પી.એમ.કિસાન ઉત્સવ તેમજ મિલેટ મહોત્સવ અંતર્ગત વંથલી તાલુકા નો મિલેટ મેળો થાણાપીપળી ગામમાં યોજાયો હતો જુનાગઢ જીલ્લાના ૯ તાલુકા માં ૧૩/૦૩/૨૦૨૬ નાં રોજ મિલેટ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી તાલુકા માં મિલેટ મેળા નું આયોજન થાણાપીપળી ગામમાં કરવામાં આવ્યું. આ સાથે પીએમ કિશાન સંન્માનીધી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના ગોવાહાટી થી ખેડૂતો નાં ખાતાં માં પીએમ કિશાન યોજનાનો ૨૨ મો હપ્તો આનલાઇન માધ્યમથી જેમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ. વિશેષમાં કાર્યક્રમ સ્થળે મિલેટ સ્ટોલ, ઓર્ગેનિક ખેતી સ્ટોલ, બાગાયત વિભાગ સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી વિશે અશોકભાઈ ભાલોડિયા દ્વારા ખેડૂતો ને રસાયણ મુક્ત ખેતી કરી દેશને ઝેર મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં ડો.યુ.એમ.વ્યાસ સાહેબે મિલેટ મહોત્સવ અંતર્ગત મિલેટ ધાન્ય ના ફાયદા વિશે જણાવ્યું હતું. મિલેટ ધાન્ય જેવા કે બાજરી,જુવાર, મોરૈયો,રાગી, કાંગ,સામો જેવા ધાન્ય નો રોજીંદા ખોરાક તરીકે ઉપયોગ કરી શરીર નું સંતુલન જાળવી રાખવા મા ખુબ મહત્વનું યોગદાન છે. સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન વંથલી તાલુકાનાં ખેડુતો ને ખેતીવાડી શાખા તરફથી થયેલ સહાય વિશે જણાવતાં કહ્યું હતું કે પી.એમ.કીશાન સહાય ૨૬૧૨૮૦૦૦ ક્રુષિ રાહત પેકેજ ૪૩૨૧૫૨૮૮૩ રૂપિયા જેટલી રકમ વંથલી તાલુકાનાં ખેડુતો ને મળેલ છે. મિલેટ મહોત્સવ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના ઉપ.પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. થાણાપીપળી ગામ ના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા એ મિલેટ મેળા નું સુંદર આયોજન કરવા બદલ તાલુકા વહિવટ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.
પી.એમ.કિસાન ઉત્સવ તેમજ મિલેટ મહોત્સવ અંતર્ગત વંથલી તાલુકા નો મિલેટ મેળો થાણાપીપળી ગામમાં યોજાયો હતો જુનાગઢ જીલ્લાના ૯ તાલુકા માં ૧૩/૦૩/૨૦૨૬ નાં રોજ મિલેટ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. વંથલી તાલુકા માં મિલેટ મેળા નું આયોજન થાણાપીપળી ગામમાં કરવામાં આવ્યું. આ સાથે પીએમ કિશાન સંન્માનીધી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આસામ ના ગોવાહાટી થી ખેડૂતો નાં ખાતાં માં પીએમ કિશાન યોજનાનો ૨૨ મો હપ્તો આનલાઇન માધ્યમથી જેમાં કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ નું જીવંત પ્રસારણ પણ કરવામાં આવ્યું હતુ. વિશેષમાં કાર્યક્રમ સ્થળે મિલેટ સ્ટોલ, ઓર્ગેનિક
