Shuru
Apke Nagar Ki App…
ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.
Gujarat Introverted day
ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.
More news from ગુજરાત and nearby areas
- ભરૂચ ચાવજ-કાસદ રોડ પર વરસાદી કાંસમાં ટેન્કરથી ગંદુ સુએજનું પાણી છોડાતાં ખેડૂતોનો વિરોધ ખેતરોને નુકસાન અને દુર્ગંધથી ગ્રામજનો પરેશાન જવાબદારો સામે કાર્યવાહી કરી સુએજનું પાણી ઠાલવવાનું તાત્કાલિક બંધ કરાવવાની ખેડૂતોની માંગ.1
- 20 जून 2026 को सुबह 9:00 बजे, उन्हें सर्जरी के लिए ले जाया गया और कमर के नीचे के हिस्से को सुन्न करने के लिए इंजेक्शन लगाकर ऑपरेशन किया गया। सुबह 9:50 बजे, भरतभाई की धड़कन अचानक अनियमित हो गई और फिर उनका रक्तचाप और नाड़ी दर बहुत कम हो गई और उनका दिल रुक गया। एनेस्थीसिया टीम ने बिना समय बर्बाद किए तुरंत सीपीआर शुरू कर दिया और कृत्रिम श्वसन देने के लिए श्वासनली में एक ट्यूब डाली गई और ऑक्सीजन दी गई। डिफिब्रिलेटर मशीन का भी इस्तेमाल किया गया। एनेस्थीसिया और मेडिसिन विभागों के डॉक्टरों की टीम के अथक और त्वरित प्रयासों से 15-20 मिनट बाद भरतभाई का दिल फिर से धड़कने लगा।1
- "આ દ્રશ્યો જોઈને દરેક ખેડૂતનું દુઃખ સમજી જશો... "એક જ વરસાદે ખેડૂતની મહેનત પર પાણી ફેરવી દીધું!" એક તરફ વરસાદ રાહત લાવે છે, તો બીજી તરફ અનેક ખેડૂતો માટે ચિંતાનું કારણ બને છે. આ દ્રશ્યો બતાવે છે કે ખેતરોમાં પાણી ભરાતા પાકને નુકસાન થવાની આશંકા વધી છે. સંબંધિત તંત્ર સમયસર કાર્યવાહી કરે તેવી આશા.1
- महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए महाराष्ट्र के नंदुरबार जिल्ला के तापी नदी पर आए शहादा प्रकाशा डेम के 22 दरवाजे खोल दिये गए1
- માંડવીનો ગોળધા વિયર ઓવરફ્લો. વિયર માં ભંગાણ પડવા બાબતે નિવેદન આપતા નાયબ કાર્યપાલક ઇજનેર માંડવી તાલુકાના ગોડધા ડેમ તૂટ્યો હોય એવી અફવા છે.આ વિયર 1959 માં બનેલ હતો. સદર વિયર રબલ મેશનરી થી પથ્થર ની દિવાલ થી બનાવવામાં આવેલ છે પરંતુ ૨૦૦૦ ની સાલમાં વીયરની સંગ્રહ શક્તિ વધારવા માટે વિયરને ૧ મીટર પાછળથી ઉંચો કરવામાં આવેલ હતો. કામગીરી માટે કોંક્રીટ વાપરવામાં આવેલ હતું. ગોડધા વિયર ના ઉપરવાસમાં આમલીડેમ થી છોડવામાં આવેલ પાણી તેમજ ઝંખવાવ માંગરોળ તરફથી આવતી લુહારવડ ખાડી દેવગઢ ખાતે ભેગી થાય છે. ઉપરોક્ત પરિસ્થિતિ મુજબ ગોડધા વિયર ના ઉપવાસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડતા તેમજ આમલીડેમ નું જુલાઈ મહિનાનું રૂલ લેવલ 113 હોય અને આમલી ડેમ ની આવક ખૂબ જ હોય રૂલ લેવલ જાળવવા માટે પાણી છોડેલ હતું. તેમજ ઉપર જણાવ્યા મુજબ ઝંખવાવ માંગરોળ, વાડી વિસ્તારમાં પણ અતિ થી અતિ ભારે વરસાદ પડેલ હોય લુહારવડ ખાડી માંથી પણ પાણી ની પુષ્કળ આવક હતી. આમલી ડેમથી છોડેલ પાણી તથા લુહારવડ ખાડીનું પાણી દેવગઢ ખાતે મળે છે. ને વહેર નદીમાં આ પાણી જાય છે. જેથી કરીને ગોડધા વિયર ખાતે પાણીની પુષ્કળ આવક થયેલ હતી. જેથી પાછળથી વિયર ની ઊંચાઈ વધારવા માટે કોક્રિટ ની દિવાલ 30 થી 40 મીટર કોક્રિટ ને નુકસાન પહોંચેલ છે. સદર વિયર ને પહોંચેલ નુકસાનથી હેઠવાસ માં જાનહાની ની કોઈ સંભાવના રહેલ નથી. અને તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવેલ છે કે સદર વિયર નું પ્રાથમિક સ્ટ્રક્ચર સહી સલામત છે. અને તેના ઉપરનું 2000 ની સાલનું કોંક્રીટ ને નુકસાન થયેલ છે. બાઈટ કમલભાઈ ચૌધરી નાયબ કાર્યપાલક ઇજનીશ્રી માંડવી. રિપોર્ટર ઈશ્વર સોલંકી માંડવી.1
- અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા અબોચ ગામના તાબે માંડવના મુવાડામાં પાણીના નિકાલના અભાવે રહેવાસીઓ પરેશાન કપડવંજ તાલુકા: કપડવંજ તાલુકાના અબોચ ગામના તાબે આવેલા માંડવના મુવાડામાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક રહેવાસી મફતભાઈ સોમાભાઈ રાઠોડના જણાવ્યા મુજબ તેમના ઘર આગળ લાંબા સમયથી વરસાદી પાણી ભરાઈ રહે છે. આ અંગે ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે પાણી ભરાયેલા રહેવાને કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે તેમજ ઢોરઢાંખર અને પરિવારજનોને પણ રહેવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મફતભાઈ સોમાભાઈ રાઠોડે કપડવંજ તાલુકા વિકાસ અધિકારીશ્રી તથા મામલતદારશ્રીને વિનંતી કરી છે કે સ્થળ પર તાત્કાલિક તપાસ કરાવી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, જેથી સ્થાનિક રહેવાસીઓને પડતી મુશ્કેલીઓનો વહેલી તકે અંત આવે. રિપોર્ટર દિપક પરમાર ઘડિયા1
- પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી રૂ. 6.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં મહત્વની સફળતા મળી છે. પોલીસ દ્વારા ગણતરીના દિવસોમાં જ લોખંડની પાઇપોની ચોરીનો ભેદ ઉકેલી કુલ રૂ. 6.43 લાખના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રમવીરસિંહ તથા સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓને રોકવા તેમજ નોંધાયેલા ગુનાઓ ઝડપથી ઉકેલવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને બારડોલી વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયાના નેતૃત્વમાં ટીમ કાર્યરત હતી. તા. 31 જુલાઈ, 2026ના રોજ પલસાણા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ ઘનશ્યામભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ગંધુભાઈ તથા અશ્વિનભાઇ ધનાભાઇનાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી કે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં ચોરાયેલી લોખંડની પાઇપો GJ-19-Y-1490 નંબરના સફેદ ભારત બેન્ઝ ટેમ્પોમાં ભરી કામરેજ તાલુકાના નવાગામ સ્થિત ઉદ્યોગનગર વિસ્તારમાં આવેલા લક્ષ્મી સ્ક્રેપમાં રાખવામાં આવી છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી ત્રણ આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલો મુદ્દામાલ કબજે કર્યો હતો. કબજે કરાયેલ મુદ્દામાલ પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો કુલ રૂ. 6.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો: ભારત બેન્ઝ ટેમ્પો (GJ-19-Y-1490) – અંદાજિત કિંમત રૂ. 5 લાખ આશરે 2,785 કિલો ચોરાયેલી લોખંડની પાઇપો – રૂ. 1 લાખ ત્રણ મોબાઇલ ફોન – રૂ. 30 હજાર રોકડા રૂ. 