Shuru
Apke Nagar Ki App…
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મતરવાડા ગામે તારીખ 17 અને 18 બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 17 4 2026 ના રોજ સવારે નગરયાત્રા પણ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
Vijay Kumar Joshi
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મતરવાડા ગામે તારીખ 17 અને 18 બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 17 4 2026 ના રોજ સવારે નગરયાત્રા પણ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો
More news from Sabar Kantha and nearby areas
- બીએપીએસ સ્વામિનારાયણ સંસ્કારધામ મતરવાડા ગામે તારીખ 17 અને 18 બે દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો આયોજન કરવામાં આવેલ જેમાં તારીખ 17 4 2026 ના રોજ સવારે નગરયાત્રા પણ કાઢવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો1
- Post by Gujarat crime news1
- Post by Swatantra media1
- મુલાકાત નહીં, વિશ્વાસનો અમર સેતુ! વિજાપુર વોર્ડ-૫માં કોંગ્રેસના બે ઉમેદવારો બિનહરીફ, પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ વિજાપુર (મહેસાણા): વિજાપુર નગરપાલિકા વોર્ડ નંબર ૫માં નામાંકન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્થિતિ સ્પષ્ટ થઈ છે. કોંગ્રેસ પાર્ટીના મુશીરાબાનુ મહંમદસલમાન શેખ અને નવજનમાન ખાન પઠાણ બિનહરીફ થઈ ગયા છે, જ્યારે કોંગ્રેસના તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ અને તસ્લીમાબાનુ મોહમ્મદ સાજિદ પઠાણ હજુ મેદાનમાં છે. આમ વોર્ડ-૫માં કુલ પાંચ ઉમેદવારો વચ્ચે ખરખરીનો જંગ જામ્યો છે. જેમાં કોંગ્રેસના બે ઉમેદવારો અને ત્રણ અપક્ષ ઉમેદવારો સામેલ છે. અપક્ષ ઉમેદવારો: ફઈઝઅહમદ સઈદ સૈયદ અસ્પાકઅલી સોકતઅલી સૈયદ આસ્તાબાનુ અસ્પાક અલી સૈયદ (અસ્પાકઅલી સૈયદની પત્ની) યુવા સામાજિક નેતા અને હાલમાં કોંગ્રેસના જિલ્લા યુવા પ્રમુખ તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદ (એડવોકેટ) “મુલાકાત નહીં, આ છે વિશ્વાસનો અમર સેતુ”ના સ્લોગન સાથે જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. તેઓ વિસ્તારના વિકાસ, પાણી, રસ્તા, ગટર, યુવાનોના રોજગાર અને સામાજિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, કોંગ્રેસના બે ઉમેદવારોના બિનહરીફ થવાથી પાર્ટીને મજબૂતી મળી છે, પરંતુ અપક્ષ ઉમેદવારોના પ્રવેશથી વોર્ડ-૫ની ચૂંટણી વધુ રસપ્રદ અને સ્પર્ધાત્મક બની છે. તન્ઝીલ અલી તલતમહેમુદ સૈયદે કહ્યું છે કે, “મારા માટે મુલાકાત કરતાં વધુ મહત્ત્વ જનતાના વિશ્વાસનું છે. આ વિશ્વાસના સેતુ પર જ અમે વિકાસ અને બદલાવનું સપનું સાકાર કરીશું.” વિજાપુર નગરપાલિકા વોર્ડ-૫ના લોકો હવે આતુરતાથી જોઈ રહ્યા છે કે, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો વચ્ચેના આ પાંચ-પાંચના મુકાબલામાં આખરે કોની જીત થાય છે.1
- bikav##media#patrakar#1
- Post by Pooja patel1
- મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં ૧ ના આપ ના ઉમેદવારોનો પ્રચાર શુભારંભ.. રાધનપુરરોડ સ્થિત કાશીવિશ્વનાથ મહાદેવના દર્શન અને સ્મૃતિ ભેટ મેળવીને ધાર્મિક શ્રદ્ધા સાથે આપ ટીમ દ્વારા પ્રચાર શુભારંભ કરવામાં આવ્યો. તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ, આસ્થા નિવાસ, પુષ્પવાટિકા, જય બંગલોઝ, શુભ એક્ઝોટીકા સહિતની સોસાયટીઓમાં ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો. આપ પાર્ટીની વિચારધારા સહિત વોર્ડના જરૂરી જનહિતના કાર્યો સાથેના પેમ્ફલેટ વિતરણ કરીને બંને ઉમેદવારોને જંગી બહુમતોથી વિજયી બનાવવા અપીલ કરવામાં આવી. ભાજપના ૩૦-૩૦ વર્ષના શાસન પછી ય ગટર, પાણી, રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓમાં નિષ્ફળ પ્રશાસન સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ દેખાયો. ભાજપની નિષ્ફળતાઓથી અકળાયેલ સ્થાનિકો સત્તા પરિવર્તન કરી દેવાના આક્રમક મૂડમાં જણાયા. આપ ના ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં દેખાતા જોશ અને સ્થાનિકોના મળેલા પ્રતિસાદને જોતાં વોર્ડ નં ૧ માં રાજકીય ભૂકંપ સર્જાય તો નવાઈ નહિ. ભાજપની તાનાશાહીઓથી ડરી ગયેલી જનતા ચૂંટણીમાં મતદાન કરીને પરિણામ બદલી દેવાના મૂડમાં દેખાઈ.4
- પોશીના તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારો નું ચિત્ર સ્પષ્ટ થતા હવે પોશીના તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 75 ઉમેદવારોની વચ્ચે ચૂંટણી જંગ જામશે તો પોશીના તાલુકાની જિલ્લા પંચાયતની 4 સીટો માટે 15 ઉમેદવારો મેદાનમાં હોય ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સમેત અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપ લાવ્યું છે હાલમાં ઉમેદવારો મતદારોને પોતાની તરફ ખેંચવા માટેલલચાવી રહ્યા છે ત્યારે પોશીના તાલુકા પંચાયતની 20 સીટ અને જિલ્લા પંચાયતની ચાર સીટ પર કોણ મેદાનમાં રહેશે તેજોવું રહ્યું1