logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી. હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

4 hrs ago
user_Reporter MIRZA IMRAN.973789415
Reporter MIRZA IMRAN.973789415
છોટા ઉદેપુર, છોટાઉદેપુર, ગુજરાત•
4 hrs ago

છોટાઉદેપુર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્ર ની શ્રદ્ધાભેર ઉજવણી કરી. હિજરી કેલેન્ડર મુજબ ૧૦મા મહિનામાં એટલે કે સવ્વાલના પહેલા દિવસે આ ઈદુલ ફિત્ર નો તહેવાર વિશ્વભરના મુસ્લિમ બિરાદરો દ્વારા મનાવવામાં આવે છે ઈસ્લામી કેલેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે જ શરૂ થાય છે ઈદ ની ખુશી.ઈદ ઉલ-ફિત્ર મુસ્લિમોનો પવિત્ર તહેવાર છે જે રમજાન મહિનાના રોજા ઉપવાસની ખુશી અને સમાપ્તિ અને સવાલ મહિનાની શરૂઆત તરીકે ઉજવાય છે આ દિવસે આખા મહિનાની આરાધના રોઝા બાદ વિશેષ નમાઝ અદા કરી અલ્લાહનો આભાર માનવામાં આવે છે નવા કપડાં પહેરી નમાજ અદા કરી એકબીજા મળી ભાઈચારા અને ખુશીના સંદેશ સાથે ઈદ ની શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે. વહેલી સવારથી છોટાઉદેપુર નગરમાં ઈદની ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારથી મુસ્લિમ બિરાદરો ઈદની ખાસ નમાજ અદા કરવા માટે ઇદગાહ ખાતે તેમજ વિવિધ મોહલ્લાની મસ્જિદોમાં જતા જોવા મળ્યા હતા. છોટાઉદેપુર નગરના મુસ્લિમ બિરાદરો ને ઇદગાહ ખાતે ઈદની વિશેષ નમાજ જામા મસ્જિદના પેશ ઈમામ સાહેબે અદા કરાવી હતી નમાઝ બાદ ઇમામ સાહેબે દેશમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખાસ દુઆ ગુજારવામાં આવી હતી. ઈદની શુભેચ્છા પાઠવવા માટે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા સહિત નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને હિન્દુ સમાજના અગ્રણીઓ ઈદગાહ ખાતે પહોંચી મુસ્લિમ બિરાદરોને પવિત્ર રમજાન ઈદની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