2 હજાર એલપીજી ગેસ સિલિન્ડર ઓક્સિજન ગેસ સિલિન્ડર ગેસ કટીંગ પાઇપ અને નોઝલ સહિતના સાધનો. ઝડપાયેલા આરોપીઓ પોલીસે નીચેના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે: 1. અશોકભાઈ સંજયભાઈ ઓડ (ઉં.વ. 28) – ટેમ્પો ચાલક 2. ઈશ્વર હરદેવ ગુર્જર (ઉં.વ. 31) – ભંગાર ગોડાઉન ધારક 3. દિનેશ ગોદુજી ગુર્જર (ઉં.વ. 30) – ચોરીનો મુદ્દામાલ ગોડાઉન સુધી પહોંચાડનાર. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 303(2) અને 54 હેઠળ વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર બી. ડી. ઝીલરિયા, પી.એસ.આઈ. એન. એન. ગામીત સહિત પલસાણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.1
- અંકલેશ્વરમાં ANTF નો મોટો દરોડો: ૫૪૦ પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો, મુંબઈનો સપ્લાયર વોન્ટેડ અંસાર માર્કેટ પાસે ગેરકાયદેસર નશાકારક પેન્ટાઝોસીન ઇન્જેક્શન વેચવાનું નેટવર્ક પકડાયું: ૫૩,૪૮૦ થી વધુનો મુદ્દામાલ જપ્ત અંકલેશ્વરના અંસાર માર્કેટ વિસ્તારમાં નશાકારક ઇન્જેક્શનનું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF), સી.આઈ.ડી. ક્રાઈમ વડોદરા ઝોનની ટીમે દરોડો પાડી એક આરોપીને નશાકારક ઇન્જેક્શનના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. એ.એન.ટી.એફ.ના પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.પી. મેવાડા અને તેમની ટીમ રાત્રિ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વરના મદીના મસ્જિદ, અંસાર માર્કેટ પાસે આવેલી ભાડાની દુકાનમાં તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર નશા માટે વપરાતા ઇન્જેક્શન વેચવામાં આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખી સ્થળ પર કોર્ડન કરીને દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી સરફરાજ અહેમદ શમશાદ અહેમદ ખાન (ઉંમર ૩૧, રહે. પ્રતિષ્ઠા રેસિડેન્સી/શિફા હાઈટ્સ, અંકલેશ્વર) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ તથા અંગઝડતી કરતા તેની પાસેથી પેન્ટાઝોસીન લેક્ટેટ ઇન્જેક્શન આઈ.પી. ૩૦ એમ.જી. ના પેકેટ મળી આવ્યા હતા. બાદમાં વધુ તપાસ કરતા બાજુની દુકાનમાં છુપાવવામાં આવેલ બોક્સમાંથી કુલ ૫૪૦ નંગ પ્રતિબંધિત પેન્ટાઝોસીન ઇન્જેક્શન મળી આવ્યા હતા. ઘટનાસ્થળે એફ.એસ.એલ. (FSL) અધિકારીને બોલાવી પ્રાથમિક પરીક્ષણ કરાવતા આ દ્રવ્ય એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે રૂ. ૪૨,૬૬૦ ની કિંમતના ૫૪૦ નંગ પેન્ટાઝોસીન ઇન્જેક્શન, રૂ. ૧૦,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન અને રૂ. ૮૨૦ રોકડા મળી કુલ રૂ. ૫૩,૪૮૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા આરોપી સરફરાઝ ખાને ખુલાસો કર્યો હતો કે આ નશાકારક ઇન્જેક્શનનો જથ્થો મુંબઈના આશુતોષ પાંડ્યે નામના વ્યક્તિ પાસેથી મંગાવવામાં આવ્યો હતો. આથી પોલીસે આશુતોષ પાંડ્યેને વોન્ટેડ જાહેર કરી તેની સામે પણ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર મામલે અંકલેશ્વર સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેક્ટર ચંદનસિંહ ફતાજી ઠાકોરને સોંપવામાં આવી છે.1