણોસરા, જાળીયા, ઢોલરવા, કમીગઢ, માંડવડા અને ટીંબલા ગામોમાં નવા નીરના વધામણાના કાર્યક્રમો યોજાયા હતા, જ્યાં ગ્રામજનોએ હર્ષભેર જળનું સ્વાગત કર્યું હતું. જળસંચયના આ મહત્વકાંક્ષી કાર્ય અંગે માહિતી આપતા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન તથા સહયોગથી ઊર્જા વિભાગના પી.જી.વી.સી.એલ અને જેટકોના અનુદાનથી તળાવો ઉંડા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ માટે અંદાજે ૧૩૦ જેટલા હિટાચી મશીનો દ્વારા સતત કામગીરી કરીને દરેક ગામમાં લગભગ ૬૦૦ કલાક સુધી તળાવો ઉંડા કરવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. જેના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બન્યો છે, જે પાણી ખેડૂતો માટે ઉનાળામાં અમૂલ્ય સાબિત થશે, ભૂગર્ભ જળસ્તર ઊંચું લાવશે અને ખેતી, પશુપાલન તથા સમગ્ર જીવસૃષ્ટિને સીધો દીર્ઘકાલીન લાભ આપશે. કાર્યક્રમ દરમિયાન રાજ્યમંત્રીએ વિવિધ ગામોના તળાવો તેમજ નવા બનેલા ચેકડેમોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી મંત્રોચ્ચાર સાથે નવા નીરના વધામણા કર્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે કમીગઢ સ્થિત ગૌશાળાની મુલાકાત લઈને ગૌસેવકોની સેવાને બિરદાવી હતી તેમજ સ્થાનિકો અને વડીલો સાથે સંવાદ કરી વિકાસલક્ષી ચર્ચા કરી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય આશિષભાઈ અકબરી, તાલુકા પંચાયત સભ્ય આશિષભાઈ દેવમુરારી, અગ્રણી નિકુલભાઈ માંડણકા, શંભુલાલ મહિડા, વિવિધ ગામોના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
- ગીરના જંગલમાં સિંહની પજવણી કરવાના અને પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના વિડિયો ઇન્સ્ટાગ્રામ સહિત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ગીર (પૂર્વ) વન વિભાગે ગંભીર નોંધ લીધી છે. વન વિભાગ દ્વારા આ મામલે સઘન તપાસ હાથ ધરી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને પ્રભાસ પાટણ વિસ્તારમાંથી કુલ ૮ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી વન વિભાગની વિશેષ ટીમ દ્વારા છેલ્લા ૧૫ થી ૨૦ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવેલા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે વેરાવળ પોલીસના સહયોગથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. આ ઓપરેશન ગીર (પૂર્વ) વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ તથા મદદનીશ વન સંરક્ષક શ્રી કપિલ ભાટિયાના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપીઓમાં પંજા મોહમદ અમીનભાઈ, મહમદજાબીલ અબુલ કાલાવાણીયા, કાજી ફારૂકનાઝહુસૈન ઝાકીરહુસૈન, બ્લોચ અયાઝ અનવર, કાલવત ઝેનુલ આબેદીનમહમદ, ભાદરકા સોફિયાન ઇકબાલભાઈ, સબિરહુસૈન ઈસા મોહમદ ભાદરકા અને ભાદરકા સોહિલ સુલેમાનનો સમાવેશ થાય છે. આ આરોપીઓ સોશિયલ મીડિયા પર વિવિધ આઈડી દ્વારા સિંહની પજવણી કરતા વિડિયો અપલોડ કરતા હતા અને વન વિભાગે આ તમામ સામે વન્યજીવ સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશનમાં જસાધાર રેન્જના વનપાલ સર્વશ્રી એમ.એચ. સોંદરવા, એચ.પી. માડમ, આર.બી. વાળા તથા વનરક્ષક સર્વશ્રી જી.વી. પાથર, એસ.કે. કસોટિયા અને ડી.એન. વાઢેળે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઘટના બાદ વન વિભાગે સામાન્ય જનતાને અપીલ કરી છે કે વન્યપ્રાણીઓને હેરાન કરતા અથવા પ્રતિબંધિત વન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કે શેર કરવા નહીં તેમજ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવું નહીં. જો વન્યજીવોની સતામણીના આવા કોઈ દ્રશ્યો લોકોના ધ્યાને આવે તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા વિનંતી કરવામાં આવી છે. વન વિભાગે ભવિષ્યમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સતત પેટ્રોલિંગ અને કડક કાર્યવાહી ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે.1
- અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે DYSP વિરલ ચંદનની આગેવાની હેઠળ સાવરકુંડલા ડિવિઝનના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બૂટલેગરો અને અસામાજિક તત્વોની એકસાથે 'હાજરી પરેડ' યોજવામાં આવી હતી. આ પરેડ દરમિયાન તમામ ગુનેગારોની કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે યોજાયેલી આ વિશેષ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બૂટલેગરો, ગુજસીટોક (GUJCTOC) ના આરોપીઓ, ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ કરતા વ્યાજખોરો તેમજ શરીર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ પરેડમાં સાવરકુંડલા ટાઉનના 98 આરોપીઓ, સાવરકુંડલા રૂરલના 54 આરોપીઓ, લીલીયા પોલીસ સ્ટેશનના 11 આરોપીઓ અને વંડા પોલીસ સ્ટેશનના 10 આરોપીઓ સહિત કુલ 173 ગુનેગારોની હાજરી તપાસવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા તમામ આરોપીઓની હાલની સામાજિક પ્રવૃત્તિઓ અને કામધંધા અંગે ઝીણવટભરી પૂછપરછ કરીને તેઓ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થયા છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવી હતી. DYSP વિરલ ચંદન સાહેબે તમામ ગુનેગારોને કડક શબ્દોમાં સમજ આપી સૂચના આપી હતી કે જો કોઈ પણ તત્વ કાયદો હાથમાં લેશે તો તેની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લીલીયા પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં યોજાયેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે બીજી તરફ સામાન્ય જનતાએ રાહતનો શ્વાસ લીધો છે.4
- ભાવનગર જિલ્લાના પાલીતાણામાં મોદી સરકારની વાતોનું વિશ્લેષણ અજય શુક્લાની જુબાનીથી સાંભળવા માટે જણાવવામાં આવ્યું છે. જેમાં અજય શુક્લા દ્વારા મોદી સરકારની વાતોનું વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું છે.1
- અમરેલીમાં અસામાજિક તત્વો વિરુદ્ધ અમરેલી પોલીસે એક ગર્જનાત્મક પગલું ભર્યું છે. પોલીસે આવા અસામાજિક તત્વોને ભારે કડક શબ્દોમાં ચેતવણી આપી દીધી છે. અમરેલી પોલીસ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો.1
- જૂનાગઢ જિલ્લાના કેશોદમાં રોટરી ક્લબ દ્વારા ૨૨મો ઇન્સ્ટોલેશન સમારોહ ભારે ઉત્સાહપૂર્વક યોજાયો હતો. આ ગૌરવપૂર્ણ સમારોહ દરમિયાન વર્ષ ૨૦૨૫ના કાર્યકાળમાં ક્લબ દ્વારા આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને સમાજસેવાના ક્ષેત્રે કરવામાં આવેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની યાદગાર ઝલક રજૂ કરવામાં આવી હતી. આ સાથે જ આગામી વર્ષ ૨૦૨૬ માટે ક્લબની નવી કાર્યયોજનાઓ અને સેવાકીય પ્રકલ્પો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ સમારોહમાં ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા ડીજીએન વિપુલભાઈ પટેલ (વાપી)ના હસ્તે નવા હોદ્દેદારોને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ કેશોદના નવા પ્રમુખ તરીકે અજય ગોધાસરા તથા સેક્રેટરી તરીકે ભુપત વાજાએ સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળ્યો હતો. ડીજીએન વિપુલભાઈ પટેલે રોટરીના સેવા, સમર્પણ અને માનવતાના મૂલ્યોને આગળ વધારવા માટે નવા કાર્યકર્તાઓને શુભેચ્છા પાઠવી હતી. નવા પ્રમુખ અજય ગોધાસરાએ પોતાના સંબોધનમાં આગામી કાર્યકાળ દરમિયાન વધુમાં વધુ સેવાકીય અને જનકલ્યાણના કાર્યો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ક્લબના સભ્યો, પૂર્વ પ્રમુખો, રોટરીના હોદ્દેદારો, આમંત્રિત મહેમાનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.4
- જૂનાગઢમાં ગિરનાર સીડી પર સિંહના હુમલામાં એક ૧૧ વર્ષીય બાળકનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે વન વિભાગ અને ટ્રેકર ટીમો દ્વારા તાત્કાલિક અને ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ત્રણ સિંહોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. રેસ્ક્યુ કરાયેલા સિંહની ઉલ્ટીમાંથી માનવ અવશેષો મળી આવતા વન વિભાગે સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી છે. આ સાથે જ સુરક્ષાના પગલાંરૂપે રાત્રિ દરમિયાન ગિરનાર સીડી પર લોકોની અવર-જવર બંધ રાખવા અંગે સરકાર સાથે નીતિવિષયક ચર્ચા હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમગ્ર ગંભીર મામલે ડીસીએફ દ્વારા પણ એક મહત્વનું નિવેદન જાહેર કરવામાં આવ્યું છે.1
- ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા વન્યપ્રાણીઓના માનવ વસ્તીમાં પ્રવેશ અને રંજાડને ડામવા માટે કરાયેલી ત્વરિત કાર્યવાહી અંતર્ગત ધારીના જસાધાર રેન્જના વાંસોજ ગામેથી એક દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મળી છે. વાંસોજ ગામના રહેવાસી શ્રી મોહનભાઈ કાળાભાઈ કામળિયાની વાડીમાં દીપડાની અવરજવર અને રંજાડ હોવાની ફરિયાદ વન વિભાગને મળી હતી. સ્થાનિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પકડવા માટે ખાસ વ્યૂહરચનાના ભાગરૂપે પાંજરું ગોઠવ્યું હતું, જેમાં વન વિભાગની સતર્કતાના કારણે આજે વહેલી સવારે દીપડો પાંજરામાં ફસાઈ ગયો હતો. પાંજરે પુરાયેલા આ દીપડાને સુરક્ષિત રીતે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે, જ્યાં નિષ્ણાત પશુચિકિત્સકો દ્વારા તેનું આરોગ્ય પરીક્ષણ અને વધુ તપાસ કરવામાં આવશે. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા ગ્રામજનોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો પોતાના વિસ્તારમાં સિંહ, દીપડા કે અન્ય કોઈ વન્યપ્રાણીની હાજરી જણાય તો તાત્કાલિક નજીકની વન વિભાગની કચેરીનો સંપર્ક કરવો. વન્યપ્રાણી દેખાય ત્યારે અનાવશ્યક ભીડ એકઠી ન કરવા, પ્રાણીઓ સાથે છેડછાડ ન કરવા અને સુરક્ષિત અંતર જાળવવા સહિત વન વિભાગની સૂચનાઓનું પાલન કરવા જણાવાયું છે. વન વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે વાંસોજ ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.1
- જસદણ તાલુકાના આટકોટમાં આજે સવારથી એક હટકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રસ્તા પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ પર આ કૂતરાએ હુમલો કર્યો હતો, જેમાં 7 જેટલા નાના-મોટા રાહદારીઓને કૂતરાએ બચકાં ભરી લીધા છે. આ ઘટનાને પગલે આટકોટના જૂના બસ સ્ટેશન પાસે ભયનો માહોલ છવાઈ ગયો હતો. કૂતરાના આ આતંકથી બચવા માટે આખરે લોકો લાકડીઓ લઈને તેની પાછળ દોડ્યા હતા, જે બાદ આ હટકાયા કૂતરાનો અંત આવ્યો હતો. આ ઘટના અંગે જસદણથી મંતવ્ય ન્યૂઝના પ્રતિનિધિ કરશન બામટાએ અહેવાલ આપ્યો છે.2