ખેતી સ્ટોલ, બાગાયત વિભાગ સ્ટોલ રાખી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રાકૃતિક ખેતી વિશે અશોકભાઈ ભાલોડિયા દ્વારા ખેડૂતો ને રસાયણ મુક્ત ખેતી કરી દેશને ઝેર મુક્ત બનાવવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જુનાગઢ કૃષિ યુનિવર્સીટી નાં ડો.યુ.એમ.વ્યાસ સાહેબે મિલેટ મહોત્સવ અંતર્ગત મિલેટ ધાન્ય ના ફાયદા વિશે જણાવ્યું હતું. મિલેટ ધાન્ય જેવા કે બાજરી,જુવાર, મોરૈયો,રાગી, કાંગ,સામો જેવા ધાન્ય નો રોજીંદા ખોરાક તરીકે ઉપયોગ કરી શરીર નું સંતુલન જાળવી રાખવા મા ખુબ મહત્વનું યોગદાન છે. સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા એ વર્ષ ૨૦૨૫/૨૬ દરમિયાન વંથલી તાલુકાનાં
ખેડુતો ને ખેતીવાડી શાખા તરફથી થયેલ સહાય વિશે જણાવતાં કહ્યું હતું કે પી.એમ.કીશાન સહાય ૨૬૧૨૮૦૦૦ ક્રુષિ રાહત પેકેજ ૪૩૨૧૫૨૮૮૩ રૂપિયા જેટલી રકમ વંથલી તાલુકાનાં ખેડુતો ને મળેલ છે. મિલેટ મહોત્સવ માં તાલુકા વિકાસ અધિકારી શ્રી ઓડેદરા સાહેબ, સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયત ના ઉપ.પ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત નાં ઉપ પ્રમુખ ગોવિંદભાઈ હુંબલ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. થાણાપીપળી ગામ ના સરપંચ શ્રી અભયભાઈ ડઢાણીયા એ મિલેટ મેળા નું સુંદર આયોજન કરવા બદલ તાલુકા વહિવટ તંત્ર નો આભાર વ્યક્ત કર્યો.
- અમરેલી પાસપોર્ટ ઓફિસ બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી1
- સુરત ફેમેલી કોર્ટમાં સનસનાટી ફેમિલી કોર્ટમાં પક્ષકારે પત્ની પર એસિડ ફેંક્યું જજની સામે જ પત્ની પર એસિડ ફેંક્યું ભરણપોષણના કેસમાં ભડકેલા પતિનું કાયર કામ કોર્ટમાં જ પત્ની પર કર્યો જીવલેણ હુમલો એસિડ ફેંક્યા બાદ આરોપી પતિએ જાતે જ ઝેર પીધું ઘટનાને પગલે બંનેને હોસ્પિટલ ખસેડાયા અગાઉ પણ હત્યાની કોશિશ કરી ચૂક્યો હતો આરોપી વિનોદ ભાણુશાલી.1
- Post by Dharmik Parmar1
- જાફરબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ... જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવાસેતું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કે પી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.... જાફરાબાદ તાલુકા કક્ષાની સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત ,ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વિગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરૂ તથા ભાજપ સંગઠન ના તમામ સભ્યો હાજર રહ્યા હતા. તથા દરેક ગ્રામ પંચાયતના સરપંચો. દરેક સમાજ ના આગેવાનો અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજુ કરેલ હત.4
- જાફરાબાદ તપોવન ટેકરી તાત્કાલિક હનુમાન મંદિર ખાતે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો. જાફરાબાદ ના મીતીયાળા નજીક આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે આજે શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞન ની પોથીયાત્રા મિતયાળા ગામ થી વાજતે ગાજતે તપોવન ટેકરી ખાતે કથા મંડપ માં લાવવામાં આવી અસંખ્ય ભગતો પોથીયાત્રા માં જોડાયા. કથાના વક્તા શ્રી શાસ્ત્રી નિલકંઠભાઇ પી. વડીયા (ખાખબાઇ વાળા) દ્વારા કરવામાં આવી રહ્યું છે. તપોવન ટેકરી તપસી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર રામકથા, દેવી ભાગવત, શ્રીમદ ભાગવત નું આયોજન કરવામાં આવે છે તે જ રીતે આ વર્ષે પણ શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તપસ્વી આશ્રમ ના મહંત શ્રી ૧૦૦૮ રાઘવદાસજી મહારાજ ( તપસ્વી બાપુ) દ્વારા શરૂ કરાયેલ ધાર્મિક કાર્યો હાલ પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહ્યા છે અહીં તપોવન ટેકરી ખાતે દર મહિને સર્વજન હિતાય સર્વજન સુખાયની ઉમદા ભાવનાથી નેત્રયજ્ઞો, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તથા નિ શુલ્ક ચશ્મા વિતરણ ના કેમ્પો વારંવાર થતા રહે છે. અને વર્ષમાં બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે દરરોજ રાત્રે કથા મંડપમાં શ્રી રામ ધુન, સત્સંગ અને ભજન કીર્તન વગેરે કાર્યક્રમો નું આયોજન કરેલ છે. કથાના પ્રારંભે સમુહ રાષ્ટ્ર ગીત નું આયોજન કરેલ. તેમજ કથા મંડપની અંદર નવે નવ દિવસ ગાય માતા સાનીધ્ય રહેશે અને નવે નવ દિવસ કથા દરમિયાન પુજા, સેવા નું સુંદર આયોજન કરવામાં આવ્યું. આ શિવ મહાપુરાણ દરમિયાન સતીજીનુ પ્રાગટ્ય, પાર્વતીજી નું પ્રાગટ્ય, શ્રી શિવ વિવાહ, શ્રી ગણપતિજી પ્રાગટ્ય, શ્રી કાર્તિકસ્વામી પ્રાગટ્ય, શ્રી દ્વાદશ જ્યોતિર્લિંગ કથા, શ્રી શિવજી ના વિવિધ અવતારો ની કથા તેમજ શ્રી સુંદરકાંડ પાઠ તેમજ લોક ડાયરો નું આયોજન કરવામાં આવેલ. રિપોર્ટર...કરશન પરમાર જાફરાબાદ10
- Post by Sultan Shaikh1
- અમરેલી રાજુલા ના કોવાયા રોડ પર જોવા મળ્યું સિંહ નું ટોળું1
- જમાલપુર: શહેરીના સમયે ગાળો બોલવાની ના પાડતા યુવક પર જીવલેણ હુમલો! જમાલપુર બ્રિજ નીચે બે થી 4 ઇસમોએ યુવકને ઢોર માર માર્યો અને રોકડ રકમ છીનવી લઈ ફરાર થઈ ગયા. બે દિવસ અગાઉ આપેલી ટકોરની અદાવત રાખી આ હુમલો કરાયો હોવાનું સામે આવ્યું છે1
- જાફરાબાદના બાલાનીવાવ ગામના સ્વ.ધીરુભાઈ બદરૂભાઈ વરુના સુપુત્ર વરરાજા રવિરાજભાઈ વરૂ અશ્વ અને ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા ગામે પહોંચ્યાં...... બાબરીવાડના જાફરાબાદ તાલુકાના બાલાનીવાવ ગામમાં વર્ષો જૂની પરંપરા જળવાઈ રહી છે. અહીં આ ગામનાં કાઠી ક્ષત્રિય સમાજના યુવાન દ્વારા લગ્ન પ્રસંગે પરંપરા જાળવી રાખી હતી. બાલાનીવાવ ગામ થી ગીરગઢડા તાલુકાના સાણાવાકિયા ગામ સુધી વરરાજા રવિરાજભાઈ વરૂ પોતાના મલંગ નામના અશ્વ ઉપર સવારી કરી અને ભવ્ય ગાડીઓના કાફલા સાથે જાન લઈને સાણાવાકિયા પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રની અશ્વ સંસ્કૃતિની ભવ્ય દર્શન થયું હતું. વરરાજા રવિરાજભાઈ વરૂ રજવાડી પોશાક સાથે અશ્વ પર સવાર થઈ ગાડીઓના કાફલા સાથે પરંપરા અને વારસાની જીવન ઝલક જોવા મળી હતી. બાબરીયા પંથકમાં આકર્ષણનું કેન્દ્ર જોવા મળ્યું હતું. અને આ અશ્વ પ્રદશન નિહાળવા માટે લોકો જોવાં ઊમટી પડ્યા હતાં.1