More news from ગુજરાત and nearby areas
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.
    1
    હાલોલ તાલુકાના વીટોજ ગામ નજીક આવેલ નર્મદા કેનાલ પાસે તા.20 માર્ચ શુક્રવારના રોજ રાત્રિના સમયે બાઇક પરથી મહિલા પડી જતા અકસ્માત સર્જાયો હતો.જેને લઈને ઘટનાસ્થળે હલચલ મચી ગઈ હતી.મળતી માહિતી મુજબ, બાઇક પર કદાચલા ગામનો બાઇક ચાલક દડિયાપૂરા ગામની મહિલા અને એક નાની બાળકી સાથે ગુતાલ ગામે મંદિર દર્શન કરવા ગયો હતો. દર્શન કરી પરત ફરતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.અકસ્મતમાં દડિયાપુરા ગામની ગીતાબેન ટીનાભાઈ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જ્યારે સાથે સવાર નાની બાળકીનો આબાદ બચાવ થયો હતો. બાઇક ચાલક કડાચલા ગામનો રાકેશ ગણપતભાઈ નાયક હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ મહિલાને માથામાં ગંભીર ઈજા હોવાના કારણે વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી છે.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • DAHOD_शहर में लगातार बंद मकानों में घरफोड़ गैंग को दाहोद बी डिवीजन पुलिस किया पर्दाफाश #news #police
    1
    DAHOD_शहर में लगातार बंद मकानों में घरफोड़ गैंग को दाहोद बी डिवीजन पुलिस किया पर्दाफाश #news #police
    user_RJ BHARAT NEWS7...सदैव सत्य के
    RJ BHARAT NEWS7...सदैव सत्य के
    દાહોદ, દાહોદ, ગુજરાત•
    1 hr ago
  • LOCATION : TOWER MAIN ROAD, DABHOI
    1
    LOCATION : TOWER MAIN ROAD, DABHOI
    user_Dabhoi_Attractions
    Dabhoi_Attractions
    Local News Reporter ડભોઈ, વડોદરા, ગુજરાત•
    4 hrs ago
  • સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    1
    સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ 
આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.
એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે.
ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    5 hrs ago
  • કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    2
    કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી.
મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
    user_Virendra Mehta
    Virendra Mehta
    Classified ads newspaper publisher કલોલ, પંચમહાલ, ગુજરાત•
    9 hrs ago
  • Post by Mr BHIl Vishnubhai kalidash
    1
    Post by Mr BHIl Vishnubhai kalidash
    user_Mr BHIl Vishnubhai kalidash
    Mr BHIl Vishnubhai kalidash
    Business Networking Company સંખેડા, છોટાઉદેપુર, ગુજરાત•
    9 hrs ago
  • હાલોલ શહેર ખાતે આજે શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની એટલે રમઝાન ઈદ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.શહેરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમાં ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. બાઈટ-મૌલાના યાકુબ રઝવી.હાલોલ શહેર ખતીબ.
    1
    હાલોલ શહેર ખાતે આજે શનિવારના રોજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદુલ ફિત્રની એટલે રમઝાન ઈદ ની ઉજવણી આનંદ ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી.શહેરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલ ઇદગાહ અને મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી.જેમાં ઈદગાહ ખાતે મૌલાના યાકુબ રઝવી ધ્વારા તકરીર ફરમાવી હતી અને સૈયદ ઈલ્યાસબાપુ ધ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે નૂરાની મસ્જિદ ખાતે મૌલાના વસીમ મામાજી દ્વારા વિશેષ નમાઝ અદા કરવામાં આવી હતી જ્યારે ઈદુલ ફિત્રને લઇ વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો જ્યારે નાના ભૂલકાંઓ સહિત તમામ મુસ્લિમ બિરાદરો અવનવા પોષાકમાં જોવા મળ્યા હતા અને રમજાન ઈદની વિશેષ નમાઝ અદા કરી મુસ્લિમોએ અલ્લાહ નો શુક્ર અદા કર્યો હતો અને સમગ્ર વિશ્વમાં એકતા અને ભાઈચારો શાંતિ સ્થાપિત થાય તેને લઈને વિશેષ દુવા કરવામાં આવી હતી
જ્યારે ઈદગાહ ખાતે હાલોલ શહેરમાંથી હજ યાત્રા પર જનાર હજયાત્રીઓનું શહેરના મુસ્લિમ બિરાદરો ધ્વારા ફૂલહાર કરી ગુલપોશી કરવામાં આવી હતી અને ઇદ ને લઈ નગરમાં કાયદો અને વ્યવસ્થા બની રહે તે માટે હાલોલ પોલીસ દ્વારા ઠેર ઠેર ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.
બાઈટ-મૌલાના યાકુબ રઝવી.હાલોલ શહેર ખતીબ.
    user_Jasmin B Shah
    Jasmin B Shah
    Bag shop હાલોલ, પંચમહાલ, ગુજરાત•
    13 hrs ago
  • ઝાલોદ ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતેથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા યુવતીઓ અને તેમના વાલીઓને HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું. ધારાસભ્ય દ્વારા જણાવાયું કે HPV વેક્સિન ખાસ કરીને 14 થી 15 વર્ષ વયની બાળાઓ માટે અત્યંત જરૂરી છે, જે ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓથી સુરક્ષા આપે છે. આ વેક્સિન સરકારી આરોગ્ય કેન્દ્રો જેવા કે SDH, CHC અને PHC ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તમામ લાયકાત ધરાવતી યુવતીઓએ આ સુવિધાનો લાભ લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    1
    ઝાલોદ ખાતેથી ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું 
આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3 કલાકે આપેલ માહિતી અનુસાર ઝાલોદ ખાતેથી જનજાગૃતિ અભિયાન અંતર્ગત 130 ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયા દ્વારા યુવતીઓ અને તેમના વાલીઓને HPV વેક્સિન લેવા માટે આહવાન કરવામાં આવ્યું.
ધારાસભ્ય દ્વારા જણાવાયું કે HPV વેક્સિન ખાસ કરીને 14 થી 15 વર્ષ વયની બાળાઓ માટે અત્યંત જરૂરી છે, જે ભવિષ્યમાં ગંભીર આરોગ્ય સમસ્યાઓથી સુરક્ષા આપે છે.
આ વેક્સિન સરકારી આરોગ્ય કેન્દ્રો જેવા કે SDH, CHC અને PHC ખાતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. તમામ લાયકાત ધરાવતી યુવતીઓએ આ સુવિધાનો લાભ લઈ આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    user_Saurabh Gelot
    Saurabh Gelot
    પત્રકાર Dohad, Gujarat•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.