રાધનપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન–વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી રાધનપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ભારતીય જનતા પાર્ટીના મેનડેટ મુજબ બાબુભાઈ ચૌધરીને ચેરમેન તરીકે અને લાખાભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી. આ વરણી પ્રક્રિયામાં રાધનપુર માર્કેટ યાર્ડના કુલ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જાહેર કરવામાં આવી. વરણી બાદ તમામ ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેનડેટને વધાવી લઈને નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતહિતના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. #Radhanpur #MarketYard #Chairman #ViceChairman #BJP #UnopposedElection #AgricultureMarket #LocalNews #GujaratNews #PatanDistrict #FarmersWelfare #PoliticalNews
રાધનપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન–વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી રાધનપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ભારતીય જનતા પાર્ટીના મેનડેટ મુજબ બાબુભાઈ ચૌધરીને ચેરમેન તરીકે અને લાખાભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી. આ વરણી પ્રક્રિયામાં રાધનપુર માર્કેટ યાર્ડના કુલ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જાહેર કરવામાં આવી. વરણી બાદ તમામ ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેનડેટને વધાવી લઈને નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતહિતના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. #Radhanpur #MarketYard #Chairman #ViceChairman #BJP #UnopposedElection #AgricultureMarket #LocalNews #GujaratNews #PatanDistrict #FarmersWelfare #PoliticalNews
- પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામ ખાતે સ્વ. દિનેશભાઈ રૂપાભાઈ આહીર અને સ્વ. શાંતાબેન માનાભાઈ આહીરની સ્મૃતિમાં નિર્મિત ભવ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કાર્યક્રમ ભાવભીનાં વાતાવરણમાં યોજાયો. આ લોકાર્પણ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો, સાધુ-સંતો, રાજકીય અગ્રણીઓ અને સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સ્વામી મહારાજની પ્રતિમાનું અનાવરણ તેમજ પૂજ્ય શ્રી દુર્ગા મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ધાર્મિક અને સાંસ્કૃતિક રંગમાં રંગાયો હતો. લોકાર્પણ સમારંભમાં જંતી રામ બાપા, ગંગાગીરી બાપુ, ત્રિકમભાઈ આહીર, વજાભુવા, તેજાબાપા, ભચાભાઈ આહીર ઉપરાંત ખડીર આહીર સમાજના રણમલબાપા, વઢીયાર આહીર સમાજના પ્રમુખ હરદાસભાઈ આહીર, વાગડ આહીર સમાજના પ્રમુખ ખોડાભાઈ આહીર, રણમલભાઈ સવાભાઈ ખડીર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાત્રાણા ગામે યોજાયેલા આ પ્રવેશ દ્વાર લોકાર્પણ કાર્યક્રમથી ગ્રામજનોમાં ગૌરવ અને ઉત્સાહનો માહોલ સર્જાયો હતો અને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. #Datrana #Santalpur #Patan #Gujarat #EntranceGate #GateInauguration #VillageDevelopment #CommunityEvent #PublicProgram #SocialHarmony #MemorialGate #RuralGujarat #CulturalProgram #AhirSamaj #DevotionalEvent1
- આજે વાવ થરાદ જિલ્લાના દિયોદર રામાપીર મંદિર ખાતે હિંદવાણી પરગણા રોહિત દલિત સમાજનું મહાસંમેલન મળ્યું હતું સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી સમાજનો ઉદાર થાય સમાજ શિક્ષણ તરફ આગળ વધે તેને લઈ હિંદવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું નવું બંધારણ ઘડી બંધારણ ને અમલમાં મૂક્યું હતું આ નવા બંધારણમાં લગ્ન અને મરણ પ્રસંગે થતા ખોટા ખર્ચા બંધ કરવા સહિત વિવિધ મુદ્દાઓ પર બંધારણ ઘડયું હતું વાવ થરાદ જિલ્લામાં એક બાદ એક સમાજ હવે એકત્રિત થઈ સમાજમાં ચાલતા કુરિવાજો ને તિલાંજલી આપી રહ્યા છે થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજ તેમજ રબારી સમાજ નું નવું બંધારણ અમલમાં મૂક્યું હતું હવે હિંદવાણી રોહિત દલિત સમાજ ના ઉદાર માટે નવું બંધારણ અમલમાં મૂક્યું છે આજે દિયોદર રામાપીર મંદિર ખાતે હિંદવાણી રોહિત દલિત સમાજ નું મહાસંમેલન મળ્યું જેમાં સમાજના વરિષ્ઠ આગેવાનો ની હાજરીમાં નવા બંધારણ ની જાહેરાત કરાઈ હતી આજે દિયોદર રામાપીર મંદિર ખાતે યોજાયેલ હિંદવાણી રોહિત દલિત સમાજ ના આ મહાસંમેલનમાં કુરિવાજો ની તિલાંજલી આપી કુલ નવા 11 મુદ્દાઓ નું નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું જેમાં સૌ કોઈ સમાજના આગેવાનોએ આ નવા બંધારણ ને અમલ માં મૂકી તેનું પાલન કરવા આહવાન કર્યું હતું સમાજમાં નવા બંધારણના અમલીકરણ ને સમાજે વધાવ્યું હતું અને એક તાંતણે બંધાયા હતા નવું બંધારણ ... (૧) સગાઈનો વહેવાર સગાઈમાં 21 માણસો જવા અને કંકુ પડો શ્રીફળ 1 રૂપિયો નાડાછડી ,ચુંદડી સાડી લઈને જવું (૨) લગ્ન વધાવવાનો વહેવાર લગ્ન લઈને 11 માણસોએ જવું અને સવારે જવું (૩) જાન સવારમાં લઈને જવી અને 100 જાનૈયા લઈને જવું દાગીના ચાંદીની જાજરી 200ગ્રામ ચાંદીનો મંગળસૂત્ર 200ગ્રામ સાદી બંગડી લઈને જવું (૪) મામેરું 11000 થી 25000 સુધી નું કરવું (૫) પુન લગ્નમાં દહેજ રૂપિયા 400 અને ચાંદીની જાજર,મંગળસૂત્ર ,સાદી બંગડી લઈને જવી (૬) મોસાળું 11000 થી 51000 હજારનું કરવું (૭) ધર્મે લગ્નમાં કન્યાના બાપે દાગીના લેવા અને મુરતિયા ને સાદી બંગડી લઈ ને જવી (૮) દહેજ 525 મુરતિયા પક્ષે ભરવા કન્યાને વળતરમાં બાજોટ પિત્તળ નું બેડું વાટલું અને કળસીયો તેમજ દીવા ઘર લેવું (૯) કાચુ સગપણનો ઠરાવ કાચું સગપણ તોડે અને ગુનેગાર બને તો 25000 રૂપિયા ભરવા (૧૦) મરણ પ્રસંગે ખીચડી , કઢી,રાખવી ચાર દિવસમાં પૂરું કરવું ભાતિ ના રૂપિયા 10 લેવા (૧૧) સમાજના ગુનેગાર ને દંડ કરવાની જોગવાઈ છે જે દંડ ની રકમ શિક્ષણ ના કામમાં વાપરવી1
- દિયોદર મામલતદાર સહિત 14 અધિકારીઓને પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને, વિદાય તેમજ નવા મામલતદારનું સ્વાગત કરાયું બળદેવ ટી બારોટ - દિયોદર દિયોદર મામલતદાર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે દિયોદર પ્રાંત કલેક્ટરના અધ્યક્ષ સ્થાને એક વિદાય અને સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે દિયોદરના મામલતદાર એ.આર. નિનામા સહિત કુલ 14 અધિકારીઓ અને કર્મચારીઓને વિદાય આપવામાં આવી હતી. મામલતદાર એ.આર. નિનામાની અબડાસા ખાતે બદલી થતાં તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. આ ઉપરાંત, અગાઉ ટૂંકા સમયમાં બદલી થયેલા અન્ય 13 કર્મચારીઓનો પણ આ જ દિવસે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત સૌએ બદલી પામેલા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓની વહીવટી કુશળતા અને સેવાઓને બિરદાવી હતી. આ જ કાર્યક્રમમાં પાલનપુરથી મામલતદાર તરીકે પ્રમોશન મેળવી દિયોદર ખાતે નવુ પોસ્ટિંગલઈને આવેલા અભિષેકભાઈ ગોહિલનો સત્કાર કરવામાં આવ્યો હતો. વિદાય લેતા મામલતદાર નિનામાજી અને અન્ય કર્મચારીઓને શ્રીફળ, સાફો અને શાલ ઓઢાડી માનભેર વિદાય આપવામાં આવી હતી. નવા આવેલા મામલતદાર અભિષેકભાઈ ગોહિલને પણ શાલ અને સાફો પહેરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં કચેરીના કર્મચારીઓ તેમજ FPS (ફેર પ્રાઈઝ શોપ) અને મધ્યાહન ભોજન કર્મચારી એસોસિએશનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.4
