સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત એસટી બસ સ્ટેશન બહાર પાણીની પરબ શરૂ કરાઈ આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી ખાતે સામાજિક સેવા અંતર્ગત કબીર ધર્મદાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ટીસાનામુવાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. એસટી બસ સ્ટેશન બહાર મુસાફરો અને સ્થાનિક નાગરિકોની અવર-જવર વધુ રહેતા વિસ્તારમાં આ પાણીની પરબ ઉભી કરવામાં આવી છે, જેથી તરસ્યા લોકોને સરળતાથી શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે. ટ્રસ્ટ દ્વારા સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં આ પાણીની પરબ એક મહત્વપૂર્ણ સેવા રૂપે ચાલુ રાખવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં મુસાફરો અને નાગરિકોને રાહત મળે તે હેતુથી આ પહેલને લોકો દ્વારા સરાહના મળી રહી છે.
- Gujarat _मुख्यमंत्री श्री भूपेंद्र पटेल के हस्ते दाहोद जिले में ₹367.78 करोड़ के विकास कार्यों का लोकार्पण एवं खातमुहूर्त #dahodnews #dahod #breaking #india1
- Post by Salman moravala1
- શહેરામાં મુસ્લિમ સમાજના લોકોએ ઈદગાહ ખાતે એકત્ર રમઝાન ઈદની નમાઝ અદા કરી હતી,સાથે જ સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે દુઆ કરી હતી. મુસ્લિમ ધર્મમાં પવિત્ર ગણાતા રમઝાન માસના રોઝા પૂર્ણ થતાં મુસ્લિમ ધર્મના લોકો દ્વારા ઈદ-ઉલ-ફિત્ર એટલે કે રમઝાન ઈદની ખાસ નમાઝ પઢવામાં આવતી હોય છે,ત્યારે આજરોજ પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા હર્ષોલ્લાસ સાથે ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો,જેમાં શહેરા નગરના નાના બાળકોથી લઈને મોટીવયના મુસ્લિમ ભાઈ તેમજ વડીલોએ ઈદગાહ ખાતે એકત્ર થઈ રમઝાન ઈદની ખાસ નમાઝ અદા કરી હતી. ઈદની નમાઝ અદા કર્યા બાદ સમગ્ર ભારત દેશ અને વિશ્વમાં અમન શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે અલ્લાહથી દુવા કરી હતી,બીજી તરફ શાંતિપૂર્ણ માહોલમાં ઈદની નમાઝ અદા કરીને મુસ્લિમ ભાઈઓએ એકબીજા ગળે મળી ઈદની ઉજવણી કરી હતી.6
- ઘોઘંબા તાલુકાના નાથકુવા ગામે તા.20 માર્ચ શુક્રવારના રોજ એક કૂવામાં અજાણ્યા પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. બનાવ અંગે રાજગઢ પોલીસને જાણ થતા રાજગઢ પોલીસ મથક ના પીઆઇ જાડેજાએ એ બનાવની ગંભીરતા ધ્યાનમાં રાખીને હાલોલ ફાયર ટીમને તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપવામાં આવી હતી.માહિતી મળતા જ હાલોલ ફાયર બ્રિગેડની ટીમ જરૂરી સાધનો સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ ફાયર જવાનોએ ભારે સાવચેતી રાખીને ઊંડા કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી.સફળ રેસ્ક્યૂ ઓપરેશન બાદ મૃતદેહને બહાર કાઢી રાજગઢ પોલીસને સુપરત કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મૃતકની ઓળખ અને ઘટનાની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે1
- કાલોલ નગર સહિત તાલુકામાં ઈદુલફીત્રની વિશેષ નમાઝને લઈ મુસ્લીમ બિરાદરોએ ઈદગાહ તેમજ મસ્જીદોમાં ખુદાની બંદગી કરી. મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે જે ઈદ-દુલ-ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઈસ્લામી માસ શવ્વાલના પ્રથમ દિવસે ઈદુલફિત્રની મુસ્લિમ સંપ્રદાય ના લોકો દ્વારા મનાવામાં આવે છે જે શનિવારના રોજ કાલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન ઈદગાહ ખાતે તેમજ રબ્બાની મસ્જીદ અને મોહંમદી મસ્જીદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર વેજલપુર,બોરૂ, મલાવ અને એરાલમાં ખુબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી.ઈદુલફીત્ર પ્રસંગે કાલોલ નગરની નુરાની ઈદગાહમાં કાલોલ જુમ્મા મસ્જીદના ખતીબો ઈમામ મુફ્તી મોલાના સૈયદ ગુલામ રસુલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદુલફીત્રના મહિમા વિશે ચોટદાર પ્રકાશ પાડતું બયાન કર્યુ હતુ. વાઅઝના સમાપન બાદ નમાઝ ઈમામ સૈયદ ગુલામરસુલ કાદરી એ પઢાવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન-ચેન-સુકુન અને શાંતિ બની રહે તેવી દુવા ગુજારી એક બીજાને ગળે મળી ઈદ ની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.કાલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદ ની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સખ્યામાં રોકાઈને બંદગી કરી પોતાના રબને રાજી કરવાના પ્રયાસો કર્યા હતા. રમજાન ઈદના પાવન પર્વ ને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યો એ મુસ્લીમ બિરાદરો ને ગળે મળી ઇદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.2
- હાલોલ પંથકમાં ઈદુલ-ફિત્ર (રમજાન ઈદ)ની મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદની વિશેષ નમાજ સાથે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ.. મિત્રો આ વીડિયોને વધુમાં વધુ શેર અને લાઈક કરી કોમેન્ટ કરવા વિનંતી.. અને હાં અપના બજાર હાલોલના પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.1
- ધારાસભ્ય બચુભાઈ ખાબડના હસ્તે ફાંગિયા-સેવનિયા-કંજેટા રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે તારીખ 21/03/2026 શનિવારના રોજ બપોરે 12 કલાક સુધીમાં ફાંગિયા-સેવનિયા-કંજેટા સુધીના માર્ગના વિકાસ માટે મંજૂર થયેલી આશરે ૧૭૦૦ લાખ રૂપિયાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો. આ પ્રોજેક્ટ અંતર્ગત રોડનું રિસર્ફેસિંગ કરવામાં આવશે તેમજ ૪ નાળા અને ૨ બોક્સ કલ્વર્ટનું નિર્માણ કરવામાં આવશે, જેના કારણે વરસાદી મોસમ દરમિયાન પાણીની સમસ્યા દૂર થશે અને વાહન વ્યવહાર વધુ સરળ બનશે. આ વિકાસકાર્ય પૂર્ણ થતાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોને સીધી અને સુવિધાસભર માર્ગ વ્યવસ્થા મળશે તેમજ સ્થાનિક લોકોની અવરજવર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.1
- DAHOD मानकिया चेक पोस्ट पर आने जाने वाले वाहनों की जांच पड़ताल। #news #dahodlive #gujarati #BREAKING1
- Post by Salman moravala1