- સુરેન્દ્રનગરના રતનપર ખાતે આવેલ દર્શન વિદ્યાલયમાં વિજ્ઞાન મેળો, રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેર સહિત ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં કુલ 366 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમણે 192થી વધુ પ્રકારની વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં તેમની વૈજ્ઞાનિક સમજ અને સર્જનાત્મકતા જોવા મળી હતી. રસોઈ મહોત્સવ અને ફ્રૂટ ફન ફેરમાં 146થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિજ્ઞાન મેળામાં રજૂ કરાયેલી વિવિધ કૃતિઓ અને અન્ય કાર્યક્રમો નિહાળ્યા હતા. વિજ્ઞાન મેળામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી એ.એમ. ઓઝા સહિત શાળાના શિક્ષક સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓએ આ કાર્યક્રમની મુલાકાત લીધી હતી.1
- મોરબી સોની વેપારીની હત્યાના પડધા સુરેન્દ્રનગરમાં પડીયા1
- આજના લાઈવ દર્શન શ્રી માણિભદ્ર વીર તિર્થ સ્થાન મગરવાડા તારીખ 22/2/26, રવિવાર 🙏🙏🙏1
- ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારના મુખ્ય ટાગોર રોડ પર મોટા પ્રમાણે દબાણ હોવાના કારણે વારંવાર અકસ્માતના બનાવ બનતા હોય છે તેમજ ટ્રાફિક જામ થવાની સમસ્યા વધી જતા આ રોડ પરના દબાણકર્તાઓને આર&બી વિભાગ દ્વારા નોટીસ પાઠવવામાં આવી ત્યારબાદ મહાનગરપાલિકા તથા આર &બી વિભાગ દ્વારા રીક્ષાના માધ્યમથી દબાણ સ્વેચ્છાએ દુર કરવા સુચના આપવામાં આવી જેના અનુસંધાને મોટા ભાગના દબાણકર્તાઓએ સ્વેચ્છાએ પોતાના દબાણો દુર કર્યા છે, બાકી રહેતા દબાણો મહાનગરપાલિકા અને આર&બી વિભાગ ની સંયુક્ત કાર્યવાહી થી આજરોજ અંદાજે 300 થી વધારે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે દબાણ હટાવ ઝુંબેશમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર સંજયકુમાર રામાનુજ, આર&બી ડેપ્યુટી ઇજનેર પ્રવિણસિંહ મારવાડા, દબાણ ઇન્સ્પેકટર ગાયત્રીપ્રસાદ જોષી અને તેમની ટીમ હાજર રહી દબાણ હટાવ કાર્યવાહી ને આગળ ધપાવવામાં આવી છે, મહાનગરપાલિકા દ્વારા આજ રીતે સલગ્ન વિભાગ સાથે સંકલન કરીને દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રહેશે, જેમાં સહકાર આપવા લોકો ને અપીલ કરવામાં આવી છે.1
- રાધનપુર માર્કેટ યાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ભારતીય જનતા પાર્ટીના મેનડેટ મુજબ બાબુભાઈ ચૌધરીને ચેરમેન તરીકે અને લાખાભાઈ રબારીને વાઇસ ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી. આ વરણી પ્રક્રિયામાં રાધનપુર માર્કેટ યાર્ડના કુલ 16 ડિરેક્ટરો હાજર રહ્યા હતા. તમામ ડિરેક્ટરોની સર્વસંમતિથી ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી જાહેર કરવામાં આવી. વરણી બાદ તમામ ડિરેક્ટરોએ ભારતીય જનતા પાર્ટીના મેનડેટને વધાવી લઈને નવનિયુક્ત પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. માર્કેટ યાર્ડના વિકાસ અને ખેડૂતહિતના કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. #Radhanpur #MarketYard #Chairman #ViceChairman #BJP #UnopposedElection #AgricultureMarket #LocalNews #GujaratNews #PatanDistrict #FarmersWelfare #PoliticalNews1